Pratikriya News

Pratikriya News The official page of pratikriya news gujarati newspaper. pratikriya news bharuch's leading news media
satyamev jayate
PRATIKRIYA NEWS. BHARUCH.

જૂના હૈદરાબાદ રાજ્યના ગેઝેટ પ્રમાણે મરાઠાઓને કુણબી ગણી ઓબીસી અનામતનો લાભ આપવા મહારાષ્ટ્ર સરકાર સંમત .મુંબઈના વિસ્તારોને ...
03/09/2025

જૂના હૈદરાબાદ રાજ્યના ગેઝેટ પ્રમાણે મરાઠાઓને કુણબી ગણી ઓબીસી અનામતનો લાભ આપવા મહારાષ્ટ્ર સરકાર સંમત .

મુંબઈના વિસ્તારોને ગત શુક્રવારથી બાનમાં લેનારાં મરાઠા અનામત આંદોલનનો આખરે આજે રાજ્ય સરકાર તથા આંદોલનકારીઓ વચ્ચે થયેલાં સમાધાનને પગલે અંત આવ્યો હતો.

૧૯૧૮માં તત્કલીન હૈદરાબાદ રાજ્યની નિઝામ સરકારે પ્રગટ કરેલાં ગેઝેટમાં હાલના મહારાષ્ટ્રનના મરાઠવાડાના પણ ત્યારે હૈદરાબાદ રાજ્યમાં સ્થાન પામતા વિસ્તારોમાં ખેતી કરતા મરાઠાઓને કુણબી જાહેર કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે આ ગેઝેટનો અમલ સ્વીકાર્યો છે. મહારાષ્ટ્રમાં કુણબી ઓબીસી ગણાય છે. એટલે હવે મરાઠાઓને કુણબી તરીકે ઓબીસી અનામતના લાભો મળતા થશે. સરકાર ગામેગામ કમિટી રચી મરાઠાઓને ચકાસણી બાદ કુણબી જાતિ સર્ટિફિકેટો આપશે. આ સર્ટિફિકેટ આપવા માટે રાજ્ય સરકાર પાસે ૫૮ લાખ એન્ટ્રીઓ મોજુદ છે તેવો જરાંગનો દાવો છે.

ચૈતર વસાવાના ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર .છેલ્લા બે મહિનાથી વધુ સમયથી જેલમાં બંધ ચૈતર વસાવાના કોર્ટે આગામી 8, 9 અને...
02/09/2025

ચૈતર વસાવાના ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર .

છેલ્લા બે મહિનાથી વધુ સમયથી જેલમાં બંધ ચૈતર વસાવાના કોર્ટે આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર સુધી પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કર્યા છે. આ ત્રણ દિવસ બાદ તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે. જોકે, તેવામાં ચૈતર વસાવા વિધાનસભા સત્રમાં હાજરી આપી શકે છે.

ભરૂચના ચાવજ ખાતે નિર્માણ પામેલ સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટની વાડી અને શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું.શાસ્ત્રોક્ત વ...
01/09/2025

ભરૂચના ચાવજ ખાતે નિર્માણ પામેલ સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટની વાડી અને શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું.

શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કર્યા બાદ વાડી અને શૈક્ષણિક સંકુલને સમાજના સભ્યો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.

આ પ્રસંગે સમાજના આગેવાન ધનજી પરમાર, રાજેન્દ્ર સુતરીયા, કનુ પરમાર, નગીનભાઈ પરમાર સહિતના આગેવાનો તેમજ સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Vadodara: ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેકવાના મામલે વધુ એકની ધરપકડ.ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાના બનાવમાં પોલીસ દ્વારા વધુ...
01/09/2025

Vadodara: ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેકવાના મામલે વધુ એકની ધરપકડ.

ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાના બનાવમાં પોલીસ દ્વારા વધુ એક ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અજમેરથી ઝડપેયાલ જુનેદ સિંધીની માતા સાદિકા સિંધીની ધરપકડ કરી છે. સાદિકા સિંધી પણ આ કાવતરામાં સામેલ હોવાનું સામે આવતા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ SOG દ્વારા દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું.SOGની ટીમે...
01/09/2025

ભરૂચ SOG દ્વારા દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું.

SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી કુલ ₹૪૦,૨૦૦/-ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે બંને સ્થળો ftએથી વિવિધ કંપનીઓની કુલ ૪૬ જેટલી ભરેલી અને ખાલી ગેસ બોટલો, બે રિફિલિંગ પાઇપ અને બે ઇલેક્ટ્રોનિક વજન કાંટા જપ્ત કર્યા છે.

