Sibet Studio

Sibet Studio Event and Multimedia Company

કદમગીરી || દૈવીક દર્શન || શ્રી કમળાઈ શક્તિપીઠ નો ઇતિહાસ || સિબેટ સ્ટુડીયો     #કમળાઈશક્તિપીઠ       Full Video link https...
06/03/2025

કદમગીરી || દૈવીક દર્શન || શ્રી કમળાઈ શક્તિપીઠ નો ઇતિહાસ || સિબેટ સ્ટુડીયો

#કમળાઈશક્તિપીઠ

Full Video link
https://youtu.be/hafAIcTuv8s

પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે કમળાઇ માતાજીના સાનિધ્યમાં દર વર્ષે હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસે નવ પરિણીત દંપતીઓ હુતાસણીની પ્રદક્ષિણા કરી તેમાં શ્રીફળની આહુતિ આપે છે
પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે આવેલા કમળા માતાજીનું વૈશ્વિક કોળાંબા ધામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રવિવાર કમળા હુતાસણી ઉજવણી કરાઇ છે.

આ પવિત્ર ધામ કે જ્યાં ખુદ બજરંગદાસ બાપા સાધના કરતા હતા. જ્યાં આજે કમળા હુતાસણીની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. ભાવનગર જીલ્લામાં એકમાત્ર ધામ છે કે જ્યાં દર વર્ષે કમળા હુતાસણીની ઉજવણી કરવામાં આવે છે.

હોળી ધૂળેટીના તહેવારો શરુ થઈ ગયા છે જેમાં હોળીનો આગળનો દિવસ કમળા હુતાસણીનો દિવસ, સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે આવેલા કદમગીરી ડુંગર ઉપર કમળાઇ માતાજીના સાનિધ્યમાં દર વર્ષે હોળી પ્રગટાવી અને કમળા હુતાસણીની ઉજવણી કરવામાં આવે છે અને ત્યાર બાદના દિવસે સમગ્ર દેશમાં હોળીની ઉજવણી કરવામાં આવે છે.

અહી કમળાઈ માતાજીના સાનિધ્યમાં આજુબાજુના ગામોમાંથી તેમજ સમગ્ર જીલ્લા માંથી મોટી સંખ્યામાં ભાવિકો કમળા હુતાસણીની ઉજવણી કરવા માંટે ઉમટી પડે છે અને હોળી પ્રગટાવી અને તેમાં ખજુર-દાળિયા-પતાસા ની આહુતિ આપી અને હુતાસણીની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસે આજુબાજુના ગામના નવ પરિણીત દંપતીઓ હુતાસણીની પ્રદક્ષિણા કરી તેમાં શ્રીફળની આહુતિ આપે છે અને ત્યારબાદ તે શ્રીફળને બહાર કાઢી તેને પ્રસાદ સ્વરૂપ લેવામાં આવે છે.

કમળા હુતાસણીની અંગે એવી માન્યતા પ્રચલિત છે કે, વિષ્ણુની અર્ધાંગના બનવા કદંબાવાસી કમલાદેવીએ ફાગણ સુદી 14ને દિવસે અગ્નિજયોતમાં પોતાનુ પરિવર્તન કર્યુ તેથી તે દિવસની યાદી કમળા ઉતાસણી તરીકે ભારતમાં પ્રખ્યાત છે.

આ કમળા દેવીના દેહ વિલય પછી તે સમુદ્રમાંથી લક્ષ્મી રૂપે ઉત્પન્ન થયા. તેથી લક્ષ્મી દેવી ગણાય છે. આ દેવીનું પુરાણોકત સ્થાન શેત્રુંજી નદીને કાંઠે કદમગીરી ઉપર ગણાય છે.

ગુજરાતમાં એક ચોથુ સ્થાન જૈનોના પ્રખ્યાત તીર્થ સિદ્ધાંચલ ક્ષેત્રમાં શેત્રુંજી નદીને કાંઠે ચોક થાણા પાસેના બોદાનાનેસ પાસેના પહાડમાં છે તે પહાડને કદમગીરી ગામ તરીકે ઓળખાય છે.

પણ 60-70 વર્ષ પહેલા તે ગામ બોદાનાનેસ તરીકે ઓળખાતુ હતુ.

ઉલ્લેખનીય છે કે, આ ગામ ગુજરાતના 222 રજવાડાનું એક ગામ છે જેમના તાલુકદાર દરબાર વાજસુર રાવત કામળિયાના અનેક ધામિર્ક અને સામાજિક કાર્યની ધરોહર છે.

અહીં આવેલા આણંદજી કલાયણજી પેઢીને જે તે સમયે ગામના વિકાસ અર્થ જમીન પણ આ ગામના રાજવીઓએ દાનમાં આપેલા. ગામનુ નામ બદલાયુ પણ પહાડનુ નામ એનુ એજ છે.

