Lokmilap

Lokmilap We are selling books since last 73 years. Lokmilap was started on 26th January, 1950 at Mumbai.

*3 જી ઓક્ટોબરે લોકપ્રિય લેખક ડૉ. નિમિત્ત ઓઝાના જન્મદિવસે બહાર પડી રહ્યું છે એમનું નવું પુસ્તક 'રાહતની રોજનીશી'.**આ સુંદર...
01/10/2025

*3 જી ઓક્ટોબરે લોકપ્રિય લેખક ડૉ. નિમિત્ત ઓઝાના જન્મદિવસે બહાર પડી રહ્યું છે એમનું નવું પુસ્તક 'રાહતની રોજનીશી'.*

*આ સુંદર મજાનું પુસ્તક ₹300 ને બદલે ફક્ત ₹255 માં ઘરે બેઠા મળશે. આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી.*

ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

વેબસાઇટ પરથી ખરીદવા:

https://www.lokmilap.com/PoductDetail/rahatni-rojnishi

fans
Nimit Oza
Dr. Nimit Oza

એક યુવાનની આત્માખોજની કથા: 'નૉર્થપોલ'હવે તો જેમની ઓળખ 'ધ રામબાઈ' ના લેખક તરીકે સ્થાપિત થઈ ગઈ છે એવા જીતેશ દોંગાની આ નવલક...
19/09/2025

એક યુવાનની આત્માખોજની કથા: 'નૉર્થપોલ'

હવે તો જેમની ઓળખ 'ધ રામબાઈ' ના લેખક તરીકે સ્થાપિત થઈ ગઈ છે એવા જીતેશ દોંગાની આ નવલકથાની 2025 ની આવૃત્તિ હમણાં જ આવી છે. *લેખકે આ પુસ્તક અર્પણ કર્યું છે: "જગતનાં એ દરેક મા-બાપને જેમણે એમનાં સંતાનોને ઊડવા માટે મુક્ત આકાશ આપ્યું."*

ધ રામબાઇ, વિશ્વમાનવ, નૉર્થપોલ આ ત્રણ નવલકથાઓ દ્વારા જીતેશ દોંગાએ ગુજરાતી સાહિત્યમાં પોતાનું મક્કમ સ્થાન જમાવ્યું છે. ' નૉર્થપોલ' ની વાર્તા દરેક સ્ત્રી-પુરુષની અંદર જિવાતી હશે, ખાસ કરીને યુવા વર્ગમાં.

*324 પાનાની આ રસપ્રદ, અનોખી નવલકથા ₹349 ને બદલે ફક્ત ₹299 માં ઘરે બેઠા મળશે. આખા ગુજરાતમાં ફ્રી કુરિયર.*

ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

જીતેશ દોંગાનું કોઈ પણ પુસ્તક વેબસાઇટ પરથી ખરીદવા:

https://www.lokmilap.com/Author/jitesh-donga

*'અહો સુપ્રભાતમ્ !' - જીવનને મોટિવેશનલ મોડ આપતાં સંસ્કૃત શ્લોકો અને વાર્તાઓ* આજે જ્યારે સોશિયલ મીડિયા જેવાં માધ્યમો પર મ...
27/08/2025

*'અહો સુપ્રભાતમ્ !' - જીવનને મોટિવેશનલ મોડ આપતાં સંસ્કૃત શ્લોકો અને વાર્તાઓ*

આજે જ્યારે સોશિયલ મીડિયા જેવાં માધ્યમો પર મોટિવેશનલ સ્પીકરોનો તોટો નથી ત્યારે લેખક પરેશભાઈ ભટ્ટ આપણા યુગોપુરાણા સંસ્કૃત ગ્રંથોના સમંદરમાં એક મરજીવાની જેમ ડૂબકી મારે છે અને તેમને સાંપડે છે મોતીસમાન સંસ્કૃત સુભાષિતો અને સુવિચારો. *આવા મોટિવેશનલ શ્લોકો અને સુભાષિતોનો સંચય એટલે આ પુસ્તક ‘અહો સુપ્રભાતમ્ !’.*

