Mabar Media

Mabar Media દલિત, આદિવાસી અને ઓબીસી સમાજની સામાજિક પરિવર્તનની લડાઇને સોશ્યલ મીડિયા પર રજૂ કરતું ડિજિટલ પ્લેટફોર્મ.

વ્યક્તિ કરતા રાષ્ટ્ર્ર મહાન છે, પછી ભલેને વ્યક્તિ ગમે તેટલી મહાન કેમ ન હોય.- ડૉ. બાબાસાહેબ આંબેડકર
22/05/2026

વ્યક્તિ કરતા રાષ્ટ્ર્ર મહાન છે, પછી ભલેને વ્યક્તિ ગમે તેટલી મહાન કેમ ન હોય.
- ડૉ. બાબાસાહેબ આંબેડકર

આજે ભાજપના શાસનમાં મુસ્લિમો પર થતા અત્યાચારોની આપણે વાકેફ છીએ. ભાજપના મુસ્લિમ વિરોધી એજન્ડાથી આપણે સૌ પરિચિત છીએ. આજે કો...
22/05/2026

આજે ભાજપના શાસનમાં મુસ્લિમો પર થતા અત્યાચારોની આપણે વાકેફ છીએ. ભાજપના મુસ્લિમ વિરોધી એજન્ડાથી આપણે સૌ પરિચિત છીએ. આજે કોંગ્રેસ આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી મુસ્લિમોની તારણહાર બનવાના ઢોંગ કરી સત્તામાં પરત કરવા હવાતિયાં મારી રહી છે ત્યારે આજે 38 વર્ષ અગાઉ આજના જ 22 મે ના દિવસે ઉત્તરપ્રદેશમાં વીર બહાદુરસિંહની કોંગ્રેસ સરકારે હાશિમપુરમાં મુસ્લિમોની કત્લેઆમ કરાવી હતી. આવો જાણીએ કોંગ્રેસના એ ભયાનક હત્યાકાંડ વિશે.

જી હા આઝાદી બાદ દલિત,આદિવાસી અને મુસ્લિમો વિરુદ્ધ સૌથી વધુ હત્યાકાંડો કોંગ્રેસના શાસનમાં થયા હતા. 1950 થી 1990 સુધીના 40 વર્ષો સુધી તો દલિત, આદિવાસી અને મુસ્લિમ હત્યાકાંડો કોંગ્રેસ સરકારની રહેમનજર હેઠળ થયા હતા. જોકે મીડિયા અને પ્રશાસન પોતાના હાથમા હોવાના લીધે આ હત્યાંકાંડોને ઇતિહાસના પાનાઓમાં ધરબી દેવામાં આવ્યા છે.

આવો જ આઝાદી પછીનો સૌથી ભયાનક મુસ્લિમ હત્યાકાંડ વર્ષ 1987 ની 22 મે ના રોજ ઉત્તરપ્રદેશના મેરઠ શહેરના હાશિમપુરા ખાતે કોંગ્રેસ સરકારની રહેમનજર હેઠળ કરવામાં આવ્યો હતો.

વર્ષ 1987 માં મેરઠમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો ચાલી રહ્યા હતા. આ તણાવપૂર્વક વાતાવરણમાં ઉત્તર પ્રદેશના મેરઠ શહેરના હાશિમપુરા વિસ્તારમાંથી પોલીસ અને PAC ( Provincial Armed Constabulary ) દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. 22 મે 1930 ના રોજ PAC ની 41મી બટાલિયનની કંપની 9 ના જવાનોએ હાશિમપુરામાંથી લગભગ 50 યુવાનોને ટ્રકમાં ભરીને શહેરની બહાર લઈ ગયા હતા. પોલીસે આ યુવાનોને ગંગા નહેર અને હિંડન નદી પાસે નહેર પાસે લઈ લેવામાં આવ્યા. જ્યાં તેમના પર અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો અને તેમની હત્યાં કરીને લાશોને નહેરમાં ફેંકી દેવામાં આવી હતી. આ ઘટનામાં લગભગ 42 થી 50 લોકોના મોત થયા હતા. જેમાં મોટાભાગના યુવાનો હતા.

જોકે અહીં ઘટનામાં એક વળાંક આવે છે. આ હત્યાકાંડમાં ગોળીઓથી ફૂંકી દેવાયેલા મુસ્લિમ યુવાનોમાંથી બાબુદ્દીન નામનો એક યુવાન જીવતો બચી જાય છે. બાબુદ્દીનના નિવેદને આખી ઘટનાને ઉજાગર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે PAC ના જવાનોએ યુવાનોને નહેર પાસે લઈ જઈ ગોળીબાર કરી હત્યા કરીને લાશોને નદીમાં ફેંકી દીધી હતી.

આ ઘટના માટે PAC ના 19 જવાનો પર હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને ષડયંત્રના આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. લાંબી કાનુની લડાઈ બાદ વર્ષ 2015માં દિલ્હીની સેશન્સ કોર્ટે પૂરતા પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા. આ ચુકાદો પીડીત પરિવાર અને માનવ સંગઠનો માટે ભારે નિરાશાજનક હતો. જોકે 2018માં દિલ્હી હાઇકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને પલટાવી દીધો હતો અને PAC ના 16 જવાનોને આજીવન કેદની સજા ફટકારી હતી. પોતાના ચુકાદામાં આ ઘટનાને 'લક્ષિત હત્યાકાંડ' ગણાવી જણાવ્યું હતું કે આ હત્યાઓ ધાર્મિક આધાર પર કરવામાં આવી હતી. આખરે કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટ ડિસેમ્બર 2024 માં PAC ના 10 આરોપીઓને જામીન આપી દીધા હતા જેના લીધે પીરિત પરિવારો ફરીથી નિરાશામાં ગરકાવ થઈ ગયા હતા.

આ ઘટનાએ ભારતમાં પોલીસની નિષ્ફળતા અને લઘુમતી સમુદાય પ્રત્યેના વ્યવહાર પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. માનવ અધિકાર સંગઠનો આ ઘટનાને "રાજ્ય પ્રાયોજિત હિંસા" ગણાવી ન્યાયની માગણી કરી રહ્યા છે. હાશિમપુરા હત્યાકાંડ કોંગ્રેસની સોફ્ટ હિન્દુત્વની રાજનીતિ, ભારતની ન્યાયવ્યવસ્થા અને પોલીસતંત્રની નિષ્ફળતાનું ઉદાહરણ છે. પીડિત પરિવારો 38 વર્ષ પછી પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.

ભારત દેશમાં પોલીસના શ્રેષ્ઠ અધિકારી રહેલા અને સાથે સાથે સાહિત્યની દુનિયાનું જાણીતું નામ એવા શ્રી વિભૂતિ નારાયણજી આ હત્યાકાંડને 'સ્વતંત્ર ભારતનો સૌથી મોટો હત્યાકાંડ' માને છે. તેમણે તેના આધારે જ હાશિમપુરા 22 મે નામનો ઉપન્યાસ પણ લખી નાંખ્યો છે. ( ટાઇટલ કોમેન્ટમાં) કારણ કે તે સમય દરમિયાન તેઓ મેરઠમાં જવાબદાર ઉચ્ચ અધિકારી તરીકે તૈનાત હતા. તે સમયની તમામ ઘટનાઓ તેમણે રૂબરૂ જોઈ હતી.

આ એ સમય હતો જ્યારે કોંગ્રેસ સરકાર વર્ષના 365 દિવસોમાં મુસલમાનો પર 400 રમખાણોની ઘટનાઓને પાર પાડતી હતી. દલિતો અને આદિવાસી સાથે સાથે મુસ્લિમો પર અત્યાચારો એ કોંગ્રેસની મુખ્ય રાજનીતિ હતી. ભાજપ આ સમયે હજુ રાજનીતિના ઘોડિયામાં બાળ અવસ્થામાં હતી.

જોકે આ હત્યાકાંડો વચ્ચે જ માન્યવર કાશીરામ સાહેબે દલિત આદીવાસી, ઓબીસીની સાથે મુસલમાનોને જોડી બહુજન રાજનીતિની શરૂઆત કરી. આ એ સમય હતો જ્યારે હિન્દુ-મુસ્લિમ તોફાનોમાં મુસ્લિમો વિરુદ્ધ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિઓના યુવાનોનો ઉપયોગ કરવામાં આવતો હતો. માન્યવર કાશીરામ કાશીરામ સાહેબે બહુજન રાજનીતિની ફોર્મ્યુલા અંતર્ગત દલિત, આદિવાસી, ઓબીસી અને મુસ્લિમો વચ્ચે એકતાનું નિર્માણ કરી કોંગ્રેસની સોફ્ટ હિન્દુત્વની રાજનીતિને જબરજસ્ત લપડાક મારી. પરિણામે જેમજેમ બહુજન રાજનીતિના આંદોલનને જોર પકડ્યું તેમ તેમ કોંગ્રેસ પોતાને તોફાની કોમી તોફાની રાજનીતિ બંદ કરતું ગયું.

