Sanatan Satya Samachar

Sanatan Satya Samachar Sanatan Satya Samachar Studio is a dedicated platform committed to uplifting and empowering people across India.

We tirelessly work to promote freedom of expression within the nation’s unbroken and cherished democracy, shedding light on people’s rights,

14/12/2025

શું ધનવાનોને જ પ્રતિષ્ઠા હોય છે?

https://www.facebook.com/share/v/1G7g42cD4G/

સંસદસભ્ય પરિમલ નથવાણીએ 13 ડીસેમ્બર 2025ના રોજ, સોશિયલ મીડિયા પર જાણ કરી છે કે “મેં 100 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કર્યો છે. માનનીય કોર્ટે હુકમ કરેલ છે કે મારી સામેનું બધું જ બદનક્ષીવાળું કન્ટેન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી 48 કલાકમાં દૂર કરવું. મેં સનાતન સત્ય સમાચાર, સંજય ચેતરિયા, ધ ગુજરાત રિપોર્ટ, મયુર જાની, હિમાંશુ ભાયાણી, દિલીપ પટેલ અને ભાવિન @ બન્ની ગજેરા સામે મારા વિશે ખોટી અને બદનક્ષીભરી સામગ્રી ફેલાવવા બદલ રૂપિયા 100 કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. 12 ડીસેમ્બર 2025ના રોજ, માનનીય કોર્ટે સંડોવાયેલા તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓને નોટિસ અને સમન્સ જારી કર્યા છે.“

થોડાં મુદ્દાઓ :
[1] કોઈ પણ વ્યક્તિને બદનક્ષી રોકવાનો અધિકાર છે. પાયાવિહોણા હુમલાઓથી બચાવ કરવાનો અધિકાર છે જ. પરંતુ શું ગરીબ / મધ્યમ વર્ગની વ્યક્તિ પોતાની બદનક્ષી રોકી શકે છે? શું કોર્ટ તેમને સાંભળે છે? સ્વતંત્ર ડિજિટલ મીડિયા ચલાવનાર આર્થિક રીતે નબળા હોય છે, જ્યારે કોર્પોરેટ કંપની/ તેમના પ્રતિનિધિને કોર્ટનો/ વકીલનો ખર્ચ પોસાય છે. કોર્પોરેટ કંપની/ વ્યક્તિ પાસે કાનૂની કાર્યવાહી કરવા માટે નોંધપાત્ર નાણાકીય સંસાધનો હોય છે. શું આર્થિક નબળી વ્યક્તિ કોર્પોરેટ વ્યક્તિ સામે ટકી શકે?

[2] કઈ કોર્ટે રાહત આપી છે તેનો ઉલ્લેખ પરિમલ નથવાણીએ કરેલ નથી. સિવિલ કોર્ટ કે હાઈકોર્ટ? કઈ સિવિલ કોર્ટ?

[3] સામેની પાર્ટીને સાંભળ્યા વગર કોર્ટ આવો હુકમ કરી શકે? કરે તો ક્યાં સંજોગોમાં કરી શકે? શું આપણી કોર્ટ ક્યારેય ગરીબ/ મધ્યમ વર્ગની વ્યક્તિની બદનક્ષી રોકવા એકપક્ષીય આવો હુકમ કરે છે? શું ધનવાનોને જ પ્રતિષ્ઠા હોય છે?

[4] શક્તિશાળી કોર્પોરેટ અને રાજકીય સંસ્થાઓ દ્વારા ટીકા, investigative journalism અને જાહેર ચર્ચાને શાંત કરવા માટે માનહાનિના મુકદ્દમાઓનો વ્યૂહાત્મક ઉપયોગ ‘હથિયાર‘ તરીકે થઈ શકે છે, જે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર ભયાનક અસર કરી શકે છે. આ હથિયારનો હેતુ ટીકાકારોને ચૂપ કરવાનો હોય છે. ભલે કેસ નબળો હોય. ધ્યેય ઘણીવાર કેસ જીતવાનો નથી હોતો, પરંતુ વિરોધીને લાંબી કાનૂની લડાઈમાં ફસાવવાનો હોય છે. કેસની પ્રક્રિયા જ સજા બની જાય છે. જેથી થાકી-હારી હાથ જોડી ચૂપ રહે. ખર્ચાળ મુકદ્દમાનો સામનો ન કરી શકનાર મીડિયા આઉટલેટ્સ કાનૂની પરિણામોના ડરથી જાહેર હિતની ચિંતાઓ પર રિપોર્ટિંગ કરવાનું ટાળે છે.

