Pratikriya News

Pratikriya News The official page of pratikriya news gujarati newspaper. pratikriya news bharuch's leading news media
satyamev jayate
PRATIKRIYA NEWS. BHARUCH.

Vadodara: માંજલપુરમાં BJP ના સતીશ પટેલનો  વિજય.કોંગ્રેસના ભીખાભાઈ રબારીની હારચૂંટણી અધિકારીએ સતીશ પટેલને વિજેતા જાહેર કર...
03/08/2026

Vadodara: માંજલપુરમાં BJP ના સતીશ પટેલનો વિજય.

કોંગ્રેસના ભીખાભાઈ રબારીની હાર

ચૂંટણી અધિકારીએ સતીશ પટેલને વિજેતા જાહેર કર્યા

ભાજપ ઉમેદવાર સતીશ પટેલને મળ્યા 55,481 મત

કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીને મળ્યા 24,851 મત

✅ભરૂચ વાગરાથી દયાદરા જવાના રસ્તા પર ભૂખી ખાડીનું પાણી રસ્તાપર ફરી વળવાથી અરગામા તરફથી રસ્તો બંધ કરેલ છે. વૈકલ્પિક રસ્તો ...
01/08/2026

✅ભરૂચ

વાગરાથી દયાદરા જવાના રસ્તા પર ભૂખી ખાડીનું પાણી રસ્તાપર ફરી વળવાથી અરગામા તરફથી રસ્તો બંધ કરેલ છે. વૈકલ્પિક રસ્તો ચાલુ.

દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઇ–વાઘોડિયા માર્ગ બંધ, 17 ગામો એલર્ટ.વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે  ગંભીર પરિસ્થિતિ.પી...
01/08/2026

દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઇ–વાઘોડિયા માર્ગ બંધ, 17 ગામો એલર્ટ.

વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ગંભીર પરિસ્થિતિ.

પીપળીયા ગામ, ધીરજ હોસ્પિટલ, સુમનદીપ હોસ્પિટલ અને વિદ્યાલય કેમ્પસ તેમજ આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાયા.

અમરેશ્વરથી વાઘોડિયા તરફ જતાં માર્ગ પર ફરી પાણી વળી જતાં તંત્રએ સાવચેતીના ભાગરૂપે રોડ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સીમડિયાથી અમરેશ્વર થઈ વાઘોડિયા જતો માર્ગ પણ આગામી સૂચના સુધી બંધ રાખવામાં આવ્યો છે.

ડભોઇ તાલુકાના 10 અને વાઘોડિયા તાલુકાના 7 ગામોમાં વહીવટી તંત્ર દ્વારા સતર્કતા જાહેર કરી નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

31/07/2026

📌બ્રેકિંગ:-

ભરૂચ : ભારે વરસાદને પગલે ભરૂચ જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં આવતીકાલે તારીખ 01/08/26 ના રોજ રજા જાહેર`

વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રજાની જાહેરાત કરવામાં આવી.

31/07/2026

વડોદરામાં ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે તારીખ ૦૧/૦૮/૨૬ ના રોજ પણ સ્કુલો કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

જામનગર:  પત્નીએ પ્રેમી સાથે મળી પતિને કારખાનામાં દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ.2 વર્ષથી પતિ ઓસ્ટ્રેલિયા ગયો હોવાનું બહા...
31/07/2026

જામનગર: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને કારખાનામાં દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ.

2 વર્ષથી પતિ ઓસ્ટ્રેલિયા ગયો હોવાનું બહાનું બનાવતી પત્નીનો ભાંડો ફૂટ્યો.

પોલીસે 12 ફૂટ ઊંડો ખાડો ખોદીને અવશેષો બહાર કાઢ્યા. જામનગરમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે.

એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની નિર્દયતાથી હત્યા કરી નાખી. કોઈને શંકા ન જાય અને પુરાવાનો નાશ કરવામાટે તેઓએ લાશને કારખાનામાં જ ૧૨ ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધી હતી. છેલ્લા 2 વર્ષથી ગુમ થયેલા આ યુવકનો ભેદ આખરે ખૂલતાં પોલીસે SDM ની હાજરીમાં ખાડો ખોદાવીને મૃતદેહના અવશેષો બહાર કાઢ્યા છે.

આસામમાં આવેલા ભયંકર પૂરથી પીડિત લોકોને રાહત આપવા માટે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરક...
31/07/2026

આસામમાં આવેલા ભયંકર પૂરથી પીડિત લોકોને રાહત આપવા માટે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ચાર પૂરગ્રસ્ત જિલ્લાઓમાં લોકોના તમામ લોન ચુકવણી પર છ મહિનાની માફી આપી છે આ દરમિયાન, રાજ્યમાં પૂરથી મૃત્યુઆંક 78 પર પહોંચી ગયો છે, જ્યારે 300,000 થી વધુ લોકો હજુ પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

સુરતના લોકસભા સાંસદ મુકેશ દલાલે લોકસભામાં પ્રશ્ન ઉઠાવી સુરતને પૂરતી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર  કનેક્ટિવિટી ન મળતી હોવા...
30/07/2026

સુરતના લોકસભા સાંસદ મુકેશ દલાલે લોકસભામાં પ્રશ્ન ઉઠાવી સુરતને પૂરતી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી ન મળતી હોવાની રજૂઆત કરી.

સુરતથી સંચાલિત અંદાજે 15 આંતરરાષ્ટ્રીય ફલાઇટો હાલ બંધ કરવામાં આવી છે.

સુરત - દિલ્હી રૂટ પરની પણ સાપ્તાહિક ૭ ફ્લાઇટો ઘટાડવામાં આવી છે.

કોલકાતા રૂટની પણ ફ્લાઇટો માં ઘટાડો થયો છે તેમ જણાવ્યું છે.

ભરૂચથી વાપી સુધીના આશરે બે કરોડ લોકો તેમની દેશ-વિદેશની મુસાફરી માટે સુરત એરપોર્ટ પર નિર્ભર છે. પરંતુ પૂરતી ફલાઇટો ઉપલબ્ધ ન હોવાથી મુસાફરોને અમદાવાદ અથવા મુંબઈ એરપોર્ટ સુધી જવું પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થાય છે.

બંધ કરવામાં આવેલી ફ્લાઇટો ને ફરી શરૂ કરવામાં આવે અને અન્ય રૂટ માટેની ફ્લાઇટો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

30/07/2026

માંજલપુર પેટા ચૂંટણી:-

સાંજના 6 વાગ્યા સુધીમાં અંદાજીત 37.5% મતદાન થયું છે.

મોક પોલ દરમિયાન એક બેલેટ યુનિટ, એક કન્ટ્રોલ યુનિટ અને 8 વીવીપેટ ક્ષતિગ્રસ્ત જણાય આવતા બદલવામાં આવ્યા હતા.

મતદાન પ્રક્રિયા દરમિયાન બુથ કમાંક 138 નું BU બગડતા બદલાયું હતું.

30/07/2026

વડોદરા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. અનિલ ધામેલીયા દ્વારા જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમા રજા જાહેર કરવામાં આવી…

આવતીકાલે તા.31 જુલાઈ 2026, શુક્રવારના રોજ વડોદરા શહેર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈ.ટી.આઈ. તથા તમામ કોલેજો ખાતે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે…

Address

Kasak
Bharuch
392001

Alerts

Be the first to know and let us send you an email when Pratikriya News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pratikriya News:

Shortcuts

Share