Only News Jnd

Only News Jnd તમામ સમાચારો ઝડપી આપના મોબાઇલમાં જોવા પેજ ને ફોલો કરો
(1)

13/08/2026

જૂનાગઢમાં નકલી GPCB અધિકારી અને પ્રેસની ગેંગ ઝડપાઈ: કારખાનેદારોને ડરાવી વસૂલતા હતા ખંડણી!

જૂનાગઢ:સરકારી અધિકારી કે પત્રકાર હોવાની ખોટી ઓળખ આપીને નિર્દોષ લોકોને ડરાવતા તત્વો સામે જૂનાગઢ પોલીસે લાલઆંખ કરી છે. કારખાનું સીલ કરવાની ધમકી આપી ખંડણી વસૂલતી એક શાતિર ગેંગને પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધી છે.
**📌 શું છે સમગ્ર મામલો?**
* **રૂપિયા ૨૧,૦૦૦ની પડામણી:** આ ગેંગે એક કારખાનેદારને GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)ના અધિકારી અને પ્રેસ મીડિયાના માણસો હોવાની ખોટી ઓળખ આપી, કારખાનું સીલ કરવાની ધમકી આપીને 21,000 પડાવી લીધા હતા.
પોલીસની તાબડતોબ કાર્યવાહી:** ગુનો નોંધાતા જ જૂનાગઢ તાલુકા પોલીસ એક્શનમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ જેતપુરથી **3 આરોપીઓને ઝડપી પાડ્યા** છે. જ્યારે અન્ય **2 આરોપીઓ હજુ ફરાર** છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.
**🔍 તપાસમાં ચોંકાવનારા ખુલાસા:**
* પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે એ જ દિવસે અન્ય કારખાનેદારોને પણ પોતાનો શિકાર બનાવ્યા હતા.
* આ મામલે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો છે અને પોલીસ હાલ ઊંડાણપૂર્વક વધુ તપાસ ચલાવી રહી છે.
જાગૃત બનો:** આવા કોઈ પણ નકલી અધિકારીઓ કે ધમકી આપતા તત્વોથી ડરવાને બદલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો.

13/08/2026

જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં સગીરાની છેડતી અંગે નોંધાઈ ફરિયાદ.

13/08/2026

જૂનાગઢમાં TP સ્કીમ-૬ સામે જનઆક્રોશ: ૧૫૦૦ થી ૨૦૦૦ લોકોનો ઉગ્ર વિરોધ!

"અંગ્રેજ સરકાર જેવો અન્યાય બંધ કરો!" - જોશીપરાના રહીશોનો તંત્ર સામે ભારે રોષ.

જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં અમલમાં મુકાયેલી **ટીપી સ્કીમ નંબર-૬** અને મોટો **બેટરમેન્ટ ચાર્જ** વસૂલવાના નિર્ણય સામે સ્થાનિકોમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલા મધ્યમ વર્ગના પરિવારો અને સ્થાનિક લોકોએ એકઠા થઈને નગર નિયોજકની કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી.
# # # 🛑 વિરોધના મુખ્ય કારણો:
* **પહેલેથી જ સુવિધાઓ ઉપલબ્ધ:** જોશીપરા વિસ્તારમાં વર્ષો જૂની NA જમીનો પર કાયદેસર મંજૂરીથી મકાનો બનેલા છે. રોડ, રસ્તા, પાણી અને ગટર જેવી સુવિધાઓ પહેલેથી જ હોવા છતાં બેટરમેન્ટ ચાર્જ કેમ?
* **ખોટું વેલ્યુએશન:** કોઈ પણ પ્રકારના સર્વે વિના જ જમીનોનું વેલ્યુએશન ડબલ કરી દેવાયું છે, જેથી મધ્યમ વર્ગ પર મોટો આર્થિક બોજ આવ્યો છે.
* **મકાનો તૂટવાની ભીતિ:** આ સ્કીમના કારણે સ્થાનિકોના આશિયાના તૂટવાનો ડર સતાવી રહ્યો છે.
'જો સ્કીમ રદ્દ નહીં થાય તો...':
સ્થાનિકો અને બિલ્ડર એસોસિએશનનું કહેવું છે કે જૂનાગઢમાં પ્રોપર્ટી કાર્ડ અને અશાંત ધારાને કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્ર પહેલાથી જ મંદીમાં છે. હવે આ ટીપી સ્કીમ સમગ્ર ક્ષેત્રને ભાંગી નાખશે. જો આ સ્કીમ તાત્કાલિક રદ્દ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં મહિલાઓ અને તમામ જનતાને સાથે રાખી **મોટું આંદોલન** કરવાની ચીમકી આપવામાં આવી છે.

