29/05/2026
MPમાં બે સાધ્વીજીનાં ભેદી મોતનો વિરોધ, સુરતમાં જૈન સમાજની વિશાળ મૌન રેલી
મધ્યપ્રદેશના રીવા ખાતે બે દિગંબર જૈન સાધ્વીજીનાં થયેલા ભેદી મોતના વિરોધમાં સુરતમાં સમસ્ત જૈન સમાજ દ્વારા વિશાળ મૌન રેલી યોજાઈ હતી.
હાથમાં બ્લેક પટ્ટી બાંધી હજારો શ્રાવક-શ્રાવિકાઓ અને વિવિધ જૈન સંપ્રદાયોના આગેવાનોએ ઘટનાની નિષ્પક્ષ તપાસ, દોષિતો સામે કડક કાર્યવાહી અને જૈન સાધુ-સંતોની સુરક્ષાની માંગ ઉઠાવી હતી.
પાર્લે પોઇન્ટના સરગમ શોપિંગ સેન્ટરથી શરૂ થયેલી રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવો. 👇
👍 Like | 💬 Comment | 🔁 Share
📲 વધુ સ્થાનિક અને બ્રેકિંગ સમાચાર માટે અમારા પેજને Follow કરો.