G One News

G One News જોડે ગુજરાત ને...
(1)

10/06/2026

અરેઠ તાલુકાના કેવડિયા ગામની સીમમાં ₹3.38 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહી 7 પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવી હતી.દારૂના આ જથ્થાનો નાશ રોલર અને JCBની મદદથી કરાયો હતો. આ કાર્યવાહીમાં તરકેશ્વર, માંડવી, ઝંખવાવ, ઉમરપાડા, માંગરોળ, પાલોદ અને કોસંબા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.આ પ્રસંગે નશાબંધી અધિક્ષક, DYSP વનાર, મદદનીશ પોલીસ અધિક્ષક અક્ષેશ એન્જિનિયર, માંડવી પ્રાંત અધિકારી, તેમજ 7 પોલીસ સ્ટેશનના PI, PSI અને પોલીસ જવાનોનો મોટો કાફલો ઉપસ્થિત રહ્યો હતો. માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર રહી હતી.નાશ કરાયેલા વિદેશી દારૂના જથ્થાની કુલ કિંમત ₹3,38,29,100 આંકવામાં આવી છે.

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

10/06/2026

આણંદ ACB એ તારાપુર પાલિકાના એક ફિલ્ડ એન્જીનીયરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી પેટલાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પાસેથી રૂ.8 હજારની લાંચ સ્વીકારતી વખતે કરવામાં આવી હતી.

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

10/06/2026

સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન મામલે સ્થાનિક રહીશો અને શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ તાપી ભવન ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા SMC કચેરીને તાળા મારવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ શહેર કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા મ્યુ. કમિશનર એમ નાગરાજનના બંગલા પર વિરોધ કરવા પહોંચ્યા હતા. પોલીસ દ્વારા નાસીરનગરના લોકો અને કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, વહીવટી તંત્રએ કોઇપણ સૂચના કે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા વિના અને બિલ્ડરોના કથિત લાભ માટે ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. કોંગ્રેસ પીડિતોને તાત્કાલિક વૈકલ્પિક રહેઠાણ આપવા, નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવા અને જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે તંત્રને રજૂઆત કરવા પહોંચી હતી.સુરત મહાનગરપાલિકાના મુખ્ય દ્વાર પર નાસિરનગરના લોકો અને કોંગ્રેસ કાર્યકરો ધરણા પર બેસતા રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ શાંતિપૂર્ણ વિરોધ ત્યારે ઉગ્ર બન્યો જ્યારે મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા અને કોર્પોરેટર અરશદ ઝરીવાલાને મનપાના ગેટમાં પ્રવેશવા દેવામાં ન આવ્યા.આ પગલાથી રોષે ભરાયેલી પ્રજા અને કોંગ્રેસ કાર્યકરોએ મહાનગરપાલિકાને તાળા મારવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ ત્રણ ભ્રષ્ટાચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી મુખ્ય જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કોઈ સામાન્ય અધિકારીને મળશે નહીં અને આ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

10/06/2026

સુરત મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર સામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા વધુ એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોન ઓફિસમાં ફરજ બજાવતા આકારણી વિભાગના વર્ગ-3 ના ક્લાર્ક રાકેશકુમાર ચંદુભાઇ શ્રીમાળી ને રૂપિયા 3,500 ની લાંચ લેતા એ.સી.બી.ની ટીમે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

10/06/2026

ગુજરાતના પોલીસ વડા (DGP) શ્રી જી. એસ. મલિકે રાજ્યના પોલીસ તંત્રને વધુ પારદર્શક અને નાગરિક કેન્દ્રિત બનાવવાના દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગાંધીનગર સ્થિત ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર અને પોલીસ ભવન ખાતેના જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધા બાદ ડીજીપીએ સ્પષ્ટ કર્યું હતું કે, હવે નાગરિકોએ પોતાના નાના-મોટા પ્રશ્નોના નિવારણ માટે ગાંધીનગર સુધી લાંબા ન થવું પડે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.મુલાકાત દરમિયાન જી. એસ મલિકે અરજદારો સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. તેમણે સમીક્ષામાં જોયું કે કયા જિલ્લાઓમાંથી અરજદારોની સંખ્યા ગાંધીનગર આવવા માટે વધુ રહે છે. આ સમીક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, જે જિલ્લામાંથી વધુ ફરિયાદકર્તાઓ આવે છે, ત્યાં જ સ્થાનિક સ્તરે આ પ્રશ્નોનો સંતોષકારક નિકાલ થાય. ડીજીપીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાથી નાગરિકોનો સમય અને શક્તિ બંને બચશે.વર્તમાન સમયમાં ગાંધીનગર ખાતે આવતી તમામ રજૂઆતોને તાત્કાલિક અસરથી જે-તે જિલ્લાના પોલીસ યુનિટમાં મોકલી આપીને તેનો ઝડપી અને ન્યાયિક નિકાલ થાય તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. પોલીસ વડાએ ભારપૂર્વક કહ્યું હતું કે, જનસંપર્ક કાર્યાલય એ માત્ર અરજીઓ સ્વીકારવાનું સ્થળ નથી, પરંતુ તે પોલીસ અને જનતા વચ્ચેના વિશ્વાસનો મજબૂત સેતુ છે.પોલીસ વડાની આ પહેલથી રાજ્યભરના નાગરિકોમાં નવી આશા જન્મી છે. સ્થાનિક સ્તરે જ ફરિયાદોનું નિવારણ થવાથી પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધોમાં પણ વધુ મધુરતા આવશે તેવું પ્રશાસનિક નિષ્ણાતો માની રહ્યા છે. પોલીસ તંત્રની આ નવી લોકકેન્દ્રિત નીતિને લોકો દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