[5] બદનક્ષીના કેસમાં વાદીએ સાબિત કરવું આવશ્યક છે કે ખોટા નિવેદનથી ગંભીર નુકસાન અથવા નાણાકીય નુકસાન થયું છે અથવા થવાની સંભાવના હતી. એક તરફ બદનક્ષીનો કાયદો પ્રતિષ્ઠાને સુરક્ષિત રાખવા માટે મદદ કરે છે. પરંતુ બીજી તરફ શક્તિશાળી વ્યક્તિ/ કંપની/ સંસ્થા આ કાયદાનો દુરુપયોગ આલોચના અને રિપોર્ટિંગને દબાવવા માટે કરી શકે છે.

[6] આવા કેસમાં બચાવ શું? જાહેર હિત અને વાજબી ટિપ્પણી એ બચાવ છે. જાહેર ચિંતાના મુદ્દાઓ પર તથ્ય વિશ્લેષણ અથવા સદભાવનાવાળા મંતવ્યો પર આધારિત નિવેદનો ઘણીવાર સુરક્ષિત હોય છે અને બદનક્ષીભર્યા માનવામાં આવતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માનહાનિના કેસોનો ઉપયોગ રાજકીય અથવા કોર્પોરેટ ‘શસ્ત્ર’ તરીકે અસંમતિ અને ટીકાને દબાવવા માટે ન કરવો જોઈએ. rs

હળવદથી ખાવડા સુધી અદાણી કંપની દ્વારા અદાણી હાઈ ટેન્શન વીજ લાઇન પાણીના ભાવે કાઢવામાં આવી રહી છે. આ વાતનો ખેડૂતો છેલ્લા 11...
13/12/2025

હળવદથી ખાવડા સુધી અદાણી કંપની દ્વારા અદાણી હાઈ ટેન્શન વીજ લાઇન પાણીના ભાવે કાઢવામાં આવી રહી છે. આ વાતનો ખેડૂતો છેલ્લા 110 દિવસથી વિરોધ કરી રહ્યા છે. અમે સરકાર સાથે બેઠક કરી, કલેક્ટર સાથે બેઠક કરી હતી પણ આજ દિવસ સુધી કોઈ નિર્ણય આવ્યો ન હતો. અમે શાંતિથી લડત ચલાવી રહ્યા હતા છતાં અમારી બહેન-દીકરીઓને ઢસડી ઢસડીને ડિટેઈન કરવામાં આવી રહ્યા છે. ત્યારે જગતનો તાત હવે ક્યા સુધી આ પરિસ્થિતિને સહન કરશે. જમીનનું પૂરતું વળતર ચૂકવવામાં આવે એટલી જ અમારી માગ છે ; ખેડૂતો
કચ્છના સામખીયારી નજીક વાંઢીયા ગામે ખેડૂતોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ કર્યો હતો. અદાણી કંપની દ્વારા હાઈ-ટેન્શન વીજ
લાઈનના ટાવર ઊભા કરવાના કામ સામે અપૂરતા જમીન વળતર મુદ્દે ખેડૂતો છેલ્લા ચાર મહિનાથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે કચ્છ કિસાન સંઘ દ્વારા મહાસભા યોજવામાં આવી હતી. જે બાદ રેલી યોજાઈ હતી. તેમજ ધોરીમાર્ગ પર મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી ચક્કાજામ કર્યો હતો.
ખેડૂતોની મુખ્ય એક જ માગ છે કે અમને જંત્રીના ભાવના બદલે હાલની બજાર કિંમત મુજબ વળતર આપવામાં આવે. આ મુદ્દે ખેડૂતો છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન કરી રહ્યા હતા, ત્યારે આજે ખેડૂતોએ ચક્કાજામ કરીને કંપની સામે તેમજ સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આ ચક્કાજામ બપોરે 3:30 વાગ્યાથી શરૂ કરાયું હતું. જે સાંજ સુધી ચાલ્યું હતું. જેના કારણે ધોરીમાર્ગ પર બંને તરફ આશરે 10-10 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી. ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી સાથે
વાંઢીયા ખાતે કચ્છ કિસાન સંઘ દ્વારા મહાસભા યોજવામાં આવી હતી. જેમાં 120 દિવસથી ચાલી રહેલા આંદોલનને ભવિષ્યમાં પણ ચાલુ રાખવાનો ખેડૂતોએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ મહાસભામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. રામધૂન કર્યા બાદ ખેડૂતોએ રેલી યોજી હતી અને વાંઢીયામાં ચાલી રહેલું કામ બંધ કરાવ્યું હતું.