આજે ભાજપના અત્યાચારોથી બચવા માટે કોંગ્રેસને પોતાનો તારણહાર સમજી કોંગ્રેસની શરણે જતા મુસ્લિમ યુવાનોએ આ હત્યાકાંડને ખાસ યાદ રાખવો જરૂરી છે. બહુજન રાજનીતિની ફોર્મ્યુલા અંતર્ગત મુસલમાનો ને જે પ્રતિનિધિત્વ અને સુરક્ષા બહુજન સમાજ પાર્ટીએ આપી છે તે ભાજપ અને કોંગ્રેસ ક્યારે આપી શકશે નહીં.

- R K Araj

આ ચિત્રમાં દેખાતી મૂર્તિને આજે ઘણા લોકો “લક્ષ્મી–નારાયણ” મૂર્તિ માને છે. તેને સામાન્ય સદીની 11મી શતાબ્દીની કાશ્મીર ક્ષેત...
21/05/2026

આ ચિત્રમાં દેખાતી મૂર્તિને આજે ઘણા લોકો “લક્ષ્મી–નારાયણ” મૂર્તિ માને છે. તેને સામાન્ય સદીની 11મી શતાબ્દીની કાશ્મીર ક્ષેત્રની પથ્થરની મૂર્તિ માનવામાં આવે છે. આ કલાકૃતિ ગેરકાયદેસર રીતે વિદેશ લઈ જવામાં આવી, બાદમાં પશ્ચિમી સંગ્રહાલયોમાં ફરતી રહી અને અંતે ભારત પાછી લાવવામાં આવી એવી માહિતી પ્રચારમાં છે. પરંતુ અહીં આપણે એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવો જોઈએ. શું આ મૂર્તિ શરૂઆતથી જ “લક્ષ્મી–નારાયણ” મૂર્તિ હતી
અથવા પ્રાચીન લોક પરંપરાઓ, યક્ષ-મિથુન શિલ્પ પરંપરાઓને પાછળના સમયમાં વૈષ્ણવ અર્થ આપીને પુનઃ વ્યાખ્યાયિત કરવામાં આવી?

આ પ્રશ્નનો ઉત્તર જાણવા માટે આપણે શિલ્પ, શિલાલેખ, પુરાતત્વીય પુરાવા, વિદેશી પ્રવાસીઓના વર્ણન અને પાછળના સાહિત્યિક વિકાસ આ બધાને એકસાથે જોવા પડશે.
પ્રાચીન ભારતમાં સૌથી પહેલા જે દેખાય છે, તે છે પ્રકૃતિ પૂજા. ભૂમિ, વૃક્ષ, વર્ષા, સંતાન, જીવન શક્તિ આને જ પવિત્ર શક્તિઓ તરીકે જોવામાં આવ્યા. ત્યાંથી જ યક્ષ અને યક્ષિણી પરંપરાઓ વિકસી. યક્ષોને ભૂમિ, સંપત્તિ અને પ્રકૃતિની શક્તિઓના રક્ષક માનવામાં આવ્યા. યક્ષિણીઓને સંતાન, જીવન વૃદ્ધિ અને સૃજન શક્તિનું પ્રતીક માનવામાં આવી.

શિલ્પના પુરાવા દર્શાવે છે કે સામાન્ય શનિ પૂર્વે ત્રીજી-બીજી શતાબ્દીથી જ યક્ષ-યક્ષિણી મૂર્તિઓ વ્યાપક રૂપે જોવા મળે છે. પારખમ યક્ષ અને દીદારગંજ યક્ષિણી જેવી મૂર્તિઓ ભારતની સૌથી પ્રાચીન વિશાળ પથ્થરની મૂર્તિઓમાં ગણાય છે.
સાંચી અને ભરહુત જેવા બૌદ્ધ સ્તૂપોમાં વૃક્ષની ડાળી પકડીને ઉભેલી યક્ષિણીની આકૃતિઓ દેખાય છે. આ જીવન શક્તિ, પ્રકૃતિ અને સંતાનનું પ્રતીક માનવામાં આવે છે. ભરહુત સ્તૂપના બ્રાહ્મી શિલાલેખોમાં “યખો”, “નાગ રાજા” જેવા નામો સીધા જોવા મળે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે યક્ષ પરંપરા જનતાના જીવનમાં ઊંડે સુધી વણાયેલી હતી.

અહીં એક બીજી મહત્વની બાબત ધ્યાન આપવા યોગ્ય છે. બૌદ્ધ નિર્માણોમાં યક્ષ, યક્ષિણી અને મિથુન યુગલ આકૃતિઓનું દેખાવું એ દર્શાવે છે કે બૌદ્ધ પરંપરાએ જનતાની જૂની માન્યતાઓને સંપૂર્ણપણે સમાપ્ત નથી કરી, પરંતુ તેમને પોતાની સાથે લઈને આગળ વધી. એવું લાગે છે કે બૌદ્ધ પરંપરાએ જનતાની સંસ્કૃતિને સમજીને તેની સાથે જ એક માર્ગ બનાવ્યો.

સામાન્ય સદીની 8મી શતાબ્દી પછી જૈન પરંપરાઓમાં પણ યક્ષ-યક્ષિણી રૂપ વધુ સ્પષ્ટ રીતે દેખાવા લાગે છે. જૈન તીર્થંકરોની સાથે રક્ષક દેવતાઓ તરીકે યક્ષ અને યક્ષિણીઓને જોડવામાં આવ્યા. ઉદાહરણ તરીકે ગોમુખ યક્ષ, ચક્રેશ્વરી યક્ષિણી, ધરણિન્દ્ર, પદ્માવતી, અંબિકા, કુબેર જેવા નામો જૈન પરંપરામાં જોવા મળે છે. જૈન મંદિરોની મૂર્તિઓમાં પણ યુગલ સ્વરૂપ, સ્ત્રી શક્તિ અને વૃક્ષ સંબંધિત શિલ્પો દેખાય છે, જેનાથી ખબર પડે છે કે જૂની લોક પરંપરાઓ ત્યાં પણ સમાહિત થઈ.

એટલે કે યક્ષ પરંપરા માત્ર બૌદ્ધ ધમ્મ પૂરતી સીમિત ન રહી. તે જૈન પરંપરામાં પણ ચાલુ રહી. આનાથી લાગે છે કે વિવિધ ધાર્મિક વ્યવસ્થાઓએ જનતાની જૂની માન્યતાઓને પોતપોતાની રીતે સ્વીકારી.

હવે અહીં એક બીજો મહત્વનો મુદ્દો છે. જો કે “વિષ્ણુ” નામ પ્રાચીન કાળમાં જોવા મળે છે, પરંતુ સંગઠિત વૈષ્ણવ અવતાર પરંપરા, વિશિષ્ટ વૈષ્ણવ સાહિત્ય અને વ્યવસ્થિત મંદિર પૂજા પ્રણાલી સામાન્ય સદીની 11મી શતાબ્દી પછી વધુ મજબૂત થતી દેખાય છે. વિશિષ્ટાદ્વૈત અને બાદમાં દ્વૈત પરંપરાઓના સમયે વિષ્ણુ અવતારની વિભાવના વ્યાપક સ્વરૂપ લેતી જોવા મળે છે. વિશાળ મંદિર વ્યવસ્થા પણ પછીની સદીઓમાં વધુ મજબૂત થતી દેખાય છે.

