Bhavnagar Cityadd

Bhavnagar Cityadd This Page is for all bhavnagar peoples to get daily updates about bhavnagar and exploring things in

ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ 49 લોકોને રેસ્ક્યુ કરાયાજિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીમાં ફસા...
17/06/2025

ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ 49 લોકોને રેસ્ક્યુ કરાયા

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડતી ડિઝાસ્ટર ટીમ તેમજ તાલુકા વહિવટી તંત્ર

ભાવનગર સહિત આ જિલ્લાઓમાંઅતિ ભારે વરસાદની શક્યતાઅમદાવાદ, ભાવનગર, બોટાદ, આણંદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અત્યં...
17/06/2025

ભાવનગર સહિત આ જિલ્લાઓમાં
અતિ ભારે વરસાદની શક્યતા

અમદાવાદ, ભાવનગર, બોટાદ, આણંદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદની ચેતાવણી છે. જેના પગલે રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.


ભાવનગર માં ભારે વરસાદના પગલે ભાવનગરયુનિવર્સિટીમાં પરીક્ષાઓની તારીખમાં ફેરફારભારે વરસાદના કારણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ...
17/06/2025

ભાવનગર માં ભારે વરસાદના પગલે ભાવનગર
યુનિવર્સિટીમાં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર

ભારે વરસાદના કારણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં T.Y.B.A, T.Y.B.Com, M.A. PART-1/2 અને M.Com PART-1/2ની તા.18-06-2025 થી શરુ થનાર હતી.ભારે વરસાદના પગલે આ પરીક્ષા તા.23-06-2025ના રોજ લેવા અંગે નિર્ણય કરેલ છે.

ભાવનગર યુનિવર્સિટીમાં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં T.Y.B.A, T.Y.B.Com, M.A. PART-1/2 અને M.Com PART-1/2ની બાહ્ય અભ્યાસક્રમની પરીક્ષાઓ તા.18-06-2025 થી શરુ થનાર હતી, પરંતુ ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ કુલપતિ ડૉ. ભરત રામાનુજ દ્વારા આ પરીક્ષા તા.23-06-2025ના રોજ લેવા અંગે નિર્ણય કરેલ છે. પરીક્ષાના સમય અને પરીક્ષા કેન્દ્રમાં કોઈ ફેરફાર કરેલ નથી માત્ર તારીખમાં જ ફેરફાર કરેલ છે. વિદ્યાર્થીઓને આપવામાં આવેલ સમય પત્રક અને હોલ ટીકીટ રદ્દ ગણવી, રિવાઈઝડ સમય પત્રક તથા હોલ ટિકિટ યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મુકેલ છે. તેમ ભાવનગર યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ ડોક્ટર ભાવેશ જાનીએ જણાવ્યું હતું.

ભાવનગર જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે વિદ્યાર્થીઓની સાવચેતી માટે તંત્ર દ્વારા મોટી નિર્ણય લેવામાં આવ્યો છે અને આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.અનરાધાર વરસાદને પગલે ઠેરઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ત્યારે ઘણા સ્થળોએ કોઝવે તૂટતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં મેથળા બંધારો ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે. મેથળા બંધારો ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કારણ કે બંધ આસપાસના 13 ગામને પાણી પુરું પાડે છે.

ભાવનગર જિલ્લામાં છેવટ છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમનું જળસ્તર વધતા આજે 17 જૂન 2025ના રો...
17/06/2025

ભાવનગર જિલ્લામાં છેવટ છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમનું જળસ્તર વધતા આજે 17 જૂન 2025ના રોજ બપોરે 1થી 2 વાગ્યાની વચ્ચે એના અમુક ગેટ ખોલવામાં આવશે. હાલની સ્થિતિએ ડેમ 90 ટકા ભરાયો છે. આથી જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં પાલિતાણા તાલુકાના 5 અને તળાજાના 12 ગામોના તમામ લોકોને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું છે.

તેમજ સલામત સ્થળે જવા માટે જણાવવામાં આવ્યું છે.

ભાવનગરના કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલે જણાવ્યું છેકે, ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ છે તે 80% ભરાઈ ગયો છે અને આજે એટલે કે 17 તારીખે બપોરે એકથી બે વાગ્યા સુધીમાં સંભાવના છે કે 100% ભરાઈ જશે. તેથી લગભગ એકથી દોઢ વાગ્યે એના ગેટ ખોલવામાં આવશે. તો આ શેતરુંજી ડેમ પાસેના જે નીચાણવાળા જે ગામો છે. એમાં પાલીતાણાના પાંચ ગામો છે અને તળાજા તાલુકાના 12 ગામો છે. એટલે ટોટલ 17 ગામો છે.

તમામ લોકોને મારી વિનંતી છે કે 1 વાગ્યાથી પહેલા પહેલા જો તમે આ ગામોમાં નીચાણવાળા વિસ્તારમાં હોવ તો તાત્કાલિક ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરિત થવાનું છે. પ્રશાસન વહીવટી તંત્ર પણ તમારો સહયોગ કરશે. અમે લોકો એસડીએમ મામલદાર ટીડીઓ અને તલાટી મારફતે પણ સૂચના મોકલી રહ્યા છે, પરંતુ આ મેસેજ મળતાની સાથે તમે આજે 17 તારીખે 1 વાગ્યાની પહેલા આ જે 17 ગામો છે વિશેષ રૂપે તળાજાના 12 અને પાલીતાણાના પાંચ એમાં તમે જો ઉંચાણવાળા વિસ્તાર છે ગામના ત્યાં જતા રહેજો.

