RK Studioz

RK Studioz દલિત, આદિવાસી અને ઓબીસી સમાજની સામાજિક પરિવર્તનની લડાઇને સોશ્યલ મીડિયા પર રજૂ કરતું ડિજિટલ પ્લેટફોર્મ.

08/10/2025
વાત 1980 ની છે. શિયાળાની ઠંડીના દિવસો હતા. માન્યવર કાંશીરામ સાહેબ પઠાણકોટ વિસ્તારમાં હતા. આ એ દિવસો હતા જયારે કાંશીરામ સ...
07/10/2025

વાત 1980 ની છે. શિયાળાની ઠંડીના દિવસો હતા. માન્યવર કાંશીરામ સાહેબ પઠાણકોટ વિસ્તારમાં હતા. આ એ દિવસો હતા જયારે કાંશીરામ સાહેબને બહુ ઓછા લોકો જાણતા હતા.

સાહેબે પોતાની સાથે આવેલા સાથીને પૂછ્યું કે, 'અહીં કોઈ બીજું પણ છે જે આપણા સમાજનું હોય? " ત્યારે સાથે રહેલા એડવોકેટ ધર્મચંદ સરના, જે કાંશીરામ સાહેબને પોતાના એક જુના સ્કૂટર પર બેસાડી લઈને આવ્યા હતા, તેમણે કહ્યું, "હા એક સંત છે.'

કાંશીરામ સાહેબે કહ્યું, : "ચલો ત્યારે, આપણે તેમને જ મળી લઈએ."

ધમચંદ કાંશીરામ સાહેબને લઇ ગુરુ રવિદાસ ચોક નજીક આવેલા 108 જગતગિરી આશ્રમ પહોંચી ગયા. ધર્મચંદે ગાદી પર વિરાજમાન સંત ગુરદીપ ગિરીજીને સાહેબ તરફ ઈશારો કરતા કહ્યું કે, "આમનું નામ કાંશીરામ છે અને તે આપણી સમાજના નેતા છે."

ગુરદીપ ગિરીએ કહ્યું,"પરંતુ મેં પહેલા ક્યારેય આમનું નામ સાંભળ્યું નથી. "

સાહેબે સીધો જ ગુરદીપ ગિરીને સવાલ કર્યો, "તમે શું કરો છો?'

ગુરદીપગિરીએ જવાબ આપ્યો, "હું આ મંદિરનો પૂજારી છું."

સાહેબે તરત બીજો સવાલ કર્યો, "અહીં આપણી સમાજના કેટલા લોકો આવે છે?"

સંતે જવાબ આપ્યો, "ધાર્મિક કાર્યક્રમ હોય ત્યારે આપણી સમાજના લગભગ ચારસો પાંચસો લોકો આવે છે."

કાંશીરામ સાહેબે હવે વાતને પોતાના ઠેકાણે લઇ જતા સવાલ કર્યો, "તો પછી તમે પોતાના સમાજને શું ઉપદેશ આપો છો?"

ગુરદીપ ગિરીએ કહ્યું, "અમે તો આપણા સમાજને બસ ભગવાનની ભક્તિ કરવાનો જ ઉપદેશ આપીએ છીએ."

કાંશીરામ સાહેબ હવે થોડા ગંભીર થઈને કહેવા લાગ્યા, "ભગવાનની ભક્તિની સાથે સાથે સમાજને પોતાની ખુદની તાકાતથી રૂબરૂ કરાવવાનો ઉપદેશ પણ આપતાં રહો. જે ગુલામીની સાંકળો આપણા સમાજના ગળામાં બંધાયેલી છે, તેને ઉતારીને ફેંકી દેવા માટે સમાજને જાગૃત કરો. ગુરુ રવિદાસની સાથે સાથે બાબાસાહેબના મિશન વિશે પણ પોતાના સમાજને જાણકારી આપો."

ગુરદીપ ગિરી કાંશીરામ સાહેબ તરફ જોતાં જ રહી ગયા. એક શબ્દ બોલી શક્યા નહિ. હજારો લોકોને ભક્તિનો ઉપદેશ આપતાં ગુરદીપ ગિરીને આજે સમાજને હુકમરાન બનાવવા મેદાને પડેલા એક માણસે ચૂપ કરાવી દીધા હતા.

કાંશીરામ સાહેબ ઉઠીને જવા લાગ્યા ત્યારે ગુરદીપ ગિરીએ કહ્યું, "તમે જમશો?"