અહીં જ મિથુન મૂર્તિઓના ઇતિહાસને સમજવો આવશ્યક છે.
સામાન્ય સદીની 10મી શતાબ્દી સુધી બોધિસત્વ પરંપરાઓ, યક્ષ-યક્ષિણી મૂર્તિઓ અને લોક પરંપરાઓમાં દેખાતા યુગલ સ્વરૂપો પાછળની મંદિર વ્યવસ્થાઓમાં નવા ધાર્મિક અર્થો સાથે પુનઃ વ્યાખ્યાયિત કરવામાં આવ્યા. ખજુરાહો અને કોણાર્ક જેવા નિર્માણોમાં દેખાતી મિથુન મૂર્તિઓ અચાનક ઉત્પન્ન નથી થઈ. તેઓ સદીઓથી ચાલી આવતી લોક માન્યતાઓના વિકાસનું પરિણામ છે. એટલે કે આપણે એક મોટા સાંસ્કૃતિક પ્રવાહને જોઈ રહ્યા છીએ.
પ્રકૃતિ પૂજા
યક્ષ પરંપરા
બૌદ્ધ સ્તૂપ
બોધિસત્વ મૂર્તિઓ
જૈન યક્ષ–યક્ષિણી પરંપરા
પાછળની મંદિર વ્યવસ્થા
વૈષ્ણવ–પુરાણ પરંપરા
આ સમગ્ર વિકાસક્રમમાં જનતાની જૂની માન્યતાઓ દરેક તબક્કે નવા સ્વરૂપો ધારણ કરતી રહી.

ચીની પ્રવાસીઓ ફાહિયાન, હ્યુએન સંગ અને ઇતસિંગ (યીચિંગ) જ્યારે ભારત આવ્યા, ત્યારે તેમણે બૌદ્ધ વિહારો, સ્તૂપો અને બોધિસત્વ પરંપરાઓનું વિગતવાર વર્ણન કર્યું. પરંતુ આજની જેમ વ્યાપક વૈષ્ણવ મંદિર વ્યવસ્થાનો તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી. આ પણ ઇતિહાસમાં ધ્યાન આપવા જેવી બાબત છે.

જોયું તમે.
આ મૂર્તિઓ અચાનક પેદા નથી થઈ. પ્રકૃતિ પૂજાથી શરૂ થઈને યક્ષ પરંપરાના માધ્યમથી બૌદ્ધ ધમ્મમાં, પછી જૈન પરંપરાઓમાં અને બાદમાં પૌરાણિક મંદિર વ્યવસ્થાઓમાં સમાહિત થઈ આ એક લાંબી ઐતિહાસિક યાત્રા છે.
તેથી આ મૂર્તિઓને માત્ર આજના નામોથી જોવી પૂરતી નથી. આ હજારો વર્ષોની લોક માન્યતાઓ અને સાંસ્કૃતિક વિકાસની પથ્થર પર કંડારેલી જુબાની (સાક્ષી) છે.

ઇતિહાસને ન જાણીએ તો આપણે માત્ર નામ જોઈએ છીએ.
ઇતિહાસને સમજીએ તો રૂપો પાછળની યાત્રા દેખાય છે.
✍️ મૂળ લખાણ : બંદાપલ્લી શિવા રેડ્ડી
✍️ ગુજરાતી અનુવાદ : RK Araj

જ્યારે માન્યવર કાશીરામ સાહેબ વર્ષ 1989 ની સામાન્ય ચૂંટણીમાં તત્કાલિક પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની વિરુદ્ધ અમેઠીથી ચૂંટણી લ...
21/05/2026

જ્યારે માન્યવર કાશીરામ સાહેબ વર્ષ 1989 ની સામાન્ય ચૂંટણીમાં તત્કાલિક પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની વિરુદ્ધ અમેઠીથી ચૂંટણી લડ્યા ત્યારે પાર્ટીના મોટાભાગના લોકો જેમાં પંજાબના લોકો વધુ હતા તેઓએ સાહેબ વિશે વાતો કરતા કહ્યું કે કાશીરામે તો ક્યારેય ગામના સરપંચની ચૂંટણી પણ નથી લડી તો પછી પ્રધાનમંત્રી વિરુદ્ધ ઊભા રહેવાની શી જરૂર હતી. જો તે ક્યાંક સંસદની ચૂંટણીમાં લડી લેત તો કદાચ જીતી પણ જાત. પોતાની પીઠ પાછળ થઈ રહેલી આ બધી વાતોની સાહેબને પણ જાણકારી હતી એટલે ચૂંટણી પત્યા બાદ સાહેબે આખા દેશમાં સંસદની ચૂંટણી લડનારા બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોને પોતાના 20-20 કે 25-25 સમર્થકો સાથે કોન્સ્ટિટ્યૂશનલ ક્લબમાં બોલાવ્યા.

સાહેબે બ્લેકબોર્ડ પર લખીને તેમને સમજાવતા કહ્યું કે મારા ચૂંટણી લડવાની પહેલા રાજીવ ગાંધી દિલ્હીથી અમેઠી માત્ર કાગળો જમા કરાવવા જ આવતો હતો. તેને ન તો એ વાતની ચિંતા રહેતી કે તેના હકમાં ચૂંટણી કેમ્પેન કોણ કરવાનું છે અને કોણે બુથ લગાવવાનું છે કે રેલીઓ કોણે કોણે કરવાની છે. એ બસ પોતાની જીતનું પરિણામ આરામથી બેસીને ટીવી પર સાંભળતો. બીજી ખાસ વાત એ છે કે રાજીવ ગાંધીનો નાના પંડિત નહેરુ 11 વર્ષ દેશનો પ્રધાનમંત્રી રહ્યો. તેની માં ઇન્દિરા ગાંધી 11 વર્ષો સુધી પ્રધાનમંત્રીના પદ પર સુશોભિત રહી અને રાજીવ ગાંધી પોતે પણ પાંચ વર્ષ સુધી દેશનો મુગલ-એ-આઝમ બની રહ્યો. કુલ મળીને 33 વર્ષો સુધી પ્રધાનમંત્રીનું પદ એક જ ઘરમાં રહ્યું. ખાસ વાત તો એ જ છે કે કોંગ્રેસનો જન્મ 1885 માં થયો અને ચૂંટણી હવે એટલે કે 1989 માં થઇ રહી છે. મતલબ કે કોંગ્રેસની ઉંમર થઈ 104 વર્ષ. બીજી બાજુ બહુજન સમાજ પાર્ટીનો જન્મ 14 એપ્રિલ 1984 ના રોજ થયો અને બસપાની ઉંમર થઈ છે માત્ર પાંચ વર્ષ.

જો જોવામાં આવે તો એકલા ઉત્તર પ્રદેશમાં જ કોંગ્રેસનું 52 વર્ષો સુધી શાસન રહ્યું છે. હકીકતે એ છે કે જો હું અમેઠીથી રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી ન લડ્યો હોત તો તેને ઘરે બેસીને જ બેફિકર થઈને ચૂંટણી લડવાની હતી, પણ થયું એવું કે જે દિવસે મેં અમેઠીમાં પગ મુક્યો તે દિવસથી રાજીવ ગાંધીએ એક કલાક માટે પણ અમેઠીને રેઢી મૂકી નહીં. અમેઠીના 50-50 ફૂટના રસ્તાઓ ઉપર જે રાજીવ ગાંધી નીકળ્યો ન હતો તે રાજીવ ગાંધીને મેં પાણી અને કીચડથી ભરાયેલી રહેતી ચાર-ચાર ફૂટની ગલીઓમાં ફેરવી ફેરવીને પતાવી દીધો. જે ઝૂપડાઓમાં ક્યારે 0 વોટ નો બલ્બ પણ નહતો તે ઝૂંપડાઓમાં 100 વોટના બલ્બ અને આરજી કનેક્શન રાજીવ ગાંધીએ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા પડ્યા.

બીજી બાજુ કર્ણાટક, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, કેરેલા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ ગુજરાતના કોંગ્રેસીઓ રાજીવ ગાંધી આગળ પોતાના હકમાં પ્રચાર કરવા માટે વિનંતી કરતા રહ્યા પરંતુ રાજીવ ગાંધીનો એક જ જવાબ હતો કે તમને તમારા ચૂંટણી પ્રચારની પડી છે અને અહીં પંજાબ આવીને કાશીરામે મારી એસીતેસી કરીને મૂકી દીધી છે. જેના લીધે રાજીવ ગાંધી તે રાજ્યોમાં પોતાના કોંગ્રેસી ઉમેદવારોના હકમાં ચૂંટણી પ્રચાર કરવા જ ના જઈ શક્યો. તેનું પરિણામ એ આવ્યું કે મેં રાજીવગાંધીને ચક્રવ્યૂહમાં એવો ફસાવ્યો કે મારા લીધે કોંગ્રેસ લોકસભાની 85 સીટો હારીને કેન્દ્રની સત્તામાંથી બહાર થઈ ગઈ. અમેઠીથી બેશક મને 25000 વોટ જ મળ્યા અને મારી ડિપોઝીટ જપ્ત થઈ ગઈ પરંતુ મેં રાજીવ ગાંધીને કોઈ પણ નહેર, તળાવ, નાળા, નદી કે દરિયામાં ડૂબી મરવાને લાયક પણ નથી છોડ્યો.