*આ પુસ્તકમાં ઉત્તમ વિચાર અને જીવનબોધ આપતા શ્લોકો અને સુભાષિતોનું ગુજરાતી ભાષાંતર તો છે જ. સાથે તેને જીવનમાં ઉતારી સફળ બનનાર વ્યક્તિઓના પ્રેરણાદાયી પ્રસંગો પણ ટાંકવામાં આવ્યા છે.* નીતિશતક, વૈરાગ્યશતક, શાકુંતલ, કુમારસંભવ, મેઘદૂત, ભોજપ્રબંધ, ચાણક્યનીતિ જેવાં ઉત્તમ સંસ્કૃત પુસ્તકોમાંથી લેવાયેલા શ્લોકો અને સુભાષિતો આજના સમયમાં પણ એટલા જ પ્રસ્તુત છે.
ડગલે ને પગલે મૂંઝવણ અનુભવતા આજના યુવાનો માટે આ પુસ્તક સફળતાની કેડી કંડારવા માટે માર્ગદર્શક બની રહેશે.

*આ સુંદર પુસ્તક ફક્ત ₹190 માં ઘરે બેઠા મળશે.* (આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી) ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો.

પરેશ ભટ્ટનું કોઈ પણ પુસ્તક વેબસાઇટ પરથી ખરીદવા:

https://www.lokmilap.com/Author/paresh-k-bhatt

CA Paresh K Bhatt

*છેલ્લા 2 દિવસ**મેઘાણી-સાહિત્યનો અણમોલ ખજાનો - 'ઘોળી ઘોળી પ્યાલા ભરિયા'.  ₹550 નો ગ્રંથ ફક્ત ₹350 માં**ઝવેરચંદ મેઘાણીનાં...
16/08/2025

*છેલ્લા 2 દિવસ*

*મેઘાણી-સાહિત્યનો અણમોલ ખજાનો - 'ઘોળી ઘોળી પ્યાલા ભરિયા'. ₹550 નો ગ્રંથ ફક્ત ₹350 માં*

*ઝવેરચંદ મેઘાણીનાં ચૂંટેલા 60 કાવ્યો, 28 વાર્તાઓ, 22 લોકગીતો તથા 33 લોકકથાઓનો અનોખો સંગ્રહ એટલે 'ઘોળી ઘોળી પ્યાલા ભરિયા'.* ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવનાર અને ખાસ તો મેઘાણી-સાહિત્યમાં દિલચસ્પી રાખનાર સહુ કોઈએ આ પુસ્તક અવશ્ય વસાવવા જેવું છે.

ઓગસ્ટમાં મેઘાણી-જયંતિ આવે છે એ પ્રસંગે 550 પાનાનો આ દળદાર ગ્રંથ ₹550 ની છાપેલ કિંમતને બદલે ₹400 માં આપવાની લોકમિલાપની યોજના જાણીને મેઘાણીજીના પૌત્ર શ્રી અબુલ મેઘાણીએ પોતાના તરફથી વધારાના ₹50 નું વળતર આપવાની ઈચ્છા દર્શાવી છે. *આમ આ પુસ્તક 36% વળતરથી ₹550 ને બદલે ફક્ત ₹350 માં ઘરે બેઠા મળશે. આખા ગુજરાતમાં ફ્રી કુરિયર.*(ગુજરાત બહાર આખા દેશમાં આ પુસ્તક કુરિયરથી મેળવવા ફક્ત ₹400)

ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. દરેક પુસ્તક પ્રેમી મિત્રોને આ યોજના વિશે જરૂર જણાવશો. આભાર.

*ફરી એક વાર બાળકો માટે વેકેશન જલસો*દર વર્ષે ઉનાળા તથા દિવાળી વેકેશન વખતે બાળસાહિત્યના પુસ્તકો લોકમિલાપ પરિવાર માટે રજૂ ક...
17/05/2025

*ફરી એક વાર બાળકો માટે વેકેશન જલસો*

દર વર્ષે ઉનાળા તથા દિવાળી વેકેશન વખતે બાળસાહિત્યના પુસ્તકો લોકમિલાપ પરિવાર માટે રજૂ કરવાની પ્રથામાં આ રજાઓમાં નીચે મુજબના પુસ્તક-સેટ બનાવેલ છે.

