Sanatan Satya Samachar

Sanatan Satya Samachar Sanatan Satya Samachar Studio is a dedicated platform committed to uplifting and empowering people across India.

We tirelessly work to promote freedom of expression within the nation’s unbroken and cherished democracy, shedding light on people’s rights,

અમદાવાદમાં 13 સપ્ટેમ્બરની મોડીરાત્રે વિરાટનગરબ્રિજ નીચેથી ઠક્કરનગરબ્રિજ પાસે આવેલા કૈલાસધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્...
15/09/2025

અમદાવાદમાં 13 સપ્ટેમ્બરની મોડીરાત્રે વિરાટનગરબ્રિજ નીચેથી ઠક્કરનગરબ્રિજ પાસે આવેલા કૈલાસધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી હતી. બીજા દિવસે આ હત્યાકેસના સગીર સહિત 3 આરોપીની રાજસ્થાનના શિરોહીથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછમાં હિંમતભાઈ રૂડાણીના પૂર્વ પાર્ટનર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ એક કરોડ રોકડા અને એક મકાનની સોપારી આપી હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. બન્ને વચ્ચે 2020થી વિવાદ શરૂ થયો હતો. જેમાં ઘણીવાર સમાધાન થયા બાદ બાબત શાંત પડી નહોતી. બન્ને વચ્ચેની પાર્ટનરશિપ છૂટી કરવા માટે 25 કરોડની લેતીદેતીમાં મનદુઃખ થયું હતું,જેનું પરિણામ લોહિયાળ આવ્યું.પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાની સોપારી આપનાર મનસુખ લાખાણીની ધરપકડ કરી લીધી છે.

15/09/2025

સોસ્યલ મીડિયા પર યુવાનો સરકારને ટોન મારી રહ્યા છે, ઇન્ફ્લુએન્સર Rutika Gohel ના
વિડીયોએ હાલ લોકોમાં ચર્ચા જગાવી!

રૂપાણીના નિવાસસ્થાનેથી સ્મશાનગૃહ સુધી નીકળેલી અંતિમયાત્રામાં ભાજપના દિગ્ગજ નેતાઓથી માંડીને સામાન્ય જનતા પણ ઉમટી પડી હતી....
15/09/2025

રૂપાણીના નિવાસસ્થાનેથી સ્મશાનગૃહ સુધી નીકળેલી અંતિમયાત્રામાં ભાજપના દિગ્ગજ નેતાઓથી માંડીને સામાન્ય જનતા પણ ઉમટી પડી હતી. જે તે સમયે ગુજરાત સરકારે પણ નિયમને અનુરૂપ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. પરંતુ હવે પક્ષે અંતિમયાત્રામાં થયેલો ખર્ચ આપવાનો ઇન્કાર કરી દેતા વિજય રૂપાણીના પરિવારને લગભગ 20થી 25 લાખ રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે.

16 જૂન, 2025ના રોજ ગુજરાતની જનતાએ ભારે હૈયે અને ભીની આંખે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અંતિમ વિદાય આપી હતી. આ ઘટનાને હવે ત્રણેક મહિના થવા આવ્યા છે, ત્યારે એક ચોંકાવનારી જાણકારી સામે આવી છે. વિજય રૂપાણીની અંતિમયાત્રામાં થયેલો ખર્ચ ચૂકવવાની ભાજપે ના પાડી દીધી છે અને રૂપાણી પરિવાર પાસેથી જ આ ખર્ચો વસૂલવા માટે વેપારીઓને કહેવામાં આવ્યું છે.

વેપારીઓ ઘરે આવ્યા ત્યારે પરિવારને જાણ થઈ
પરિવારની નજીકના સૂત્રોએ એ વાતની સત્યતાને સમર્થન આપ્યું છે કે જુલાઈ મહિનામાં કેટલાક લોકો રૂપિયા લેવા માટે આવ્યા ત્યારે પરિવારે રૂપિયા આપવાના થશે એ વાતની ખબર પડી. વિજયભાઈના પરિવારને આવી પરિસ્થિતિથી આંચકો પણ લાગ્યો. રૂપિયા લેવા આવનારા વેપારીઓએ વિજય રૂપાણીની અંતિમવિધિમાં ફૂલહાર અને ટેન્ટને લગતી સામગ્રીની વ્યવસ્થા કરી આપી હતી. આ આખાય ઘટનાક્રમમાં નોંધવા જેવી વાત એ છે કે રૂપિયા લેવા માટે આવેલા વેપારીઓને રૂપાણી પરિવારે વિજયભાઈની જેમ જ મોટું મન રાખીને ચૂકવણી પણ કરી દીધી છે. જો કે હજુ પણ કેટલાક લોકો બાકી પેમેન્ટ લેવા આવી રહ્યા હોવાની જાણકારી મળી છે.

