10/06/2026
વરસામેડીમાં બાઇક પર પેશાબ કરવા મુદ્દે ખૂન કરનાર પકડાયો
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર પોલીસે વરસામેડી સીમ વિસ્તારમાં આવેલ બાપુ કોલોનીમાં થયેલી સનસનાટીભરી હત્યાના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મુખ્ય આરોપીને દબોચી લીધો છે. ગત મોડી રાત્રે પાડોશમાં રહેતા સંજયસિંહ ગૌડની છરીના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીને પકડવા પીઆઈ એચ.એ. જાડેજાની ટીમે ચક્રો ગતિમાન કર્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે 20 વર્ષિય આરોપી અરવિંદકુમાર ચમાર (મૂળ રહે. યુપી) ને પકડી પાડ્યો છે. આરોપીએ બાઇક પર પેશાબ કરવા બાબતે થયેલી બોલાચાલીમાં હત્યા કરી હોવાની કબૂલાત આપી છે.