1. *નાના બાળકો માટે રંગબેરંગી ચિત્રો અને સહેજ મોટાં અક્ષરો વાળી 6 ચોપડીઓ ₹430 ને બદલે ફક્ત ₹370 માં ઘરે બેઠા મળશે*

2. *કિશોર વયનાં બાળકો માટે 3 પુસ્તકોનો સેટ ₹349 ને બદલે ફક્ત ₹299 માં ઘરે બેઠા મળશે.*

3. *અંગ્રેજીમાં બાળકો માટે સચિત્ર રામાયણ તથા મહાભારતના 4 પુસ્તકો ₹450 ને બદલે ₹390 માં ઘરે બેઠા મળશે*

*કોઈ પણ સેટની ખરીદી પર આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી.*

*ત્રણેય સેટની 13 ચોપડીઓ એક જ સરનામે મંગાવવા ₹1229 ને બદલે ફક્ત ₹1029 માં ઘરે બેઠા મળશે.*

ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

વેકેશનમાં બાળકોને આનંદ આપે એવા આ પુસ્તકો આપના કુટુંબ માટે વસાવવા ઉપરાંત આપના વતી મિત્રોના બાળકોને પણ મોકલવા જેવા છે.

*આખા વિશ્વમાં ખૂબ વેચાયેલા, વંચાયેલા, વખણાયેલા બે પુસ્તકો* 'ડૉક્ટર ડૂલિટલ' ના મુખ્ય પાત્ર ડૉ.જ્હોનમાં પ્રાણીઓ સાથે વાત ક...
04/05/2025

*આખા વિશ્વમાં ખૂબ વેચાયેલા, વંચાયેલા, વખણાયેલા બે પુસ્તકો*

'ડૉક્ટર ડૂલિટલ' ના મુખ્ય પાત્ર ડૉ.જ્હોનમાં પ્રાણીઓ સાથે વાત કરવાની અનોખી શક્તિ છે. આ અદ્ભુત પુસ્તક બાળકોને પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ બનવા પ્રેરણા આપે છે. દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ એક ઉત્તમ કૃતિ.

'ધ લિટલ પ્રિન્સ' માં એક પાયલોટની કથા છે જેનું વિમાન રણમાં તૂટી પડે છે. ત્યાં એને એક નાનકડો છોકરો મળે છે જે બીજા ગ્રહમાંથી આવેલો છે. એકલતા, દોસ્તી, પ્રેમના સહારે બંને વચ્ચે અનોખો સંબંધ બંધાય છે.

*બંને પુસ્તકોની અનેક ભાષાઓમાં લાખો નકલો વેચાણી છે, સફળ ફિલ્મો બની છે.*

પુષ્કળ ચિત્રો ધરાવતા આ બંને પુસ્તકો કિશોરો/વડીલો સહુને ગમશે. *બંનેનો સેટ ₹300 ને બદલે ફક્ત ₹265 માં ઘરે બેઠા મેળવો. આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી. (મુંબઈમાં ઘરે બેઠા મેળવવા ₹295)*

ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

*વિશ્વ પુસ્તક-દિવસ (23 એપ્રિલ) પ્રસંગે વિશ્વ સાહિત્યની મહેફીલ 'વિશ્વની 51 શ્રેષ્ઠ વાર્તાઓ' !*પુસ્તકના સંપાદક પોતાના નિવે...
20/04/2025

*વિશ્વ પુસ્તક-દિવસ (23 એપ્રિલ) પ્રસંગે વિશ્વ સાહિત્યની મહેફીલ 'વિશ્વની 51 શ્રેષ્ઠ વાર્તાઓ' !*

પુસ્તકના સંપાદક પોતાના નિવેદનમાં નોંધે છે: "આ સંગ્રહ બોજ નહીં, મોજ કરાવી દે તેવો છે. સાહિત્યના નામે લાંબા વર્ણનો ધરાવતી વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી."

*ઓ. હેનરી, ચેખવ, ઓસ્કાર વાઇલ્ડ, મોપાસાં, ટોલ્સટોય, એચ.જી.વેલ્સ, ઇવાન ઇલિચ જેવા અનેક પ્રખ્યાત લેખકોની ઉત્તમ વાર્તાઓનો ખજાનો આ પુસ્તકમાં છે.* મોટા ભાગની વાર્તાઓ બાળકોને કહી શકાય તેવી અને કિશોરો વાંચી શકે તેવી છે. વડીલો દરેક વાર્તા માણશે. કુટુંબના દરેક સભ્યને વાંચવુ ગમે તેવું પુસ્તક.