બિહારના મુઝફ્ફરપુરમાં એનડીએ કાર્યકર સંમેલન દરમિયાનમહાત્મા ગાંધીની પ્રતિમાને ભાજપને ટોપી પહેરાવામાં આવી છે.તેમજ કમળનું નિ...
15/09/2025

બિહારના મુઝફ્ફરપુરમાં એનડીએ કાર્યકર સંમેલન દરમિયાનમહાત્મા ગાંધીની પ્રતિમાને ભાજપને ટોપી પહેરાવામાં આવી છે.તેમજ કમળનું નિશાન ધરાવતો પક્ષનો ઝંડો હાથમાં આપવામાં આવ્યો છે. સંમેલનમાં શાહનવાઝ હુસૈન, જેડીયુ કાર્યકર અધ્યક્ષ
સંજય જ્હાં સહિત એનડીએના અનેક ધારાસભ્ય અને સાંસદ ઉપસ્થિત હતા. ફોટો વાઈરલ થયા બાદ રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. વિપક્ષ કોંગ્રેસ પાર્ટી અને આરજેડીએ ભાજપના આ કૃત્યને ગાંધી બાપુનું અપમાન ગણાવી મોરચો છેડ્યો છે. તેમજ બાપુની પ્રતિમાને ગંગાજળથી સાફ કરી હતી.

મુઝફ્ફરપુર તિલક મેદાન સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં રવિવારે જિલ્લાધ્યક્ષ અરવિંદ કુમાર મુકુલના નેતૃત્વ હેઠળ બેઠકયોજાઈ હતી. જે મીનાપુરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પર ભાજપની ટોપી પહેરાવવાના કૃત્યની નિંદા થઈ હતી. મુકુલે જણાવ્યું હતું કે, આ ઘટના રાષ્ટ્રીય ધરોહરનું અપમાન કરનારી છે. કોંગ્રેસની જિલ્લા કમિટી તેની આકરી ટિકા કરે છે. સોમવારેપક્ષનું એક પ્રતિનિધિમંડળ ડીએમને મળી દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવાની માગ કરશે. કોંગ્રેસના જિલ્લા પ્રવક્તાએ ભાજપના
જિલ્લા નેતૃત્વને માફી માગવા અપીલ કરી છે. રી હતી.

મુઝફ્ફરપુર તિલક મેદાન સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં રવિવારે જિલ્લાધ્યક્ષ અરવિંદ કુમાર મુકુલના નેતૃત્વ હેઠળ બેઠક યોજાઈ હતી. જેમાં મીનાપુરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પર ભાજપની ટોપી પહેરાવવાના કૃત્યની નિંદા થઈ હતી. મુકુલે જણાવ્યું હતું કે, આ ઘટના રાષ્ટ્રીય ધરોહરનું અપમાન કરનારી છે. કોંગ્રેસની જિલ્લા કમિટી તેની આકરી ટિકા કરે છે. સોમવારે પક્ષનું એક પ્રતિનિધિમંડળ ડીએમને મળી દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવાની માગ કરશે. કોંગ્રેસના જિલ્લા પ્રવક્તાએ ભાજપના જિલ્લા નેતૃત્વને માફી માગવા અપીલ કરી છે.