ત્યારબાદ એક દિવસ રાજીવ ગાંધીની સાહેબ સાથે અચાનક મુલાકાત થઈ તો તેણે પોતાનું દુઃખ જાહેર કરતા કહ્યું કે બાબુજી તમારા લીધે કોંગ્રેસ લોકસભાની 85 સીટો હારીને સત્તાની બહાર થઈ ગઈ છે. જો તમે અમારી સાથે મળીને ચૂંટણી લડ્યા હોત તો તમારી ત્રણમાંથી 30 સીટોનો વધારો થઈ જવાનો હતો અને અમારી સરકાર પણ બચી જવાની હતી. ત્યારે કાશીરામ સાહેબનો સ્પષ્ટ જવાબ હતો કે મને ૩ થી ૩૦ સીટો ન થવાનું કોઈ દુઃખ નથી, પરંતુ એ વાતની ખુશી છે કે મેં તને દિલ્લીના મુગલ-એ-આઝમમાંથી દિલ્હીનો રોડ માસ્ટર બનાવીને મૂકી દીધો છે. હવે તું જ્યારે પણ ભવિષ્યમાં મને મળીશ તો દિલ્હીના મુગલ એ આઝમ તરીકે નહીં પરંતુ રોડ માસ્ટર તરીકે વાત કરીશ. તો બદલામાં કાશીરામને કોઈ ફરક નથી પડવાનો કારણ કે કાશીરામ તો જન્મથી જ રોડ માસ્ટર છે.

લેખક - પમ્મી લાલો મઝારા
પુસ્તક : में कांशीराम बोल रहा हु, Page no - 175-176
ગુજરાતી અનુવાદ : RK Araj

આયોથી થાસ: તમિલનાડુમાં બ્રાહ્મણવાદ વિરોધી બહુજન ક્રાંતિના પિતામહ - એક પરિચયજન્મદિવસ (૨૦ મે) આદરપૂર્વકના નમન સાથેઆયોથી થા...
20/05/2026

આયોથી થાસ: તમિલનાડુમાં બ્રાહ્મણવાદ વિરોધી બહુજન ક્રાંતિના પિતામહ - એક પરિચય

જન્મદિવસ (૨૦ મે) આદરપૂર્વકના નમન સાથે

આયોથી થાસની તમિલનાડુમાં લગભગ એ જ ઐતિહાસિક ભૂમિકા રહી છે, જે મહારાષ્ટ્રમાં જ્યોતિરાવ ફૂલેની રહી છે. તમિલનાડુમાં દલિત-બહુજન અને પેરિયારના આંદોલનની પૃષ્ઠભૂમિ આયોથી થાસે તૈયાર કરી હતી. ઇતિહાસનો સંયોગ એવો છે કે મહારાષ્ટ્રમાં બહુજન આંદોલનનો પાયો પછાત વર્ગમાં જન્મેલા જ્યોતિરાવ ફૂલે-સાવિત્રીબાઈ ફૂલે નાખે છે, તો તમિલનાડુમાં તેનો પાયો દલિત (પરિયા) સમાજમાં જન્મેલા આયોથી થાસ નાખે છે. આજે આયોથી થાસનો જન્મદિવસ છે. દલિત-બહુજન આંદોલનમાં તેમની ઐતિહાસિક ભૂમિકાને સંક્ષિપ્તમાં રેખાંકિત કરતો આ લેખ તમારી સમક્ષ પ્રસ્તુત છે-

(અછૂત ગણાતી પરિયા જાતિમાં ૨૦ મે ૧૮૪૫ના રોજ જન્મેલા અયોથી થાસે બ્રાહ્મણવાદ, જાતિ-વ્યવસ્થા, આર્ય સર્વોપરિતા અને તમિલ ભાષા પર સંસ્કૃત ભાષાના વર્ચસ્વને પડકાર્યું અને અનાર્ય દ્રવિડ, બૌદ્ધ મૂલ્યો, વિચારધારા, સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક વ્યવસ્થાને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રજૂ કરી તેમજ સંસ્કૃત ભાષાના વર્ચસ્વને તોડવા અને તેની જગ્યાએ તમિલ ભાષાને સ્થાપિત કરવા માટે સંઘર્ષ કર્યો. જે રીતે મહારાષ્ટ્રમાં ડૉ. આંબેડકરની વિચારધારાની પૃષ્ઠભૂમિ અને આધાર જ્યોતિબા ફૂલેએ ઊભો કર્યો, તેવી જ રીતે ઇ.વી. રામાસામી 'પેરિયાર'ની વિચારધારાની પૃષ્ઠભૂમિ અને આધારનું નિર્માણ તમિલનાડુમાં અયોથી થાસે કર્યું હતું. માત્ર સામાજિક પૃષ્ઠભૂમિ ભિન્ન હતી. જ્યાં જ્યોતિબા ફૂલે શૂદ્ર કહેવાતી માળી જાતિ (સછૂત)માં જન્મ્યા હતા, ત્યાં અયોથી થાસ અતિશૂદ્ર અથવા પંચમ વર્ણ (પરિયા જાતિ- અછૂત)માં જન્મ્યા હતા.

જ્યાં એક તરફ જ્યોતિબા ફૂલેની વિચારધારાને અછૂત ગણાતી જાતિ (મહાર)માં જન્મેલા ડૉ. આંબેડકરે આગળ ધપાવી, ત્યાં અયોથી થાસની વિચારધારાને પછાત જાતિ (નાયકર)માં જન્મેલા પેરિયારે આગળ ધપાવી.)

૨૦ મે ૧૮૪૫ના રોજ ચેન્નાઈ નજીક 'અછૂત' ગણાતી પરિયા જાતિમાં જન્મેલા અયોથી થાસની આધુનિક ભારતના ઇતિહાસમાં ભૂમિકાનું મૂલ્યાંકન કરતાં પહેલાં, આધુનિક ઇતિહાસકારોના આધુનિક ભારતના ઇતિહાસ પ્રત્યેના દ્રષ્ટિકોણ પર એક અત્યંત સંક્ષિપ્ત નજર નાખવી જરૂરી છે.

આધુનિક કાળના મોટાભાગના ઉદારવાદી અને ડાબેરી ઇતિહાસકારોએ સ્વતંત્રતા આંદોલન અને આધુનિક ભારતના ઇતિહાસને ઉમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, તિલક, ગોખલે, રાજગોપાલાચારી અને પાછળથી ગાંધીના નેતૃત્વમાં બ્રિટિશ સંસ્થાનવાદી સત્તા સામે સ્વશાસન, સ્વરાજ અને પાછળથી પૂર્ણ આઝાદીની માંગના આંદોલનનો પર્યાય બનાવી દીધો. કેટલાક ઇતિહાસકારોએ તેમાં દેશભક્ત ક્રાંતિકારી યુવાનો દ્વારા બ્રિટિશ સત્તાને ઉખાડી ફેંકવા માટે કરવામાં આવેલા સંઘર્ષોને સામેલ કર્યા અને કેટલાકે ખેડૂતો-મજૂરો અને આદિવાસીઓ દ્વારા બ્રિટિશ સત્તા સામે કરવામાં આવેલા સંઘર્ષોને પણ સ્થાન આપ્યું.
પરંતુ એવા ઇતિહાસકારો નહિવત્ રહ્યા, જેઓ એ જોઈ શક્યા અથવા જેમણે એ જોવાની જરૂર સમજી કે જે સમયે બ્રિટિશ સત્તા સામે સ્વશાસન, સ્વરાજ અને પાછળથી દેશની પૂર્ણ આઝાદી માટે ઉચ્ચ જાતિઓના નેતૃત્વમાં સ્વતંત્રતા આંદોલન ચાલી રહ્યું હતું, તે જ ગાળામાં આર્ય-બ્રાહ્મણવાદી અને વર્ણ-જાતિવાદી દેશી શાસન-સત્તા, વર્ચસ્વ અને શોષણ-ઉત્પીડનની વ્યવસ્થા સામે એક બીજું સ્વતંત્રતા કે મુક્તિનું આંદોલન પણ સમાંતર રીતે ચાલી રહ્યું હતું, જેની માંગ સૌના માટે ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ એટલે કે એક નવા આધુનિક ભારતના નિર્માણની હતી. એવું ભારત કે જેમાં ધર્મ, જાતિ, પિતૃસત્તા અને ભાષા આધારિત સર્વોપરિતા અને વર્ચસ્વ માટે કોઈ સ્થાન ન હોય. આ મુક્તિ આંદોલનનું નેતૃત્વ કોઈ પણ અપવાદ વિના શૂદ્ર (પછાત જાતિઓ) અને અતિશૂદ્ર ('અછૂત' જાતિ)ના લોકો કરી રહ્યા હતા. તેના અગ્રણી નેતાઓએ ધર્મ, સમાજ, ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓને જોવાનો એક નવો વૈશ્વિક દ્રષ્ટિકોણ અને વિચારધારા પૂરી પાડી.

