28/01/2026
લગ્નમાં સંયમ અને સંસ્કાર – યુવાનો માટે સંદેશ 🙏
લગ્ન માત્ર મોજ-મસ્તી કે દેખાદેખી માટેનું આયોજન નથી, તે બે પરિવારના સંબંધો જોડતો એક પવિત્ર પ્રસંગ છે. આજના સમયમાં ઘણા યુવાનો લગ્નને પાર્ટી સમજીને ધમાલ, ધતીંગ અને ક્યારેક ઝગડામાં ઉતરી જાય છે, જે શોભતું નથી.
થોડી ક્ષણની મજા માટે જો આપણે સંયમ ગુમાવી દઈએ, તો વર્ષો સુધી યાદ રહે તેવી ખરાબ છાપ છોડી જઈએ છીએ. નશો, ગુસ્સો અને અહંકાર માણસને પોતાની મર્યાદા ભૂલાવી દે છે. સાચો યુવાન તે છે, જે ભીડમાં પણ શિસ્ત જાળવી શકે.
યાદ રાખો, તમારા વર્તનથી તમારા માતા-પિતા, પરિવાર અને સંસ્કાર ઓળખાય છે. લગ્નમાં આનંદ કરો, નાચો-ગાવો, પરંતુ એવી રીતે કે કોઈને દુઃખ ન પહોંચે અને પ્રસંગની ગરિમા જળવાઈ રહે.
જો યુવાનો જવાબદારી અને સમજદારીથી વર્તે, તો લગ્ન સાચા અર્થમાં આનંદ, પ્રેમ અને એકતાનો તહેવાર બની શકે…