*327 પાનાનું, ₹350 કિંમતનું આ પુસ્તક લોકમિલાપ પરિવાર માટે ફક્ત ₹295 માં ઘરે બેઠા મળશે.*
(આખા ગુજરાતમાં ફ્રી ડીલીવરી, મુંબઈમાં આ પુસ્તક ઘરે બેઠા મેળવવા ₹335)

*ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.*

*એક સરસ મજાનું નવું પુસ્તક 'મેનિફેસ્ટ'*આ પુસ્તક કોઈ પણ વ્યક્તિ - દરેક વ્યક્તિ જે પોતાના જીવનમાં શક્તિનો અનુભવ અને ક્ષમતા...
22/03/2025

*એક સરસ મજાનું નવું પુસ્તક 'મેનિફેસ્ટ'*

આ પુસ્તક કોઈ પણ વ્યક્તિ - દરેક વ્યક્તિ જે પોતાના જીવનમાં શક્તિનો અનુભવ અને ક્ષમતા મેળવવા માંગે છે તેમના માટે અનિવાર્ય છે. *તમે મેનિફેસ્ટ કરવાની સાચી કળા ફક્ત સાત સરળ પગલાંઓ દ્વારા આત્મસાત્ કરી શકો છો અને તમારાં સપનાંનું જીવન મેળવી શકો છો.*

*મેનિફેસ્ટિંગ એ વિજ્ઞાન અને જ્ઞાનનું અદ્ભુત સંયોજન ધરાવનાર સ્વવિકાસ માટેનો એક અભ્યાસ છે.* જે તમને તમારા લક્ષ્યો હાંસલ કરવામાં, સ્વ-પ્રેમ વિકસિત કરવામાં અને તમારું શ્રેષ્ઠ જીવન મેળવવા માટે તમને સક્ષમ બનાવશે.

*આ પુસ્તક ₹399 ની મૂળ કિમતને બદલે ફક્ત ₹350 માં ઘરે બેઠા મળશે. (આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી)*
ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

*સરસ વાચનનો સંપૂર્ણ સંતોષ આપતું નવું પુસ્તક 'અમારી રાતોનો ઉજાસ'*વરસ દરમિયાન કેટલાંક એવાં પુસ્તકો લોકમિલાપની બુકશોપમાં આવ...
11/03/2025

*સરસ વાચનનો સંપૂર્ણ સંતોષ આપતું નવું પુસ્તક 'અમારી રાતોનો ઉજાસ'*

વરસ દરમિયાન કેટલાંક એવાં પુસ્તકો લોકમિલાપની બુકશોપમાં આવે છે જે જોઈને જ એના પ્રેમમાંપડી જવાય. પછી એમાંથી પસાર થવાનું બને અને થાય કે જલ્દી લોકમિલાપ પરિવારને આની ભલામણ કરીએ.

ફેબ્રુઆરીમાં આવું એક પુસ્તક પ્રગટ થયું છે જેની ટૂંકી વાત આ સાથેની ઇમેજમાં છે. જીવન સંધ્યાના અદ્ભુત રંગો આ કથામાં છે *જે વાચકને એક સુંદર કૃતિ વાંચ્યાનો અનુભવ કરાવશે.*

વીનેશભાઈનો અનુવાદ જાણે અનુવાદ છે જ નહીં. પુસ્તક ગુજરાતીમાં જ મૂળ લખાયું હોય એવું આપણને લાગે. પુસ્તકનું નામ જેટલું હૃદયસ્પર્શી છે એવી જ અંદરની કથા, પાત્રો, સંવાદો છે. *વસાવો,ભેટ આપો, માણો.*

*₹325 ને બદલે ₹295 માં આ સુંદર પુસ્તક ઘરે બેઠા મળશે. (આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી)*
ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

*ભાવનગરમાં રહેતા, મૂળ ભાવનગરના પણ હવે બીજે રહેતા અને ભાવનગરમાં રસ ધરાવતા સહુ માટે નવું પુસ્તક**ભાવચરિત્રો* ભાવનગરનો ઉલ્લ...
23/02/2025

*ભાવનગરમાં રહેતા, મૂળ ભાવનગરના પણ હવે બીજે રહેતા અને ભાવનગરમાં રસ ધરાવતા સહુ માટે નવું પુસ્તક*

*ભાવચરિત્રો*

ભાવનગરનો ઉલ્લેખ થાય એટલે સામાન્ય રીતે કોઈપણ ગુજરાતીના દિલમાં એક અનોખા નગર માટેનો ભાવ જાગે.