15/09/2025

દેશ આઝાદ થયાના આટલા વર્ષો પછી
ગુજરાતની મહિલાઓ આ રીતે નદી પસાર
કરવા મજબૂર બની રહી છે પ્રવીણ રામે કરી
પોસ્ટ

ગઈ કાલે, 14 સપ્ટેમ્બર 2025ના રોજ  T20માં ભારત-પાકિસ્તાન મેચ દુબઈમાં રમાઈ, પરંતુ આ મેચ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અ...
15/09/2025

ગઈ કાલે, 14 સપ્ટેમ્બર 2025ના રોજ T20માં ભારત-પાકિસ્તાન મેચ દુબઈમાં રમાઈ, પરંતુ આ મેચ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી માટે વિવાદનું કારણ બની ગઈ. નથવાણીએ મેચ જોવા દુબઈ જઈને ફોટા-વિડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા, જેમાં તેમણે "એક્સાઇટિંગ મેચ!" લખ્યું. દેશના લોકોમાં પહેલગામ આતંકવાદી હુમલામાં 26 શહીદોની યાદ હજુ તાજી છે લોકોએ સંપૂર્ણ પણે આ મેચને બાયકોટ્ટ કર્યો છે ત્યારે નથવાણીના આ કરતૂતથી લોકોમા ભારે રોષ ફેલાયો અને તેમને ખરાબ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો.

એક યુઝરે હિન્દીમાં લખ્યું: "आप सिर्फ खेल पर तालियां नहीं बजा रहे... ये उन भारत माँ के वीरों पे तमाचा है जो अपने देश के लिए बलिदान दे रहे हैं... और ये VIP लोग विरोध करने के बजाय तालियां बजा रहे हैं." બીજા યુઝરોએ નથવાણીને "આતંકીઓના સપોર્ટર" ગણાવી અને ટ્રેન્ડ કરવા કહ્યું. લોકોનો ગુસ્સો સ્પષ્ટ હતો: પહેલગામમાં શહીદ થયેલા લોકોના ખુન પછી મેચ જોવા જવું અને તાળીઓ બજાવવું એ ભારત દેશ અને શાહિદ પરિવારોનું અપમાન કહેવાય. મેચ જોવાના ફોટા-વિડિયોએ સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચાવી. જ્યારે એક બાજુ શહીદ પરિવારો વેદનામાં છે, અને મેચ ન જોવા માટે અપીલ કરી રહ્યો છે ત્યારે VIPઓની આ "મેચની મજા" લાગ્યા પર મીઠું ભભરાવવા જેવુ કામ કરી રહ્યા છે, લોકો લખી રહ્યા છે કે, એક તો જવું નહોતું, અને ગયા તો વિડિયો પોસ્ટ કરીને કોને શું પ્રમાણ આપો છો, દિલ્લી વાળા બન્ને સાહેબોને રિલાયન્સની વફાદારી સાબિત કરી દીધી? નથવાણીએ તેમની ભૂલ સ્વીકારી સામે આવીને જનતાના સવાલોનો જવાબ આપવો જોઈએ !

 #સ્વયંસિદ્ધા_ઇવેન્ટ_કોના_સિંદૂર_માટે? શહીદ પત્નીની અપીલને અવગણીને કોના 'સિંદૂર'નું ગીત ગાવો છો?ગઈ કાલ, 14 સપ્ટેમ્બર 202...
15/09/2025

#સ્વયંસિદ્ધા_ઇવેન્ટ_કોના_સિંદૂર_માટે?
શહીદ પત્નીની અપીલને અવગણીને કોના 'સિંદૂર'નું ગીત ગાવો છો?

ગઈ કાલ, 14 સપ્ટેમ્બર 2025ના રોજ ભારત-પાકિસ્તાનની મેચ રમાઈ ગઈ, જેમાં ભારતીય જનતાનો રોષ ભભૂકી ઉઠ્યો. કારણ? પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા શુભમ દ્વિવેદીની પત્ની એશાન્યા દ્વિવેદીએ 'મેચ બોયકોટ કરો'ની અપીલ કરી હતી, કહ્યું કે આ મેચ શહીદોનો અપમાન છે. પરંતુ તે જ દિવસે જામનગરના સાંસદ પૂનમબેન માડમ ગુજરાત વિશ્વવિદ્યાલય, અમદાવાદમા ABVP ગુજરાતના 'સ્વયંસિદ્ધા પ્રદેશ વિદ્યાર્થીની સમ્મેલન'માં હાજરી આપી, જ્યાં રાણી અબ્બક્કાના જીવન અને #ઓપરેશન_સિંદૂર' પર મહિલા શક્તિનો કાર્યક્રમ થયો, પૂનમબેને પોસ્ટ પણ કરી. િવસે_જેનું_સિંદુર_ભુસાયુ_છે_એ_રોઈ_રહી_છે અને #બીજી_તરફ_બીજેપી_નેતા_હાસ્ય_સાથે_ઓપરેશન_સિંદૂરની_ઇવેન્ટ_કરી_રહ્યા_છે,

