We Are Gujarat

We Are Gujarat Digital News Broadcasting of Gujarat State,
By an Experienced Director with a demonstrated history of working in the broadcast media industry.
(2)

Skilled in Political Commutation. Media And Legal Advisory

જાપાનના ન્યુક્લિયર પ્લાન્ટ ખાલી કરાયા, એરપોર્ટ બંધ; રશિયાના ભૂકંપ બાદ 12 દેશમાં સુનામીનું એલર્ટRussia Earthquake: રશિયાન...
30/07/2025

જાપાનના ન્યુક્લિયર પ્લાન્ટ ખાલી કરાયા, એરપોર્ટ બંધ; રશિયાના ભૂકંપ બાદ 12 દેશમાં સુનામીનું એલર્ટ

Russia Earthquake: રશિયાના કામચટકામાં વહેલી સવારે ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 8.7 આંકવામાં આવી હતી. યુએસ જિયોલોજિકલ સરવે (USGS)ના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર દરિયામાં હતું. ભૂકંપ બાદ ચીન, પેરુ અને ઈક્વાડોર સહિત પેસિફિક મહાસાગરના ઘણા દેશોના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. આનાથી સમગ્ર પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં ચિંતા વધી ગઈ છે.

આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્રબિંદુ પેટ્રોપાવ્લોવસ્ક-કામચત્સ્કી શહેરથી લગભગ 119 કિમી દૂર હતું, જે લગભગ 1.8 લાખની વસ્તી ધરાવતું રશિયન શહેર છે. ભૂકંપથી રશિયા, જાપાન, અમેરિકા, હવાઈ, કેલિફોર્નિયા, અલાસ્કા, સોલોમન ટાપુઓ, ચિલી, એક્વાડોર, પેરુ, ફિલિપાઈન્સ, ગુઆમ અને ઉત્તરી મારિયાના ટાપુઓ અને ન્યૂઝીલેન્ડ સહિતના દેશો પ્રભાવિત થયા છે.

ભૂકંપ બાદ ઉઠાવ્યા જરૂરી પગલા

રશિયાના કામચટકામાં 8.7ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીના જોખમને ધ્યાનમાં રાખીને જાપાનના ન્યુક્લિયર પ્લાન્ટ તાત્કાલિક ખાલી કરાયા છે. સુનામી કેટલું ખતરનાક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, 60 સેમી ઊંચા સુનામીના મોજા દરિયા કિનારે અથડાઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ તેની ઊંચાઈ 15 ફૂટ જોવા મળી છે. અમેરિકાના કેલિફોર્નિયામાં પણ મોજા અથડાઈ રહ્યા છે. આ ઉપરાંત હવાઈમાં દરિયા કિનારે રહેતા લોકોને પણ સલામત સ્થળોએ જવાની સલાહ આપવામાં આવી છે. હવાઈમાં એરપોર્ટ બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. બીજી તરફ ચીનના શાંઘાઈમાં લગભગ 2 લાખ 80 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

જોકે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી સુનામીના કોઈ મોજા નોંધાયા નથી, તેમ છતાં વહીવટીતંત્રએ લોકોને દરિયામાં ન જવા, દરિયાની દિશામાં કોઈ પ્રવૃત્તિ ન કરવા અને રેડિયો તથા એલર્ટ સિસ્ટમ પર નજર રાખવા જણાવ્યું છે. ન્યૂઝીલેન્ડે 2011ના ક્રાઈસ્ટચર્ચ ભૂકંપ પછી ડિઝાસ્ટર સિસ્ટમને મજબૂત બનાવી છે અને હવે 'સતર્કતા પહેલા સંકટ બાદમાં'ની નીતિ પર કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો: રશિયામાં શક્તિશાળી ભૂકંપ બાદ 5 મીટરથી ઊંચી સુનામીની લહેરો, અમેરિકા-જાપાન પણ એલર્ટ

સુનામીનો ખતરો ક્યાં સુધી રહેશે?