13/12/2025

અહીં સૌથી મોટો સવાલ એ છે કે—જો કોમન પ્લોટ ખાલી કરાવવાનો જ નિયમ છે, તો શું એ નિયમ આખા જામનગરમાં સમાન રીતે લાગુ પડે છે? શહેરમાં અનેક કોમન પ્લોટ એવા છે જ્યાં મોટા નેતાઓના સંબંધીઓ, કાર્યકર્તાઓ અને પ્રભાવશાળી લોકો વર્ષોથી દબાણ કરીને બેઠા છે—ક્યાંક સો રૂમ, ક્યાંક લાખોનો ધંધો. ત્યાં જામનગર મહાનગર પાલિકા ક્યારેય પહોંચી નથી. પરંતુ ગરીબ મજૂરનું ઘર તોડવામાં એક મિનિટનો પણ વિલંબ કરાયો નથી. શું આ પસંદગીનો ન્યાય છે? શું આ ‘એકને ગોળ અને એકને ખોળ’ની સિસ્ટમ નથી?

જો કોઈ ગેરકાયદેસર બાંધકામ છે તો તે તોડવું જ જોઈએ—પણ કાયદો બધાં માટે સમાન હોવો જોઈએ. કોર્ટનો ચુકાદો બાકી હોય ત્યારે કાર્યવાહી કરીને શું JMC પોતાને કોર્ટથી પણ ઉપર માને છે? કે પછી ક્યાંક પૈસા અને દબાણ બોલી રહ્યું છે? જામનગરના કમિશ્નર સાહેબને ખુલ્લો પડકાર છે—એક દિવસ નક્કી કરો, અમે તમને શહેરના બધા કોમન પ્લોટ બતાવીએ, જ્યાં મોટા માથાં બેઠાં છે. ગરીબને દબાવીને શાસન મજબૂત થતું નથી. ન્યાય ત્યારે જ જીવંત કહેવાય, જ્યારે તે ગરીબ અને શક્તિશાળી—બન્ને માટે એકસમાન હોય.

જામનગર – વિશ્વની સૌથી મોટી રિફાઇનરીઓનું શહેર. અબજો રૂપિયાના નફો કમાતી કંપનીઓ. અબજો રૂપિયાનો બિઝનેસ કરતા બિઝનેસમેન નેતાઓ....
12/12/2025