તે જ દિવસે, જ્યારે એશાન્યા દ્વિવેદી મેચ બોયકોટની અપીલ કરી રહી હતી, ત્યારે જામનગરના સાંસદે પોસ્ટમાં કહ્યું, "નારી હી સૃજન છે, નારી હી પ્રેરણા છે... રાણી અબ્બક્કાજીના જીવન અને ઓપરેશન સિંદૂર પર ઊર્જાવાન નારી શક્તિ સાથે વાતચીત કરી." કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ પર ભાર મૂકાયો, પરંતુ સવાલ ઊભો થાય છે: જે મહિલા (એશાન્યા)નું સિંદૂર આતંકીઓએ ઉજાડ્યું, તેની વેદનાદાયક અપીલને અવગણીને 'સ્વયંસિદ્ધા' કાર્યક્રમ કોના 'સિંદૂર' માટે? ભાજપ સરકારને રડતા એશાન્યા દ્વિવેદીને કેમ અવગણવામાં આવ્યા? તેમના આંશુઓ ની કેમ અવગણના થઈ ? વિધવા મહિલાની અવગણના કરી 'ઓપરેશન સિંદૂર'ની વાત કરીને કોની 'સ્વયંસિદ્ધા' બનાવો છો?

પહેલગામ હુમલામાં 26 શહીદોની યાદમાં મેચ બોયકોટની અપીલને ભાજપ સરકાર અવગણો છો, અને તે જ દિવસે 'ઓપરેશન સિંદૂર'ની વાત કરીને કોના 'સિંદૂર'નું રક્ષણ કરો છો? આ સવાલો ભાજપ સરકાર અને પૂનમબેન માડમને ઘેરી રહ્યા છે, અને જનતા જવાબની રાહ જોઈ રહી છે.

ભારતમાં ખેડૂતોની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. વધતું દેવું, ઓછી આવક અને કુદરતી આફતોના કારણે લાખો ખેડૂતોના પરિવારો વિના...
14/09/2025

ભારતમાં ખેડૂતોની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. વધતું દેવું, ઓછી આવક અને કુદરતી આફતોના કારણે લાખો ખેડૂતોના પરિવારો વિનાશ પામી રહ્યા છે. પરંતુ આ તમામ સમસ્યાઓનો એકમાત્ર ઉપાય છે 'સ્વામીનાથન કમિશન'ની ભલામણોનો સંપૂર્ણ અમલ! આ કમિશન ખેડૂતોના બચાવ માટેનું બ્લુપ્રિન્ટ છે, અને જો તેને લાગુ કરવામાં આવે તો અને તો જ ખેડૂતો બચી શકે છે. સરકારે આ કમિશનને કાગળ પરની વાત ન બનાવવી જોઈએ, જો ખરેખર ભારત સરકાર ખેડૂતોનું હિત ઇચ્છતી હોય તો તેને તરત અમલમાં મૂકવું જ જોઇયે!

સ્વામીનાથન કમિશન, જેને 'રાષ્ટ્રીય ખેડૂત આયોગ' (National Commission on Farmers - NCF) તરીકે પણ ઓળખવામાં
આવે છે, ભારત સરકારે 18 નવેમ્બર 2004માં રચ્યું હતું. તેના અધ્યક્ષ ડૉ. એમ.એસ. સ્વામીનાથન હતા, જે 'લીલી ક્રાંતિ'ના પિતા તરીકે જાણીતા છે. કમિશને ખેડૂતોની આત્મહત્યાઓ અને કૃષિ ક્ષેત્રની સમસ્યાઓને સમજવા માટે દેશભરમાં અભ્યાસ કર્યા અને 2004થી 2006 સુધી 5 અહેવાલો સોંપ્યા. આ અહેવાલોમાં કુલ 200થી વધુ ભલામણો છે, જે 1,946 પાના જેટલા વ્યાપક છે. આ કમિશનનો મુખ્ય ઉદ્દેશ 'ઝડપી અને સમાવેશી કૃષિ વૃદ્ધિ' હતો, જેથી ખેડૂતોની આવક વધે અને તેઓનું જીવન સુધરે.