પેસિફિક મહાસાગરના દરિયાકાંઠાના દેશોમાં સુનામીના મોજા સતત રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે. Pacific Tsunami Warning Center (PTWC) અને જાપાન હવામાન એજન્સી (JMA) એ કહ્યું કે, સુનામીનો ખતરો આગામી 12થી 30 કલાક સુધી રહી શકે છે.

સુનામીની અસર કેટલી ખતરનાક હોઈ શકે છે?

સુનામીના મોજા માત્ર પોતાની ઊંચાઈથી જ નહીં, પરંતુ તેમની ગતિ અને બળથી પણ વિનાશ વેરે છે. હવાઈના ગવર્નર જોશ ગ્રીનના મતે 6 ઈંચ (15 સે.મી.) મોજા પણ વ્યક્તિને નીચે પછાડી શકે છે. 2 ફૂટ (60 સે.મી.) મોજા કાર અને મોટરસાયકલોને તણાવી શકે છે. 3 ફૂટ (90 સે.મી.) મોજા વાડ, વૃક્ષો અને સ્ટ્રીટ લાઈટોને તોડી શકે છે. આ મોજા 700થી 800 કિમી/કલાકની ઝડપે દરિયાકાંઠે અથડાઈ છે.

વલસાડ બાદ હવે નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળશે, આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરાશેAdditional stoppage In Valsad...
30/07/2025

વલસાડ બાદ હવે નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળશે, આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરાશે

Additional stoppage In Valsad : કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા થોડા દિવસ પહેલા વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત સહિતના મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને નવસારી ખાતે મુંબઈ-અમદાવાદ વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવાને લઈને રેલવે મંત્રીએ ખાતરી આપી છે.

મુંબઈ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને નવસારી સ્ટેશન પર સ્ટોપેજ આપવાને લઈને નવસારીના આગેવાનો મોવડી મંડળ દ્વારા દિલ્હી ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને રેલવે મંત્રીએ રજૂઆતને ગ્રાહ્ય રાખીને નવસારીમાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવાયો છે.

વંદે ભારત ટ્રેનના નવસારી સ્ટોપેજને લઈને રેલવે વિભાગ દ્વારા આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. વંદે ભારત ટ્રેનને નવસારી રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવાના નિર્ણય બાદ હવે દક્ષિણ ગુજરાતના લાખો મુસાફરોને લાભ મળશે.

BREAKING: વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પાકિસ્તાન સાથે મેચ નહીં રમે ભારતWorld Championship of Legends: વર્લ્ડ ચેમ્પિ...
30/07/2025

BREAKING: વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પાકિસ્તાન સાથે મેચ નહીં રમે ભારત

World Championship of Legends: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)ના સેમિફાઈનલમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ વિરૂદ્ધ રમવાનો ઈનકાર કરી દીધો છે. આ મેચ 1 ઓગસ્ટ, ગુરૂવારે રમાવાની હતી. ભારતીય ટીમે જણાવ્યું હતું કે, તે પાકિસ્તાન વિરૂદ્ધ કોઈપણ પ્રકારની મેચ રમશે નહીં.

ભારત ચેમ્પિયન્સે મંગળવારે વેસ્ટઈન્ડિઝ ચેમ્પિયન્સને માત્ર 13.2 ઓવરમાં ઓલઆઉટ કરી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ પાકિસ્તાન વિરૂદ્ધ આગામી ગુરૂવારે રમાનારી મેચમાં આપત્તિ વ્યક્ત કરી હતી. જેથી ગ્રુપ સ્ટેજની ભારત-પાકિસ્તાનની મેચ રદ કરવામાં આવી હતી. મેચ રદ કરવા પાછળનું કારણ ખેલાડીઓ અને ટૂર્નામેન્ટના મુખ્ય સ્પોન્સરે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનો વિરોધ હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈઝમાયટ્રીપ નામની કંપની ટૂર્નામેન્ટની સ્પોન્સર હતી. તેણે સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાન સામે રમવાનો વિરોધ નોંધાવી સેમિફાઈનલ મેચથી અંતર જાળવવાનો નિર્ણય લીધો હતો. કંપનીના કો-ફાઉન્ડર નિશાંત પિટ્ટીએ જણાવ્યું કે, ભારતના લોકોની લાગણીનું સન્માન કરતાં અમે આ મેચમાં પીછેહટ કરી રહ્યા છીએ. આતંકવાદ અને ક્રિકેટ એક સાથે નહીં ચાલે.

પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના અને શિખર ધવને પણ જણાવ્યું હતું કે, પાકિસ્તાન વિરૂદ્ધ નહીં રમીએ. આ ટૂર્નામેન્ટમાં ભારતની શરૂઆત સારી રહી ન હતી. તેણે ત્રણ મેચમાં હારનો સામનો કર્યો હતો. દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કર્યો હતો. પાકિસ્તાન વિરૂદ્ધ ગ્રૂપ મેચ વરસાદના કારણે રદ રહી હતી. વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ જીત બાદ તે સેમિફાઈનલમાં પહોંચી હતી.

વાંચો તમારું 29 જૂલાઈ 2025 નું રાશિ ભવિષ્યમેષ : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. ...
29/07/2025

વાંચો તમારું 29 જૂલાઈ 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ ધંધામાં ધ્યાન રાખવું પડે.

વૃષભ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.

મિથુન : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થઈ શકે નહીં.

કર્ક : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થાય.

સિંહ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. કામનો ઉકેલ આવતાં રાહત રહે.

કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

તુલા : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો.

વૃશ્ચિક : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

ધન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.

મકર : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા રહે.

કુંભ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં સંભાળવું.

મીન : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહેતાં રાહત રહે.

આજનુ પંચાંગ તા.29/7/2025,મંગળવારનાગ પંચમી (દ.ગુ.)દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.રાત્રિના ચોઘ...
29/07/2025

આજનુ પંચાંગ તા.29/7/2025,મંગળવાર

નાગ પંચમી (દ.ગુ.)

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.

નવકારસી સમય (અ) ૬ ક. ૫૮ મિ. (સુ) ૬ ક. ૦૦ મિ. (મું) ૭ ક. ૦૩ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.

નક્ષત્ર : ઉત્તરાફાલ્ગુની ૧૯ ક. ૨૮ મિ. સુધી પછી હસ્ત

ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-મિથુન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-કન્યા

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક શ્રાવણ ૭ વ્રજમાસ : શ્રાવણ

માસ-તિથિ-વાર : શ્રાવણ સુદ પાંચમ

- નાગપંચમી (દ.ગુ.)

- ઋક્ર-યજુ-શુક્લ શ્રાવણી

- જાગ્રત ગૌરી પંચમી (ઓરિસ્સા)

મુસલમાની હિજરીસન ૧૪૪૭ સફર માસનો ૩ જો રોજ

પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૪ સ્પેંન્દારમદ માસનો ૧૯ મો રોજ ફરવરદીન

શાહપુર પોલીસે બોગસ પત્રકાર ઉજેફ તિરમીજીની ખંડણી કેસમાં ધરપકડ કરીયુ ટ્યુબ પરથી વિડીયો અને ક્લીપ હટાવવાના બદલામાં ખંડણી મા...
28/07/2025

શાહપુર પોલીસે બોગસ પત્રકાર ઉજેફ તિરમીજીની ખંડણી કેસમાં ધરપકડ કરી
યુ ટ્યુબ પરથી વિડીયો અને ક્લીપ હટાવવાના બદલામાં ખંડણી માંગવાનો મામલો
વિડીયો ચેનલ પરથી વિડીયો મુકીને બદનામ કરવાની ધમકી આપીને બે લાખની ખંડણી માંગી હતી

