
23/05/2025
*મંત્રીશ્રી પરષોત્તમભાઇ સોલંકીના ૬૫ માં જન્મદિનની ઉજવણી નિમિત્તે ભાવનગર જિલ્લામાં આવતીકાલ તા.૨૩ ના રોજ વિવિધ કાર્યક્રમો યોજાશે*
ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્ય મંત્રીશ્રી પરષોત્તમભાઇ સોલંકીના ૬૫ માં જન્મદિનની ઉજવણી નિમિત્તે આવતીકાલ તા.૨૩/૦૫/૨૦૨૫ને શુક્રવારનાં રોજ માન. મંત્રીશ્રીના મતવિસ્તાર અને ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં વિવિધ સમાજના આગેવાનો અને કોળી સેના દ્વારા ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, આ ઉપરાંત ગુજરાત કોળી સેના દ્વારા રાજયના તાલુકાઓ અને ગામડાઓમાં માન. મંત્રીશ્રીનાં દિર્ધાયુ અને સારા સ્વાસ્થ્ય માટે હનુમાનજી મંદિરોમાં હનુમાન ચાલીસાનાં પાઠ અને શિવજી મંદિરોમાં પૂજા-પાઠ કરવાનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે,તેમ મંત્રીશ્રીના કાર્યાલયની અખબારી યાદીમાં જણાવ્યું છે.