Pratikriya News

Pratikriya News The official page of pratikriya news gujarati newspaper. pratikriya news bharuch's leading news media
satyamev jayate
PRATIKRIYA NEWS. BHARUCH.

જસ્ટિસ સૂર્યકાંત શર્મા ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ બનશે.કેન્દ્ર સરકારે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) ની નિમણૂક માટે...
25/10/2025

જસ્ટિસ સૂર્યકાંત શર્મા ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ બનશે.

કેન્દ્ર સરકારે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) ની નિમણૂક માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ આવતા મહિને 23 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.

ન્યાયાધીશ સૂર્યકાંત ન્યાયાધીશ ગવઈ પછી સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે અને ભારતીય ન્યાયતંત્રના આગામી વડા બનવાની હરોળમાં છે. 10 ફેબ્રુઆરી, 1962 ના રોજ હરિયાણાના હિસાર જિલ્લામાં એક મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા ન્યાયાધીશ સૂર્યકાંત 24 મે, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા. ન્યાયાધીશ સૂર્યકાંતના નામાંકનને મંજૂરી મળ્યા બાદ, તેઓ 24 નવેમ્બરે મુખ્ય ન્યાયાધીશનો કાર્યભાર સંભાળશે અને 9 ફેબ્રુઆરી, 2027 સુધી લગભગ 15 મહિના સુધી આ પદ સંભાળશે.

વડોદરા શહેરમાં યોજાયેલા રોજગાર મેળા દરમિયાન કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની નારાજગી.વડોદરાના સાંસદ હેમાંગ જોશી,...
25/10/2025

વડોદરા શહેરમાં યોજાયેલા રોજગાર મેળા દરમિયાન કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની નારાજગી.

વડોદરાના સાંસદ હેમાંગ જોશી, મેયર પિન્કીબેન સોની અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કાર્યક્રમમાં સમયસર હાજર રહ્યા ન હતા. બીજી તરફ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અડધો કલાક વહેલા કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા હતા.મંત્રીએ કટાક્ષભરી ભાષામાં શું કહ્યું?મંત્રીએ સ્ટેજ પરથી જ હળવી પણ કટાક્ષભરી ભાષામાં કહ્યું કે, "હું વડોદરાનો મહેમાન છું, જમાઈ છુ, તમે કેમ મોડા આવ્યા?

મંત્રી તરીકે મને રિસીવ કરવા કોઈ આવ્યું જ કેમ નહીં?" આ શબ્દો સાંભળીને સ્ટેજ પર થોડો સંકોચભર્યો માહોલ છવાઈ ગયો હતો. ત્યારબાદ સાંસદ હેમાંગ જોશી અને મેયર પિન્કીબેન સોનીએ મંત્રી પાસે માફી માંગી હતી.''...સમયસર હાજરી આપવી જોઈએ''સિંધિયાએ જાહેરમાં જ બંનેને સ્ટેજ પર ખખડાવતાં કહ્યું કે, ''જાહેર જીવનમાં સમયનું પાલન ખૂબ જ મહત્વનું છે અને આવા કાર્યક્રમોમાં સૌએ સમયસર હાજરી આપવી જોઈએ''.

જે બાદ સાંસદ ડો. હેમાંગ જોષીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેઓ તેમની વાટ સર્કલ ઓફિસમાં જોઇ રહ્યા હતા. પરંતુ તેઓ સીધા જ કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા હતા

Surat News : સુરતના અલથાણામાં દારૂ પાર્ટીનો કેસ, PSI પર હુમલો કરનાર નબીરા જૈનમ શાહને સાથે રાખી પોલીસે ઘટના સ્થળે કર્યુ ર...
24/10/2025

Surat News : સુરતના અલથાણામાં દારૂ પાર્ટીનો કેસ, PSI પર હુમલો કરનાર નબીરા જૈનમ શાહને સાથે રાખી પોલીસે ઘટના સ્થળે કર્યુ રિકન્સ્ટ્રક્શન.