તેના જવાબમાં એડવોકેટ ધર્મચંદે કહ્યું, "ના. સાહેબ ઘરે જઈને જ જમશે."

પરંતુ કાંશીરામ સાહેબે મજાકના અંદાજમાં કહ્યું, "જે મળે એ અહીં જ ખાઈ લે. શું ખબર ઘરે જઈને તારી ઘરવાળી તરફથી ઠપકો જ મળે. અને આપણે લોકો ક્યાં કોઈ કામ કરીએ છીએ. અને ઘરવાળાઓની નજરમાં તો સમાજનું કામ કરવું, એ ક્યાં કોઈ કામ હોય છે."

કાંશીરામ સાહેબના આ શબ્દો ગુરદીપ ગિરીના હૃદય સોંસરવા નીકળી ગયા હતા.

ત્યાર પછી ત્રણ વર્ષ બાદ સંત ગુરદીપ ગિરી 1983માં જમ્મુ કાશ્મીર આવ્યા તો કાશ્મીરમાં દરેક જગ્યાએ કાંશીરામ સાહેબના ફોટાવાળા હોર્ડિંગ જોઈ ચક થઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા, "શું આ એ જ કાંશીરામ છે જે અમારા આશ્રમમાં જમીન પર પાથરેલી ચટાઈ પર બેસી બે રોટલી ખાઈને ગયો હતો. ગિરીજીના મનમાં કાંશીરામ સાહેબને મળવાની ઈચ્છાએ તેમને બેચેન કરી નાંખ્યા.

પરંતુ ગિરીજીની આ ઈચ્છા 21 વર્ષ પછી પૂરી થઈ જયારે ઓક્ટોબર 2001માં કાંશીરામ સાહેબ અચાનક પઠાણકોટ સ્થિત આશ્રમ શ્રી જગતગિરીજીમાં શ્રી શ્રી 108 સંત ગુરદીપ ગિરીને જાણ કર્યા વિના મળવા પહોંચ્યા.

Source : मैं कांशीराम बोल रहा हूँ, Page No-253-254
ગુજરાતી અનુવાદ : RK Parmar

નમો બુદ્ધાય જય ભીમ ❤️
03/10/2025

નમો બુદ્ધાય જય ભીમ ❤️

રાવણ નામ સાંભળતા જ આપણી સામે દશ માથાવાળો સળગતું પૂતળું રજૂ થાય છે. જી હા આજે દશેરા છે. અને આજના દિવસે હિંદુઓ બે ઘટનાઓને ...
02/10/2025

રાવણ નામ સાંભળતા જ આપણી સામે દશ માથાવાળો સળગતું પૂતળું રજૂ થાય છે. જી હા આજે દશેરા છે. અને આજના દિવસે હિંદુઓ બે ઘટનાઓને લઇ ખૂબ જ ધામધૂમથી આ તહેવારને ઉજવે છે. હિંદુઓ દ્રારા આજના દિવસે રાવણના પૂતળાને સળગાવીને અને શસ્ત્ર પૂજા કરીને દશેરાના તહેવારને ઉજવવામાં આવે છે.

હિંદુઓ એ તર્ક આપે છે કે બુરાઈ પર અચ્છાઇની જીત એટલે દશેરા. રામ એ અચ્છાઇનું પ્રતીક છે અને રાવણ એ બુરાઈનું પ્રતીક છે. એટલે આજના દિવસે રામે રાવણને મારીને હિન્દુ ધર્મની રક્ષા કરી હતી અથવા બીજા અર્થમાં કહીએ તો હિન્દુ ધર્મને બચાવી લીધો હતો. આ તમામ બાબતોને શેના આધારે રજૂ કરવામાં આવે છે? વાલ્મિકીએ લખેલી રામાયણના આધારે.

અહીં એ વાત ખાસ યાદ રાખવા જેવી છે કે સુપ્રીમ કોર્ટનાં નિર્ણય મુજબ રામાયણ અને મહાભારત એ કાલ્પનિક ગ્રંથો છે. રામાયણ ક્યારે લખાઈ તેનો કોઈ ચોક્કસ સમયગાળો નથી. પેરિયારના મતે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો બુદ્ધ પછીના સમયમાં લખવામાં આવ્યા જેનો હેતુ બુદ્ધના સિદ્ધાંતોને ખતમ કરવા માટેનો હતો. એટલે આ બાબત પર ધ્યાન આપીએ તો સમજી શકાય કે રામાયણ અને મહાભારતના પાત્રો કાલ્પનિક તો છે જ પરંતુ આ પાત્રોની રચના કરનાર લેખકે આ પાત્રોની રચના કરવા માટેની પ્રેરણા જે તે સમયના ઇતિહાસમાંથી જરૂર લીધી હશે. તે સમયની બનેલી ઘટનાઓ અને પાત્રોને ધ્યાનમાં રાખી આ કાલ્પનિક ગ્રંથોના પાત્રો અને ઘટનાઓની રજુઆત કરવામાં આવી છે. આવા જ પ્રેરણા લઇ વાલ્મિકીએ રામાયણમાં રામ અને રાવણના પાત્રોની રચના કરી છે.