ભારતમાં 50%થી વધુ વસ્તી કૃષિ પર આધારિત છે, પરંતુ ખેડૂતોની આવક સરેરાશ 10,000 રૂપિયા માસિક છે – જે શહેરી કર્મચારીઓની તુલનામાં ખૂબ ઓછી છે. સ્વામીનાથન કમિશન અમલમાં આવે તો MSPથી આવક વધશે, દેવું ઘટશે, અને તાલીમથી નવી પેઢી કૃષિ અપનાવશે. આજે આ કમિશન અમલમાં ન આવવાથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને આંદોલનો કરી રહ્યા છે. જો તે અમલમાં આવે તો ખેડૂતોની આવક બમણી થઈ શકે, આત્મહત્યાઓ 50% ઘટી શકે, અને કૃષિ ટકાઉ બની શકે. આ અમલ વિના ખેડૂતો બચી શકે નહીં – તેમનું જીવન દેવું અને તકલીફમાં ખતમ થઈ જશે!

સ્વામીનાથન કમિશનની ભલામણો 2018માં MSPમાં આંશિક અમલમાં આવી, પરંતુ કાયદાકીય અધિકાર નથી. 2020-21ના આંદોલનમાં આ ભલામણો મુખ્ય માંગ હતી. સરકારે આ કમિશનને તરત અમલમાં મૂકવું જ પડશે – નહીં તો ખેડૂતોના આંદોલનો દિન પ્રતિદિન વધસે અને તે વધુ તીવ્ર બનશે અને તેની મોટી અશર દેશની અર્થવ્યવસ્થા પર પડશે. ખેડૂતોના હક માટે આ કમિશન અમલમાં આવે તો જ ભારતના અન્નદાતા બચી શકે!

14/09/2025

'ભારત-પાકિસ્તાન મેચને બોયકોટ કરો', પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્ની એશાન્યા દ્વિવેદીની અપીલ !
પહલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી ક્રિકેટનો વિરોધ કર્યો છે. શુભમની પત્ની એશાન્યા દ્વિવેદી,તેમના પિતા સંજય દ્વિવેદી અને તેમના સમગ્ર પરિવારે BCCI મા આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. એશાન્યાએ કહ્યું, 'હું નથી સમજી શકતી. હું લોકોને તેનો બહિષ્કાર કરવાની વિનંતી કરું છું. તેને જોવા ન જાઓ અને તેના માટે તમારુ ટીવી પણ ચાલુ ન કરો.'

ICC ચેરમેન જય શાહ અને ગૃહમંત્રી અમિત શાહ પર લોકોનો રોષ વધી રહ્યો છેશું રાષ્ટ્રવાદ માત્ર ભાષણોમાં સીમિત છે ? કે સત્તાના જ...
14/09/2025

ICC ચેરમેન જય શાહ અને ગૃહમંત્રી અમિત શાહ પર લોકોનો રોષ વધી રહ્યો છે
શું રાષ્ટ્રવાદ માત્ર ભાષણોમાં સીમિત છે ? કે સત્તાના જોરે લોકોની ભાવના સામે વેપાર ?

આજે એશિયા કપ T20ની ભારત-પાકિસ્તાન મેચ દુબઈમાં 8:00 વાગ્યે શરૂ થવા જઈ રહી છે, પરંતુ આ મેચથી ભારતીય જનતામાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. કારણ છે 22 એપ્રિલ 2025નો પહેલગામ આતંકવાદી હુમલો, જેમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ 26 નિર્દોષ પર્યટકોના ખુન કર્યા હતા. આ દુ:ખદ ઘટનાની યાદ હજુ તાજી હોવા છતાં, BCCI અને ICC દ્વારા મેચ કેંસલ કરવાનો કોઈ પ્રયાસ થયો નથી, જેના કારણે ICC ચેરમેન જય શાહ અને ગૃહમંત્રી અમિત શાહ પર લોકોનો રોષ વધી રહ્યો છે.