વડોદરાના આજવા રોડ ખાતે નારાયણધામ સોસાયટી વિસ્તારમાં નવા વર્ષના પ્રારંભે જ હત્યાની ઘટનાથી ચકચાર.28 વર્ષીય યુવક અક્ષય વિક્...
23/10/2025

વડોદરાના આજવા રોડ ખાતે નારાયણધામ સોસાયટી વિસ્તારમાં નવા વર્ષના પ્રારંભે જ હત્યાની ઘટનાથી ચકચાર.

28 વર્ષીય યુવક અક્ષય વિક્રમભાઈ સોલંકી નવા વર્ષની ઉજવણીમાં મિત્રોને મળવા ગયો હતો અને તેની હત્યા થઈ ગઈ.

હત્યારાએ ખંજરના ઘા મારીને અક્ષયની હત્યા કરી,બાપોદ પોલીસે આરોપીની ધરપકડ કરી, CCTV, FSL અને હથિયારની તપાસ સાથે હત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે, જ્યારે પરિવારે ફાંસીની સજાની માગ કરી છે.

આ યુવકને આરોપી દેવેન્દ્ર ઉર્ફે રાજા સુરેશભાઈ સોલંકી (રહે. ગાયત્રી પાર્ક સોસાયટી નારાયણધામની બાજુમાં આજવા રોડ બાપોદ) દ્વારા ખંજરના ઘા ઝીંકી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જોકે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

220 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે ફાઈવ સ્ટાર હોટેલો જેવી સુવિધાવાળા ફ્લેટ બનાવવામાં આવ્યા. આ ફાઈવ સ્ટાર ફ્લેટોનુ ભાડું માત...
22/10/2025

220 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે ફાઈવ સ્ટાર હોટેલો જેવી સુવિધાવાળા ફ્લેટ બનાવવામાં આવ્યા.

આ ફાઈવ સ્ટાર ફ્લેટોનુ ભાડું માત્ર 37 રૂપિયા અને 50 પૈસા લેવામાં આવશે..

લક્ઝુરિયસ 4BHK ફ્લેટમાં 43 ઈંચના LED ટીવી, રેફ્રિજરેટર, એસી, ગીઝર સહિતની સગવડ.

ભરૂચમાં છેતરપિંડીના કેસનો આરોપી દશરથ ઘાંધલીયા કોર્ટમાંથી પરત ફરતી વખતે પત્નીને મળવાના બહાને ફરાર.ફરજમાં ગંભીર બેદરકારી બ...
21/10/2025

ભરૂચમાં છેતરપિંડીના કેસનો આરોપી દશરથ ઘાંધલીયા કોર્ટમાંથી પરત ફરતી વખતે પત્નીને મળવાના બહાને ફરાર.

ફરજમાં ગંભીર બેદરકારી બદલ ASI સહિત બે પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ.

કોર્ટમાંથી આરોપીનો કબજો મેળવ્યા બાદ ASI ભૂપેન્દ્રસિંહે કોન્સ્ટેબલને ઘરે મોકલી દીધો હતો. ત્યારબાદ ASIએ પોતે આરોપી દશરથને ઇંટવાલા પેટ્રોલ પંપ પાસે પત્નીને મળવા જવા દીધો હતો અને સાંજે ૫ વાગ્યે પરત આવવા જણાવ્યું હતું, પરંતુ તે પાછો ફર્યો ન હતો.

બંને પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી તથા ફરાર કેદીની શોધખોળ શરૂ કરી છે.

અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ મંત્રી બન્યા બાદ ભરૂચ આવતા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવ...
19/10/2025

અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ મંત્રી બન્યા બાદ ભરૂચ આવતા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું .

તેઓ રાજ્યકક્ષાના પાણી પુરવઠા અને જળ સંપતિ મંત્રી બન્યા છે ત્યારે આજરોજ તેઓ ગાંધીનગર ખાતેથી ભરૂચ આવી પહોંચતા ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે તેઓનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર છેડે આવેલા નર્મદા મૈયા બ્રિજ નજીકના કોવિડ સ્મશાન પાસે સવારે મહિલાએ નદીમાં છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો .મહિલાએ ...
19/10/2025

અંકલેશ્વર છેડે આવેલા નર્મદા મૈયા બ્રિજ નજીકના કોવિડ સ્મશાન પાસે સવારે મહિલાએ નદીમાં છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો .

મહિલાએ બે વાર નદીમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નાવિકોએ સમયસર પકડી રાખી જીવ બચાવ્યો હતો.

ઘટનાની જાણ થતા જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તરત જ પોલીસને માહિતી આપી હતી. અંકલેશ્વર પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મહિલાને કિનારે સુરક્ષિત સ્થાન પર લાવી પૂછપરછ શરૂ કરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે તે જીવનની પરિસ્થિતિઓથી કંટાળી જઈ આપઘાત કરવા નક્કી કર્યું હતું. હાલ પોલીસે મહિલાની ઓળખ મેળવવા સાથે તેના વાલી-વારસનો સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મહિલાનું નિવાસસ્થાન અંકલેશ્વર વિસ્તારનું હોવાનું માનવામાં આવે છે

અંકલેશ્વરના પાનોલીમાં હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કર્મીનું મોત.NH 48 પર પાનોલી નજીક ટ્રાફિકનિયમન કરી રહ્યા હતા એ દરમ્યાન...
17/10/2025

અંકલેશ્વરના પાનોલીમાં હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કર્મીનું મોત.

NH 48 પર પાનોલી નજીક ટ્રાફિકનિયમન કરી રહ્યા હતા એ દરમ્યાન અજાણ્યા વાહને મારી ટક્કર અકસ્માતમાં ટ્રાફિક પોલીસ વિભાગના પોલીસકર્મી વિવેકસિંહ ડાભીનું ગંભીર ઇજાના પગલે મોત.

17/10/2025

📌BIG BREAKING
અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ પુનઃ એક વખત મંત્રી બન્યા.

5 ટર્મથી ઇશ્વરસિંહ પટેલ છે ધારાસભ્ય.

અગાઉ 2 વખત મંત્રી રહી ચુક્યા છે

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ગુજરાતના મુખ્યમંત્રી મંત્રીમંડળમાં મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.મ...
17/10/2025

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ગુજરાતના મુખ્યમંત્રી મંત્રીમંડળમાં મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

મૂળ રાજકોટના રીવાબા જાડેજાએ અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા પછી, તેણીએ મહિલા સશક્તિકરણ માટે કામ કર્યું. શરૂઆતથી જ, રીવાબા મહિલાઓ અને સામાજિક કાર્યના સમર્થન માટે જાણીતા છે. તેમણે NGO શ્રી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટની પણ સ્થાપના કરી.

૧૭ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ, રીવાબા જાડેજાને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં મંત્રી પદ આપવામાં આવ્યું હતું.

CM ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારમાં શુક્રવારે યુવા અને ગતિશીલ મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે...
17/10/2025

CM ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારમાં શુક્રવારે યુવા અને ગતિશીલ મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.

લગભગ ચાર વર્ષ પછી આ પદ પુનઃજીવિત થયું!

શપથ ગ્રહણ સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય 25 મંત્રીઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સમક્ષ શપથ લીધી.

માત્ર 40 વર્ષીય સંઘવી, જેમને હંમેશા 'રાજકીય રીતે તીક્ષ્ણ અને સંગઠનાત્મક રીતે મૂળ ધરાવતા' નેતા તરીકે ઓળખવામાં આવે છે, તેઓ ત્રણ વખત ધારાસભ્ય બન્યા છે, જેમણે ગૃહ (રાજ્ય), રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતના મુખ્ય વિભાગો સંભાળ્યા હતા.

Address

Kasak
Bharuch
392001

Alerts

Be the first to know and let us send you an email when Pratikriya News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pratikriya News:

Share