Bitcoin Case: સુરતના બિટકોઇન ખંડણી કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન SP જગદીશ પટેલ અને પોલીસ ઇન્સ્પે...
29/08/2025

Bitcoin Case: સુરતના બિટકોઇન ખંડણી કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન SP જગદીશ પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અનંત પટેલ સહિત 14 લોકોને અમદાવાદ સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા.

વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે બિટકોઇન ખંડણીનો કેસ નોંધાયો હતો. એક ફાઈનાન્સ કંપનીમાં કરેલા બિટકોઈન રોકાણમાં શૈલેષ ભટ્ટના પૈસા ડૂબી ગયા હતા. તેથી તેણે આ કંપનીના માલિક અને કર્મચારીઓનું અપહરણ કરીને પૈસા પાછા માંગ્યા હતા. ત્યાર પછી આ કેસમાં અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ અનંત પટેલની ટીમે સરકારી વાહનોમાં શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને ખંડણી વસૂલી હતી.

પોલીસ અપહરણકારોએ શૈલેષ ભટ્ટને ગાંધીનગર નજીક લઈ જઈને રૂ. 9 કરોડની કિંમતના 176 બિટકોઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સમગ્ર ખંડણીમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની પણ સંડોવણી હતી.

સુરતથી દુબઇ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું .વિમાનના એન્જિનમાં ખામી સર્જાતા પાયલોટે ...
28/08/2025

સુરતથી દુબઇ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું .

વિમાનના એન્જિનમાં ખામી સર્જાતા પાયલોટે અમદાવાદમાં ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

28/08/2025

GSSSB હેઠળ યોજાનાર રેવન્યુ તલાટી (301/202526) ભરતીની પ્રાથમિક પરીક્ષાને લઈને મંડળે જાહેરાત કરી છે. જેમાં GSSSBએ રેવન્યુ તલાટીની પ્રાથમિક પરીક્ષા આગામી 14 સપ્ટેમ્બર, 2025ના રોજ લેવામાં આવશે તેમ જણાવાયું છે.

PM નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત કેસમાં, દિલ્હી હાઈકોર્ટે સોમવારે સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન (CIC) ના આદેશને રદ કર્યો.જ...
25/08/2025

PM નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત કેસમાં, દિલ્હી હાઈકોર્ટે સોમવારે સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન (CIC) ના આદેશને રદ કર્યો.

જેમાં વડા પ્રધાનની સ્નાતકની ડિગ્રી સંબંધિત માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટના આ નિર્ણયથી દિલ્હી યુનિવર્સિટીને રાહત મળી છે. હાઈકોર્ટે 27 ફેબ્રુઆરીએ આ મામલે નિર્ણય અનામત રાખ્યો હતો.

25/08/2025

24/08/2025

ભરૂચના શ્રવણ ચોકડી નજીક એક મકાન સાથે રેતી ભરેલી ટ્રક અથડાતા ભારે નુકસાન થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. અકસ્માત બાદ રિપેરિંગ કરી આપવાની બાંહેધરી આપનાર કોન્ટ્રાક્ટરે પાછળથી હાથ ઉઠાવી લેતા મકાન માલિકે ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રવિન્દ્રકુમાર શાહુએ મકાનને રૂપિયા ૮ લાખનું નુકસાન પહોંચાડનાર ટ્રક ચાલક વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વ્યારાના DySP નિકિતા શિરોયા રૂપિયા દોઢ લાખની લાંચ લેતા ACBના છંટકામાં સપડાયા.એટ્રોસિટીના કેસમાં એરેસ્ટ નહીં કરવા બદલ ફરિ...
24/08/2025

વ્યારાના DySP નિકિતા શિરોયા રૂપિયા દોઢ લાખની લાંચ લેતા ACBના છંટકામાં સપડાયા.

એટ્રોસિટીના કેસમાં એરેસ્ટ નહીં કરવા બદલ ફરિયાદી પાસે લાંચ માગી હતી. ACBએ બાતમીના આધારે છંટકું ગોઠવતા વ્યારાના DySP નિકિતા શિરોયા સાથે હેડ કોન્સ્ટેબલ પણ લાંચ લેતા ઝડપાયા છે.

Address

Kasak
Bharuch
392001

Alerts

Be the first to know and let us send you an email when Pratikriya News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pratikriya News:

Share