Khabar Gujarat News

Khabar Gujarat News KHABAR COMMUNICATION (P) LTD.

A company which under "DHYEY Publication" publishes a leading Local Evening Daily Newspaper and Web-portal in JAMNAGAR named "KHABAR GUJARAT

31/05/2026
31/05/2026

દ્વારકામાં પુરુષોત્તમ માસની પૂનમે ઉમટ્યો ભક્તિસાગર
વહેલી સવારથી દર્શનાર્થીઓની ભારે ભીડ

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં પુરુષોત્તમ માસની પૂનમ, રવિવારની રજા તેમજ ઉનાળુ વેકેશનનો સમય એકસાથે આવતાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દેશના વિવિધ રાજ્યો તેમજ ગુજરાતના અનેક શહેરોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા પહોંચ્યા હતા.

વહેલી સવારથી જ જગત મંદિર ખાતે દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. મંગળા આરતી અને વિશેષ પૂજા-અર્ચનામાં ભાગ લેવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર, ગોમતીઘાટ, સ્વર્ગદ્વાર સહિતના વિસ્તારોમાં દિવસભર ભક્તોની અવરજવર યથાવત રહી હતી.
પુરુષોત્તમ માસની પૂનમનું ધાર્મિક મહત્વ હોવાથી અનેક શ્રદ્ધાળુઓએ ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કરી ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લીધો હતો. રવિવારની રજા અને વેકેશનના કારણે પરિવાર સાથે આવેલા પ્રવાસીઓની સંખ્યા પણ નોંધપાત્ર રહી હતી.

ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી મંદિર તંત્ર, પોલીસ વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. દર્શન વ્યવસ્થા સુચારુ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો હતો.

દિવસભર દ્વારકાનાં માર્ગો, બજારો અને ધાર્મિક સ્થળો ભક્તિમય વાતાવરણથી છલકાતા રહ્યા હતા અને પૂનમ નિમિત્તે દ્વારકામાં આધ્યાત્મિક ઉલ્લાસનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

31/05/2026

જામનગરમાં વસ્તી ગણતરીની કામગીરીને લઈ વિવાદ
શિક્ષકોની ફરજ ફાળવણીમાં ભેદભાવના સહિતના અનેક ગંભીર આક્ષેપ

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે જામનગર જિલ્લામાં શિક્ષકોની ફરજ ફાળવણીને લઈને વિવાદ ઉભો થયો છે. શિક્ષકોના સંગઠન દ્વારા ફરજ સોંપવાની પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અને ભેદભાવપૂર્ણ વલણ અપનાવવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

જામનગર શિક્ષિત મહાસંઘના જણાવ્યા મુજબ વસ્તી ગણતરી માટે શિક્ષકોની પસંદગી અને ફરજ ફાળવણી દરમિયાન એકસરખા માપદંડો અપનાવવામાં આવ્યા નથી. કેટલાક શિક્ષકોને કામગીરીમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જ્યારે અગાઉ પણ જે શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી હતી તેમને આ વખતે પણ જવાબદારી સોંપવામાં આવી નથી.

સંગઠન દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તાલીમ કાર્યક્રમોમાં ગેરહાજર રહેલા કેટલાક શિક્ષકોની હાજરી નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જો આ બાબત સાચી સાબિત થાય તો સમગ્ર પ્રક્રિયાની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થઈ શકે છે.

આ ઉપરાંત ગંભીર બીમારી, શારીરિક અશક્તિ અથવા અન્ય ખાસ સંજોગો ધરાવતા શિક્ષકોને જરૂરી રાહત આપવામાં આવી નથી, જ્યારે બીજી તરફ કેટલાક શિક્ષકોને બમણી જવાબદારી સોંપવામાં આવી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. પરિણામે શિક્ષકોમાં અસંતોષની લાગણી વ્યાપી હોવાનું જણાવાયું છે.

શિક્ષિત મહાસંઘે વધુમાં આક્ષેપ કર્યો છે કે ફરજ ફાળવણી દરમિયાન કેટલાક અધિકારીઓના નજીકના અથવા પસંદગીના લોકોને લાભ પહોંચાડવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર પ્રક્રિયા અંગે શંકા અને અસંતોષનું વાતાવરણ સર્જાયું છે.

સમગ્ર મામલે શિક્ષિત મહાસંઘ દ્વારા સંબંધિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને વસ્તી ગણતરીની કામગીરી માટે થયેલી ફરજ ફાળવણીની નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જ તમામ શિક્ષકોને સમાન ધોરણે ન્યાય મળે અને પારદર્શક રીતે ફરજો ફાળવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ સરકારી કામગીરી શરૂ થતાં જ આ પ્રકારના વિવાદના મંડાણ થતા શિક્ષણ જગત તેમજ સરકારી તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.