ધ પાવર ઓફ ટ્રુથ અને જીજે 01 સમાચાર નામની યુ ટ્યુબ પર એક વિડીયો પોસ્ટ કરીને એક વ્યક્તિને બદનામ કરવાની ધમકી આપીને બે લાખની ખંડણી માંગવાના કેસમાં શાહપુર પોલીસ ઓજેફ તીરમીજી નામના બોગસ પત્રકારની ધરપકડ કરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે બહેરામપુરામાં એક વ્યક્તિ કન્ટ્રક્શન સ્કીમ ચાલુ કરી હતી, જે પ્લોટીંગ સ્કીમ બદનામ થાય તેવા બદઇરાદાથી આબેદા માજીદ શેખ, ઓજેફ તીરમીજી, સાબીર હુસૈન શેખ અને અજીમખાન પઠાણે એક વિડીયો બનાવીને ધ પાવર ઓફ ટ્રુથ અને જીજે 01 સમાચાર નામની યુ ટ્યુબ પર મુક્યો હતો. જે હટાવવા અને વધુ વાયરલ ન કરવાના બદલામાં ફરીયાદીના મામાના દીકરાને ખાનપુરમાં આવેલા અલફીયા ફ્લેટ બોલાવીને બે લાખની ખંડણી માંગી હતી. સાથેસાથે ધમકી આપી હતી કે જો પૈસા નહી આપો તે વિડીયો વાયરલ કરશે.

આમ, સતત નાણાંની માંગણી કરતા છેવટે આ અંગે શાહપુર પોલીસ મથકે ફરિયાદ નોઁધવામાં આવી હતી. જેના આધારે શાહપુર પોલીસે ઓજેફ તીરમીજી (રહે. ચોપદારની ગલી, કાચની મસ્જિદ પાસે, જમાલપુર)ની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે ખંડણીખોર ઓજેફ તીરમજીની અગાઉ ગાયકવાડ હવેલી પોલીસે ધરપકડ કરી હતી. હાલ તેની વિરૂદ્ધ ચાંદખેડા, સાયબર ક્રાઇમ, વેજલપુર , ગાયકવાડ હવેલી, શાહપુર અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં કુલ નવ ગુના નોંધાઇ ચુક્યા છે. ત્યારે શાહપુર પોલીસ બાદ અન્ય ગુનામાં તેની ધરપકડ થવાની શક્યતા છે

આજનુ પંચાંગ તા.22/7/2025,મંગળવારભોમ પ્રદોષ, ક્ષયતિથિદિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.રાત્રિના ...
22/07/2025

આજનુ પંચાંગ તા.22/7/2025,મંગળવાર

ભોમ પ્રદોષ, ક્ષયતિથિ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૪ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૦ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૩ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૫૬ મિ. (સુ) ૬ (ક.) ૫૭ મિ. (મું) ૭ ક. ૦૧ મિ.

જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) સવારના ૮ ક. ૧૫ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.

નક્ષત્ર : મૃગશીર્ષ ૧૯ ક. ૨૫ મિ. સુધી પછી આર્દ્રા

ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-સિંહ, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-વૃષભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃષભ ૮ ક. ૧૫ મિ. સુધી પછી મિથુન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૩૧ વ્રજ માસ : શ્રાવણ

માસ-તિથિ-વાર : અષાઢ વદ બારસ

- ભોમ પ્રદોષ

- ક્ષયતિથિ

- સા.સૂર્ય સિંહમાં ૧૯ ક. ૦૧ મિ. થી

- કેરપૂજા (ત્રિપુર)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ મહોરમ માસનો ૨૬મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ સ્પેન્દારમદ માસનો ૧૨મો રોજ મોહોર

કોચીથી આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 2744 સોમવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે ભારે વરસાદના કારણે રન-વે પરથી લપસી ગઈ હત...
21/07/2025

કોચીથી આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 2744 સોમવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે ભારે વરસાદના કારણે રન-વે પરથી લપસી ગઈ હતી.

