G One News

G One News જોડે ગુજરાત ને...

શુભ ધનતેરસમાતા લક્ષ્મીજીના આશીર્વાદથી આપના ઘરમાં હંમેશા ધન, વૈભવ અને સમૃદ્ધિનો વાસ રહે તેમજ આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતર...
18/10/2025

શુભ ધનતેરસ
માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આપના ઘરમાં હંમેશા ધન, વૈભવ અને સમૃદ્ધિનો વાસ રહે તેમજ આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરી આપ સૌને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..
https://chat.whatsapp.com/K8JIUyYCaRCE9vzeYGwZTv

18/10/2025

શા માટે ઉજવવામાં આવે છે ધનતેરસ જાણો હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્વ છે

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..
https://chat.whatsapp.com/K8JIUyYCaRCE9vzeYGwZTv

17/10/2025

મુંબઈ પ્લેટફોર્મ પર યુવકે 3 ઈડિયટ્સની જેમ મહિલાની ડિલિવરી કરાવી, બાળક અડધું બહાર હતું, ચા વેચનાર પાસેથી કાતર લઈ નાળ કાપી; બંને સ્વસ્થ

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..
https://chat.whatsapp.com/K8JIUyYCaRCE9vzeYGwZTv

17/10/2025

અમદાવાદના બાપુનગરની ભીડભંજન માર્કેટમાં વહેલી સવારે 14 દુકાનમાં આગ
કપડાં-ચંપલ સહિત લાખોનો માલ બળીને ખાક

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..
https://chat.whatsapp.com/K8JIUyYCaRCE9vzeYGwZTv

ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ગુજરાતના DyCM બનશેઅખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથ...
17/10/2025

ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ગુજરાતના DyCM બનશે

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..
https://chat.whatsapp.com/K8JIUyYCaRCE9vzeYGwZTv

16/10/2025

દિવાળીના પર્વને લઈને વોર્ડ નંબર નવ ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા પોતાના મત વિસ્તારમાં જરૂરિયાત બંધ ગંગાસ્વરૂપ બહેનોને સાડી તથા મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું દિવાળીનો પર્વ એટલે એકબીજાના ઉત્સાહમાં ભાગીદારી થઈને આ દિવાળીનો પર્વ સૌ લોકો ખુશીથી મનાવે તેમના જીવનમાં પ્રકાશ ફેલાવવા જરૂરિયાત મંદ લોકોની મદદ શ્રી રંગ રાજેશ આયરે દ્વારા ગંગાસ્વરૂપ બહેનોને સાડી અને મીઠાઈનું વિતરણ કરી તેમના જીવનમાં ખુશી લાવવાની પ્રયાસ કરવામાં આવ્યો વોર્ડ નંબર નવ ના યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આયરે દ્વારા દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી દિવસોમાં આ જ રીતના જરૂરિયાતમંદ બહેનોને વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ પણ કરવામાં આવશે

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/K8JIUyYCaRCE9vzeYGwZTv

16/10/2025

દિવાળી પર્વ નિમિત્તે સુરત ST વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું વિશેષ આયોજન સુરત એસટી વિભાગ દ્વારા દિવાળીની મુસાફરી સરળ બનાવવા 175 વિશેષ બસો ચલાવવામાં આવશે. આમાંથી 75 બસો પૂર્ણ બુક થઈ ચુકી છે, જ્યારે 100 બસોમાં હજુ સીટ ખાલી છે. મુસાફરો બસ સ્ટેન્ડ પરથી કંડક્ટર પાસેથી પણ ટિકિટ લઈ શકશે.

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/K8JIUyYCaRCE9vzeYGwZTv

16/10/2025

કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વિદ્યાનગર ખાતે આવેલા રાધે ઢોકળાને સીલ કર્યું છે. આ કાર્યવાહી ભેળસેળવાળો ખોરાક, સ્વચ્છતાનો સદંતર અભાવ અને ગંદકી જોવા મળતા કરવામાં આવી હતી, જે જાહેર આરોગ્ય માટે જોખમરૂપ હતી.

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/K8JIUyYCaRCE9vzeYGwZTv

16/10/2025

50 વર્ષોથી માટીના કોડિયા, વાસણો, મેરાયા બનાવી ગુજરાત ચલાવતા મોડાસાના વૃદ્ધ દંપતિએ અપીલ કરી હતી આજે લોકો ચાઈનીઝ લાઈટો અને મીણબત્તી તરફ વળીને પોતાની સંસ્કૃતિને પાછળ છોડતા જાય છે. અને આ કારણે અમારી આવક પણ ઘટી રહી છે. આજે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ સ્વદેશી દીવડાથી જ પોતાના ઘરે દિવાળી મનાવીએ.

