16/10/2025
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી જેની રાહ જોવાઈ રહી હતી, તે ઘડી આવી ચુકી છે, મંત્રી મંડળના વિસ્તરણને લઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે શપથવિધિ કાર્યક્રમ યોજાશે.જરાતમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણની અટકળો અને ચર્ચાઓનો અંત આવી ગયો છે. મંત્રી મંડળના વિસ્તરણને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં શપથવિધિની તારીખ અને સ્થળ પણ ફાઈનલ કરી દેવામાં આવ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ થશે. આવતીકાલે એટલે કે 17 ઓક્ટોબર 2025ના રોજ ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદીરે શપથવિધિ યોજાશે. શપથવિધિ સવારે 11.30 વાગ્યે શરુ થશે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રીઓને શપથ લેવડાવશે.આવતીકાલે શપથવિધિ થવાની હોવાથી આજ સાંજ સુધીમાં અનેક મંત્રીઓ પોતાના પદ પરથી રાજીનામા આપી દેશે. નોંધનીય છે કે, ગાંધીનગર ખાતે દર બુધવારે કેબિનેટની બેઠક યોજાતી હોય છે, જો કે ગઈકાલે (15 ઓક્ટોબર 2025) કેબિનેટ બેઠક મળી ન હતી.બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા આદેશ કરાયો છે. જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેઓને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે બપોર સુધીમાં મંત્રીમંડળ રાજીનામું આપી દેશે અને શુક્રવારે સવારે નવું મંત્રીમંડળ જાહેર કરવામાં આવશે.સચિવાલયમાં ચર્ચા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અમદાવાદના છે. જ્યારે સૌરાષ્ટ્રની જાણે બાદબાકી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. ઉપરાંત AAPના ગોપાલ ઈટાલિયા સૌરાષ્ટ્રમાં આગળ વધી રહ્યા છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે એ પણ નિશ્ચિત છે. એમાં જયેશ રાદડિયા અને જીતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે.જોકે પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી જીતુ વાઘાણીને હોમ ડિપાર્ટમેન્ટ મળી શકે છે. એવી ધારણા થઈ છે કે મંત્રીમંડળના આ વિસ્તરણમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને વધુ મહત્ત્વના પદ અપાશે. ખાસ કરીને પાટીદોરોને વધુ મહત્ત્વ મળશે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી પણ ઠાકોર સમાજને સારાં ખાતાં મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતને આ વખતે પ્રમાણમાં થોડું ઓછું મળવાની શક્યતા છે.ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના વિસ્તરણમાં જે નવા પ્રધાનોને સમાવવામાં આવનાર છે તે 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને સમાવવામાં આવશે. આગામી 2027માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં જ્ઞાતિ, જાતિ અને મતદારો તેમજ વિવિધ સમાજ ઉપર પ્રભુત્વ ધરાવનારા ધારાસભ્યોને અગ્રતા આપવામાં આવશે.આ ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમા આવેલા પરંતુ મંત્રીમંડળમાં સમાવશ નહીં થયેલા આગેવાનોને પણ આ વિસ્તરણમાં સમાવીને તેમને આપેલ પ્રધાન બનાવવાનું વચન ભાજપ પુરુ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..
https://chat.whatsapp.com/K8JIUyYCaRCE9vzeYGwZTv