જામનગર – વિશ્વની સૌથી મોટી રિફાઇનરીઓનું શહેર. અબજો રૂપિયાના નફો કમાતી કંપનીઓ. અબજો રૂપિયાનો બિઝનેસ કરતા બિઝનેસમેન નેતાઓ. ત્રિપલ એન્જિનની સરકાર, કોર્પોરેશન, રાજ્ય અને કેન્દ્ર – બધું જ ભાજપનું. કરોડો રૂપિયાનો કંપનીઓનો CSR ફંડ, જેનો કાયદેસર હક જામનગરનો છે. પરંતુ આ જ શહેરમાં, વિશ્વનું પ્રતિષ્ઠિત આયુર્વેદ સંશોધન કેન્દ્ર – Institute of Teaching & Research in Ayurveda (ITRA) – ત્યાં એક સામાન્ય X-Ray મશીન મહિનાઓથી બંધ પડ્યું છે. અને જનતા પરેશાન થઈ રહી છે. ત્યારે જામનગરના લોકલાડીલા સાંસદને સવાલ કરવો પડે કે આ બે જવાબદારીના જવાબદાર કોણ છે?
દરરોજ સૈંકડો દર્દીઓ અહીં આવે છે – દ્વારકા, ખંભાળિયા, જામજોધપુર, કાલાવડ, જોડિયા, લાલપુર, કલ્યાણપુર, ભાણવડ – દૂર દૂરના તાલુકાઓ અને ગામોમાંથી સારવારની આશા લઈને લોકો અહીં પહોંચે છે. પરંતુ જ્યારે ડૉક્ટર કહે, “તમારે X-Ray કરાવવો પડશે…” તો જવાબ મળે: “મશીન બંધ છે. તમે GG હોસ્પિટલમાં જાઓ.” અને GG હોસ્પિટલમાં? કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે… વારો જ ન આવે… અને અંતે લોકો મજબૂરીમાં પ્રાઇવેટ X-Ray માટે 500-700 રૂપિયા ચૂકવે. આજના સમયમાં, એક ગરીબ દર્દી માટે આ 500-700 રૂપિયા દવા લેવા કે અનાજ ખરીદવા – તેવી કફોડી હાલત છે. શું થ્રી ટાયર શહેરની હાલત આવી જ રહેશે, કે પછી સાંસદ જનતાને ફરી સાંભળાવશે કે “થ્રી ટાયર શહેરમાં અમે 6 કિમી લાંબો બ્રિજ બનાવી આપ્યો, એ તમને નથી દેખાતો?” શું તંત્ર આ મુદ્દાને ગંભીરતાથી લેતું નથી? શું કોઈ ઇચ્છાશક્તિ જ નથી? કે પછી આ શહેરની આરોગ્ય વ્યવસ્થા ભગવાનના ભરોસે છે?
જવાબદારીથી ભાગો… બહાના આપો… અને લોકોને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ધકેલો… આ કોર્પોરેટ વિચારધારા અમલમાં તો નથી ને? જનતાનો સવાલ છે. અમે પ્રશ્નો પૂછતા રહીશું… કારણ કે જનતાનો હક – કોઈની મહેરબાનીથી નહીં, કાયદાથી મળે છે. “પાર્ટ્સ મળતા નથી… પ્રોસેસમાં છે… રિપેરિંગ ચાલી રહ્યું છે…” – આ બહાનાઓ ક્યારે બંધ થશે?

સનાતન સત્ય સમાચારની માંગ છે:

તુરંત રિપેરિંગ: ITRAમાં X-Ray મશીનની તાત્કાલિક રિપેરિંગ અને નવું મશીન લગાવો.
CSR ફંડનો ઉપયોગ: રિલાયન્સના CSRમાંથી ITRA જેવા સ્થાનિક સંસ્થાઓ માટે મદદ આપો.
જવાબદારી: આરોગ્ય મંત્રી, સાંસદ ,ધારાસભ્ય, મેયર અને AYUSH વિભાગના અધિકારીઓ જવાબ આપે.

11/12/2025

જામનગરનું ઝેરી કચરો સયયંત્ર: રિલાયન્સના ડમ્પિંગ પર પડદો ઉઠ્યો – સાંસદથી મેયર સુધીની ચૂપ્પી
સનાતન સત્ય સમાચાર | 11 ડિસેમ્બર 2025
જામનગર: જામનગરની રિલાયન્સ રિફાઇનરીએ એક વર્ષથી ઝેરી કચરાનું ડમ્પિંગ કરીને લોકોના જીવને જોખમમાં મૂક્યો છે, જેનો સનાતન સત્ય સમાચારે પર્દાફાશ કર્યો. રિપોર્ટિંગ પછી ડમ્પિંગ બંધ થયું, પરંતુ હવે રાતોરાત કચરો ફોરીને માટી નાખવાનું શરૂ થયું – શું પુરાવા નષ્ટ થઈ રહ્યા છે? લોકોનો આક્ષેપ છે કે આ જામનગરને રોગચાળામાં ધકેલીને ખાલી કરવાનું સયયંત્ર છે, જેમાં સાંસદથી મેયર સુધીની ભૂમિકા હોઈ શકે છે.

છેલ્લા એક વર્ષથી 30 કિમી દૂરથી કચરો શહેરમાં ડમ્પ થયો, જેનાથી દુર્ગંધ અને શ્વાસની સમસ્યાઓ વધી. રિલાયન્સના નિવેદનો (RIL.com) મુજબ, હેઝાર્ડસ વેસ્ટને સુરક્ષિત લેન્ડફિલમાં ડિસ્પોઝ કરવામાં આવે છે, પરંતુ આ કચરો શહેરની વસ્તી વચ્ચે કેમ પહોંચ્યો, તેનો જવાબ નથી.