બાંગ્લાદેશમાં વાયુસેનાનું ટ્રેઈની વિમાનસ્કૂલ પર પડયું: 1નું મોત, દુર્ઘટના સમયે બાળકો સ્કૂલમાં હતા, અનેક બાળકોના મૃત્યુની...
21/07/2025

બાંગ્લાદેશમાં વાયુસેનાનું ટ્રેઈની વિમાન

સ્કૂલ પર પડયું: 1નું મોત, દુર્ઘટના સમયે બાળકો સ્કૂલમાં હતા, અનેક બાળકોના મૃત્યુની આશંકા; સેના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડી રહી છે

બાંગ્લાદેશ વાયુસેનાનું એક ટ્રેઈની વિમાન ઢાકાના ઉત્તરામાં ક્રેશ થયું છે. સેના ઘાયલોને બચાવી રહી છે અને તેમને હોસ્પિટલમાં લઈ જઈ રહી છે. એપીના અહેવાલ મુજબ વિમાન શાળા સાથે અથડાયું હતું અને એક વ્યક્તિનું મોત થયું હતું.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ વીડિયો આ અકસ્માતનો છે કે નહીં. હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક વરિષ્ઠ અધિકારીએ અકસ્માતની
પુષ્ટિ કરી છે.

જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ અકસ્માત શા માટે થયો અને કેટલા લોકો ઘાયલ કે માર્યા ગયા. આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને બચાવ કામગીરી માટે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) ની બે ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

સુરતમાં પ્રિન્સિપાલની બદલી સામે ચક્કાજામ કરવા વિદ્યાર્થી-વાલીઓને હાથો બનાવ્યા : વોટ્સએપ ચેટ સામે આવી, સિક્યોરીટી હાજરી ક...
21/07/2025

સુરતમાં પ્રિન્સિપાલની બદલી સામે ચક્કાજામ કરવા વિદ્યાર્થી-વાલીઓને હાથો બનાવ્યા : વોટ્સએપ ચેટ સામે આવી, સિક્યોરીટી હાજરી કૌભાંડ દાબવા કારસો કર્યાની આશંકા, 10 સામે રાયોટિંગનો ગુનો

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કઠોદરાની સ્કૂલ નંબર-385માં 19 જુલાઈએ ભારે હોબાળો મચ્યો હતો. સ્કૂલના પ્રિન્સિપાલ કલ્પેશ પટેલની ઓચિંતી બદલી આવતા જ વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર રસ્તા પર ઊતરી આવીને ચક્કાજામ કર્યા હતા. કલ્પેશ સરને પાછા લાવોના સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ઉગ્ર બનતા જ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.

ભારે ટીકા બાદ આજની IND-PAK લિજેન્ડ્સ મેચ રદ : ધવન-રૈના સહિતના ભારતીય ક્રિકેટરોએ રમવાનો ઇનકાર કર્યો હતો; કહ્યું- દેશથી મો...
20/07/2025

ભારે ટીકા બાદ આજની IND-PAK લિજેન્ડ્સ મેચ રદ : ધવન-રૈના સહિતના ભારતીય ક્રિકેટરોએ રમવાનો ઇનકાર કર્યો હતો; કહ્યું- દેશથી મોટું કંઈ નથી

ભારતીય ક્રિકેટરોએ પાકિસ્તાન સાથે રમવાનો ઇનકાર કર્યા બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)ના આયોજકોએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ કરી દીધી છે. આયોજકોએ લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માગી છે. આ મેચ 20 જુલાઈએ બર્મિંગહામમાં રમાવાની હતી.

મહિલાએ કેનેડા રહેતી દીકરી સાથે વર્ચ્યુઅલ સગાઈ કરાવી આઠ યુવકોને ખંખેર્યા.
20/07/2025

મહિલાએ કેનેડા રહેતી દીકરી સાથે વર્ચ્યુઅલ સગાઈ કરાવી આઠ યુવકોને ખંખેર્યા.

Address

Gandhinagar

Alerts

Be the first to know and let us send you an email when We Are Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to We Are Gujarat:

Share

Cinemas & Multiplexes Advertising & Digital Social Media Marketing

Advertising/Marketing

WE ARE AD WALL

Cinemas & Multiplexes Advertising & Digital Social Media Marketing Marketing…Social Media Marketing, Advertisement & Printing Marketing, , Call Centre And Telemarketing, SMS Marketing, Direct Marketing, Online & Offline Marketing, E-MAIL Marketing, Viral Marketing, Capital Events Marketing All types Marketing.