31/05/2026

જામનગર મહિલા પોલીસ સ્ટેશન પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી, પોલીસ મથકને નુકસાન

વહેલી સવારે બનાવ બનતા સદભાગ્યે કોઈ જાનહાની કે ઇજા નહી

જામનગર પોલીસ અધિક્ષકની કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ મહિલા પોલીસ સ્ટેશન પાસે વહેલી સવારે એક મહાકાય વૃક્ષ અચાનક ધરાશાયી થતાં પોલીસ મથકના મકાન સહિત આસપાસના વિસ્તારોને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

મળતી માહિતી મુજબ, વૃક્ષ સીધું મહિલા પોલીસ સ્ટેશનના છાપરા ઉપર પડતાં છતના નળિયા તથા માળખું અને અન્ય ભાગોને ભારે નુકસાન થયું હતું. સાથે જ મહિલા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી દિવાલ પણ ક્ષતિગ્રસ્ત બની હતી. વૃક્ષ પડવાના કારણે નજીક આવેલા કોમ્પ્લેક્સની દિવાલને પણ નુકસાન પહોંચ્યું હતું, જ્યારે નર્સિંગ સ્કૂલની દિવાલનો એક ભાગ પણ તૂટી ગયો હતો.

મહિલા પોલીસ સ્ટેશનના મકાનને નુકસાન પહોંચતાં ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે અંદર કામ કરવું મુશ્કેલ બન્યું હતું. પરિણામે પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનની બહાર રહીને પોતાની ફરજ બજાવવા મજબૂર બન્યા હતા.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયરની ટીમ દ્વારા ભારે મહેનત બાદ ધરાશાયી થયેલા વૃક્ષને કાપી અને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ પરિસ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

મહિલાઓની સુરક્ષા અને સહાયતા માટે કાર્યરત મહિલા પોલીસ સ્ટેશનના મકાનને નુકસાન પહોંચતાં તેની સલામતી અને જાળવણી અંગે પણ સવાલો ઉભા થયા છે. સરકારી કચેરીઓના પરિસરમાં આવેલા જૂના અને જોખમી વૃક્ષોની સમયસર તપાસ અને જાળવણી કરવામાં આવે તે જરૂરી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

સદનસીબે ઘટના સમયે કોઈ વ્યક્તિ વૃક્ષની ઝપેટમાં આવી નહોતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે આ બનાવે સરકારી કચેરીઓની સલામતી અને જોખમી વૃક્ષોના સંચાલન અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે.

30/05/2026

જામનગરના શ્રી બાલા હનુમાન મંદિરની તા.30/05/2026, શનિવારની આરતીના દર્શન

30/05/2026

એ..એ..એ... માંડ..માંડ..બચી ગયા..

બ્રિલિયન્ટ સ્કૂલનો ફાઉન્ડેશન વગરનો જોખમી ટાવર ધરાશાયી મામલે ડેપ્યુટી ઈજનેરએ શું જણાવ્યું

30/05/2026

જામનગરમાં અંબર ચોકડી ઓવર બ્રિજ નીચે દારૂના નશામાં ધુત શખ્સએ ધમાલ મચાવી

સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા શખ્સની ધરપકડ

30/05/2026

રાજસ્થાનના રણપ્રદેશમાં કુદરતનો ભયાનક દેખાવ જોવા મળ્યો
રેતીના તોફાનના લીધે લોકોમાં ભય : દિવસનો સમય રાત માં ફેરવાઈ ગયો

રાજસ્થાનના રણપ્રદેશોમાં કુદરતનો ખરેખર ભયાનક અને આશ્ચર્યજનક દેખાવ જોવા મળ્યો હતો. આજે બપોરે શ્રીગંગાનગર અને ચુરુ જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને દિવસને કાળી રાતમાં ફેરવી દીધો હતો. આકાશમાંથી રેતીની એક વિશાળ, ઉંચી દિવાલ ઉડી, જેણે જે આખા શહેરને ઘેરી લીધું.
ધૂળનુંતોફાન એટલું ગાઢ હતું કે બપોરના સમયે બધા જ લોકો ઘોર અંધારામાં ડૂબી ગયા હતા, જેના જે કારણે દૃશ્યતા લગભગ શૂન્ય થઈ ગઈ હતી. રસ્તાઓ પર વાહનો થંભી ગયા હતા, અને વાહનચાલકોને થોડા મીટર દૂર જોવા માટે હેડલાઇટ ચાલુકરવાની ફરજ પડી હતી.
70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને 30 મિનિટનો તોફાન હવામાન વિભાગ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રેતીનું તોફાન કોઈ સામાન્ય તોફાન નહોતું. આ વાવાઝોડા દરમિયાન પવનની ગતિ આશરે 70 કિમી પ્રતિ કલાકની હતી.

30/05/2026

જામનગર શહેરમાં બ્રિલિયન્ટ સ્કૂલ દ્વારા ખડકાયેલો જોખમી ટાવર ધરાશાયી

સતત ટ્રાફિક વાળા રસ્તા પર આવા ફાઉન્ડેશન વિનાના ટાવર મૂકી દેવાતા લોકોમાં રોષ : મોટી જાનહાનિ થતાં ટળી

Address

502, Swagat Complex, P. N. Marg.
Jamnagar
361008

Alerts

Be the first to know and let us send you an email when Khabar Gujarat News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share