ડમ્પિંગ બંધ થયા પછી 10 ટ્રકો દ્વારા કચરો ફોરીને માટી નાખવામાં આવી રહ્યો છે. સ્થાનિકોનો દાવો છે કે આ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ છે. રિલાયન્સના કોન્ટ્રાક્ટર અને ટ્રકના ડ્રાઈવર સ્વીકારે છે કે આ કચરો રિલાયન્સનો છે, પરંતુ જામનગરના નેતાઓ સ્વીકારવા તૈયાર નથી. છેલ્લા એક વર્ષથી આ કચરો શહેરની વસ્તી વચ્ચે ડમ્પ થતો હતો, જેનાથી દુર્ગંધ અને આરોગ્ય સમસ્યાઓ વધી. હવે અમુક વસ્તુઓ અલગ કરીને દફનાવવામાં આવી રહ્યી છે – શું આ ઝેરી કેમિકલ્સ છે?

છેલ્લા ચાર મહિનામાં સોસાયટીઓએ અરજીઓ કરી, પરંતુ કોઈ કાર્યવાહી નહોતી. 10 ડિસેમ્બરની જાહેર હિત અરજી પછી પણ GPCB અધિકારીઓ અને પોલીસ હજુ સુધી તપાસ માટે નથી પહોંચ્યા.

લોકોના આરોપો મુજબ, આ ડમ્પિંગ જામનગરને રોગચાળામાં ધકેલીને ખાલી કરવાનું સડયંત્ર છે, જેથી રિલાયન્સ પોતાના લોકોને સેટ કરી શકે. ઠેબા, વિભાપર જેવા અલગ અલગ વિસ્તારોમાં પણ આવા કચરાના ડમ્પિંગના રિપોર્ટ્સ છે, જે સંદેહને વધારે છે. રિલાયન્સ જેવી મોટી કંપની માટે કચરો ભસ્મ કરવું સરળ છે, તો 30 કિમી દૂરથી જામનગરમાં કેમ ડમ્પ કરવું? એનું કારણ શું ? શું આ માનવીય હત્યાનું કૃત્ય નથી ?

અમારી માંગણીઓ: તુરંત કાર્યવાહી કરો!

FSL તપાસ: કચરાનું ફોરેન્સિક એનાલિસિસ અને વિસ્તારને સીલ કરો.
FIR: રિલાયન્સ, કોન્ટ્રાક્ટર અને JMC અધિકારીઓ સામે FIR નોંધો.
સ્વાસ્થ્ય સેવા: અસરગ્રસ્ત વિસ્તારોમાં ફ્રી હેલ્થ ચેક-અપ શરૂ કરો.
જવાબદારી: સાંસદ, મેયર, ધારાસભ્ય અને GPCB અધિકારીઓ પત્રકાર પરિષદ કરી જવાબ આપે.

દિલ્હીમાં દેશનાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સાક્ષાત હાજરીમાં મળવાનો અવસર પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશ ડેર ...
10/12/2025