પરંતુ શું તમને ખબર છે કે હકીકતમાં વાલ્મિકીએ રામ અને રાવણની કઈ કઈ બાબતો વિશે રજુઆત કરેલી છે? રામાસામી પેરિયારે આ જ બાબતને લઇ 40 વર્ષો સુધી અલગ અલગ રામાયણોનો ઊંડો અભ્યાસ કરી એક સાચી રામાયણ લખી. જેમાં તેમણે વાલ્મિકી અને બ્રાહ્મણો દ્રારા તમિલમાં અનુવાદ કરેલી રામાયણો ના આધારે રામાયણના વિવિધ પાત્રોના ચરિત્ર, આચરણ અને યોગ્યતા વિશે સચોટ વર્ણન કર્યું છે.

આવો આજે દશેરા નિમિતે હિંદુઓ જે રાવણના પૂતળા સળગાવી હિન્દુ ધર્મ બચાવ્યાની ખુશીઓ મનાવે છે તે રાવણના સાચા ચરિત્ર અને મહાનતાઓ વિશે જાણીએ.

👉 વાલ્મિકીએ પોતે રાવણની આ દશ મહાનતાઓનું વર્ણન કર્યું છે અને ઘણા પ્રસંગોએ તેની પ્રશંસા કરી છે.
(1) રાવણ એક મહાન વિદ્વાન હતો.
(2) રાવણ એક મહાન સંત હતો.
(3) રાવણ વેદ અને શાસ્ત્રોનો જાણકાર હતો.
(4) રાવણ વીર યોદ્ધા હતો.
(5) રાવણ ખૂબ જ શક્તિશાળી હતો.
(6) રાવણ શૂરવીર સૈનિક હતો.
(7) રાવણ ખૂબ જ ધર્મનિષ્ઠ માણસ હતો.
(8) રાવણ પરમાત્માનો પ્રિય પુત્ર હતો.
(9) રાવણ ઘણાબધા વરદાનો મેળવનારો હતો.
(10) રાવણ પોતાના સબંધીઓ અને કુટુંબીજનો માટે દયાળુ અને તેમનો રક્ષક હતો.

અહીં વાલ્મિકીએ રાજા રાવણની જે દસ મહાનતાઓનું વર્ણન કર્યું છે તેના આધારે આપણે કહી શકીએ કે રાવણ પોતે કોઈ ધર્મનો પાક્કો અનુયાયી હતો અને ખૂબ જ ધર્મનિષ્ઠ માણસ હતો. તે વિદ્વાન હતો. તે મહાન સંત હતો. તો સ્વાભાવિક છે કે રાવણ હિન્દુ ધર્મ સિવાયના બીજા કોઈ ધર્મનો અનુયાયી હતો.

આગળ વાલ્મિકી ફરી રાવણની પ્રશંસા કરતા લખે છે કે, "રાવણ એક સારો માણસ હતો. તે ઉદાર અને દેખાવડો હતો. પરંતુ, જયારે તે બ્રાહ્મણોને યજ્ઞ કરતા કે સોમરસ પીતા જોતો ત્યારે બ્રાહ્મણોને દંડ આપતો હતો."
અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે રાજા રાવણ બ્રાહ્મણોને યજ્ઞમાં નિર્દોષ જાનવરોની બલી ચડાવતા કે સોમરસ (દારૂ) પીતા જોતો ત્યારે આવા બ્રાહ્મણોને દંડ આપતો અને મારતો. કોઈ હિંદુઓને રાવણ નહોતો મારતો. જયારે આજે દશેરાના દિવસે તમામ હિંદુઓ આ ધર્મનિષ્ઠ રાજા રાવણના પૂતળાને સળગાવે છે.

