24/11/2025
કમાણા ખાતે વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા 19 મો તેજસ્વી તારલાઓનો નો સન્માન સમારંભ યોજાયો.
આ સમારંભની શુભ શરૂઆત શ્રી ઘેલવાવીર મંદિરના પટાંગણમાં દીપ પ્રાગટ્ય, પ્રાર્થના કરીને કરવામાં આવી હતી.
આ સમારંભમાં ગુજરાત રાજ્યના માનનીય કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, મદદનીશ સચિવ શ્રી પુલકિતભાઈ જોશી (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર), દેવેન્દ્રભાઈ એ.રાવળ (પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય રાવળ યોગી ઉત્તેજક મંડળ), ચંદ્રેશભાઇ સી.રાવળ (પ્રમુખશ્રી 282 ગોળ રાવળ યોગી સમાજ), હરજીભાઈ એસ રાવળ (પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય રાવળ યોગી સમાજ કેળવણી મંડળ), બળદેવભાઈ આર રાવળ (સરકારી વકીલશ્રી), ચતુરભાઈ જી રાવળ (રાવરાપુરા), હેમતુજી કે.ઠાકોર (સરપંચશ્રી ગ્રામ પંચાયત કમાણા), કેશુભાઈ એમ.રાવળ (સરપંચશ્રી ગ્રામ પંચાયત કેલીસણા), ડાયાભાઈ એચ રાવળ (પ્રમુખ શ્રી જોગમાયા ફાઉન્ડેશન), જયંતીભાઈ રાવળ (પ્રમુખશ્રી યોગીરાજ પ્રગતિ મંડળ મહેસાણા), જયંતીભાઈ રાવળ (પ્રમુખશ્રી ઊંઝા તાલુકા રાવળ યોગી સમાજ), હીરાભાઈ રાવળ (પ્રમુખશ્રી અમદાવાદ પશ્ચિમ રાવળ યોગી સમાજ), ભરતભાઈ રાવળ (પ્રમુખશ્રી વિજાપુર તાલુકા રાવળ યોગી સમાજ), ભરતભાઈ રાવળ (મહામંત્રી શ્રી 282 ગોળ રાવળ યોગી સમાજ), મુકેશભાઈ કાનાણી (યુઝફુલ યોગી યુનિયન), કાંતિભાઈ સી.રાવળ (નિવૃત્ત સેક્શન અધિકારીશ્રી, કથાકાર સુંદરકાંડ), કાનજીભાઈ રાવળ (શિક્ષણ ચેરમેન શ્રી કડી તાલુકા રાવળ યોગી સમાજ), જગદીશભાઈ રાવળ પાલજ, બકાભાઇ રાવળ વ્યાસ પાલડી, નિલેશભાઈ રાવળ ગેરીતા, ભરતભાઈ રાવળ આખજ, ભરતભાઈ રાવળ વ્યાસ પાલડી, શંકરભાઈ રાવળ પાટણ, ભોજન દાતાશ્રી સ્વ. ગણેશભાઈ સોમાભાઈ હસ્તે. ચતુરભાઈ રાવળ તેમજ વિવિધ મંડળના સમાજના આગેવાનો, હોદ્દેદારો, વડીલો તેમજ તેજસ્વી તારલાઓ તથા સમાજના ભાઈઓ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારંભમાં સમાજના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળ્યું હતું. સમાજના તેજસ્વી તારલાઓમાં ઈનામ વિતરણ કાર્યક્રમમાં 90, 95, 98 ટકા સુધીના પરિણામ મેળવેલ તારલાઓને સ્કુલ બેગ, શિલ્ડ, પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સમારંભમાં ગુરુગાદીશ્રી લક્ષ્મણદાસ મહારાજ કમાણા તથા શ્રી ઘેલવાવીર મંદિરના મહંતશ્રી ઉપસ્થિત રહીને આર્શીવચન આપ્યા હતા.
આ સમારંભમાં વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટના પ્રમુખશ્રી નરેશભાઈ રાવળ, મહામંત્રીશ્રી વિજયભાઈ બી. રાવળ, શિક્ષણ ચેરમેનશ્રી રવિભાઈ કે રાવળ, નાયબ શિક્ષક ચેરમેનશ્રી વિષ્ણુભાઈ રાવળ, સુધીરભાઈ રાવળ કડા, વાઘજીભાઈ રાવળ ગણેશપુરા, ભરતભાઈ રાવળ લાછડી, વિષ્ણુભાઈ રાવળ ભાલક, ભલાભાઇ કડા, ન્યાય સમિતિ ચેરમેનશ્રી બલુભાઈ કે રાવળ ભાલક, ચંદુભાઈ કંસારા કુઈ, લાલાભાઇ કુવાસણા, રાહુલભાઈ યોગી (પ્રેરણા ઓનલાઈન), તેમજ સમસ્ત વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટના હોદ્દેદારશ્રીઓએ જહેમત ઉપાડીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
//યોગી દર્પણ ન્યૂઝ//