દિલ્હીમાં દેશનાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સાક્ષાત હાજરીમાં મળવાનો અવસર પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશ ડેર માટે ગૌરવ અને પ્રેરણાનો ક્ષણ બની રહ્યો. પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાની હાજરીમાં PM મોદીએ ખૂબ સ્નેહભરી રીતે વાતચીત કરી અને રાજુલા નગરપાલિકા તથા યુવા ભાજપમાં અમરીશ ડેર દ્વારા કરવામાં આવેલી જાહેર-સેવાની સફરને યાદ કરી. વડાપ્રધાનની “મેઘાવી યાદશક્તિ” ફરી એકવાર અનુભવી, જ્યારે તેમણે પોતે જ રાજુલામાંના તેમના કાર્યો યાદ કરીને શુભેચ્છા પાઠવી..
વાતચીત દરમિયાન PM મોદીએ સાહિત્યકાર માયાભાઈ આહિર વિશે વિશેષ પૂછપરછ કરી અને વનદેવીયાં માતુશ્રીએ વડનગર ખાતે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમને પણ સ્નેહપૂર્વક યાદ કર્યો. તેમ જ તેમણે અમરીશ ડેર દ્વારા પ્રેરિત “એક પેડ, એક નામ” પ્રોજેક્ટને વિશ્વસ્તરે પહોંચાડવામાં આવ્યું એ બાબતે રાજીપો વ્યક્ત કર્યો. આ માત્ર એક પ્રોજેક્ટ નથી—પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને
સામાજિક આંદોલન તરીકે રજૂ કરવાની એક અનોખી પહેલ છે, અને વડાપ્રધાન દ્વારા એની પ્રશંસા થવી એ સમગ્ર ટીમ માટે ગૌરવની બાબત છે. PM મોદીએ અમરીશ ડેરને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી અને જાહેર જીવનમાં તેમના યોગદાનને માન્યતા આપી. રાજુલા અને આસપાસના વિસ્તારમાં વિકાસની નવી દિશાઓ ઉભી કરવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ બની છે. રાષ્ટ્રીય નેતૃત્વ સાથેની સીધી સંવાદિતા અને તેમની તરફથી મળેલી પ્રેરણા એ દર્શાવે છે કે અમરીશ ડેરની કામગીરી માત્ર રાજુલા સુધી સીમિત નથી—પણ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ તેની અસર દેખાય છે. અપેક્ષા ચ્હે કે અમરિશ ડેર અને માયાભાઇ આહીર લોકોના પ્રશ્નો સચોટ રીતે રજૂ કરે અને એના નિવાકરન માટે પણ pm સાથે ચર્ચા કરે ખેડૂતો, મજૂરો, બે રોજગાર યુવાનો અને ગામડાના સિક્ષણ વિષે ચિંતા કરે



Ambarish Der Mayabhai Ahir PMO India Arjun Modhwadia

09/12/2025

ખેડૂતોની કફોડી સ્થિતિ નેતાઓ મૌન

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌથી વ્યસ્ત જકાતનાકાથી સાંઢીયા પુલ સુધીના માર્ગને પહોળો કરવા મેગા ડિમોલિશન કાર્યવાહી શ...
09/12/2025

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌથી વ્યસ્ત જકાતનાકાથી સાંઢીયા પુલ સુધીના માર્ગને પહોળો કરવા મેગા ડિમોલિશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત આશરે 15 કરોડ રૂપિયાની કિંમતની 52 હજાર ચોરસ ફૂટથી વધુ જમીન ખુલ્લી કરાવવામાં આવશે. શહેરના ટ્રાફિક અને વાહનવ્યવહારને સુગમ બનાવવાના હેતુથી આ કામગીરી હાથ ધરાઈ છે. પરંતુ લોકો સવાલ એ કરી રહ્યા છે કે શું આ રસ્તાઓ કંપનીઓની સેવા માટે ખુલ્લા કરવામાં આવી રહ્યા છે ? કારણ કે જામનગર શહેરમાં તમામ નિયમ કાનૂન ના ધ્જિય ઉડાવી હજારોની સંખ્યામાં મહાકાય કંપનીઓની બસો દોડી રહી છે બાળકોને સાઇકલ લઈને સ્કૂલ જવામાં પણ ખૂબ તકલીફ થઈ રહી છે, લોકો પોતાના ભૂલકાઓને રોડ પર મૂકવામાં પણ ચિંતા કરી રહ્યા છે ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે માત્ર ડિમોલિશન કરી નાખવાથી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ થઈ શકસે ?કારણ કે કંપનીઓની બસો દિવસેને દિવસે ડબલ થઈ રહી છે સમગ્ર દિવસ દરમ્યાન બસોના હીશાબે ટ્રાફિક જામ થઈ રહ્યો છે ત્યારે જો આ તમામ બસોને સમર્પણ બાયપાસથી બહાર રાખવામા આવે તો 80% ટ્રાફિક સમસ્યાનું નિવાકરણ થઈ શકે એમ છે પરંતુ આ કંપનીઓની દાદાગીરી છે કે પછી કંપનીઓ સામે નેતાઓ અને અધિકારીઓનું કૂણું વલણ છે એ પર એક સવાલ છે હાલ ચાલી રહેલ ડિમોલિશનમાં કુલ 7 રહેણાંક મકાનો અને 79 દુકાનોને હટાવવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની ટીપી ડીપી શાખા દ્વારા 86 આસામીઓને નોટિસ પાઠવવામાં આવી હતી, જેઓ ડીપી કપાતમાં આવતા હતા. નોટિસ મળ્યા બાદ કેટલાક આસામીઓ સ્વેચ્છાએ પોતાના બાંધકામો દૂર કરી રહ્યા છે. જકાતનાકાથી હરિયા કોલેજવાળા રોડ પર બાયપાસ સુધી 30 મીટરનો ડીપી રોડ મંજૂર કરવામાં આવ્યો છે. વર્ષોથી આ માર્ગ પર સંકડાશ અને ગેરકાયદેસર બાંધકામોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી હતી. નાગરિકોની સુવિધા અને શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને તંત્રએ આ દબાણો દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ કામગીરી માટે મનપાનો સ્ટાફ, પોલીસ કાફલો અને ડિમોલિશનના સાધનો ઘટના સ્થળે તૈનાત છે.મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ કાયદાકીય પાલન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