રાવણ દારૂ પીનારા અને હિંસા કરનારા બ્રાહ્મણોને નફરત કરતો હતો. બંગાળી રામાયણના "લંકાવતાર સૂત્ર" માં વર્ણન કરવામાં આવ્યું છે કે રાવણ એ દ્રવિડ રાજા હતો. જેણે બૌદ્ધ ધમ્મ અપનાવ્યો હતો. (એટલે જ બૌદ્ધ ધમ્મના પંચશીલના સિદ્ધાંત અનુસાર દારૂ ન પીવો અને હિંસા ન કરવી તે રાવણનો સિદ્ધાંત હતો.) તે એરીસ્ટોટલ અને પ્લેટોની કક્ષાનો દાર્શનિક હતો. એટલે જ બૌદ્ધ સાહિત્યમાં રાજા રાવણની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. કૃતિવાસે પોતાના રામાયણ વિશેના કાર્યમાં જણાવ્યું છે કે રાવણ પ્રેમ અને સન્માનપૂર્વક પોતાના દેશમાં શાસન કરતો હતો. રણભૂમિમાં મરતી વખતે રાવણે રામને પોતાની પાસે બોલાવીને તેના કાનોમાં ભલાઈના સિદ્ધાંતોનું વર્ણન કર્યું અને કહ્યું કે "રામે જે લડાઈ લડી છે, તે માત્ર દગાબાજી અને છળકપટથી લડી છે." આ રીતે કૃતિવાસની રામાયણમાં આપણે જોઈએ છીએ કે રાવણ સત્યતા અને શુદ્ધતાનો ઉપદેશ આપે છે. (પાના નં - 124)

વાલ્મિકી રામાયણમાં સીતાએ ચોખ્ખી ના પાડવા છતાં રાક્ષસોને જબરજસ્તી લડાઈમાં સામેલ કરવા માટે રામે રાજા રાવણના રાજ્યમાં પ્રવેશ કર્યો હતો.(અરણ્યકાંડ, 9 મો અને 10 મો અધ્યાય)
'ખર' સાથે લડતી વખતે રામે કહ્યું હતું કે, "જંગલમાં મને માત્ર રાક્ષસોને મારવાના એકમાત્ર ઉદેશ્યને પૂરો કરવા માટે મોકલવામાં આવ્યો છે. (અરણ્યકાંડ, 29 મો અધ્યાય) અહીં રાક્ષસો કોને કહ્યા છે જેઓ સુરા એટલે કે દારૂ નથી પીતા અને હિંસા નથી કરતા તેવા લોકોને રાક્ષસ ( જેનો મૂળ અર્થ થાય છે રક્ષા કરનારો) કહેવામાં આવ્યા છે. જયારે સુરા એટલે કે દારૂ પીને યજ્ઞના નામે નિર્દોષ જાનવરોની બલી ચડાવી માંસ ખાતા બ્રાહ્મણોને દેવતાં કહેવામાં આવ્યા છે. આ બ્રાહ્મણોને દારૂ પીતા અને નિર્દોષ જાનવરોને મારતા અટકાવવા જે રાજાઓ મેદાને પડ્યા તેવા રાજાઓને રાક્ષસ તરીકે રજૂ કરી તેમને ખતમ કરવા માટે રામને જંગલમાં મોકલવામાં આવ્યો હતો.

રામે જંગલમાં પ્રવેશ્તા જ સુપર્ણખા અને અયોમુખી જેવી ઘણી બધી સ્ત્રીઓના નાક, કાન અને સ્તન કાપીને તેમને કદરૂપી બનાવી દીધી હતી તેમજ તાડકા જેવી અનેક સ્ત્રીઓનો વધ કર્યો હતો. જેમાં સુપર્ણખા એ રાવણની સગી બહેન હતી. પોતાની બહેન સાથે કરેલા ભયાનક અને અપમાનજનક અત્યાચારથી ક્રોધિત થઈ રાવણ સીતાને લંકા લઇ આવે છે. આ સિવાય રાવણનો સીતાને લઇ જવાનો બીજો કોઈ મલિન ઈરાદો નહતો.

👉 રાવણ ન્યાયપ્રિય રાજા હતો. તેણે પોતાના મંત્રીઓની જે સભાઓ બોલાવી અને તેમાં જ વિચાર વિમર્શ થયો તેના ઉપર અમલ કર્યો. આ તેના ન્યાયપ્રિય શાસનનું ઉદાહરણ છે.