કદમવાસીની દેવીનુ તે સ્થાન હોવાથી તેને કદમગીરી કહે છે. આ દેવીની મુર્તિ નથી પરંતુ ટોચ ઉપર પશ્ચિમે આંબલીના ઝાડ નીચે પથ્થર પર ત્રિશુલ આકૃતિમાં તેની પુજા થાય છે.

આ સ્થળે સંત શિરોમણી બજરંગદાસબાપા આવી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા હતા. તેજ આ પહાડ સંસ્કૃતમાં કૌલંબા કહેવામાં આવે છે તેને કમળા ભવાની કહે છે. તેમજ ત્યાંના સ્થાનિક લોકો કોળંબો કહે છે.

આ કમળાઈ માતાજી કામળિયા દરબારો અને બીજી અન્ય ઘણી કોમના કુળદેવી છે અત્રે ઉલ્લેખનીય છે કે,

કામળિયા દરબારોના બાર ગામો છે અને મહત્વની નોંધવા જેવી બાબત અહીં 16મી સદીમાં માતંગદેવ અહીં દર્શન અર્થે આવેલા કચ્છથી તે અખાત્રીજના દિવસે અહીં આવેલા જેથી અહીં દર વર્ષે અખાત્રીજ અહીં મેળો પણ ભરવામાં આવે છે.

એમની યાદ માં આ ઉપરાંત 18 વર્ણ આ માતાજી ને માને છે. આ માતાજી નું જ્યાં સ્થાનક છે તે ડુંગર ને કોલંબો ડુંગર તરીકે ઓળખાય છે અને મહત્વ ની વાત એ છે કે અહીં જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે

ત્યારે છેક મુંબઇ સુધીના લોકો થાળીમાં પાણી રાખે તો તેમને આ હોળીના દર્શન પણ થાય છે આ ઉપરાંત આ પર્વ કામળિયા દરબારો અને કામળિયા સોરઠીયા આહીરો અને કામળિયા ગોર માટે અતિ મહત્વનું હોય છે.

નવદંપતી અહીં ફરજીયાત દર્શન કરી હોળી ફરતા આંટા લે છે અને એમના ભાણેજ પણ આ પરંપરાને નિભાવે છે. આ ઉપરાંત 365 દિવસ અહીં સતત અન્નસક્ષેત્ર(ભોજન) ચાલુ રહે છે.

આ સમગ્ર આયોજન કાઠી ક્ષત્રીય સમાજ યુવા ગ્રુપ, કામળિયાવાડ અને કમળાઈ શક્તિ પીઠના ટ્રસ્ટ દ્રારા આયોજન કરવામાં આવે છે.

Production House : Sibet Studio
Script & V/O By : Nandita Pratixa Gohil
https://www.instagram.com/karma_moxa?..
Edit By: Shailesh Hamirbhai Parmar
https://www.instagram.com/silent_list..

અમને suport અને follow કરો :
https://www.Youtube.com/

Background Music Credit
https://www.youtube.com/watch?v=o6rX0ztnlYY

         રાજપરા ખોડિયાર મંદિર || દૈવીક દર્શન || આઈ શ્રી ખોડિયાર માતજી નો ઇતિહાસ || સિબેટ સ્ટુડીયો 🔥Full Video https://yo...
01/02/2025

રાજપરા ખોડિયાર મંદિર || દૈવીક દર્શન || આઈ શ્રી ખોડિયાર માતજી નો ઇતિહાસ || સિબેટ સ્ટુડીયો 🔥

Full Video
https://youtu.be/A9hsSeuP_4U

ખોડિયાર મંદિર - રાજપરા ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લા નાં સિહોર તાલુકાનાં રાજપરા ગામે આવેલ છે.
જે ભાવનગર થી ૧૮ કિ.મી. તથા સિહોર થી ૪ કિ.મી. નાં અંતરે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે.

આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે.જે તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે

આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ધેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે
ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પુજે છે. રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યુ હતું. ત્યાર બાદ ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગરનાં રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતાં.

અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર (સતર) ભાવસિંહજીએ ચડાવ્યુ હતું. કહેવાય છેકે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં. માઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે.

Production House : Sibet Studio
Script & V/O By : Nandita Pratixa Gohil
https://www.instagram.com/karma_moxa?..
Edit By: Shailesh Hamirbhai Parmar
https://www.instagram.com/silent_list..