જ્યાં મહારાષ્ટ્રમાં આર્ય-બ્રાહ્મણ દેશી વર્ચસ્વ અને શોષણ-ઉત્પીડનની વ્યવસ્થા સામે સંઘર્ષની શરૂઆત માળી જાતિ (શૂદ્ર, સછૂત)ના જ્યોતિબા ફૂલે (૧૧ એપ્રિલ ૧૮૨૭ - ૨૮ નવેમ્બર ૧૮૯૦) એ કરી, ત્યાં તમિલનાડુમાં તેની શરૂઆત દલિત (પરિયા, પંચમ, 'અછૂત' ગણાતી જાતિ) જાતિના અયોથી થાસ (૨૦ મે ૧૮૪૫ - ૧૯૧૪) એ કરી. આધુનિક યુગમાં સૌથી પહેલાં ફૂલે અને અયોથી થાસે ભારતીય સમાજ, ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓને જોવાનો એક નવો વૈશ્વિક દ્રષ્ટિકોણ અને વિચારધારા ઉપલબ્ધ કરાવી, જે ભારતને જોવા-સમજવાના પ્રભાવી, વર્ચસ્વવાદી, આર્ય-બ્રાહ્મણવાદી દ્રષ્ટિકોણ અને વિચારધારા માટે એક નિર્ણાયક પડકાર હતો.

અયોથી થાસે બ્રાહ્મણવાદ, જાતિ-વ્યવસ્થા, આર્ય સર્વોપરિતા અને તમિલ ભાષા પર સંસ્કૃત ભાષાના વર્ચસ્વને પડકાર્યું અને અનાર્ય દ્રવિડ, બૌદ્ધ મૂલ્યો, વિચારધારા, સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક વ્યવસ્થાને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રજૂ કરી તેમજ સંસ્કૃત ભાષાના વર્ચસ્વને તોડવા અને તેની જગ્યાએ તમિલ ભાષાને સ્થાપિત કરવા માટે સંઘર્ષ કર્યો. જે રીતે મહારાષ્ટ્રમાં ડૉ. આંબેડકરની વિચારધારાની પૃષ્ઠભૂમિ અને આધાર જ્યોતિબા ફૂલેએ ઊભો કર્યો, તેવી જ રીતે ઇ.વી. રામાસામી 'પેરિયાર'ની વિચારધારાની પૃષ્ઠભૂમિ અને આધારનું નિર્માણ તમિલનાડુમાં અયોથી થાસે કર્યું હતું. માત્ર સામાજિક પૃષ્ઠભૂમિ ભિન્ન હતી. જ્યાં જ્યોતિબા ફૂલે શૂદ્ર કહેવાતી માળી જાતિ (સછૂત)માં જન્મ્યા હતા, ત્યાં અયોથી થાસ અતિશૂદ્ર અથવા પંચમ વર્ણ (પરિયા જાતિ- અછૂત)માં જન્મ્યા હતા.

જ્યાં એક તરફ જ્યોતિબા ફૂલેની વિચારધારાને અછૂત ગણાતી જાતિ (મહાર)માં જન્મેલા ડૉ. આંબેડકરે આગળ ધપાવી, ત્યાં અયોથી થાસની વિચારધારાને પછાત જાતિ (નાયકર)માં જન્મેલા પેરિયારે આગળ ધપાવી. ડૉ. આંબેડકર અને પેરિયાર બંનેએ પોતાની સામાજિક પૃષ્ઠભૂમિ અને વિચારધારાના આધારે જ્યોતિબા ફૂલે અને અયોથી થાસની વિચારધારામાં ઘણું બધું ઉમેર્યું અને કેટલીક વસ્તુઓ છોડી પણ દીધી અથવા છોડી દેવી પડી. આવું ઇતિહાસની દરેક આગામી પેઢી કરે છે, તેના કારણો ભિન્ન હોઈ શકે છે. હાલ અહીં તે ચર્ચાનો વિષય નથી.
અયોથી થાસે ડૉ. આંબેડકર દ્વારા બૌદ્ધ ધમ્મ સ્વીકારવાના લગભગ ૫૦ વર્ષ પહેલાં બૌદ્ધ ધમ્મ અંગીકાર કરી લીધો હતો. આ બાબતમાં તેમને થિયોસોફિકલ સોસાયટીના કર્નલ ઓલકોટનો સહયોગ મળ્યો હતો. ઓલકોટના સહયોગથી અયોથી થાસે સિલોન (શ્રીલંકા) જઈને ભિખ્ખુ સુમંગલા નાયક પાસેથી બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી હતી.

તેમનું કહેવું હતું કે પરિયા અનાર્ય આદિ દ્રવિડ છે અને મૂળભૂત રીતે બૌદ્ધ રહ્યા છે, જેમને બૌદ્ધ હોવાના કારણે દ્રવિડો પર વિજય મેળવનારા આર્ય બ્રાહ્મણવાદીઓએ 'અછૂત' જાહેર કરી દીધા. બૌદ્ધોને 'અછૂત' જાહેર કરવાની વાત ડૉ. આંબેડકરના લેખનમાં પણ જોવા મળે છે. અયોથી થાસ બ્રાહ્મણ ધર્મની વિજય અને બૌદ્ધ ધમ્મની પરાજયને એક કડી તરીકે જોતા હતા. ડૉ. આંબેડકરે પોતાના પુસ્તક 'પ્રાચીન ભારતમાં ક્રાંતિ અને પ્રતિક્રાંતિ'માં એ સ્થાપિત કર્યું છે કે બ્રાહ્મણવાદ બૌદ્ધ ધમ્મ સામે એક પ્રતિક્રાંતિ હતી. દ્રવિડ-તમિલ સમાજને આર્ય-બ્રાહ્મણવાદી ચુંગાલમાંથી મુક્ત કરવા માટે અયોથી થાસે ન્યાય, સમાનતા, બંધુત્વ અને તર્ક આધારિત બૌદ્ધ ધર્મને પુનર્જીવિત કરવા અને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો શરૂ કર્યા. આ માટે તેમણે ૧૮૯૮માં શાક્ય બુદ્ધિસ્ટ સોસાયટીની સ્થાપના કરી અને તેનું નેતૃત્વ કર્યું, જેનું નામ પાછળથી સાઉથ ઇન્ડિયન બુદ્ધિસ્ટ સોસાયટી પડ્યું.

૧૮૯૮માં સ્થાપિત શાક્ય બુદ્ધિસ્ટ સોસાયટીએ દક્ષિણ ભારત અને વિશ્વના ઘણા દેશોમાં બૌદ્ધ ધમ્મના પ્રચાર-પ્રસારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. દક્ષિણ ભારત તેમજ વિદેશોમાં આ સોસાયટીની શાખાઓ પણ સ્થપાઈ. આ દેશોમાં બર્મા, શ્રીલંકા, ફિજી, મલેશિયા અને દક્ષિણ આફ્રિકા પણ સામેલ હતા. બૌદ્ધ ધમ્મ અને તેની તર્ક આધારિત સમાનતા તેમજ બંધુત્વની વિચારધારાને પ્રચારિત-પ્રસારિત કરવા માટે અયોથી થાસે સોસાયટીના મુખ્યાલય મદ્રાસથી 'તામિઝાન' નામનું નિયમિત સાપ્તાહિક પત્ર પણ શરૂ કર્યું. આ માટે તેમણે બુદ્ધિસ્ટ પ્રેસ અને ગૌતમ પ્રેસની પણ સ્થાપના કરી. પાછળથી કોલાર ગોલ્ડ ફિલ્ડ્સમાં સિદ્ધાર્થ પ્રેસની સ્થાપના કરી. આ પ્રેસ નવા સામાજિક, ધાર્મિક વૈશ્વિક દ્રષ્ટિકોણ અને વિચારધારાના પ્રચાર-પ્રસારનું મહત્વનું કેન્દ્ર બની ગયું.

