27/07/2025
ગુજરાત પોલીસના પ્રખ્યાત અને બાહોશ અધિકારી નિવૃત્ત dysp શ્રી સુખદેવસિંહજી ઝાલા સાહેબ (ઝંમર) નો સ્વર્ગવાસ થયેલ છે. પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્યાત્માને ચિર શાંતિ આપે એજ પ્રાર્થના.🙏
ૐ શાંતિ... શાંતિ... શાંતિ.. 🙏................................................
ગુજરાત પોલીસના પ્રખ્યાત અને બાહોશ અધિકારી નિવૃત્ત ડીવાયએસપી સુખદેવસિંહ ઝાલાનું નિધન થતા પોલીસબેડામાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
કોણ હતા સુખદેવસિંહ ઝાલા?
પોલીસ ડિપાર્ટમેન્ટમાં પ્રમાણિક અને કર્તવ્ય નિષ્ઠા સાથે પોતાની અલગ જ ઓળખ ઉભી કરનાર નિવૃત એસીબી સુખદેવસિંહ ઝાલાએ પોતાના મૃત્યુ બાદ દેહદાન કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.નિવૃત થયા બાદ છેલ્લા દસેક વર્ષથી વેદ માતા ગાયત્રી માતાજીની ઉપાસના અને તેમના વતન ઝમર ખાતે લાખોની સંખ્યામાં વૃક્ષનો ઉછેર કરવાની લોક ઉપયોગી પ્રવૃતિ પોતાનો જીવન મંત્ર બનાવ્યો હતો.
ગુનેગારોમાં કડક અધિકારીની છાપ ધરાવતા
ગુનેગારોમાં કડક સુખદેવસિંહ ઝાલાની નિવૃતીના અંતિમ દિવસે એસીપી તરીકે બઢતી મળી હતી અને સરકાર દ્વારા તેમના કામની કદર કરી બે વર્ષ સુધી એકટેન્શન આપવામાં આવ્યું હતું. તેઓએ પીએસઆઇ તરીકે કારર્કિદીની શ આત કર્યા બાદ પોરબંદર, ખંભાળિયા અને જસદણ પંથકમાં પ્રસંશનીય ફરજ બજાવી હતી. કાદવમાં ખીલતા કમળને કયારેય કાદવ ન લાગે તેમ સુખદેવસિંહ ઝાલા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પ્રમાણિક અને કર્તવ્ય નિષ્ઠા સાથે ફરજ બજાવી હોવાતી તેઓએ સારી એવી લોકચાહના મેળવી હતી. અધિકારીની छाप ધરાવતા
માથાભારે શખ્સો ગામ છોડી દેતા
જામ ખંભાળિયા અને પોરબંદર વિસ્તાર તે સમયે દાણચોરી માટે કુખ્યાત બન્યો હતો. પરંતુ સુખદેવસિંહ ઝાલા પોરબંદર અને ખંભાળિયામાં પોસ્ટિંગ થયાનું જાહેર થતાની સાથે જ દાણચોરી સાથે સંકળાયેલા માથાભારે શખ્સો ગામ છોડી દેતા અને તેનો બે નંબરનો ધંધો સંકેલી લેતા હતા.
અને ઘાતક હથિયારનો ઢગલો થઇ ગયો હતો
સલાયા ખાતે એક પોલીસ અધિકારી સ્ટાફના ત્રણ જવાન સાથે હથિયાર અંગે દરોડો પાડવા ગયા ત્યારે તે પોલીસ અધિકારીને ત્રણ પોલીસ કર્મચારીની હાજરીમાં માથાભારે શખ્સે લાફો મારી દીધો હતો. ત્યારબાદ બીજા દિવસે સુખદેવસિંહ ઝાલા સલાયા ગયા હતા અને પોલીસ અધિકારી પર હુમલો કરનાર ૧૫ શખ્સો સામેથી હાજર થવા ફરમાન કરી લાલ આંખ કરી ત્યા તો ગણતરીની મિનિટોમાં તમામ શખ્સો હાજર થઈ ગયા હતા. ત્યારબાદ સુખદેવસિંહ ઝાલાએ ત્યાં પોતાની લાકડીથી ગોળ કુંડાળું કરી જેઓની પાસે ગેર કાયદે હથિયાર હોય તેઓ સામેથી જમા કરી દેવાનો અનુરોધ કરતાની સાથે ઘાતક હથિયારનો ઢગલો થઇ ગયો હતો
કરવામાં આવી હતી. તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સુખદેવસિંહ ઝાલાની ટેકનિકલ કારણોસર અટકેલી ફરજ દરમિયાન હકની રકમનો ઓન ધ સ્પોટ નિવેડો લાવ્યા હતા અને નિવૃતિના અંતિમ દિવસે ડીવાયએસપી તરીકે પ્રમોશન મળતા તેઓની વધુ બે વર્ષ સુધી સેવા આપવા એકટેન્શન આપ્યું હતું.
ઝમર ખાતે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ અને ઉછેર કર્યો
નિવૃત થયા બાદ સુખદેવસિંહ ઝાલા હરિદ્વાર ખાતે શાંતિ કુંજ ખાતે વેદ માતા ગાયત્રીની ઉપાસના કરી હતી અને તેમના ગુરૂદેવના આદેશ અનુસાર તેમના વતન લખતર ખાતેના ઝમર ખાતે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ અને ઉછેર કર્યો છે. સુખદેવસિંહ ઝાલાએ પોતાના મૃત્યુ બાદ મૃતદેહને જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજને સોંપી દેતો દેહદાનનો સંકલ્પ જાહેર કર્યો હતો. જામનગરની બેડમિન્ટન સોસાયટીમાં પ્રતાપ પેલેસની બાજુમાં 'સજલ શ્રધ્ધા'માં રહેતા નિવૃત એસીપી સુખદેવસિંહ હનુભા ઝાલાને કરેલા સંકલ્પ પત્રમાં જણાવ્યું છે કે, તેમના મૃત્યુ બાદ પરિવારે રોકકળ કરવાની નથી, ખરખરો કરવાનો નથી, કોઇ ૫ થળે બેસણું રાખવાનું નથી, કોઇએ શોક રાખવાના નથી, મંડન. શુધ્ધીકરણ. બારમં. સરાવવાની વિધી
બાદ મૃતદેહને જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજને સોંપી દેતો દેહદાનનો સંકલ્પ જાહેર કર્યો હતો.
જામનગરની બેડમિન્ટન સોસાયટીમાં પ્રતાપ પેલેસની બાજુમાં 'સજલ શ્રધ્ધા'માં રહેતા નિવૃત એસીપી સુખદેવસિંહ હનુભા ઝાલાને કરેલા સંકલ્પ પત્રમાં જણાવ્યું છે કે, તેમના મૃત્યુ બાદ પરિવારે રોકકળ કરવાની નથી, ખરખરો કરવાનો નથી, કોઇ પણ સ્થળે બેસણું રાખવાનું નથી, કોઇએ શોક રાખવાનો નથી, મુંડન, શુધ્ધીકરણ, બારમું, સરાવવાની વિધી, પોતપહેરાવવાની વિધી, સેજ ભરવી, દોહિતર, મુંડન ઢાકવાનો રિવાજ, ગોયણી કરવી, ચોરાસી, વરસી, શ્રાધ્ધમાં ભેળવવાની, અસ્થી વિસર્જન જેવી વિધી ન કરવી સંકલ્પ કરી આંખ, હય અને કીડની યોગ્ય હોય તો તે ડોનેટ કરવા જણાવ્યું હતું.
◆ copied from SM