NR Star News

NR Star News हर खबर आप तक

02/12/2023

ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે ભારત સરકાર ઘ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આજરોજ લિબાંયત ઝોન વિસ્તારમાં મહર્ષિ આસ્તિક સાર્વજનિક કેળવણી ટ્રસ્ટ મંડળ શાળા, ગોડાદરા ખાતે આયોજન કરવામાં આવેલ જેનો માન. ડે. મેયર ર્ડા. નરેન્દ્રભાઇ પાટીલના વરદહસ્તે શુભારંભ કરવામાં આવેલ

01/12/2023

સુરત/ વિશ્વ એઈડ્સ દિવસ ઉજવણીમાં રેલી યોજાઇ, અલગ અલગ સંસ્થાઓ દ્વારા જનજાગૃતિનો અપાયો સંદેશ.

23/11/2023

સુરત માં યુવતી સાથે મારામારી કરનાર સ્પા સંચાલકની ધરપક



IND vs AUS..
19/11/2023

IND vs AUS..

13/11/2023

Happy Dipawali

12/11/2023

सूरत के वाराछा जोन मे कैलाश और हमाशु नाम के दो व्यक्ति द्वारा रात के समय दुकान नंबर =V.115 सरकारी अनाज चोरी करते हुवे पकडे गए.

20/10/2023

ગુજરાત સરકારશ્રીના આદેશ મુજબ સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન વધુ સઘન કરવા માટે "૬૦ દિવસ સફાઈ ઝુંબેશ” કાર્યક્રમને સફળ બનાવવા સુરત મહાનગર પાલિકા દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત આજરોજ કતારગામ ઝોન વિસ્તારમાં કોમર્શિયલ રૂટ કતારગામ મહેતા પેટ્રોલ પંપ થી કાંસાનગર તળાવ થઇ અમરોલી બ્રિજના છેડા સુધી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.



આજ રોજ માન. કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, આઇ.એ.એસ. એ કતારગામ ઝોન વિસ્તારમાં કાંસાનગર ખાતે રૂબરૂ મુલાકાત લઇ સાફ સફાઇની ચાલી રહેલ કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું તેમજ આ વિસ્તારના દુકાનદારોની મુલાકાત લઇ તેઓને સફાઇ જાળવવા તેમજ સ્વચ્છતા જાળવવા બાબતે સુરત મહાનગરપાલિકાને સહકાર આપવા અને ફરજીયાત ડસ્ટબીન રાખી સુકો અને ભીનો કચરો અલગ રાખવા સૂચનાઓ આપી હતી. વધુમાં ઉપસ્થિત આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓને સુકા અને ભીના કચરાના વર્ગીકરણવાળા સ્ટીકરો તૈયાર કરી લગાડવા સહિતની વિવિધ સફાઇલક્ષી સૂચના આપી હતી જેથી તમામ નાગરિકોમાં સરળતાથી સુકા અને ભીના કચરાનું વર્ગીકરણ કરવામાં જનજાગૃતિ લાવી શકાય.



સદર સફાઈ ઝુંબેશ દરમ્યાન ઈજનેર વિભાગ દ્વારા પેચવર્ક, ફૂટપાથ રીપેર, કર્બ સ્ટોન કલર, ડ્રેનેજ વિભાગ દ્વારા ડ્રેનેજને લાગત સફાઈ તેમજ સમારકામ, ગાર્ડન વિભાગના કર્મચારીઓએ બીન જરૂરી ઘાસ તથા છોડના નિકાલની કામગીરી કાર્યરત છે. સદર કામગીરી દરમ્યાન સેનીટેશનના પપ કામદારો,ર ચીફ એસ.આઇ,૧ એસ.આઇ,૬ એસ.એસ.આઇ,૬ મુકદમ, ઇજનેર વિભાગના ર. ડેપ્યુટી ઇજનેર,૧ જુ.ઇ ,૧ સુપરવાઇઝર,૧ ટી.એ,૩૦ બેલદાર,ગાર્ડન વિભાગના ૧ હોર્ટિકલ્ચર સુપરવાઇઝર,૧ આસી.સુપરવાઇઝર,૧ર કામદાર "૬૦ દિવસ સફાઈ ઝુંબેશ” કાર્યક્રમને સફળ બનાવવા સદર સફાઇ કામગીરી કરી રહયા છે.