અયોથી થાસ માટે બૌદ્ધ ધમ્મે વેદ, પુરાણ, સ્મૃતિ અને ઉપનિષદ આધારિત બ્રાહ્મણવાદની (જેને પાછળથી હિન્દુ ધર્મ કહેવામાં આવ્યો) વર્ણ-જાતિ આધારિત અસમાનતા અને અન્યાયની વ્યવસ્થાને તોડવા તેમજ સમતામૂલક ન્યાય આધારિત સમાજના નિર્માણ માટેનો દાર્શનિક-વૈચારિક આધાર પૂરો પાડ્યો. આધુનિક દલિત આંદોલને અયોથી થાસના માધ્યમથી પોતાના મૂળ બૌદ્ધ ધમ્મમાં શોધ્યા અને બૌદ્ધ ધમ્મને પુનર્જીવન પ્રદાન કર્યું. પાછળથી ડૉ. આંબેડકરે પણ દલિત આંદોલનના મૂળિયાંને બૌદ્ધ ધમ્મની ન્યાય, સમાનતા અને લોકકલ્યાણની વિચારધારા સાથે જોડ્યા.

૧૯૦૧ની પ્રથમ વસ્તીગણતરી વખતે અયોથી થાસે અછૂતોને આહ્વાન કર્યું કે તેઓ પોતાને જ્ઞાતિવિહીન આદિ દ્રવિડ તરીકે વસ્તીગણતરીમાં નોંધાવે. ૧૯૧૧ની વસ્તીગણતરી વખતે તેમણે ફરી આ માંગણી દોહરાવી. આ ઉપરાંત તેમણે બ્રિટિશ સરકાર પાસે એવી માંગણી કરી કે તેઓ અછૂતોને મૂળ બૌદ્ધ તરીકે સૂચિબદ્ધ કરે, ભલે 'અછૂત' પોતાની ઉપ-જાતિઓ પણ વસ્તીગણતરીમાં નોંધાવે. અયોથી થાસ કોઈ પણ સંજોગોમાં આદિ દ્રવિડોને હિન્દુ માનવા તૈયાર નહોતા. તેમનું કહેવું હતું કે બ્રાહ્મણવાદના સ્વરૂપમાં હિન્દુ ધર્મ આદિ દ્રવિડો પર થોપી દઈને તેમને 'અછૂત' જાહેર કરી દેવામાં આવ્યા અને તેમની મનુષ્ય હોવાની ઓળખ જ છીનવી લેવામાં આવી. આ રીતે મૂળભૂત રીતે બૌદ્ધ એવા આદિ દ્રવિડોને 'અછૂત' જાહેર કરી, તેમને તેમની માનવીય ગરિમાથી વંચિત કરી દેવામાં આવ્યા. અયોથી થાસનો મૂળ સંઘર્ષ બહુમતી (આશરે ૯૭ ટકા) બિન-બ્રાહ્મણ દ્રવિડો અને આદિ દ્રવિડો (અછૂતો)ને માનવીય સમાનતાનો દરજ્જો અપાવીને તેમની ગુમાવેલી માનવીય ગરિમા પાછી અપાવવાનો હતો.

અયોથી થાસના સંઘર્ષનો દાયરો માત્ર અછૂત (પરિયા) લોકો પૂરતો સીમિત નહોતો. તેમણે તમામ બિન-બ્રાહ્મણ તમિલ લોકો માટે ન્યાય અને સમાનતા માટે સંઘર્ષ કર્યો. પોતાના જીવનના પ્રારંભિક ગાળામાં જ તેમણે આશરે ૨૫ વર્ષની ઉંમરે નીલગિરીમાં, ૧૮૭૦માં આદિવાસીઓને તેમના હિતો માટે સંગઠિત કર્યા. તેમણે ૧૮૭૬માં અદ્વૈતાનંદ મહાસભાની રચના કરી. ૧૮૮૫માં અયોથી થાસે જોન રત્નમ સાથે મળીને 'દ્રવિડ પાંડિયન' પત્રિકા શરૂ કરી. ૧૮૮૬માં તેમણે એવી જાહેરાત કરી કે 'અછૂત' હિન્દુ નથી. આપણે બધા જાણીએ છીએ કે ડૉ. આંબેડકર પણ 'અછૂત' કહેવાતા સમાજને હિન્દુ નહોતા કહેતા અને તેઓ સછૂત સમાજને હિન્દુ કહીને સંબોધતા હતા.

તેઓ અછૂતોને બહિષ્કૃત સમાજ, ડિપ્રેશ્ડ ક્લાસ અને કાયદાકીય રીતે અનુસૂચિત જાતિ કહેતા હતા. ૧૮૯૧માં અયોથી થાસે પંચમાર મહાસભાની સ્થાપના કરી. તમિલ સમાજમાં પંચમાર એવા લોકોને કહેવામાં આવતા, જેમને ચારેય વર્ણોમાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નહોતું. હિન્દી કે ગુજરાતી ભાષામાં જેને પંચમ વર્ણ કે અંત્યજ કહે છે. આ લોકોને 'અછૂત' નો દરજ્જો વર્ણ વ્યવસ્થાના નિર્માતા અને સંચાલક એવા બ્રાહ્મણોએ આપ્યો હતો. અયોથી થાસે જે પરિયા જાતિમાં જન્મ લીધો હતો, તે પણ આ જ પંચમ વર્ણની એક પેટાજાતિ હતી.

અયોથી થાસે પોતાને ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક દાયરા સુધી સીમિત ન રાખ્યા. તેમણે કોંગ્રેસના નેતૃત્વમાં ચાલી રહેલા સ્વદેશી અને સ્વરાજના આંદોલનના બ્રાહ્મણવાદી ઉચ્ચ-જાતિવાદી ચરિત્રને પોતાની પત્રિકા 'તામિઝાન'માં શ્રેણીબદ્ધ લેખો લખીને ખુલ્લું પાડ્યું. આ પત્રિકાનું પ્રકાશન ૧૯૦૭માં શરૂ થયું હતું અને તેમના પરિનિર્વાણ (૧૯૧૪) સુધી આ પત્રિકા પ્રગટ થતી રહી.
૧૯૦૭માં મદ્રાસ પ્રેસિડેન્સીમાં કોંગ્રેસ દ્વારા જોરશોરથી સ્વદેશી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. અયોથી થાસે પોતાની પત્રિકા 'તામિઝાન'માં 'સ્વદેશી રિફોર્મ' નામે એક કોલમ શરૂ કરી. આ કોલમ પત્રિકાના પ્રથમ સાપ્તાહિક અંકથી જ શરૂ થઈ ગઈ હતી. મુખ્યત્વે આ કોલમ અયોથી થાસ પોતે જ લખતા હતા. આ કોલમમાં તેમણે બ્રાહ્મણવાદની રાજનીતિ અને રાષ્ટ્રવાદના બ્રાહ્મણવાદી તત્વોનું વિશ્લેષણ કર્યું. અયોથી થાસને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે કઈ રીતે કોંગ્રેસમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ છે. તેમણે એ પણ જોયું કે બ્રાહ્મણોની માલિકીના પ્રેસમાં કેવી રીતે બ્રાહ્મણોનું જ વર્ચસ્વ છે અને તેઓ માત્ર પોતાના વિચારોને જ પ્રચારિત-પ્રસારિત કરે છે.

અયોથી થાસનું કહેવું હતું કે નીચેની બાબતો વિના સ્વદેશી આંદોલનનો કોઈ અર્થ નથી-
👉 રાજકીય સુધારાના વિચાર અને વ્યવહાર ત્યાં સુધી કોઈ અર્થ નથી રાખતા, જ્યાં સુધી વિચારવાની શૈલી અને સામાજિક વ્યવહારના સિદ્ધાંતોમાં પરિવર્તન ન આવે. અયોથી થાસ એક એવા નાગરિક સમાજની કલ્પના કરતા હતા, જેમાં આંતરિક રીતે રાજકીય સુધારા સામાજિક અને આર્થિક સુધારા સાથે જોડાયેલા હોય. તેઓ એવું પણ કહેતા હતા કે લોકોના જીવનમાં રૂપાંતર કરીને જ રાષ્ટ્રીય સુધારા અને પ્રગતિ હાંસલ કરી શકાય છે.
તેમનું કહેવું હતું કે રાજકીય સ્વતંત્રતા કે સ્વરાજ માત્ર સ્વશાસનથી હાંસલ ન કરી શકાય, તેની સાથે લોકોના સામાજિક અને આર્થિક જીવનમાં પણ ખુશહાલી આવવી જોઈએ. તેથી તેમનું કહેવું હતું કે સ્વતંત્રતા ત્યારે જ મળી શકે જ્યારે જ્ઞાતિઓ નાબૂદ થાય અને શ્રમ કરનારાઓ બહેતર જીવન જીવવા લાગે તેમજ તેઓ એવી સ્થિતિમાં આવી જાય કે પોતાના હિતોના મામલામાં રાજકીય જીવનને પ્રભાવિત કરી શકે.