12/08/2026

જૂનાગઢ: મધુરમ-યુવનગર શોર્ટ કટ બાયપાસ રોડનું અટકેલું કામ વહેલી તકે શરૂ કરવા મુખ્યમંત્રીને રજૂઆત..

જુનાગઢ ના જયશ્રી રોડ નું પેચવર્ક કેટલામી વખત થયું હશે?
12/08/2026

જુનાગઢ ના જયશ્રી રોડ નું પેચવર્ક કેટલામી વખત થયું હશે?

જૂનાગઢના વિકાસને મળશે નવી ગતિ! ગુજરાત સરકારે ફાળવ્યા વધુ ૬૫ કરોડ! ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ...
11/08/2026

જૂનાગઢના વિકાસને મળશે નવી ગતિ! ગુજરાત સરકારે ફાળવ્યા વધુ ૬૫ કરોડ!

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે કુલ ૩,૮૫૦ કરોડના ચેક અર્પણ કરવાનો ગૌરવશાળી સમારોહ સંપન્ન થયો છે.
આ અંતર્ગત **'સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના'** હેઠળ આપણા **જૂનાગઢને વિકાસ કામો માટે ૬૫ કરોડ**ની માતબર રકમ ફાળવવામાં આવી છે! 🏢🛣️
**📊 યોજનાની મુખ્ય વિગતો:**
* **કુલ ફાળવણી:** ₹૩,૮૫૦ કરોડ (૧૭ મહાનગરપાલિકાઓને ₹૨,૯૯૨ કરોડ અને ૧૫૨ નગરપાલિકાઓને ₹૮૫૮ કરોડ)
* **મુખ્ય ઉદ્દેશ્ય:** નગરોમાં સુખાકારી સુવિધાઓને સિટિઝન સેન્ટ્રિક (નાગરિક કેન્દ્રી), ટ્રાન્સપેરન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી ડ્રિવન બનાવવી.
* **ઉપસ્થિતિ:** મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરી વિકાસ મંત્રીશ્રી, કૃષિ મંત્રીશ્રી અને રાજ્ય મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ચેક વિતરણ કરાયું.
નવા રોડ-રસ્તા, પાણી, લાઈટ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જૂનાગઢ હવે વિકાસના નવા શિખરો સર કરશે! 🤝

જૂનાગઢ: માણેકવાડા પાસે એમ્બ્યુલન્સ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક વૃદ્ધનું મોત!જૂનાગઢ.કેશોદ હાઈવે ફરી એકવાર લોહીયા...
11/08/2026

જૂનાગઢ: માણેકવાડા પાસે એમ્બ્યુલન્સ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક વૃદ્ધનું મોત!

જૂનાગઢ.
કેશોદ હાઈવે ફરી એકવાર લોહીયાળ બન્યો છે. જૂનાગઢના માણેકવાડા ગામ પાસે એક કાળજું કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ઓવરટેક કરવા જતાં એક એમ્બ્યુલન્સે ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ કરુણ અકસ્માતમાં રિક્ષા ચાલક વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
**💥 અકસ્માતની મુખ્ય વિગતો:**
* **કેવી રીતે થયો અકસ્માત:** પ્રાથમિક માહિતી અનુસાર, હાઈવે પર ઓવરટેક કરવાના પ્રયાસમાં બેકાબૂ બનેલી એમ્બ્યુલન્સે રિક્ષાને અડફેટે લીધી હતી.
* **મૃતકનું નામ:** કિશોરભાઈ મોરારજીભાઈ ભટ્ટ (ઉંમર વર્ષ 74), રહેવાસી - કેશોદ.
* **પોલીસ કાર્યવાહી:** મૃતદેહને તાત્કાલિક પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
**📈 વધતા અકસ્માતો ચિંતાનો વિષય:**
કેશોદ આસપાસનો હાઈવે વાહનચાલકો માટે જાણે ગોઝારો બન્યો હોય તેમ, **માત્ર એક જ સપ્તાહમાં અકસ્માતનો આ ત્રીજો બનાવ** સામે આવ્યો છે. સતત વધી રહેલા અકસ્માતોને પગલે સ્થાનિકોમાં પણ વહીવટી તંત્ર અને વાહનચાલકોની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.
👉 **ન્યૂઝ અપડેટ્સ માટે પેજને ફોલો/લાઈક કરો.**
📌 **તમારો અભિપ્રાય:** હાઈવે પર વધતા અકસ્માતો રોકવા માટે શું પગલાં લેવા જોઈએ? કમેન્ટ બોક્સમાં જણાવો.

