Sanatan Satya Samachar

Sanatan Satya Samachar Sanatan Satya Samachar Studio is a dedicated platform committed to uplifting and empowering people across India.

We tirelessly work to promote freedom of expression within the nation’s unbroken and cherished democracy, shedding light on people’s rights,

ભારતીય સ્પિનર કુલદીપ યાદવે દિલ્હી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. ટેસ્ટના ત્રીજા દ...
12/10/2025

ભારતીય સ્પિનર કુલદીપ યાદવે દિલ્હી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. ટેસ્ટના ત્રીજા દિવસે શાઈ હોપને આઉટ કરીને કુલદીપે એક અનોખો મહારેકોર્ડ પોતાના નામે કર્યો છે.
BCCI Domestic Indian Cricket Team ICC - International Cricket Council

ભારતના પ્રવાસે આવેલા અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીની  પ્રેસ કૉન્ફરન્સમાંથી મહિલા પત્રકારોને  બહાર રાખવાને...
12/10/2025

ભારતના પ્રવાસે આવેલા અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીની પ્રેસ કૉન્ફરન્સમાંથી મહિલા પત્રકારોને બહાર રાખવાને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે તાલિબાને સ્પષ્ટતા આપી છે. તાલિબાનના રાજકીય વડા સુહૈલ શાહીને શનિવારે કહ્યું કે અમારા તરફથી મહિલાઓને બહાર રાખવા માટે કોઈ સૂચના આપવામાં આવી નહોતી અને આ ઘટના પાછળ તાલિબાનનો કોઈ હાથ નથી. અહેવાલ મુજબ, શાહીને દાવો કર્યો કે "અમારા વિશે જે કંઈ કહેવામાં આવી રહ્યું છે તે બિલકુલ સાચું નથી." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં પણ મહિલા પત્રકારો છે અને તેઓ મીડિયા સંસ્થાઓમાં કામ કરી રહી છે. શાહીને ઉમેર્યું કાબુલમાં મુત્તાકી પોતે મહિલા પત્રકારોને નિયમિત પણે મળે છે અને તેમના સવાલોના જવાબ આપે છે, તેથી અહીં કોઈ પ્રતિબંધનો સવાલ નથી. બીજી તરફ,ભારતીય વિદેશ મંત્રાલયે આ વિવાદ પર પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે તે પ્રેસ કૉન્ફરન્સ સાથે ભારતને
કોઈ લેવા દેવા નહોતા, કારણ કે તે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ નહોતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર તે અફઘાન દૂતાવાસમાં યોજાયેલી એક અલગ પ્રેસ વાર્તા હતી જેમાં માત્ર અમુક પસંદગીના પુરુષ પત્રકારો અને અફઘાની દૂતાવાસના અધિકારીઓ સામેલ હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો હતો. પ્રિયંકા વાડ્રાએ કહ્યું હતું કે વડાપ્રધાને આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે "જો મહિલા અધિકારો પ્રત્યેની
તમારી માન્યતા માત્ર એક ચૂંટણીથી બીજી ચૂંટણી સુધી જ રહે છે, તો તે સ્પષ્ટ થવું જ જોઈએ. કે તમે દેશમાં મહિલાઓનું અપમાન કેવી રીતે થવા દીધું?
#

આહિર સમાજની આશાસ્પદ હોકી પ્લેયર હાલારની દીકરીનામાતા-પિતાની કરુણ વ્યથા ! પોલીસે ફરિયાદ ન લીધી !Poonamben Maadam CMO Gujar...
12/10/2025

આહિર સમાજની આશાસ્પદ હોકી પ્લેયર હાલારની દીકરીના
માતા-પિતાની કરુણ વ્યથા ! પોલીસે ફરિયાદ ન લીધી !

Poonamben Maadam CMO Gujarat PMO India BBC News हिन्दी Newz Room Gujarat Gujarat Tak Parimal Nathwani

11/10/2025

ખેડૂતનો પસીનો જ દેશની તાકાત છે

11/10/2025

DGP માત્ર ને માત્ર ભાજપની ચાપલુસી કરીને એક્સ્ટેન્શન લઈને જલસા કરી રહ્યા છે તેમને હવે ભાજપની દલાલી કરવા સિવાય બીજું કોઈ કામ કરવામાં રસ નથી.