લોકસભામાં ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી વિશેષ ચર્ચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર ઐતિહાસ...
08/12/2025

લોકસભામાં ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી વિશેષ ચર્ચામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર ઐતિહાસિક આક્ષેપો કર્યા. મોદીએ કહ્યું કે 1937માં મુસ્લિમ લીગના દબાણ પછી નેહરુએ ‘વંદે માતરમ્’ના કેટલાક ભાગો પર સમીક્ષા માટે મંજૂરી આપી અને કોંગ્રેસે “વંદે માતરમ્”ને બે ભાગમાં વહેંચીને કમજોર કર્યું. વડાપ્રધાને દાવો કર્યો કે “કોંગ્રેસે મુસ્લિમ લીગ સામે ઘૂંટણ ટેક્યા હતા અને તુષ્ટિકરણની રાજનીતિથી વંદે માતરમને વિવાદમાં ઘસડાયું.” રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે વંદે માતરમની ભૂલાવી દેવાયેલી પંક્તિઓ “ભારતની આત્મા” છે અને સરકાર હવે તેની ઐતિહાસિક મહિમાને ફરી સ્થાપિત કરી રહી છે.

મોદીના ભાષણના જવાબમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સરકાર પર તીવ્ર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે “વંદે માતરમ દેશના કણ-કણમાં છે, તેને લઈને સંસદમાં લાંબી ચર્ચા કરવાની આજે જરૂર નથી.” સરકારનો હેતુ બેરોજગારી, ગરીબી, શિક્ષણ—જેવા વાસ્તવિક પ્રશ્નોથી લોકોનું ધ્યાન હટાવવાનો છે. તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન “નેહરુ પર આક્ષેપો કરીને રાજકીય લાભ મેળવવાનો પ્રયત્ન કરે છે” અને બંગાળ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુદ્દો ગરમાવવામાં આવ્યો છે. પ્રિયંકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું: “નેહરુએ દેશ માટે જેટલા વર્ષ જેલમાં વિતાવ્યા, તેટલા વર્ષ મોદીજી PM પણ નથી.”લોકસભામાં ‘વંદે માતરમ્’ ના 150 વર્ષ પૂર્ણ
થવાના અવસરે યોજાયેલી વિશેષ ચર્ચામાં“ વંદે માતરમ્ પર સવાલ ઉઠાવવો એ ટાગોર, ગાંધીજી, આંબેડકરનું અપમાન છે

વંદે માતરમ્ જેવા ભાવનાત્મક મુદ્દે થયેલી આ ચર્ચા હવે રાજકીય સંઘર્ષના નવા અધ્યાયની શરૂઆત ગણાય છે. એક તરફ BJP “રાષ્ટ્રવાદ અને તુષ્ટિકરણ”નો નેરેટિવ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ દાવો કરે છે કે “આ મુદ્દો માત્ર રાજકીય હથિયાર છે અને જનતા ના મૂળ પ્રશ્નો અધૂરા છે.” ચર્ચા બાદ સ્પષ્ટ થયું છે કે 2025–26ના સમયમાં બંગાળ, ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરના ચૂંટણીમાં 'વંદે માતરમ્' ફરી કેન્દ્રિય મુદ્દો બની શકે છે.