👉 પ્રેમ પ્રસંગોમાં રાવણની સંસ્કારીતા વિશે હનુમાન પોતે પ્રસંશા કરતા કહે છે, "રાવણના મહેલમાં રહેતી તમામ મહિલાઓએ સ્વૈચ્છાએ રાવણની પત્ની બનવા માટે પોતાને પ્રસ્તુત કરી હતી. તેણે કોઈપણ મહિલાને તેની મરજી વિરુદ્ધ સ્પર્શ પણ નહોતો કર્યો અને ન તો દબાણ કર્યું હતું. (સુંદરકાંડ, 9 મોં અધ્યાય)

આવા શક્તિશાળી રાજા રાવણને દુષ્ટ અને રામને શ્રેષ્ઠ ગણાવી દશેરાના દિવસે રાજા રાવણના પૂતળા સળગાવામાં આવે છે. અને તેને અધર્મ ઉપર ધર્મનો વિજય કહેવામાં આવે છે.
તો આ લોકો મુજબ અધર્મ કયો?
દારૂ નહિ પીવામાં અને હિંસા નહિ કરવામાં માનતા રાજા રાવણનો ધર્મ એ અધર્મ
જયારે દારૂ પી નિર્દોષ જાનવરોની બલી ચડાવી માંસાહાર કરતા બ્રાહ્મણોનો ધર્મ એ ધર્મ.

તમે રામાયણની વાર્તા, તેના પાત્રો, તેની ઘટનાઓનું બારીકાઇથી અવલોકન કરો તો તમને ખબર પડશે કે આ ક્યા ધર્મ અને અધર્મની લડાઈની વાત છે.
રામાયણમાં રામ ભરતને સલાહ આપતાં કહે છે કે ભરત તમે બૌદ્ધ લોકોથી દૂર રહો. આ બૌદ્ધ લોકો નાસ્તિક હોય છે.
રાવણની લંકા દક્ષિણ દિશામાં દર્શાવી છે. કારણ કે ભારતના દક્ષિણમાં મૂળનિવાસી દ્રવિડ રાજાઓનું શાસન કરતા હતા.
રાવણની લંકામાં અશોકવાટીકા દર્શાવી છે. જે સીધું બૌદ્ધ સમ્રાટ અશોક સાથે જોડાય છે.

આવી અનેક બાબતો રામાયણ અને તેના પાત્રો બુદ્ધ પછીના સમયમાં તે સમયના ઇતિહાસમાંથી પ્રેરણા લઈને લખવામાં આવ્યા હોય તેની સાબિતી પુરે છે. એટલે જ આપણે આપણી મૂળ સંસ્કૃતિના વિરોધમાં રચવામાં આવેલા આવા તહેવારો અને તેની ઉજવણીની પદ્ધતિઓનો બહિષ્કાર કરવો જોઈએ અને આપણા સાચા ઇતિહાસ અંગે સંશોધન કરી તે મુજબ સાચી રીતે આપણા પોતાના સાચા તહેવારો ઉજવવા જોઈએ.

રાવણને સળગાવવવાની ઉજવણી એ ધર્મ-અધર્મની લડાઈની નહિ પરંતુ ભારતની મૂળ બૌદ્ધ સભ્યતા અને વિદેશી બ્રાહ્મણ સભ્યતાની લડાઈની ઉજવણી છે. ભારતના બહુજન સમાજના લોકોએ આ અંગે વધુ સંશોધન કરવું જરૂરી છે. આ માટે તમારે પેરિયારની સાચી રામાયણ જરૂર વાંચવી જોઈએ.

શક્તિશાળી, નૈતિકતા ધરાવનારો, મહિલાઓની રક્ષા કરનારો, પોતાની પ્રજા ખાતર યુદ્ધ કરનારો, ધર્મનિષ્ઠ રાજા રાવણના પૂતળાને સળગાવવો એ માનવતાનું અપમાન કરવા બરાબર છે. આ બંદ થવું જોઈએ.

