17/02/2022
હારતો જુગારી બમણું રમે....!!!
👆👆👆👆👆
આ કહેવત તો સાંભળી જ હશે...
વાત વટે ચડે... એટલે તિજોરીમાંથી થોડી ઝાઝી એ પણ સમાજ અને ધર્મદાની નોટોની ગરમી હોય પછી બાકી થોડું મુકાય...?!?
લડવા માટે વકીલોને ક્યાં પોતાની તિજોરીમાંથી રૂપિયા આપવા છે...?!? સમાજના જરૂરિયાતમંદોને સહાયમાં કરકસર કરવાની પણ ટ્રસ્ટી કે પ્રમુખપદ બચાવવા સમાજના રૂપિયાની પથારી ફેરવી નાખવાની....!!! સવાલ વટનો છે... તથાકથિત પ્રમુખપદનો છે... ઓછું ન જ ઉતરાય....!!!
લડવામાં માટે દિમાગથી નહીં વટ અભિમાન ખાતર લડવાનું... રાવણની જેમ...!!!
સાચા લડવૈયા હોય એ બુદ્ધિપૂર્વકની લડત લડે... સામે લડત આપનારનો ઇતિહાસ તપાસી કાયદાકીય લડતમાં સામેવાળા સામે કેટલા ટકી શકીશું અને 100% ખોટું થયું છે ત્યારે....!!!
લોહાણા મહાપરિષદના તથાકથિત પ્રમુખનો કાયદેસર ટ્રસ્ટી અને પ્રમુખ બનવા માટે મુંબઈ ચેરિટી ઓફિસમાં પેન્ડિંગ છે.... અને આ ફેરફાર રિપોર્ટ સામે અગાઉથી કેવીએટના આધારે વાંધા(Objection) ફાઇલ 2 મહિના પહેલા થઈ ચૂક્યા છે...
આ વાંધા(Objection) એવા અઘરા બન્યા છે કે 200 કેઇસ(?!?)ના અનુભવી તથાકથિત પ્રમુખ, ફેરફાર રિપોર્ટ રજૂ કરનાર પણ વકીલ અને ચેરીટીમાં લડવા માટે પણ ચરિટી કાયદાના નિષ્ણાત વકીલ... વિચાર કરો... 3-3 દિમાગ ઊંધે માથે 2 મહિનાથી થયા...!!! માથાપચ્ચી કરી... પણ એક સામાન્ય જ્ઞાતિજને રજૂ કરેલ વાંધાઓના જવાબ રજૂ ન કરી શક્યા...!!!
વિચાર કરો... ફેરફાર રિપોર્ટ કેટલો ગેરકાયદેસર હશે...?!? બંધારણીય મર્યાદા બહાર પૂર્વ પ્રમુખે પોતાના મિત્રની નિમણુંક તો કરાવી નાખી... પણ સામાન્ય જ્ઞાતિજન સામે કાયદેસર કાર્યવાહીનો સમાજ સામે દેખાવ કરી શકાય પણ ચેરિટી કે કોર્ટમાં આવા દેખાવ ન ચાલે... ત્યાં કાયદેસર બંધારણીય કલમો મુજબ મોડ ઓફ સક્સેસ પ્રમાણે કામગીરી થઈ છે કે કેમ...??? એ મુદ્દાસર જવાબ આપવા પડે... એમાં તો ભરવાય ગયા...?!?
હવે, વાંધાઓનો જવાબ તો રજૂ કરવો પડે... મુદ્દત લે તો કેટલી લે...?!?
હવે, નવા મૂર્ખામીભર્યા નિર્ણય પર પહોંચ્યા... કે વાંધા રજૂ કરનારની કાયદેસરતા શું...?!? મહાપરિષદના પ્રમુખના ફેરફાર રિપોર્ટને એક સામાન્ય જ્ઞાતિજન પડકારી જ કેમ શકે...?!?
વિચાર કરો... 2 મહિના પછી એમ મૌખિક રજુઆત કરી મુદ્દત લીધી કે અમે એક અરજી આપવા માંગીએ છીએ... કે એક સામાન્ય જ્ઞાતિજન વાંધા લઈ જ કેમ શકે...?!?
ભલા માણસ, કેવીએટ ફેરફાર રિપોર્ટ સાથે એકજીબીટ કરી ત્યારે જ કેવીએટરની કાયદેસરતા સામે સવાલ ઉઠાવવા હતા ને... આ તો કેવીએટરે વાંધા રજૂ કર્યા એ પણ લીગલ ફોર્મમાં અને સોગંદનામા સાથે... અને એ વાંધા અરજી પણ સહી કરી સ્વીકાર્યા પછી જવાબ આપવાનો આવ્યો ત્યારે 2 મહિને નવો તુક્કો આવ્યો કે જવાબ આપવા કરતા કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવીએ...!!! હવે આ તુક્કો પણ કેટલો સફળ થશે...?!? એ તો સમય જ બતાવશે... કાયદાના જાણકાર અને લોજીકલ વિચારશે એટલે સમજાય જશે...
અને એના માટે અરજી આપવા પણ મુદ્દત લેવી પડી... 200(?!?) કેઇસના અનુભવી તથાકથિત પ્રમુખ, ફેરફાર રિપોર્ટ રજુ કરનાર વકીલ ટ્રસ્ટી અને હાયર કરેલા ચેરિટી કાયદાના નિષ્ણાત વકીલ પણ શું વાંધેદારની કાયદેસરતા બાબત એક અરજી 2 મહિનામાં તૈયાર કરી ન શક્યા...?!?