આ અતિ મહત્વના પુસ્તકમાં ભાવનગરના ઘડતરમાં જેમનો ફાળો છે એવી અનેક વ્યક્તિઓનો પરિચય રસપ્રદ શૈલીમાં અપાયો છે. રાજવી કુટુંબના સભ્યો, સંતો, વહીવટકર્તાઓ, કવિઓ-લેખકો, શિક્ષણકારો-સમાજસેવકો, પ્રકૃતિવિદો - આવા છ વિભાગમાં 40 જેટલી પ્રતિભાઓ વાચક સમક્ષ રજૂ થાય છે, જેમકે: *કૃષ્ણકુમારસિંહજી, ગંગાસતી, પ્રભાશંકર પટ્ટણી, કાન્ત, મેઘાણી, દર્શક, નાનાભાઈ ભટ્ટ, પૃથ્વીસિંહ આઝાદ વગેરે.*

*400 થી વધુ પાના, સંખ્યાબંધ રંગીન ફોટોગ્રાફ્સ ધરાવતાં આ પુસ્તકની કિંમત ફક્ત ₹400 છે પરંતુ લોકમિલાપ પરિવારને માત્ર ₹340 માં ઘરે બેઠા મળશે. (આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી) ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો.*

આપના કુટુંબ/સંસ્થા/ગ્રંથાલય માટે વસાવવા હાર્દિક ભલામણ.

*ગુજરાતી સાહિત્યમાં ટોચ પર સ્થાન ગ્રહણ કરી શકે એવી નવી નવલકથાઓ* *તિલોર (ધ્રુવ ભટ્ટ) 350₹*તિલોર પક્ષી સાથેના અદ્ભુત સંવાદ...
19/02/2025

*ગુજરાતી સાહિત્યમાં ટોચ પર સ્થાન ગ્રહણ કરી શકે એવી નવી નવલકથાઓ*

*તિલોર (ધ્રુવ ભટ્ટ) 350₹*

તિલોર પક્ષી સાથેના અદ્ભુત સંવાદથી શરૂ થતી આ કથા લેખકની 16મી કૃતિ છે. કચ્છનું બેકગ્રાઉન્ડ ધરાવતી કથા સશક્ત પાત્રો, રસપ્રદ પ્રસંગો અને પૃથ્વી પર પાંગરેલાં જીવવૈવિધ્યની વાત ધરાવે છે અને એકી બેઠકે પૂરી કરી છેલ્લે પાને આંખો ભીની કરવા મજબૂર કરે છે. હાર્દિક ભલામણ.

*(₹350 ને બદલે ₹299 માં ઘરે બેઠા મળશે. આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી)*

*સત્યભામા (રામ મોરી) ₹349*

ત્રણ વાર્તાસંગ્રહો આપી ચૂકેલા યુવા લેખકની પ્રથમ નવલકથા. આ સાથેની ઈમેજમાં પુસ્તકનો પરિચય છે. "કૃષ્ણને આટલી બધી રાણીઓ હતી, શા માટે કૃષ્ણ એને (સત્યભામાને) આટલું બધું મનાવતા હતા ? એવી જરૂર કેમ પડી ?" - આ સવાલ લેખકને થયો અને એના જવાબની શોધમાં આ નવલકથા લખાણી. દરેક વાચક સત્યભામા સાથે પોતિકાપણું અનુભવે એવી સશક્ત કૃતિ.

*(₹349 ને બદલે ₹299 માં ઘરે બેઠા મળશે. આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી)*

લોકપ્રિય વક્તા અને લેખક ડૉ. નિમિત્ત ઓઝાની પ્રભાવક શૈલીમાં લખાયેલી તદ્દન નવી નવલકથા *સટોરી**મૂળ કિમત ₹375 ને બદલે ફક્ત ₹3...
01/01/2025

લોકપ્રિય વક્તા અને લેખક ડૉ. નિમિત્ત ઓઝાની પ્રભાવક શૈલીમાં લખાયેલી તદ્દન નવી નવલકથા *સટોરી*

*મૂળ કિમત ₹375 ને બદલે ફક્ત ₹315 માં ઘરે બેઠા મેળવો. (પાના 232. આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી.)*

ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

Dr. Nimit Oza
Nimit Oza

Address

Hill Drive
Bhavnagar
364001

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Sunday 12pm - 6pm

Telephone

+918734918888

Alerts

Be the first to know and let us send you an email when Lokmilap posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Lokmilap:

Share

Category