08/01/2026
1. આસ્થા પર પહેલો ઘા (1026 - 1550 AD)
1026 માં મહમૂદ ગઝનવીએ જ્યારે મંદિર તોડ્યું, ત્યારે આખું ભારત ધ્રૂજી ઉઠ્યું હતું.
પણ શ્રદ્ધા હાર માને તેમ નહોતી! 1150માં રાજા કુમારપાળે ફરી એ જ ભવ્યતા સાથે મંદિર ઊભું કરી દીધું..
2. ફરી આક્રમણ (1299 - 1308 AD)
1299 માં અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુગ ખાને ક્રૂરતાની બધી હદો વટાવી દીધી. મંદિરને ફરી પાયમાલ કર્યું.
પણ મહાદેવના ભક્તોની જીદ મોટી હતી. માત્ર 9 જ વર્ષમાં, 1308 માં રાજા મહીપાલે મંદિરને ફરી તૈયાર કરી દીધું.
3. સલ્તનતના યુગમાં વારંવારના ઘા (1451 - 1490 AD)
ઝફર ખાન અને બેગડો: 1451 માં ઝફર ખાન અને 1490માં મહમૂદ બેગડાએ મંદિર પર વારંવાર હુમલા કર્યા. દરેક હુમલામાં મંદિરના પથ્થર રડતા હતા, પણ લોકહૈયામાં સોમનાથ માટેનો પ્રેમ ક્યારેય ઓછો ન થયો.
4. કસોટીનો સૌથી કપરો કાળ (1666 - 1706 AD)
ઔરંગઝેબે તો હદ કરી નાખી. 1666 અને 1706માં વારંવાર આદેશ આપીને મંદિર તોડાવ્યું અને ત્યાં મસ્જિદ બનાવી દીધી. એ સમય ઘણો અંધકારમય હતો..
5. આઝાદીનો સૂરજ અને નવસર્જન (1950-51)
સદીઓ પછી, લોખંડી પુરુષ સરદાર પટેલે સમુદ્ર કિનારે મંદિરના નવ નિર્માણનો સંકલ્પ કર્યો
1951 માં ફરી ભવ્ય શિખર બન્યું. આ માત્ર મંદિરનું બાંધકામ નહોતું, આપણી સંસ્કૃતિનું નવસર્જન હતું..