04/07/2025
મનરેગા કૌભાંડમાં ગિરસોમનાથ પંથકના આહીર સમાજના અગ્રણી હીરા જોટવાની ધરપકડ કરાઈ છે. જે મામલે હવે વિરોધની અસર અન્ય જિલ્લા ભરમાં જોવા મળી રહી છે. ત્યારે આજે જામનગર આહીર સમાજના અગ્રણીઓ દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી હીરા જોટવાની ધરપકડની યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના વતની હીરાભાઈ જોટવા માત્ર ગિરસોમનાથ જ પરંતુ ગુજરાતભરના આહીર સમાજના અગ્રણી છે. હીરાભાઈ જોટવાની કે તેમના પરિવારની કોઈ જ સંડોવણી ન હોવા છતાં પ્રભાસ પાટણ પોલીસ મથકે ડાયરીમાં નોંધ કરી હીરાભાઈ જોટવાને પુછપરસ માટે ભરૂચ પોલીસ લઈ ગઈ હતી. પુછપરછ કરવાના બહાના હેઠળ લઈ હીરાભાઈ જોટવાની અટકાયત કરી અને હીરાભાઈ જોટવાની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં એફ આઈ. ખાર નોંધવામાં આવી છે. જે અંયોગ્ય બાબત છે.
વધુમાં જણાવ્યું કે જે પેઢી ઉપર આરોપ લગાવવામાં આવેલ છે તે પેઢીમાં હીરાભાઈ જોટવા કે તેમના પરીવારના સભ્યો માલીક કે ભાગીદાર નથી. છતા પણ પુરાવા વગર કિન્નાખોરીથી હીરાભાઈ જોટવા અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. હીરાભાઈ જોટવા અને તેના પરિવારને ટાર્ગેટ કરીને આહીર સમાજનું નેતૃત્વ ખતમ કરવા માટે ષડયંત્ર રચાયેલ હોય જે યોગ્ય નથી. હીરાભાઈ જોટવા અને તેમના પરિવારને ખોટી રીતે હેરાનગતિ કરવામાં ન આવે અને સાચા તહોમતદારોને બચાવવા માટે ઉચ્ચકક્ષાએથી હીરાભાઈ જોટવા અને તેના પરિવારને ખોટી રીતે સંડોવવામ આવેલ છે. આ ગંભીરતાને ધ્યાને લઈ તટસ્થ તપાસ કરવામાં આવે તેવી જામનગર આહિર સમાજ તથા આહીર સેના જામનગર ના અગ્રણી ભીખુભાઈ વારોતરીયા, જીવણભાઈ કુંભારવાડીયા, મારખીભાઈ વસરા, ડો. રણમલભાઈ વારોતરીયા,ગિરીશ ભાઈ ડેર ,પ્રવીણ ભાઈ માડમ, વશરામ ભાઈ આહીર સંજય ભાઈ મૈયાડ, જયોતિબેન ભરવાડીયા(કોર્પોરેટર), અનિતા બેન બંધ્યા (કોર્પોરેટર) ભરતભાઈ કરમુર,દેવસી બાપા પોસ્ટરિયા,લાલા ભાઈ ગોરીયા, દિલીપ ભાઈ ચાવડા રામુભાઈ ગોજીયા, લિરીબેન માડમ, સંજયભાઈ ચેતરીયા, સહિત ના અનેક એ માંગ ઉઠાવી છે.