- RK Parmar

શહીદ-એ-આઝમ ભગતસિંહ ની જન્મજયંતી નિમિત્તે તમામ ભારતીયોને શુભેચ્છાઓ.Happy Birthday Legend ❤️
28/09/2025

શહીદ-એ-આઝમ ભગતસિંહ ની જન્મજયંતી નિમિત્તે તમામ ભારતીયોને શુભેચ્છાઓ.
Happy Birthday Legend ❤️

ભારતના સામ્યવાદીઓ, હિન્દુત્વવાદીઓ શહીદ ભગતસિંહને જે રીતે રજૂ કરે છે તે તદ્દન ખોટું છે. ભગતસિંહનો ઇન્કલાબ એ માત્ર બોંબ, પ...
28/09/2025

ભારતના સામ્યવાદીઓ, હિન્દુત્વવાદીઓ શહીદ ભગતસિંહને જે રીતે રજૂ કરે છે તે તદ્દન ખોટું છે. ભગતસિંહનો ઇન્કલાબ એ માત્ર બોંબ, પિસ્તોલવાળો હિંસાનો માર્ગ નથી પરંતુ વૈચારિક રીતે સામાજિક પરિવર્તનનો માર્ગ છે. મૂડીવાદ, જાતિવાદ, બ્રાહ્મણવાદ વિરૂદ્ધનો માર્ગ છે.

ભારતના સામ્યવાદીઓ શહીદ ભગતસિંહની ક્રાંતિની વાતો તો કરે છે પરંતુ શહીદ ભગતસિંહના સામાજિક પરિવર્તન અંગેના વિચારોની વાતો નથી કરતા.

ભારતના હિન્દુત્વવાદીઓ શહીદ ભગતસિંહની ક્રાંતિની વાતો કરે છે પરંતુ હિન્દુ ધર્મ, હિન્દુત્વ અને અસ્પૃશ્યતા અંગેના શહીદ ભગતસિંહના વિચારોની વાતો નથી કરતા.

શહીદ ભગતસિંહની ચળવળ તે સમયે ભારતીય યુવાઓના દિલ-દિમાગમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. જે જોઈ ગાંધી, કોંગ્રેસ, નેહરુ અને કટ્ટર હિન્દુત્વવાદીઓના પેટમાં તેલ રેડાયું હતું. વર્ષોથી અંદરખાને અંગ્રેજોની સેવા કરી દેશની બહારથી આઝાદીની લડાઈનું ધતિંગ કરી રહેલી આ મંડળીને શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓ આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યા. અને આખરે અહિંસાના ઉટપટાંગ અને મનઘડંત સિદ્ધાંતો રજૂ કરી શહીદ ભગતસિંહને અને તેમના સાથીઓને અંગ્રેજોના હાથે ઠેકાણે પાડી દેવામાં આવ્યા.

Happy Birthday Legend ❤️

- R K Parmar

પુનાપેક્ટનો ધિક્કાર કરવાથી તે સમસ્યાનું નિરાકરણ નહીં થાય, પરંતુ આપણા લાખો ભાઈઓ પૂનાપેક્ટને ભૂલી ગયા હતા, તેથી તેમને માહિ...
24/09/2025

પુનાપેક્ટનો ધિક્કાર કરવાથી તે સમસ્યાનું નિરાકરણ નહીં થાય, પરંતુ આપણા લાખો ભાઈઓ પૂનાપેક્ટને ભૂલી ગયા હતા, તેથી તેમને માહિતગાર કરવા માટે પૂનાપેક્ટ ધિક્કાર પરિષદોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે લાખો નહિ, કરોડો ભાઈઓ પૂનાપેક્ટથી ઉભી થયેલી સમસ્યાઓથી પરિચિત થશે અને તે નુકશાનને દૂર કરવા માટે વિચારશે.
- માન્યવર કાંશીરામ સાહેબ
( માન્યવર કાંશીરામ સાહેબના રાજસૂત્રો - 1, પાના નં - 43 )

ભારતના ઇતિહાસની એક મહત્વપૂર્ણ વણાંક સમાન ઘટના એટલે પુના પેક્ટ દિવસ.ખાસ હાજરી આપવા વિનંતી.🙏🙏🙏
22/09/2025

ભારતના ઇતિહાસની એક મહત્વપૂર્ણ વણાંક સમાન ઘટના એટલે પુના પેક્ટ દિવસ.

ખાસ હાજરી આપવા વિનંતી.🙏🙏🙏

ઓબીસી પાસે મહાત્મા ફૂલેના સાંસ્કૃતિક વિદ્રોહના રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો નથી. - માન્યવર કાંશીરામ સાહેબ
22/09/2025

ઓબીસી પાસે મહાત્મા ફૂલેના સાંસ્કૃતિક વિદ્રોહના રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો નથી. - માન્યવર કાંશીરામ સાહેબ

Address

Diodar
385330

Telephone

+917874310887

Website

Alerts

Be the first to know and let us send you an email when RK Studioz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RK Studioz:

Share