19/10/2023

સુરતના વેડ-વરિયાવ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત!

05/10/2023

ગુજરાત સરકાર ઘ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભારતના વીર શહીદોના બલિદાનોને બિરદાવા ઉપર ઘ્યાન કેન્દ્રીત કરી તથા રાષ્ટ્રભકિતની ભાવના વધુ પ્રબળ બને તેમજ રાજયના તમામ વિસ્તારની માટી દેશના પાટનગર ખાતે ભેગી કરીને સમગ્ર દેશ સાથે દરેક જણ ઐકય અનુભવે દેશની એકતા કાયમ બની રહે તે માટે અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલ. જેની અભૂતપૂર્વ સફળતા તેમજ લોકોમાં ઉઠેલી દેશભકિતની લહેરને ઘ્યાને લઇને અમૃત કળશ યાત્રાનું પુનઃ આયોજન તા. ૦૬ થી ૩૦ ઓકટોબર ર૦ર૩ દરમ્યાન કરવામાં આવેલ છે.

સુરત મહાનગરપાલિકાના તમામ વોર્ડકક્ષાએ તા.૦૬ થી ૧ર ઓકટોબર ર૦ર૩ દરમ્યાન અમૃત કળશ માટી યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. સુરત મહાનગરપાલિકા ઘ્વારા આયોજિત આ અમૃત કળશ માટી યાત્રા કાર્યક્રમોમાં સમાજના તમામ વર્ગો રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે તેમજ તેઓમાં દેશભકિતની ભાવના પ્રબળ બને તથા સમાજની મુખ્યધારા સાથે નીચે મુજબના વર્ગોની વિશેષ ભાગીદારી બની રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલ છે.

· તા.૦૬/૧૦/ર૦ર૩ના રોજ મહિલાઓ

· તા.૦૭/૧૦/ર૦ર૩ના રોજ બક્ષીપંચ વર્ગ

· તા.૦૮/૧૦/ર૦ર૩ના રોજ અનુસૂચિત જાતિ વર્ગ

· તા.૦૯/૧૦/ર૦ર૩ના રોજ યુવા વર્ગ

· તા.૧૦/૧૦/ર૦ર૩ના રોજ અનુસૂચિત જનજાતિ વર્ગ

· તા.૧૧/૧૦/ર૦ર૩ના રોજ ખેડૂતો/પશુપાલકોનો વર્ગ

· તા.૧ર/૧૦/ર૦ર૩ના રોજ લધુમતી વર્ગ



વધુમાં શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાંથી ઘરે ઘરેથી ચપટી જેટલી માટી અથવા ચપટીથી વધારે નહી તેટલા ચોખા એકત્રિત કરી પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવડાવવાનું આયોજન કરવામાં આવેલ છે. દેશભકિતના ગીતો અને રાષ્ટ્રગીતની ધુન અને ઢોલ4નગારા અને વાજિંત્રો સાથે શણગારેલા રથમાં અમૃત કળશ માટી યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.આ અમૃત કળશ માટી યાત્રામાં માન. મંત્રીશ્રીઓ4 માન. સાંસદશ્રીઓ4 માન. ધારાસભ્યશ્રીઓ તથા માન. મેયર શ્રી દક્ષેશભાઇ માવાણી4 માન. સ્થાયી સમિતિ અઘ્યક્ષ શ્રી રાજન પટેલ 4 માન. કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ4 માન. નેતા શાસકપક્ષ શ્રીમતી શશીબેન ત્રીપાઠી4 માન. દંડક શ્રી ધર્મેશભાઇ વાણીયાવાલા4 પ્રતિષ્ઠિત આગેવાનો4 શિક્ષકો4વીરશહીદોના કુટુંબીજનો ઉપસ્થિત રહેશે. અમૃત કળશનું દિલ્હી કર્તવ્ય પથ પર શહીદોની યાદમાં બનાવવામાં આવેલ અમૃત વાટીકા ને અર્પણ કરવામાં આવશે.

Address

Halenda

Alerts

Be the first to know and let us send you an email when NR Star News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share