10/06/2026

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરમાં સંભવિત જાનહાની અને મોટી હોનારત ટાળવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા તકેદારીના પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે જૂના અને જર્જરીત મકાનો ધસી પડવાની ઘટનાઓ બનતી હોય છે, જેને રોકવા માટે પાલિકા તંત્ર દ્વારા શહેરભરમાં સર્વે કરીને જોખમી મકાનોને નોટિસ આપવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.કોર્પોરેશનના સત્તાવાર સર્વે મુજબ, સમગ્ર વડોદરા શહેરમાં અંદાજે 1800 જેટલા મકાનો જર્જરીત અને જોખમી હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ કુલ મકાનોમાંથી સૌથી વધુ 788 જેટલા જર્જરીત મકાનો માત્ર વોર્ડ નંબર 14 વિસ્તારમાં આવેલા છે. આ આંકડો દર્શાવે છે કે આ વિસ્તારમાં જૂના અને જોખમી બાંધકામોની સંખ્યા ઘણી વધારે છે અને ત્યાં અકસ્માતનો ભય સૌથી વધુ છે.વોર્ડ નંબર 14 ના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. વિભાગના અધિકારીઓએ લાલ આંખ કરીને આ તમામ 788 જર્જરીત મકાનોના માલિકો અને રહીશોને કાયદેસરની નોટિસો ફટકારી દીધી છે. નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે મકાનનો જોખમી ભાગ કાં તો ઉતારી લેવામાં આવે અથવા તો તેનું યોગ્ય સમારકામ કરવામાં આવે.માત્ર વોર્ડ નંબર 14 જ નહીં, પરંતુ વડોદરા શહેરના તમામ જુદા જુદા વોર્ડમાં પાલિકાની ટીમો સક્રિય થઈ છે. શહેરભરના બાકીના વિસ્તારોમાં આવેલા જોખમી મકાનોને પણ વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવાની અને કાયદેસરની કામગીરી સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેથી ચોમાસા દરમિયાન વડોદરાના નાગરિકો સુરક્ષિત રહી શકે.

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

10/06/2026

ઉનાળાની સિઝનમાં વડોદરા શહેરમાં વર્તાઈ રહેલી પાણીની સમસ્યાને ગંભીરતાથી લઈને વડોદરા મહાનગરપાલિકા (VMC) એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના નાગરિકોને પૂરતું અને શુદ્ધ પાણી મળી રહે તે માટે આજે પાલિકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને એક મહત્વની રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે સર્વગ્રાહી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.બેઠકમાં વડોદરાના નાગરિકોની પાણીની દૈનિક માંગને પહોંચી વળવા માટે લાંબાગાળાના આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો. કમિશનરે જણાવ્યું કે, વડોદરાના લોકોની પાણીની તંગી દૂર કરવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) પાસેથી વધારાનું પાણી લેવામાં આવશે.સારી બાબત એ છે કે નર્મદા કેનાલમાંથી સીધું આજવા સરોવરમાં પાણી લાવી શકાય તેવી ટેકનિકલ વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ વ્યવસ્થાનો મહત્તમ ઉપયોગ કરીને ચાલુ મહિને જ નર્મદા નિગમમાંથી વધુ જથ્થામાં પાણી મંગાવવા માટેનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેથી આગામી દિવસોમાં જળસંકટ હળવું કરી શકાય.શહેરમાં ઘણા વિસ્તારોમાં છેવાડાના નાગરિકો સુધી પાણી ન પહોંચવાનું મુખ્ય કારણ ગેરકાયદેસર જોડાણો અને બૂસ્ટર મોટરનો ઉપયોગ હોવાનું સામે આવ્યું છે. આ બાબતને ગંભીરતાથી લઈને મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને સ્પષ્ટ અને કડક આદેશો આપ્યા છે:

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

09/06/2026

વડોદરા શહેરના છેવાડે વિસ્તારમાં આવેલી ટીપી 40માં આદિત્ય પેરેડાઇઝ બંગલોથી 12 મીટરના 90 મીટર જોડતા ખુલ્લા કરવાના રસ્તામાં અડચણરૂપ અને ગેરકાયદે બનેલા પાંચ મકાનોની કમ્પાઉન્ડ વોલ પર પાલિકાની દબાણ શાખાના બુલડોઝર ફરી વળતા ટીપીનો આ રસ્તો ખુલ્લો કરાયો હતો. શહેરના છેવાડે વિસ્તારમાં કપૂરાઈ ટીપી 40માં આદિત્ય પેરેડાઇઝ બંગલોથી 12 મીટરનો રસ્તો ખુલ્લો કરવાનો હતો. આ અંગે તપાસ દરમિયાન 90 મીટર જેટલા રોડ રસ્તા પર પાંચ જેટલા મકાનોની ગેરકાયદે કમ્પાઉન્ડ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પાલિકા તંત્ર દ્વારા શરૂ કરાયેલી કાર્યવાહી અગાઉ ઘટના સ્થળે કોઈ અઘટિત બનાવ બનતો રોકવા માટે મેડિકલ ટીમ, વીજ નિગમ ટીમ, ફાયરની ટીમ, તથા સ્થાનિક પોલીસ કાફલો અને એસઆરપી કાયદો વ્યવસ્થા જાળવવા ખડે પગે રખાઈ હતી. દબાણ શાખા દ્વારા ટીપી 40 અંગે આદિત્ય પેરેડાઇઝ બંગ્લોઝથી 12 મીટરના રસ્તો ખુલ્લો કરવા માટે અંદાજિત 90 મીટરની જગ્યામાં બનેલા રહેણાંક પાંચ મકાનોની ગેરકાયદે બનાવવામાં આવેલી કમ્પાઉન્ડ વોલ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ વખતે સ્થાનિકોના ટોળેટોળા દબાણ શાખાની કાર્યવાહી જોવા માટે ઉમટયા હતા. પરંતુ ઘટના સ્થળે મોજૂદ પોલીસ કાફલાએ અને એસઆરપી જવાનોએ સંયમ દાખવીને ઘટના સ્થળેથી તમામને ખદેડયા હતા.

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

09/06/2026

એક ભુવો પુરાયો ત્યાં બીજો તૈયાર!
ચોમાસું હજી બાકી છે, ત્યાં ઉનાળામાં જ વડોદરાનો આ હાલ!
ભ્રષ્ટાચારની પોલ ખોલતા આ 'ઉનાળુ ભુવા'
ચોમાસામાં વડોદરાવાસીઓનું શું થશે?
તંત્ર સફાળું જાગ્યું, પણ કાયમી ઉકેલ ક્યારે?

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

09/06/2026

મુંબઈના સૌથી પ્રખ્યાત અને કરોડો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન 'લાલબાગચા રાજા' ના આગમનની તૈયારીઓ આજથી સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. આજે, મંગળવાર, ૯ જૂન ૨૦૨૬ ના રોજ સવારે લાલબાગચા રાજા મંડળ દ્વારા પરંપરાગત રીતે ભક્તિમય વાતાવરણમાં 'પાદ્યપૂજન' (પાટ પૂજન) સોહળો ઉજવવામાં આવ્યો હતો. આ પૂજન સાથે જ વર્ષ ૨૦૨૬ ના ગણેશોત્સવ માટે મૂર્તિ નિર્માણના કાર્યના શ્રીગણેશ થયા છે.લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ આ વર્ષે પોતાનું ૯૩મું વર્ષ ઉજવી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપ્પાની ભવ્ય અને આકર્ષક મૂર્તિના નિર્માણ માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી. ચાફાના સુંદર અને સુગંધી ફૂલોની વચ્ચે કંડારેલા ગણરાયાના પ્રતીકાત્મક ચરણોનું (પાદુકાનું) મંડળના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે ગણેશ ચતુર્થી ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવારના રોજથી શરૂ થઈ રહી છે, અને આજથી જ મુંબઈમાં ઉત્સવનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે.

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/IIZDOm0Hdz5FFHt0fNAjPN

Address

Baroda

Telephone

+917487057710

Website

Alerts

Be the first to know and let us send you an email when G One News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to G One News:

Share

Category