આ બાબત તો સામાન્ય માણસ પણ સમજી શકે કે 2 મહિના માથાપચ્ચી કરી લીધી... એટલે વાંધેદારની કાયદેસરતાનો મુદ્દો લાવ્યા...?!?
અક્કલ મઠ્ઠાઓ એ પણ વિચારતા નથી કે વાંધા અરજી એવી રજૂ થઈ કે એના જવાબ રજૂ કરવા હવાતીયા મારવા પડે છે... તો નવી અરજી આપીશું અને વાંધેદારની કાયદેસરતાને પડકારશું તો જવાબ કેવો આવશે...?!? અને આ એમની રજૂ થનારી મૂર્ખામીભરી અરજી કાયદેસર રીતે કેટલી ટકશે...?!?
વલસાડ લોહાણા મહાજનમાં પૈસાના જોરે લડવા ગયા, ચેરીટીમાંથી કામચલાઉ મનાઇહુકમ લઈ આમ સમાજના પ્રસંગ અટકાવવાની બાલિશ કોશિશ કરેલી ત્યારે વલસાડ મહાજનના ગ્રુપમાં લખેલું કે સુરત જોઈન્ટ ચેરીટી કમિશ્નરે ક્યાં આધારે આવો વિવાદિત મનાઇહુકમ આપેલો... ત્યારે તથાકથિત પ્રમુખે મેસેજ મુકવા સામે કંટેમ્પટ ઓફ કોર્ટ કરવાની વાત કરેલી... કંટેમ્પટ ઓફ કોર્ટ ક્યાં અને કેવા સંજોગોમાં થાય એનું ભાન હોવું જોઈએ ને...?!? કોર્ટના વિવાદિત હુકમની ભાષાની મર્યાદામાં રહી ટીકા કરવાનો અધિકાર આમ નાગરિક અને પત્રકારોને છે... આવું સામાન્ય જ્ઞાન કોઈ બજારમાં વેચાતું ન મળે... એ માટે ભાવનગરની મહાજન વાડીમાં ભણવા આવવું પડે... જોકે, જોઈન્ટ ચેરિટી કમિશ્નરનો મનાઇહુકમ રદ કરી હાઇકોર્ટે ફટકાર લગાવી હતી અને બિચારા સામાન્ય માણસોના પ્રસંગો અટક્યા નહીં...!!
વલસાડ લોહાણા મહાજનના ઓડિટ રિપોર્ટસના ફોરેન્સિક ઓડિટ થાય કે ન થાય, પણ મહાપરિષદ અને સંલગ્ન ટ્રસ્ટો તેમજ ખીમજી ભગવાનદાસ ચેરિટી ટ્રસ્ટના ઓડિટ રિપોર્ટના ઓડિટ થઈ રહ્યા છે અને બીજા અન્ય સોલા ભાગવત સહિતના ગેરવહીવટના ઓડિટ પણ ચાલુ છે... આવનારા સમયમાં અનેક એક્શન આવશે...
સોલા ભાગવત ટ્રસ્ટમાં ટ્રસ્ટી બનવા માતૃ સંસ્થાના કરોડો હોમી દીધા... એ માટે ચાપ્લુસિયા કમિટી બને કે ન બને... સોલા ભાગવત કૌભાંડ કરનારાને ભારે પડશે... એ નક્કી છે...
મહાજન, મજીયારો અને ધર્માદો કોઈને સદયો નથી... એ યાદ રાખવું જોઈએ...
પોતાનું તથાકથિત પ્રમુખ પદ બચાવવા જે દિમાગ લગાડી લડવા નીકળેલા તથાકથિત પ્રમુખ અને રિપોર્ટિંગ ટ્રસ્ટી સોલા ભાગવતમાં નાખેલા રૂપિયા પાછા લાવવા લડવું જોઈએ... કે સોલા ભાગવતમાં ગાદલું...!! ગોદડા લઈ...!! સામે ચાલી....?!? કાંડા કાપી આપી આવ્યા છે...?!?
વાંધા અરજી તો એક શરૂઆત છે... આગળ મોટી લડત તો બાકી છે...!!!
200 કેઇસ લડનારા માટે 5-25 કેઇસો વધુ... પણ યાદ રહે... 5-25 કેઇસ જ ક્યાંક ભારે ન પડી જાય... વટ અને અભિમાનમાં સમાજના પૈસે લડી મહાપરિષદ જેવી વડી સંસ્થાની આબરુનું ચિરહરણ જાહેર કોર્ટમાં કરવાનું નક્કી કરી લીધું છે... સંસ્થા હાલત કાયદેસર કાર્યવાહીમાં કેટલી ખરાબ થશે... એનો અંદાજ અક્કલવિહીન મિથ્યાભિમાનમાં રાખતા તથાકથિત બની બેઠેલા આગેવાનોને નથી... સમાજમાં પણ કોઈ જાગૃત લોકો આવા મિથ્યાભિમાનીઓને સમજાવી શકે... એમ નથી...?!?
ભાઈ... આપણે તો છુટ્ટી દડી... છુટ્ટો ઘા... ડરવાનું કોને...?!? કાચના મહેલમાં રહેનારને.... આટલી સામાન્ય વાત પણ મિથ્યાભિમાનીઓને સમજાતી નથી...!!!આ મિથ્યાભિમાની આગેવાનો સમાજ અને સંસ્થાનું અહિત જ કરી રહ્યા છે...
-જીતેન્દ્ર ચંદારાણાના જય જલારામ...