આ ગામોને સાવચેત કરાયા
પાલીતાણાના નાની રાજસ્થળી, લાખાવડ, માયાધાર, લાપાળીયા, મેઢા ગામને સાચવેત કરવામાં આવ્યા છે. આ ગામોનું ડેમથી અંતર 5થી 10 કિ.મી.ની આસપાસ છે. જ્યારે તળાજાના પીંગળી, શેવાળીયા, ભેંગાળી, દાત્રેડ, ટીમાણા, માખણીયા, રોયલ, તળાજા, ગોરખી, લીલીવાવ, રસરા, સરતાનપાર ગામને સતર્ક રહેવા અને લોકોને સલામત સ્થળે ખસી જવા જણાવવામાં આવ્યું છે. આ ગામોનું ડેમથી અંતર 9થી 36 કિ.મી.ની આસપાસ છે.

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો
ભાવનગર જિલ્લામાં ગત 24 કલાકમાં પાલીતાણામાં 12 ઇંચ, શિહોરમાં 11.6 ઇંચ, જેસરમાં 10.7 ઇંચ, ઉમરાળામાં 10.4 ઇંચ, મહુવામાં 9 ઇંચ, વલભીપુરમાં 6.3 ઇંચ, તળાજામાં 6.1 ઇંચ, ગારીયાધારમાં 5.9 ઇંચ, ભાવનગરમાં 3.5 ઇંચ, ઘોઘામાં 2.4 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે 10 વાગ્યા સુધીમાં ઉમરાળામાં 3.7 ઇંચ, વલભીપુરમાં 2 ઇંચ, શિહોરમાં 13 મિ.મી., ગારીયાધારમાં 3 મિ.મી., પાલીતાણામાં 1 મિ.મી. વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં આજે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં જળબંબાકારની સ્થિ...
17/06/2025

ગુજરાતમાં આજે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અહીંની નદીઓ બંને કાઠે વહી રહી છે. ત્યાં જ મહુવાનું તલગાજરડા સંપર્કવિહોણું બન્યું હતું. ગામમાં કેડ સમા પાણી ભરાયાં હતા. તેમજ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

બીજી તરફ ભાવનગરના જેસરમાં સૌથી વધુ સવા 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત આજે સાંજે અમદાવાદમાં પણ મેઘરાજા કડાકાભડાકા સાથે વરસી રહ્યા છે. અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે.

હવામાન વિભાગની મોટી આગાહી

હવામાન વિભાગે આગામી 3 દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પવન ફૂંકાવા સાથે મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્ય સરકારે હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાને લેતા નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગેની જરૂરી સૂચના જિલ્લા કલેક્ટર્સને આપી છે.

હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થાને સ્થળાંતર કરવા અને ભરાયેલા પાણીના ઝડપી નિકાલ તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો, આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવા જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.

સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદમાં રાખવાની સાવધાની, તેમજ નદી-નાળા-વહેતા પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટર્સને કરી છે.

ભાવનગરમાં આજે સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. ભારે વર...
16/06/2025

ભાવનગરમાં આજે સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. નદીઓમાં પાણીની આવક થવાથી કેટલીક નદીઓ બે કાંઠે થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પણ પાણીની આવક થવા પામી છે. ડેમમાં હાલ 79760 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમની સપાટી 23 ફૂટ પાર કરી ગઈ છે.

34 ફૂટે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થાય છે.

ભાવનગરમાં નદી નાળા છલકાઈ ગયાં

ભારે વરસાદને કારણે ભાવનગરમાં નદી નાળા છલકાઈ ગયાં છે. શિહોરનું ગોમતેશ્વર તળાવ ઓવરફલો થયું છે. તળાવ ઓવરફલો થતાં 50 દરવાજા ખોલવામાં આવ્યાં છે. તળાવમાંથી પાણી છોડાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. જેના કારણે ભાવનગર રાજકોટ હાઈવે બંધ કરવો પડ્યો છે. ભારે વરસાદને કારણે પાલીતાણાના ખારો ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક થવા પામી છે. ખારો ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યાં છએ. પાંચ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. પાણી છોડવામાં આવતા ત્રણ ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યાં છે.

ભારે વરસાદને કારણે માલણ નદી બે કાંઠે થઈ

ભાવનગરના મહુવામાં ભારે વરસાદને કારણે માલણ નદી બે કાંઠે થઈ છે. નદીના પાણી ગામમાં ઘૂસતાં લોકો અટવાઈ ગયા હતાં. લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. મહુઆ થઈ બંદર તરફ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. માલણ નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા હતાં. રસ્તો બંધ થઈ જવાથી લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો છે.

ભાવનગર માં ભારે વરસાદ થીટ્રેન વ્યવહારમાં અસર
16/06/2025

ભાવનગર માં ભારે વરસાદ થી
ટ્રેન વ્યવહારમાં અસર

Beautiful Weather In Bhavnagar City ..☔🌈⛈️❤️
16/06/2025

Beautiful Weather In Bhavnagar City ..
☔🌈⛈️❤️

Address

Bhavnagar

Alerts

Be the first to know and let us send you an email when Bhavnagar Cityadd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhavnagar Cityadd:

Share