11/10/2025

ગુજરાતના નવનિયુક્ત BJP પ્રદેશ
અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અંબાજી
ખાતે મા અંબાના દર્શન કર્યા

રાજકોટ   24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનુંમાનવુ...
10/10/2025

રાજકોટ 24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું
માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં,પરંતુ હત્યા થઈ છે. આ હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ સામેલ
પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. જેથી આ ફરિયાદની વધુ તપાસ CBIને સોંપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ
કરવામાં આવી છે. જે અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઇકોર્ટે ઘટનાના CCTV જાળવવા અને
તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો. કોર્ટે પૂછ્યું હતું કે, જે વાહન સાથે મૃતકનો અકસ્માત થયો હતો. તે વાહનનો FSL
રિપોર્ટ ક્યાં છે? શું બ્રેક ફેલ હતી? વળી હાઇકોર્ટે ફોરેન્સિક એક્સપર્ટ રિપોર્ટને શંકાસ્પદ ગણાવ્યો હતો. કારણ કે, મૃતકની બોડી
ઉપર જે ઈજાના નિશાનો હતા. તે એક્ઝેટલી શેનાથી થયા તેમાં જણાવ્યું નહોતું. અરજદારે જણાવ્યું હતું કે ગોંડલથી 54 કિલોમીટર
દૂર મૃતકની લાશ મળી હતી. CCTVમાં તેણે ગાડીમાં લઈ જતા દેખાય છે. કોર્ટે કાગળિયા અને કેસ જોઈને તેની તપાસ અન્ય એજન્સી
અથવા CBIને આપવા માટેનો ફિટ કેસ ગણાવ્યો હતો. કોર્ટે રાજકોટ બહારના 3 SPના નામ સરકાર પાસેથી માગ્યા છે. જેઓ આ
કેસ અંગે સ્વતંત્ર તપાસ અહેવાલ આપશે. આ અંગે વધુ સુનાવણી 15 ઓક્ટોબરના રોજ યોજાશે.

કોંગ્રેસના નેતા અબ્દુલ હાજી ઈબ્રાહિમ ઉર્ફ ઈભલા શેઠને માર મારવાના કેસમાં કોર્ટે 41 વર્ષ પછી પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને દ...
10/10/2025

કોંગ્રેસના નેતા અબ્દુલ હાજી ઈબ્રાહિમ ઉર્ફ ઈભલા શેઠને માર મારવાના કેસમાં કોર્ટે 41 વર્ષ પછી પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં ભુજ સેશન્સ કોર્ટે કુલદીપ શર્મા અને અન્ય તેમના એક સાથી અધિકારીને પણ ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર છઠ્ઠી મે, 1984ના રોજ નલિયાના એક કેસમાં કોંગ્રેસના નેતા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમ તત્કાલીન આઈપીએસ અધિકારી કુલદીપ શર્માને મળવા ગયા હતા. આ દરમિયાન તેઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કુલદીપ શર્મા ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે હાજી ઈબ્રાહિમને અપમાનિત કરીને માર માર્યો હતો. આ ઘટનામાં કુલદીપ શર્માના સાથી અધિકારી ગિરીશ વસાવડા સહિત અન્ય લોકો પણ સામેલ હતા. સરકારી કચેરીમાં રજૂઆત કરવા ગયેલા લોકોને અપમાનિત કરીને માર મારવાના કૃત્યને કોર્ટે ગંભીર અને અયોગ્ય ગણાવ્યું હતું. આ કેસના ફરિયાદી ઈકબાલ મધરાએ આ ચુકાદાને આવકાર્યો હતો, જે અબ્દુલ હાજી ઈબ્રાહિમના પુત્ર છે. આ કેસની વિગત એવી છે કે, અબડાસાના રહેવાસી અબ્દુલ હાજી ઇબ્રાહિમ નલિયામાં નોંધાયેલા એક અંગે એસપી કચેરીમાં મળવા ગયા હતા. આ દરમિયાન તેમની સાથે પૂર્વ ધારાસભ્ય ખરાશંકર જોષી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી સહિતના આગેવાનો પણ હતા. એ વખતે તત્કાલીન સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કુલદીપ શર્માએ એ તમામનું અપમાન કર્યું હતું. બાદમાં કચેરીના અન્ય પોલીસ અધિકારીઓને બોલાવીને ઢોર માર મરાયો હતો. આ મારામારીમાં અબ્દુલ હાજી ઈબ્રાહિમને ઈજા પહોંચી હતી. આ ઘટના પછી તેમની સાથે આવેલા શંકર ગોવિંદજી જોષી નામના અગ્રણીએ ભુજની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં એસ.પી. કુલદીપ શર્મા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા એ  કોંગ્રેસે પૂછેલા પ્રશ્નનો જવાબ આપીને નલ સે જલ યોજનામાં ગેરરીતિ અંગે સ્વીકાર કર્યો હતો. ...
10/10/2025

પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા એ કોંગ્રેસે પૂછેલા પ્રશ્નનો જવાબ આપીને નલ સે જલ યોજનામાં ગેરરીતિ અંગે સ્વીકાર કર્યો હતો. તેમજ કોંગ્રેસના આક્ષેપ અંગે જવાબ આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં નલ સે જલ યોજના અંતર્ગત 65 લાખથી વધુ ઘરોમાં પાણીનું જોડાણ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું હતું. જે મુદ્દે સરકાર દ્વારા મહીસાગર જિલ્લામાં 112 એજન્સી સામે કાર્યવાહી કરી હોવાની કબૂલાત પણ કરી.
નલ સે જલ' યોજનામાં ગુજરાતે સો ટકા સિદ્ધિ હાંસલ કરી છે. એટલુ જ નહીં, 91,18,415 ઘર સુધી નળમાં પાણી પહોચ્યું છે તેવો
સરકારે દાવો કર્યો છે. પણ હકીકતમાં એવું થયું નથી. પછાત-આદિવાસી વિસ્તારોમાં નળ તો લગાડી દેવાયાં છે પણ હજુ શુદ્ધ
પાણી પહોંચ્યું નથી. 'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચાર-ગેરરીતિ આચરાઇ હોવાની વાત બહાર આવી છે. 'નલ સે જલ' યોજના થકી ઘરે-ઘરે નળના માધ્યમથી શુદ્ધ પીવાનું પાણી મળી ગયા તેવા વચન વાયદા કરવામાં આવી રહ્યાં છે પણ કડવી વાસ્તવિકતા એ છે કે, નળ તો લાગ્યાં છે પણ લોકો શુદ્ધ પાણીની વાટ જોઈ રહ્યાં છે. 'નલ સે જલ' યોજનામાં પણ ગેરરીતી-ગોટાળા થયા છે તેવુ ખુદ સરકારે સ્વીકાર્યુ છે. ખેડા સહિત અન્ય છ જિલ્લામાં 'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચાર આચરાયો છે જેની કુલ મળીને 18 ફરિયાદો નોંધાઈ છે. વિધાનસભામાં એવી વિગતો રજૂ કરવામાં આવી છે કે, વર્ષ 2022, વર્ષ 2023 અને વર્ષ 2024માં બનાસકાંઠામાં 'નલ સે જલ' યોજના પાછળ 54.76 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે ખેડામાં 26.05 કરોડ રૂપિયા, જૂનાગઢમાં 7 કરોડ રૂપિયા અને ગીર સોમનાથમાં 8.21 કરોડનો ખર્ચ કરાયો હતો. ટૂંકમાં, ચારેક જિલ્લામાં જ 96 કરોડનો ઘુમાડો કરાયો તેમ છતાંય હજુ સુધી લોકોને નળ વાટે શુદ્ધ પાણી મળ્યું નહીં.
મનરેગા બાદ 'નલ સે જલ' યોજના પણ ભ્રષ્ટ અધિકારી અને મળતિયા કોન્ટ્રાક્ટર માટે મલાઇ તારવાની યોજના બની રહી હતી.
કેમકે, આ યોજનામાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું છે. બનાસકાંઠામાં 3, ખેડામાં 4, મહેસાણામાં 1, બોટાદમાં 3, ગીર સોમનાથમાં 5 અને જૂનાગઢ જિલ્લામાં 2 એમ કુલ મળીને 18 ફરિયાદો થઈ છે. આ ફરિયાદમાં આરોપ મૂકાયો છે કે, 'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે. હાલ તપાસના નામે બધુ ડિંડક ચાલી રહ્યુ છે. કેમ કે, જે રીતે મનરેગા કૌભાંડમાં મંત્રીપુત્રો સહિત અન્ય કસૂરવારો પણ જેલમાંથી છૂટી ગયા છે. આ જોતાં 'નલ સે જલ' યોજના કૌભાંડમાં પણ કોઈને ઉની આંચ આવે તેમ લાગતુ નથી. હકીકતમાંઆ પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરાય તો રેલો અન્ય જિલ્લામાં પહોંચી શકે તેમ છે.