08/12/2025

દિવાળી પછી ગુજરાતમાં સતત બે દિવસ સુધી થયેલા ભારે વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે.
દેશભરમાં ખેડૂતો માટે પાક વીમા યોજના ચાલી રહી છે, પરંતુ ગુજરાતમાં આ યોજના બંધ કરી દેવામાં આવી છે.
જેના કારણે ખેડૂતોને નુકસાનનુ વળતર મળતું નથી અને આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યા છે.
એટલે મારી માંગ છે કે કેન્દ્ર સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ખેડૂતોને પૂર્ણ વળતર અપાવવું જોઈએ.
– રાજ્યસભામાં શક્તિસિંહજી ગોહિલ

સનાતન સત્ય સમાચાર | 8 ડિસેમ્બર 2025નવી દિલ્હી/અમદાવાદ: કેન્દ્ર સરકારના તાજા આંકડાએ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી ન...
08/12/2025

સનાતન સત્ય સમાચાર | 8 ડિસેમ્બર 2025
નવી દિલ્હી/અમદાવાદ: કેન્દ્ર સરકારના તાજા આંકડાએ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. ગુજરાતમાં 2,40,809 બાળકો શાળા બહાર છે – એટલે કે દેશના કુલ શાળા બહારના બાળકોના 28% એકલા ગુજરાતમાંથી છે. આ આંકડા UDISE+ 2024-25 અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સવિત્રી ઠાકુર દ્વારા સંસદમાં જાહેર કરવામાં આવ્યા છે.
આ છેલ્લા વર્ષની સરખામણીમાં **341%**નો ભયંકર વધારો છે! 2024-25માં શાળા બહારના બાળકો: 54,541 2025-26માં વધીને: 2,40,809 આ આંકડા પર કોંગ્રેસે ભાજપ સરકાર પર સીધો હુમલો કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ કહ્યું: “રૂ. 2,199 કરોડથી વધુનું શિક્ષણ બજેટ છતાં ડ્રોપઆઉટમાં 341% વધારો? ‘ગુજરાત મોડલ’ શિક્ષણને નહીં, બાળકોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યું છે!”

રાજ્યવાર રેન્કિંગ (UDISE+ 2024-25)
ગુજરાત – 2,40,809 (28% દેશીય હિસ્સો)
આસામ – 1,50,906
ઉત્તર પ્રદેશ – 99,218

નવા શિક્ષણ મંત્રી પર દબાવ વધશે
તાજેતરના કેબિનેટ રિશફલમાં રિવાબા જાડેજાને પ્રાથમિક, માધ્યમિક અને વયસ્ક શિક્ષણનો પોર્ટફોલિયો સોંપવામાં આવ્યો છે. આ ખુલાસા બાદ તેમના પર દબાવ વધવાનું નિશ્ચિત છે. કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો: “આટલા મોટા ડ્રોપઆઉટ રેટ વચ્ચે નવા મંત્રી કેવી રીતે શિક્ષણ વ્યવસ્થાને સુધારશે?”

શિક્ષણની ચિંતા કેમ?
રૂ. 2,199 કરોડનું બજેટ છતાં ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષકોની અછત
બાળ મજૂરી અને બાળ વિવાહની સમસ્યા હજુ અટકી નથી
શાળાઓમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ

સનાતન સત્ય સમાચાર માને છે કે શિક્ષણ એ દેશનું ભવિષ્ય છે. 2.40 લાખ બાળકોનું ભવિષ્ય અંધકારમાં ન ધકેલાય તે માટે સરકારે તુરંત પગલાં લેવા જોઈએ.

આપનો મત શું છે? કોમેન્ટમાં જણાવો અને આ રિપોર્ટને વધુમાં વધુ શેર કરો જેથી સરકાર સુધી અવાજ પહોંચે!
સ્ત્રોત:

UDISE+ 2024-25 રિપોર્ટ (Ministry of Education)
કેન્દ્રીય મંત્રી સવિત્રી ઠાકુરનું સંસદમાં નિવેદન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયા

Address

Jamnagar

Alerts

Be the first to know and let us send you an email when Sanatan Satya Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sanatan Satya Samachar:

Share