ICC ચેરમેન જય શાહ, જે ડિસેમ્બર 2024થી આ પદે છે અને અમિત શાહના દીકરા છે, પર લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. જય શાહને ICCના નિયમોમાં ફેરફાર કરીને મેચ કેંસલ કરવાની સત્તા છે, જ્યારે પહેલગામના 26 શહીદોની યાદ હજુ તાજી છે, ત્યારે તેમનું મૌન ગંભીર સવાલ ઉઠાવે છે. શું તેમની પ્રાથમિકતા રાષ્ટ્રવાદ કરતાં આંતરરાષ્ટ્રીય રેન્કિંગ અને આર્થિક લાભ છે?

શું અમિત શાહનો રાષ્ટ્રવાદ માત્ર ભાષણોમાં સીમિત છે ? કે તેમની સત્તા શહીદોની ભાવના સાથે રમતગમતનો વેપાર ચલાવવા માટે છે? લોકો કહી રહ્યા છે: જો જય શાહ ICCમાં મેચ કેંસલ કરે, તો ભારતનો રાષ્ટ્રવાદી સ્ટેન્ડ મજબૂત થશે – તો કેમ નથી કરી રહ્યા? BCCI અને ICC દ્વારા મેચ કેંસલ કરવાનો કોઈ પ્રયાસ ન થવો લોકો માટે આશ્ચર્યજનક છે. જય શાહ, જે BCCIના પૂર્વ સેક્રેટરી અને હાલ ICC ચેરમેન છે, તેમની બંને ભૂમિકાઓમાં ભારતના હિતોનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી છે. પરંતુ પહેલગામ હુમલા પછી માત્ર 5 મહિનામાં આ મેચ રમવાનો નિર્ણય લોકોને ગળે ઉતરતો નથી. શું આ નિર્ણય પાછળ આર્થિક હિતો છે, કે પાકિસ્તાન સાથે રાજકીય સમાધાનની શોધ? લોકોનો સ્પષ્ટ અવાજ છે કે આ મેચ શહીદોનો અપમાન છે, અને તેને કેંસલ કરવું જોઈએ..

એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને લઈને શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ રસ્તા...
13/09/2025

એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને લઈને શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ રસ્તા પર ઉતરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 'એક આતંકવાદી દેશ સાથે મેચ રમવી એ રાષ્ટ્રીય ભાવનાનું અપમાન છે.' ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શિવસેનાના કાર્યકરો સમગ્ર મહારાષ્ટ્રમાં રસ્તા પર ઉતરશે અને મેચનો વિરોધ કરશે.

આદિત્ય ઠાકરે કહ્યું હતું કે, 'ભાજપે પોતાની વિચારધાર બદલી નાખી છે. લોહી અને પાણી એક સાથે ન વહી શકે, તો ક્રિકેટ મેચ કેવી રીતે થઈ શકે. કોંગ્રેસની મહારાષ્ટ્ર એકમે આ પહેલા પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો અને ફરજ દરમિયાન શહીદ થયેલા સૈનિકોનું અપમાન ગણાવ્યું હતું. તો, શરદ પવારના નેતૃત્વ હેઠળની NCP (SP) એ કહ્યું કે, મેચ માટે પરવાનગી આપવાથી સરકારના બેવડા ધોરણો છતા થાય છે.'

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'આપણા સૈનિકો સરહદ પર પોતાના જીવનું બલિદાન આપી રહ્યા છે, શું આ સ્થિતિમાં આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું જોઈએ? મારા પિતા બાળાસાહેબ ઠાકરે એ જાવેદ મિયાંદાદને કહ્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, ત્યાં સુધી ક્રિકેટ નહીં રમાય.'

#

https://youtu.be/9df28P9huGk?si=AowIUuAy4Dm2iI5O નરેન્દ્ર મોદી પહોચ્યા મણિપુર કોંગ્રેસે કર્યા સવાલો | Narendra modi | Ma...
13/09/2025

https://youtu.be/9df28P9huGk?si=AowIUuAy4Dm2iI5O

નરેન્દ્ર મોદી પહોચ્યા મણિપુર કોંગ્રેસે કર્યા સવાલો | Narendra modi | Manipur | Supriya Sindhe

Address

Jamnagar

Alerts

Be the first to know and let us send you an email when Sanatan Satya Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sanatan Satya Samachar:

Share