આ આખી ઘટના સામૂહિક બળાત્કારની છે. સૌરાષ્ટ્રના ઊના પાસે પાલડી ગામ છે ત્યાં ભોગ બનનાર બેન રહે છે. પાલડીથી 20કિલોમીટર દૂર ન...
10/10/2025

આ આખી ઘટના સામૂહિક બળાત્કારની છે. સૌરાષ્ટ્રના ઊના પાસે પાલડી ગામ છે ત્યાં ભોગ બનનાર બેન રહે છે. પાલડીથી 20
કિલોમીટર દૂર નવાબંદર ગામ છે ત્યાં આ ત્રણેય આરોપી રહે છે. સવાલ એ છે કે આ ત્રણેય આરોપીઓને ખબર કેમ પડી કે 20
કિલોમીટર દૂર પાલડી ગામે આ બેન એકલા રહે છે.
આ ત્રણેય યુવાનો માછીમારી કામ માટે જતા. ક્યારેક ભોગ બનનાર બહેન પણ દરિયા કિનારે કામ માટે આવ-જા કરતા. બીજું,
આરોપીઓ અને ભોગ બનનાર ત્રણેય એક જ સમાજના છે એટલે અંદરો અંદર ઓળખાણ પણ ખરી. ત્રણેય જાણતા હતા કે
પાલડી ગામે આ બેન એકલાં રહે છે. એટલે આ ત્રણેયની ખરાબ નજર હતી જ પણ તક શોધતા હતા.અઠવાડિયાં પહેલાં ત્રણેયે
પ્લાન ઘડ્યો. આ પ્લાનમાં નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળિયાના ઘરે મહિલાને લઈ જવાનું નક્કી થયું. કારણ કે નરેન્દ્ર બારીયાને આગળ
પાછળ કોઈ નથી. પરિવારમાં કોઈ નથી એટલે એકલો જ રહે છે. ત્રણેય આરોપીમાંથી બે બાઈક પર નવાબંદરેથી પાલડી ગયા.
પેલા બહેનના ઘરમાં ગયા. બહેનને એમ કે આ તો જાણીતા છે. કાંઈક કામ હશે એટલે આવ્યા હશે. થોડી વાતચીત કરી ત્યારે
નરેન્દ્રએ એ બહેનને રૂમાલમાં લગાવેલું કેમિકલ સુંઘાડી દીધું. એ બહેન બેભાન થઈ ગયા. બે જણા બાઈક પર બેસાડીને તેને
પાલડીથી નવાબંદર લાવ્યા અને નરેન્દ્રના ઘરમાં રાખ્યા. નરેન્દ્ર અને સંજય તો હતા જ હવે અંશુ પણ પણ પહોંચી ગયો. નરેન્દ્ર
25 વર્ષનો, સંજય 22 વર્ષનો અને અંશુ 21 વર્ષનો. બેશુદ્ધ બની ગયેલા બહેન પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો.
પોલીસે બે-ત્રણ બોટ માલિકોને ફોન કર્યા તો ખબર પડી કે નવાબંદરના જ કાંતિભાઈની બોટ લઈને મધદરિયે ફરાર થઈ ગયા છે.
પોલીસ માટે પડકાર પણ હતો કે દરિયામાં જઈને પકડવા કેવી રીતે? તેમની બોટ ક્યાં હશે? કેટલે દૂર ગઈ હશે? આ પણ ચેલેન્જ હતી. પોલીસે મરીન કંટ્રોલરૂમમાંથી તમામ બોટને મેસેજ મોકલાવ્યો કે દરિયામાં વાવાઝોડું સક્રિય થયું છે. દરિયામાં તોફાન આવે છે. બોટ લઈ જવામાં ખતરો છે. તમામ બોટ કિનારા પર આવી જાય. કંટ્રોલરૂમમાંથી વાયરલેસ મેસેજ ગયો ને તમામ બોટ ધીમે ધીમે કિનારા તરફ આવવા લાગી. નવાબંદર મરીન પોલીસના જવાનો પણ એક બોટ લઈને દરિયામાં ગયા. કોઈ એક બોટમાં આ બળાત્કારીઓ હતા. અને પોલીસે આરોપીઓને પકડી પાડ્યા.

આહિર સમાજની આશાસ્પદ હોકી પ્લેયરહાલારની દીકરીના પિતાની કરુણ વ્યથા ! આરોપીના ભાજપ સાથે સબંધ હોવાથી પોલીસે ધ્યાન ન આપ્યુંપિ...
10/10/2025

આહિર સમાજની આશાસ્પદ હોકી પ્લેયરહાલારની દીકરીના પિતાની કરુણ વ્યથા ! આરોપીના ભાજપ સાથે સબંધ હોવાથી પોલીસે ધ્યાન ન આપ્યુંપિતા દોઢ વર્ષથી કરી રહયા છે દીકરીને ન્યાય અપાવવા સંઘર્સ !