અમને suport અને follow કરો :
https://www.Youtube.com/

Background Music Credit
https://www.youtube.com/watch?v=rSJfbcjjup8
https://www.yellowtunes.net/playlist
https://www.youtube.com/watch?v=6dnEK6SuswI

, , , , , , , , ,

પ્રજાસત્તાક દિવસ ની શુંભ કામનાઓ
26/01/2025

પ્રજાસત્તાક દિવસ ની શુંભ કામનાઓ

પદ્માનો પોકાર  || Sanjay Raval-Rambhai Raval || Dakla Song ||  Sibet Studio              Full Videohttps://youtu.be/1CP2...
16/01/2025

પદ્માનો પોકાર || Sanjay Raval-Rambhai Raval || Dakla Song || Sibet Studio



Full Video
https://youtu.be/1CP2CpK24jA

માંગડાવલો ધાતરવડના રાજવી ભાણ જેઠવાના ભત્રીજા હતા. તે એક ડાકુ બાયલ ચાડવાનો પીછો કરે છે જેણે તેના મામાના શહેર ઘુમલીમાંથી ગાયોનું અપહરણ કર્યું હતું.

રસ્તામાં, તે પાટણ ખાતે તેના પ્રેમી પદ્માવતીને મળે છે જેણે તેને ચોપાટ રમવા માટે આમંત્રણ આપ્યું હતું. તે રમવા માટે પાછા ફરવાનું વચન આપે છે અને બાયલનો પીછો કરે છે.

ત્યારપછીની લડાઈમાં, માંગડાવલો મૃત્યુ પામે છે અને ભૂત બની જાય છે કારણ કે તે પોતાનું વચન પૂર્ણ ન કરતા મૃત્યુ પામ્યો હતો.

તેના મૃત્યુ પછી, પદ્માવતી પાગલ બની જાય છે અને તેના લગ્ન એક વણિક સાથે ગોઠવવામાં આવે છે.

માંગડાવાલોનું ભૂત રસ્તામાં લગ્ન પક્ષને રોકે છે અને તેના કાકા અલાસીવાલાને પદ્માવતી સાથે તેના લગ્ન ગોઠવવા વિનંતી કરે છે.

તેઓ વટવૃક્ષની નજીકના પગથિયામાં લગ્ન કરે છે જે રાત્રે મહેલમાં ફેરવાય છે અને દિવસે વડના ઝાડ પર પાછા ફરે છે. આ દંપતી સુખી અને દુઃખી જીવનનું મિશ્રણ જીવે છે કારણ કે તેમનું મિલન રાત્રે જ શક્ય છે.

અંતે, પદ્માવતીએ માંગડાવાલોના ભૂતને દામોદર કુંડ ખાતે તેની રાખ સાથે ડૂબીને તેના ભૂતિયા જીવનમાંથી મુક્તિ અપાવી

સિબેટ સ્ટુડિયો પ્રસ્તુત....

ટાઇટલ
Sanjaybhai Raval (Malapar) Rambhai Raval (Chapari)

અમને suport અને follow કરો :
https://www.Youtube.com/

પાવાગઢ ||  દૈવીક દર્શન || શ્રી મહાકાળી માતજી નો ઇતિહાસ || History Of Pavagadh ||  Sibet Studio સિબેટ સ્ટુડીયો Pavagadh T...
13/01/2025

પાવાગઢ || દૈવીક દર્શન || શ્રી મહાકાળી માતજી નો ઇતિહાસ || History Of Pavagadh || Sibet Studio સિબેટ સ્ટુડીયો Pavagadh Temple Gujarat Tourism

Full Video
https://youtu.be/X7zDtHQY_3w

શ્રી કાળકા માતાજી મંદિર એ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ચંપાનેર-પાવાગઢ પુરાતત્ત્વ ઉદ્યાન ક્ષેત્રમાં આવેલ
હિંદુ દેવી શ્રી કાળકા માતાજી નું મંદિર છે.

આ મંદિર પાવાગઢ પર્વતની ટોચ પર આવેલું છે. તેનું નિર્માણ ૧૦ મી અથવા ૧૧ મી સદીની આસપાસ થયું હતું.

મંદિરમાં ત્રણ દેવીઓની મૂર્તિઓ છે. કેન્દ્રીય મૂર્તિ શ્રી કાળકા માતાજી ની છે. જેની ડાબી બાજુએ માં કાળી માતાજી અને જમણી બાજુએ માં બહુચર માતાજી ની મૂર્તિઓ છે.

જેમાં હજારો ભક્તો આવે છે. આ મંદિર એક શક્તિપીઠ છે. ઉડનખટોલા (રોપ-વે) દ્વારા સરળતાથી મંદિરમાં પહોંચી શકે છે.

Production House : Sibet Studio
Script & V/O By : Nandita Pratixa Gohil
https://www.instagram.com/karma_moxa?..
Edit By: Shailesh Hamirbhai Parmar
https://www.instagram.com/silent_list..

અમને suport અને follow કરો :
https://www.Youtube.com/



Address

Jesar
Bhavnagar
364510

Alerts

Be the first to know and let us send you an email when Sibet Studio posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sibet Studio:

Share