👉 અયોથી થાસનું કહેવું હતું કે ભારતમાં સુશાસનની શરૂઆત માત્ર ભદ્ર, બાહ્ય લોકો (બ્રિટિશ શાસન)ના હેઠળ શરૂ થઈ. ભારતના લોકો આ શાસનમાં ત્યારે જ સામેલ થઈ શકે જ્યારે વિવિધ સમુદાયો આ પ્રક્રિયા અને સરકારની સંસ્થાઓમાં ભાગીદારી કરે, નહીંતર શાસનને ન્યાયસંગત બનાવવાની બ્રિટિશ શાસનની તમામ કોશિશોને સ્વયંભૂ અને મહત્વાકાંક્ષી બ્રાહ્મણો દ્વારા નિષ્ફળ બનાવી દેવામાં આવશે.

અયોથી થાસના સ્વશાસન અને સ્વરાજના આ મૂલ્યાંકનમાં ડૉ. આંબેડકર, પેરિયાર અને અન્ય બહુજન નાયકોનો એ જ સૂર સંભળાય છે, જેમાં તેઓ વારંવાર એવો સવાલ કરે છે કે ઉચ્ચ જાતિઓના નેતૃત્વમાં ચાલી રહેલું સ્વશાસન અને સ્વરાજ આંદોલન આખરે કોના માટે સ્વશાસન અને સ્વરાજની માંગ કરી રહ્યું છે? એ સ્વશાસન અને સ્વરાજમાં શૂદ્રો, અતિશૂદ્રો અને મહિલાઓ માટે શું સ્થાન હશે?

અયોથી થાસ દાર્શનિક, વિચારક, તમિલ સાહિત્ય અને સંસ્કૃતિના નિષ્ણાત હોવાની સાથે સાથે પરંપરાગત સિદ્ધ ઔષધિ વિજ્ઞાનના જ્ઞાતા અને પ્રયોગકર્તા પણ હતા. અયોથી થાસના દાદા લોર્ડ એરિંગ્ટનને ત્યાં રસોઈયા (ખાનસામા) હતા. આયોથી થાસનું મૂળ નામ કથાવરાયન હતું, તેઓ અનેક ભાષાઓનું જ્ઞાન ધરાવતા હતા, તમિલ ઉપરાંત અંગ્રેજી, સંસ્કૃત અને પાલી ભાષા પર તેમનું પૂર્ણ પ્રભુત્વ હતું.

આ સમગ્ર સંદર્ભમાં એક તથ્ય રેખાંકિત કરવું જરૂરી છે કે ભારતમાં કંપની રાજ (ઈસ્ટ ઇન્ડિયા કંપની) અને પાછળથી બ્રિટિશ ક્રાઉનના પ્રત્યક્ષ શાસન પહેલાં પંચમ વર્ણ (અછૂત સમુદાય)ની કોઈ પણ વ્યક્તિ શિક્ષણ મેળવવા અને લખવા-વાંચવામાં મહારત હાસલ કરવા વિશે વિચારી પણ શકતી નહોતી. એવામાં એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આખરે અયોથી થાસે જ્ઞાન મેળવ્યું કેવી રીતે?

હાલ અહીં એટલું જાણી લેવું પૂરતું છે કે જે મદ્રાસ પ્રેસિડેન્સીમાં અયોથી થાસનો જન્મ થયો હતો, ત્યાં ૧૭૭૪માં બ્રિટિશ સત્તાની સંપૂર્ણ સ્થાપના થઈ ચૂકી હતી. ૧૭૭૪થી ૧૮૫૮ સુધી મદ્રાસ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા શાસિત હતું. ૧૮૫૮માં મહારાણી વિક્ટોરિયા દ્વારા જારી કરાયેલા 'મહારાણીના ઢંઢેરા'ની શરતો હેઠળ મદ્રાસ પ્રેસિડેન્સીની સાથે-સાથે બાકીનું બ્રિટિશ ભારત પણ બ્રિટિશ ક્રાઉનના પ્રત્યક્ષ શાસન હેઠળ આવી ગયું.
મદ્રાસ પ્રેસિડેન્સીમાં પૂર્ણ બ્રિટિશ સત્તા સ્થાપિત થવાના ઘણા સમય પહેલાં જ ૧૬૩૯માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મદ્રાસપટ્ટનમ ગામ ખરીદી લીધું હતું અને તેના એક વર્ષ પછી મદ્રાસ પ્રેસિડેન્સીના પૂર્વવર્તી, સેન્ટ જ્યોર્જ કિલ્લાની એજન્સીની સ્થાપના પણ કરી લીધી હતી. આ વિગતોનો અર્થ એ છે કે અયોથી થાસના જન્મ (૨૦ મે ૧૮૪૫)ના આશરે ૭૦ વર્ષ પહેલાં મદ્રાસ પ્રેસિડેન્સી પર અંગ્રેજોનું શાસન સ્થપાઈ ગયું હતું અને તેમના જન્મના આશરે ૨૦૦ વર્ષ પહેલાં મદ્રાસમાં અંગ્રેજી જ્ઞાન-વિજ્ઞાનનો મર્યાદિત પાયા પર જ સાચો પ્રચાર-પ્રસાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આગમન સાથે શરૂ થઈ ગયો હતો. આ બાબતે ત્યાંના રાજકીય જીવનને તો બદલી જ નાખ્યું, પરંતુ તેની સાથે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં પણ મોટી ઉથલપાથલ મચાવી દીધી.

અહીં બ્રિટિશ સંસ્થાનવાદી સત્તાના ભારત અને તેના વિવિધ વર્ગો-સમુદાયો માટેના નુકસાન અને ફાયદાઓની વિગતવાર ચર્ચા કરવાનો અવસર નથી, પરંતુ અયોથી થાસના વ્યક્તિત્વના નિર્માણના સંદર્ભમાં એટલું કહેવું જરૂરી છે કે બ્રિટિશ શાસને જ્ઞાન-શિક્ષણ મેળવવાના દરવાજા એ 'અછૂત' કહેવાતી જ્ઞાતિઓ માટે પણ ખોલી દીધા, જેના માટે જ્ઞાન-શિક્ષણના દરવાજા બ્રાહ્મણવાદ અને બ્રાહ્મણોએ બંધ કરી રાખ્યા હતા. આ કાર્ય બ્રિટિશ સત્તાએ પ્રત્યક્ષ રીતે અને ખ્રિસ્તી મિશનરીઓએ તેમના સહયોગથી કર્યું. શિક્ષણ અને જ્ઞાન મેળવીને પોતાની જાતને, પોતાના સમુદાયને અને સમગ્ર સમાજને બ્રાહ્મણવાદના ચુંગાલમાંથી મુક્ત કરવાની આ તકનો ઉપયોગ અયોથી થાસે ખૂબ જ સારી રીતે કર્યો, જેમનો જન્મ પરિયા (અછૂત) જાતિમાં થયો હતો અને જેમના માટે શિક્ષણના દરવાજા અને બારીઓ બ્રાહ્મણવાદ અને બ્રાહ્મણોએ બંધ કરી દીધા હતા.

અયોથી થાસે બ્રિટિશ સત્તાના આગમનથી પેદા થયેલી નવી તકોનો ભરપૂર ઉપયોગ કર્યો અને અનાર્ય-દ્રવિડ, બિન-બ્રાહ્મણવાદી ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ-આધારિત રાષ્ટ્ર-સમાજના નિર્માણ માટે પોતાનું જીવન અર્પણ કરી દીધું.

આવો, તેમના જન્મદિવસે બહુજન મુક્તિ આંદોલનના પ્રણેતા આયોથી થાસને યાદ કરીને તેમને નમન કરીએ.

