03/09/2026
માળીયા હાટીનામાં સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા ૫૦૦ જરૂરિયાતમંદ પરિવારોને ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરાયું
માળીયા હાટીના ખાતે કાર્યરત 'સીતારામ સેવા ટ્રસ્ટ' દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દાતાઓના આર્થિક સહયોગથી શહેરના આર્થિક રીતે નબળા ૫૦૦ પરિવારોને તહેવાર નિમિત્તે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. "ભૂખ્યાને અન્ન અને બીમારને દવા"ના મુખ્ય મંત્ર સાથે વર્ષોથી માનવસેવાની જ્યોત જલાવી રહેલા આ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમથી જરૂરિયાતમંદ પરિવારોમાં તહેવારોની ખુશીઓ બેવડાઈ હતી.
આ સેવાકીય પ્રવૃત્તિમાં સીતારામ સેવા ટ્રસ્ટ ઉપરાંત મુંબઈના સુનિધિ ફાઉન્ડેશન, રાજકોટના ગીરધરલાલ કેશવજી, સિરાજ સમનાની તેમજ વાંદરવાડના વિક્રમ કાળા દ્વારા આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. આ તકે લાભાર્થી પરિવારોએ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ વિતરણ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર મહેન્દ્ર ગાંધી, નિલેશ રૂપારેલિયા, સિરાજ સમનાની તથા જિલ્લા પંચાયતના ચેરમેન જીતુ સિસોદિયા સહિતના સ્થાનિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
#માળીયાહાટીના #જૂનાગઢ #સમાજસેવા #જુનાગઢનીજાણકારી