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/K8JIUyYCaRCE9vzeYGwZTv

16/10/2025

ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે દિવાળી વેકેશનની તારીખોની આખરે ઓફિશિયલ જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટેના કેલેન્ડર મુજબ, રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓને આ વર્ષે 21 દિવસનું લાંબુ દિવાળી વેકેશન મળશે.ગુજરાત રાજ્યની શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્રનું સમાપન થઈ ગયું છે. આજથી રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે આનંદદાયક દિવાળી વેકેશન શરૂ થઈ ગયું છે. પ્રથમ શૈક્ષણિક સત્રમાં કુલ 105 દિવસનું શૈક્ષણિક કાર્ય નિર્ધારિત સમયપત્રક મુજબ પૂર્ણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ સત્ર દરમિયાન ઉત્સાહપૂર્વક શિક્ષણ મેળવ્યું છે અને હવે તેઓ વેકેશનના મૂડમાં છે.શાળાઓમાં આજથી શરૂ થયેલું દિવાળી વેકેશન કુલ 21 દિવસનું રહેશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો 5 નવેમ્બર, 2025 સુધી આ વેકેશનનો ભરપૂર આનંદ માણી શકશે. વેકેશન પૂર્ણ થયા બાદ 6 નવેમ્બર, 2025ના રોજથી શાળાઓમાં દ્વિતીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરાયેલ શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેવાનું છે. જેથી આજની તારીખ સુધીમાં રાજ્યની તમામ શાળાઓમાં પ્રથમ સત્રની પરીક્ષા પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલથી ગુજરાત બોર્ડના તમામ વિદ્યાર્થીઓ 21 દિવસ વેકેશનની મજા માણી શકશે.

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/K8JIUyYCaRCE9vzeYGwZTv

16/10/2025

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી જેની રાહ જોવાઈ રહી હતી, તે ઘડી આવી ચુકી છે, મંત્રી મંડળના વિસ્તરણને લઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે શપથવિધિ કાર્યક્રમ યોજાશે.જરાતમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણની અટકળો અને ચર્ચાઓનો અંત આવી ગયો છે. મંત્રી મંડળના વિસ્તરણને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં શપથવિધિની તારીખ અને સ્થળ પણ ફાઈનલ કરી દેવામાં આવ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ થશે. આવતીકાલે એટલે કે 17 ઓક્ટોબર 2025ના રોજ ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદીરે શપથવિધિ યોજાશે. શપથવિધિ સવારે 11.30 વાગ્યે શરુ થશે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રીઓને શપથ લેવડાવશે.આવતીકાલે શપથવિધિ થવાની હોવાથી આજ સાંજ સુધીમાં અનેક મંત્રીઓ પોતાના પદ પરથી રાજીનામા આપી દેશે. નોંધનીય છે કે, ગાંધીનગર ખાતે દર બુધવારે કેબિનેટની બેઠક યોજાતી હોય છે, જો કે ગઈકાલે (15 ઓક્ટોબર 2025) કેબિનેટ બેઠક મળી ન હતી.બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા આદેશ કરાયો છે. જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેઓને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે બપોર સુધીમાં મંત્રીમંડળ રાજીનામું આપી દેશે અને શુક્રવારે સવારે નવું મંત્રીમંડળ જાહેર કરવામાં આવશે.સચિવાલયમાં ચર્ચા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અમદાવાદના છે. જ્યારે સૌરાષ્ટ્રની જાણે બાદબાકી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. ઉપરાંત AAPના ગોપાલ ઈટાલિયા સૌરાષ્ટ્રમાં આગળ વધી રહ્યા છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે એ પણ નિશ્ચિત છે. એમાં જયેશ રાદડિયા અને જીતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે.જોકે પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી જીતુ વાઘાણીને હોમ ડિપાર્ટમેન્ટ મળી શકે છે. એવી ધારણા થઈ છે કે મંત્રીમંડળના આ વિસ્તરણમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને વધુ મહત્ત્વના પદ અપાશે. ખાસ કરીને પાટીદોરોને વધુ મહત્ત્વ મળશે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી પણ ઠાકોર સમાજને સારાં ખાતાં મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતને આ વખતે પ્રમાણમાં થોડું ઓછું મળવાની શક્યતા છે.ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના વિસ્તરણમાં જે નવા પ્રધાનોને સમાવવામાં આવનાર છે તે 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને સમાવવામાં આવશે. આગામી 2027માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં જ્ઞાતિ, જાતિ અને મતદારો તેમજ વિવિધ સમાજ ઉપર પ્રભુત્વ ધરાવનારા ધારાસભ્યોને અગ્રતા આપવામાં આવશે.આ ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમા આવેલા પરંતુ મંત્રીમંડળમાં સમાવશ નહીં થયેલા આગેવાનોને પણ આ વિસ્તરણમાં સમાવીને તેમને આપેલ પ્રધાન બનાવવાનું વચન ભાજપ પુરુ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.

અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..

https://chat.whatsapp.com/K8JIUyYCaRCE9vzeYGwZTv

Address

Baroda

Telephone

+917487057710

Website

Alerts

Be the first to know and let us send you an email when G One News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to G One News:

Share

Category