સંદર્ભ ગ્રંથો-
૧- વી. ગીતા અને એસ.વી. રાજાદુરાઈ, "ટુવર્ડ્સ, અ નોન-બ્રાહ્મિન મિલેનિયમઃ ફ્રોમ આયોથી થાસ ટુ પેરિયાર", બીજી સંશોધિત આવૃત્તિ, ૨૦૦૮, પુનર્મુદ્રણ, ૨૦૧૧, પ્રકાશક- મંદિરા સેન ફોર સામ્યા, કોલકાતા.
૨- દલિત-સબાલ્ટર્ન ઇમર્જન્સ ઇન રિલીજિયો-કલ્ચરલ સબ્જેક્ટિવિટી, આયોથી થાસાર ઇમેન્સિપેટરી બુદ્ધિઝમ, જી. અલોયસિયસ, ક્રિટિકલ ક્વેસ્ટ, નવી દિલ્હી.
૩- દલિત-સબાલ્ટર્ન, સેલ્ફ આઇડેન્ટિફિકેશન્સ, આયોથી થાસાર એન્ડ તામિઝાન, જી. અલોયસિયસ, ક્રિટિકલ ક્વેસ્ટ, નવી દિલ્હી.

મૂળ લખાણ : સિદ્ધાર્થ રામુ
ગુજરાતી અનુવાદ : RK Araj

જપમાળાનો ઇતિહાસ અને 108 સંખ્યા પાછળનો વાસ્તવિક અર્થ -જપમાળા માત્ર કોઈ એક જ ધર્મ સાથે જોડાયેલી વસ્તુ નથી. બૌદ્ધ ધમ્મ, હિન...
19/05/2026

જપમાળાનો ઇતિહાસ અને 108 સંખ્યા પાછળનો વાસ્તવિક અર્થ -
જપમાળા માત્ર કોઈ એક જ ધર્મ સાથે જોડાયેલી વસ્તુ નથી. બૌદ્ધ ધમ્મ, હિન્દુ પરંપરા, જૈન પરંપરા, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ સહિત અનેક ધર્મોમાં મણકાની માળાનો ઉપયોગ જપ અને ધ્યાન માટે કરવામાં આવ્યો છે. પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિએ સ્પષ્ટ પુરાતત્વીય પુરાવા સૌથી પહેલા બૌદ્ધ પરંપરામાં જોવા મળે છે. ખાસ કરીને મહાયાન બૌદ્ધ પરંપરામાં મંત્ર જાપની ગણતરી માટે જપમાળાનો ઉપયોગ વ્યવસ્થિત રીતે વિકસિત થયો. અજંતા, નાસિક અને એલોરા જેવી ગુફાઓના શિલ્પોમાં બોધિસત્વોના હાથમાં માળા દેખાવી તેનું ઉદાહરણ છે. ખાસ કરીને અવલોકિતેશ્વરની આરાધનામાં માળાનો ઉપયોગ વ્યાપકપણે પ્રચલિત હતો.

જપમાળામાં 108 મણકા શા માટે હોય છે, આ પ્રશ્નનો બૌદ્ધ દર્શનમાં એક ઊંડો અર્થ સમજાવવામાં આવ્યો છે. બુદ્ધે માનવ અનુભવને છ ઇન્દ્રિયો તરીકે સમજાવ્યો દ્રષ્ટિ (જોવું), શ્રવણ (સાંભળવું), ગંધ (સૂંઘવું), સ્વાદ, સ્પર્શ અને મન. આ છ ઇન્દ્રિયો ત્રણ પ્રકારની તૃષ્ણાઓ સાથે જોડાય છે. તે છે: કામ તૃષ્ણા, ભવ તૃષ્ણા અને વિભવ તૃષ્ણા. આ રીતે છ ઇન્દ્રિયો અને ત્રણ તૃષ્ણાઓ મળીને અઢાર અવસ્થાઓ બને છે. આ અઢાર અવસ્થાઓ લૌકિક અને આધ્યાત્મિક સ્વભાવના કારણે છત્રીસ બની જાય છે. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ આ ત્રણ કાળના પ્રભાવથી કુલ સંખ્યા 108 થઈ જાય છે. આ 108 માનસિક મલિનતાઓને પાર કરવી એ જ ધ્યાન સાધનાનું લક્ષ્ય માનવામાં આવ્યું છે. તેથી જપમાળામાં 108 મણકાનું હોવું એ એક પ્રતીકાત્મક સાધના તરીકે વિકસિત થયું.

જો કે, 108 સંખ્યા માટે માત્ર બૌદ્ધ પરંપરામાં જ કારણ આપવામાં આવ્યું નથી. આ સંખ્યા અનેક પરંપરાઓમાં મહત્વપૂર્ણ માનવામાં આવી છે. ભારતીય જ્યોતિષમાં 12 રાશિઓ અને 9 ગ્રહોનો ગુણાકાર થઈને 108 બને છે. યોગ પરંપરામાં શરીરની મુખ્ય નાડીઓની સંખ્યા 108 જણાવવામાં આવી છે. ખગોળીય ગણતરીઓમાં પણ પૃથ્વી અને સૂર્ય, ચંદ્ર વચ્ચેના અંતર સંબંધિત ગણતરીઓમાં 108 સંખ્યા સાથે નજીકનો સંબંધ જોવા મળે છે. જાપાની બૌદ્ધ પરંપરામાં 108 પાપોનું પ્રતીક માનીને મંદિરોની ઘંટડીઓ 108 વાર વગાડવાની પરંપરા છે. આ રીતે 108 એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રતીક સંખ્યા તરીકે અનેક ક્ષેત્રોમાં વિકસિત થઈ.

જપમાળા શરૂઆતમાં સાધારણ લાકડાના મણકાથી બનાવવામાં આવતી હતી. પાછળથી રુદ્રાક્ષ, તુલસી, સ્ફટિક અને મોતી જેવા પદાર્થોમાંથી તે બનાવવામાં આવવા લાગી. વિવિધ ધર્મોમાં મણકાની સંખ્યા અલગ-અલગ હોવા છતાં જપ માટે માળાનો ઉપયોગ વ્યાપકપણે ફેલાઈ ગયો. ઇસ્લામમાં સામાન્ય રીતે 99 મણકાની 'તસ્બીહ' હોય છે. ખ્રિસ્તી ધર્મમાં 'રોઝરી'નો ઉપયોગ થાય છે. પરંતુ 108 મણકાવાળી જપમાળાએ ભારતીય આધ્યાત્મિક પરંપરાઓમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સૌથી મહત્વની વાત એ યાદ રાખવાની છે કે બૌદ્ધ ધર્મમાં વાસ્તવિક મહત્વ જપમાળાનું નથી. ધ્યાનનો અર્થ છે મનને જોવું, શ્વાસને સમજવો અને દુઃખના મૂળ કારણને જાણવું. જપમાળા માત્ર એક સહાયક સાધન છે. તે એકાગ્રતામાં મદદ કરે છે, પરંતુ મુક્તિનો માર્ગ સંપૂર્ણપણે આના પર જ આધારિત નથી.

તેથી ઐતિહાસિક દ્રષ્ટિએ કહીએ તો, જપમાળાના ઉપયોગના પ્રાચીન અને સ્પષ્ટ પુરાવા બૌદ્ધ પરંપરામાં જોવા મળે છે. મહાયાન બૌદ્ધ પરંપરાએ આ પદ્ધતિને વિકસિત અને વિસ્તૃત કરી. 108 સંખ્યાનો બૌદ્ધ દર્શનમાં ઊંડો અર્થ હોવા છતાં, તે તેનો એકમાત્ર સ્ત્રોત નથી. અનેક સાંસ્કૃતિક, જ્યોતિષીય, યોગ અને ખગોળીય વિભાવનાઓના સમન્વયથી આ સંખ્યાએ વિશેષ મહત્વ પ્રાપ્ત કર્યું છે.

✍️ મૂળ લખાણ - બંદાપલ્લી શિવા રેડ્ડી
✍️ ગુજરાતી અનુવાદ - RK Araj

સંત કબીર કહે છે કે,"ભ્રમની ભ્રમરજાળ અને બગલાની કપટ જાળમાં ફસાઈને અનેક જીવ સંસારમાં ડૂબી મરે છે, પણ જેના હૃદયમાં વિવેકશક્...
19/05/2026

સંત કબીર કહે છે કે,
"ભ્રમની ભ્રમરજાળ અને બગલાની કપટ જાળમાં ફસાઈને અનેક જીવ સંસારમાં ડૂબી મરે છે, પણ જેના હૃદયમાં વિવેકશક્તિ ખીલી છે તે જ તેમાંથી બચી શકે.

Address

Diodar
385330

Telephone

+917874310887

Website

Alerts

Be the first to know and let us send you an email when Mabar Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mabar Media:

Share