
03/09/2025
જૂના હૈદરાબાદ રાજ્યના ગેઝેટ પ્રમાણે મરાઠાઓને કુણબી ગણી ઓબીસી અનામતનો લાભ આપવા મહારાષ્ટ્ર સરકાર સંમત .
મુંબઈના વિસ્તારોને ગત શુક્રવારથી બાનમાં લેનારાં મરાઠા અનામત આંદોલનનો આખરે આજે રાજ્ય સરકાર તથા આંદોલનકારીઓ વચ્ચે થયેલાં સમાધાનને પગલે અંત આવ્યો હતો.
૧૯૧૮માં તત્કલીન હૈદરાબાદ રાજ્યની નિઝામ સરકારે પ્રગટ કરેલાં ગેઝેટમાં હાલના મહારાષ્ટ્રનના મરાઠવાડાના પણ ત્યારે હૈદરાબાદ રાજ્યમાં સ્થાન પામતા વિસ્તારોમાં ખેતી કરતા મરાઠાઓને કુણબી જાહેર કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે આ ગેઝેટનો અમલ સ્વીકાર્યો છે. મહારાષ્ટ્રમાં કુણબી ઓબીસી ગણાય છે. એટલે હવે મરાઠાઓને કુણબી તરીકે ઓબીસી અનામતના લાભો મળતા થશે. સરકાર ગામેગામ કમિટી રચી મરાઠાઓને ચકાસણી બાદ કુણબી જાતિ સર્ટિફિકેટો આપશે. આ સર્ટિફિકેટ આપવા માટે રાજ્ય સરકાર પાસે ૫૮ લાખ એન્ટ્રીઓ મોજુદ છે તેવો જરાંગનો દાવો છે.