11/08/2026

જૂનાગઢ: કેશોદમાં દુકાન પચાવી પાડનાર સામે "લેન્ડ ગ્રેબિંગ" હેઠળ ગુનો દાખલ!

કેશોદ બસ સ્ટેન્ડ નજીક કરોડોની મિલકતનો કબજો ન છોડતા કલેક્ટરના આદેશ બાદ મોટી કાર્યવાહી!

શું છે સમગ્ર મામલો?
કેશોદમાં ગલાભાઈ ખાંભલા નામના શખ્સે છેલ્લા 15 વર્ષથી ભાડે રાખેલી દુકાનનો કબજો ખાલી ન કરતા આખરે કાયદાનો કોરડો વીંઝાયો છે. આક્ષેપ છે કે વર્ષ 2021થી ભાડું આપવાનું પણ બંધ કરી દેવાયું હતું અને દુકાન માલિકને વેચાણ તેમજ બેંક લોન લેવામાં પણ અવરોધો ઊભા કરાતા હતા.
* **કલેક્ટર કક્ષાએથી એક્શન:**
સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર કક્ષાની ઊંડી તપાસ બાદ કેશોદ પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
* **પોલીસ તપાસ તેજ:**
હાલ DySP હિતેશ ધાધલીયાની સીધી દેખરેખ હેઠળ પોલીસે આ મામલે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.

10/08/2026

મેંદરડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સિરવાણ ગામના સ્થાનિક લોકોને સાથે આવેદન આપ્યું.

શ્રાવણ માસના દર સોમવાર તથા પવિત્ર તહેવાર નિમિતે જુનાગઢ મહાનગરપાલિકા શહેરી વિસ્તારમાં ચાલતી મટન શોપ અને ફિશ શોપ બંધ રાખવા...
10/08/2026

શ્રાવણ માસના દર સોમવાર તથા પવિત્ર તહેવાર નિમિતે જુનાગઢ મહાનગરપાલિકા શહેરી વિસ્તારમાં ચાલતી મટન શોપ અને ફિશ શોપ બંધ રાખવા આદેશ...

જુનાગઢ મહાનગરપાલિકા સેવા સદનની એક અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, જુનાગઢ મહાનગરપાલિકા શહેરી વિસ્તારમાં ચાલતી મટનમાર્કેટ બંધ રાખવા આદેશ કરવામાં આવેલ છે. આગામી શ્રાવણ માસના દર સોમવાર તથા પવિત્ર તહેવાર અંતર્ગત જુનાગઢ શહેરમાં આવેલ નોનવેજની દુકાનો, મટનમાર્કેટ, ફિશમાર્કેટ, મીટશોપ, પોલ્ટ્રીશોપ, ફિશશોપ, લારીગલ્લાઓ તા. ૧૭/૦૮/ર૦ર૬ સોમવાર, તા.ર૪/૦૮/ર૦ર૬ સોમવાર, તા.ર૮/૦૮/ર૦ર૬ શુક્રવાર રક્ષાબંધન(બળેવ), તા. ૩૧/૦૮/ર૦ર૬ સોમવાર, તા. ૦૪/૦૯/ર૦ર૬ શુક્રવાર કૃષ્ણ જન્માષ્ટમી(આઠમ), તા. ૦૭/૦૯/ર૦ર૬ સોમવાર, તા. ૧૧/૦૯/ર૦ર૬ શુક્રવાર ભાદરવી અમાસ તેમજ તા. ૧૪/૦૯/ર૦ર૬ સોમવાર ગણેશ ચતુર્થી તથા જૈન સંવત્સરીના રોજ બંધ રાખવા માન.કમિશનર સાહેબશ્રી દ્વારા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ ૪૬(૧)(ડી) હેઠળ સ્થાયી હુકમ કરવામાં આવેલ છે. જેથી આ દિવસે નોનવેજની દુકાનો,મટનમાર્કેટ,ફિશમાર્કેટ,મીટ શોપ,પોલ્ટ્રીશોપ,ફિશશોપ, લારીગલ્લાઓ ઉપર વેચવામાં આવતી નોનવેજ વસ્તુઓ વેચાણ ઉપરોક્ત તારીખનાં રોજ બંધ રાખવાનો આદેશ કરવામાં આવેલ છે. આ આદેશનું ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. અન્યથા મહાનગરપાલિકા દ્વારા આદેશના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જેની મીટશોપ ધારકોએ નોંધ લેવી.

Address

Junagadh

Alerts

Be the first to know and let us send you an email when Only News Jnd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share