9/3/24 નાં જી.એમ.પટેલ કન્યાશાળા ધ્રોલમા મારી દીકરીઓ પર જે નરાધમ જેન્તી રવજી કગથરાએ અત્યાચાર કર્યો તે ધટનાસામાન્ય ગણી ધ્રોલ પોલિશ PSI ઝાલા એ NC કેશ કરેલ હતો, ત્યાર બાદ અમે RTI કરી 11 મહિને અમારી ધ્રોલ કોર્ટ માં ચાર્જ ચિટદાખલ થઈ.. 20/2/2025 નાં રોજ પડધરી.નાં વકીલ પરમાર સાહેબ દ્વારા ધ્રોલ કોર્ટમાં કેચ દાખલ કરેલ ત્યારથી અમે રેગયુલરધ્રોલ કોર્ટમાં તારીખ ભરીયે છીએ. હજુ સુધી ભોગ બનનાર મારી દીકરીને નિવેદન આપવા બોલાવવામાં આવી નથી. અમારો એકજ ધ્યેય છે કે. ગુનેગારને પોક્સો કલમ હેઠળ સજા થવી જોઇયે અમને ન્યાયતંત્ર પર ભરોસો છે, કે અમારી લાંબી લડાઈ અનેઅમારા સંઘર્ષની જરૂર જીત થશે. જે તે સમયે જામનગરના
નેતાઓએ પોલીસને કહ્યું હોત કે દીકરીઓને ન્યાય મળે એ રીતે કામકરજો તો દીકરીઓને ન્યાય જરૂર મળ્યો હોત પણ તેનાથી તદન ઊલટું થયું દીકરીઓ ફરિયાદ કરવા ગઈ ને પોલીસે રાત્રે 12 વાગ્યાસુધી બેસાડી રાખી, અમને દેશના ન્યાય તંત્ર પર સંપૂર્ણ ભરોસો છે, અમને ન્યાય જરૂર મળશે, અને હું મારી દીકરીઓને ન્યાય અપાવીને જ જંપીસ; માલદેભાઈ નંદાણિયા

ગુજરાતમાં છેલા ત્રણ વર્ષમાં 9000 બળાત્કારના કેશ નોંધાયા જેમાં માત્ર ત્રણ ટકા આરોપીઓને પણ સજા નથી થઈ, ગુજરાતમાં 3 વર્ષમાં...
10/10/2025

ગુજરાતમાં છેલા ત્રણ વર્ષમાં 9000 બળાત્કારના કેશ નોંધાયા જેમાં માત્ર ત્રણ ટકા આરોપીઓને પણ સજા નથી થઈ, ગુજરાતમાં 3 વર્ષમાં દુષ્કર્મના 8849 કેસ નોંધાયા છે, એટલે કે દર દિવસે સરેરાશ 8 દુષ્કર્મના કેસ નોંધાય છે. તાજેતરમાં યોજાયેલા વિધાનસભા સત્રમાં સરકારે આપેલી માહિતી મુજબ જૂન 2022થી મે 2025 સુધી, દુષ્કર્મના કુલ કેસમાંથી ગ્રામીણ વિસ્તારોમાં 60% એટલે કે 5330 અને શહેરી વિસ્તારમાં 40% એટલે કે 3519 કેસ નોંધાયા હતા. એનસીઆરબીના ડેટા મુજબ, ગુજરાતમાં 3% આરોપીઓને પણ દુષ્કર્મના કેસમાં દોષી ઠરાવવામાં આવ્યા નથી. આ સમયગાળા દરમિયાન 2882 હત્યા એટલે કે રોજ સરેરાશ 2 કે 3 હત્યા નોંધાઇ છે. આ ઉપરાંત વિદેશી, બિયર, દેશી દારૂ સંબંધિત 6.20 લાખ કેસ નોંધાયા હતા. વિવિધ પ્રકારના આઠ ગુનામાં 7953 આરોપીની ધરપકડ કરવાની બાકી છે.સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા એન.સી.આર.બી.ના આંકડા મુજબ, 2018થી 2022 દરમિયાન 5 વર્ષમાં દુષ્કર્મના કેસમાં 3821 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 97(3% ઓછા)ને દોષી ઠેરાવવામાં આવ્યા હતા. 3783 આરોપીઓ સામે અને 2766 કેસમાંથી 2572માં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. માત્ર 708 કેસમાં ટ્રાયલ પૂર્ણ થયો હતો. માત્ર 79 કેસમાં નિર્ણય આવી શક્યો હતો. આમ ગુજરાતનાં કાયદાની સ્થિતિ જનતાની સામે છે

Address

Jamnagar

Alerts

Be the first to know and let us send you an email when Sanatan Satya Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sanatan Satya Samachar:

Share