Bahujan Asmita Gujarati

Bahujan Asmita Gujarati Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bahujan Asmita Gujarati, News & Media Website, Arvalli, Modasa.

02/03/2026

સુરેન્દ્રનગરના થાનગઢમાં થયેલ દલિત સમાજના યુવાનો પર,ફાયરિંગની તપાસ કેટલે પહોંચી : Gopal Italiya.
👇👇👇
https://youtu.be/0r47aJ6eFSA?si=GUDkeTN0Giv31Rjg





જીગ્નેશ મેવાણી પાલડી પોલિસ પહોંચ્યા,વાસણામાં દારૂના અડ્ડાઓ બંધ કરવો.: જીગ્નેશ મેવાણી👇👇👇https://youtu.be/Tin7NI2e68o?si=D...
02/03/2026

જીગ્નેશ મેવાણી પાલડી પોલિસ પહોંચ્યા,વાસણામાં દારૂના અડ્ડાઓ બંધ કરવો.: જીગ્નેશ મેવાણી
👇👇👇
https://youtu.be/Tin7NI2e68o?si=DYqN2POVzy362t3i



તેલંગાણામાં એક દલિત પરિવાર મંદિરમાં દર્શન કરવા ગયો ત્યારે તેની પાસે દર્શન કરવા માટે પૈસાની માંગણી કરવામાં આવી. દલિત પરિવ...
25/02/2026

તેલંગાણામાં એક દલિત પરિવાર મંદિરમાં દર્શન કરવા ગયો ત્યારે તેની પાસે દર્શન કરવા માટે પૈસાની માંગણી કરવામાં આવી. દલિત પરિવારે પૈસા આપવાની ના પાડતા હિન્દુ આતંકવાદીઓ દલિત પરિવાર પર તૂટી પડ્યા અને ઢોર માર માર્યો. તેમાંના એક હિન્દુ આતંકવાદીએ દલિત માતાના ખોળામાં રહેલી માત્ર બે વર્ષની માસુમ બાળકીને જોરથી લાત મારી. જાતિવાદની નફરત ભરી જીવતા આ હિન્દુ આતંકવાદીના મનમાં આ બે વર્ષની માસુમ બાળકી માટે એટલી નફરત હતી કે તેણે મારેલી એ લાત તે બાળકીનો જીવ લેવા માટે પૂરતી થઈ પડી.

દલિત પરિવાર આ બાળકીને હોસ્પિટલ લઈ ગયો જ્યાં આ માસુમ બાળકીએ દમ તોડી દીધો. આ દલિત પરિવાર રોતો-કકળતો ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન દોડ્યો. પોલીસે પણ તેમને ધમકાવી પહેલા તો ફરિયાદ લેવાની ના પાડી જોકે બાદમાં પરિસ્થિતિ તંગ બનતા પોલીસે ફરિયાદ નોંધ ચાર આરોપીઓની ધરપકડ કરી. આ ઘટના વાંચી તમને લાગ્યુ હશે કે ચોક્કસ આ ઘટના ભાજપના શાસનમાં થઈ હશે પણ આ ઘટના ભાજપના નહીં કોંગ્રેસના શાસનમાં બની છે.

મનુમીડિયા, ભાજપ, RSS ચૂપ છે કારણ કે આ માસુમ બાકીની હત્યા કરનારા હિન્દુ આતંકવાદીઓ છે. તેમાંનો એક પણ મુસ્લિમ નથી. રાહુલ ગાંધી પણ ચૂપ છે કારણ કે આ માસુમ બાળકી દલિત છે. જીગ્નેશ મેવાણી પણ ચૂપ છે કારણ કે આ ઘટના તેની પોતાની કોંગ્રેસ પાર્ટીના શાસનમાં થઈ છે. પણ અહીં વાત કરવી છે ભાજપના અત્યાચાર સામે પોતાને દલિતોના મસીહા ગણાવતા રાહુલ ગાંધી અને કોંગ્રેસની.

માત્ર ભાજપ જ દલિતો ઉપર અત્યાચાર કરે છે અને ભાજપ જ દલિત વિરોધી છે તેવી બૂમો પાડતા રાહુલ ગાંધી અને જીગ્નેશ મેવાણી જ્યારે પોતાની કોંગ્રેસ પાર્ટીના શાસનમાં દલિતો ઉપર અત્યાચાર થાય ત્યારે લોહિયાળ મૌન ધારણ કરી લે છે. જેમ ગાંધી દલિત સમસ્યાઓ ઉપર લોહીયાળ મૌન ધારણ કરી 'બધું સારું થઈ જશે' ની રટ લગાવી પોતાને દલિત મસીહા તરીકે રજૂ કરતા બસ એ જ ગુણો તેમના વારસદારો એવા રાહુલ ગાંધી અને જીગ્નેશ મેવાણીમાં પણ ઉતર્યા છે. રાહુલ ગાંધી અને જીગ્નેશ મેવાણીની નસોમાં દોડી રહેલું મોહનદાસ ગાંધીનું લોહી કોંગ્રેસ પાર્ટીના શાસનમાં દલિતો ઉપર થતા અત્યાચાર સામે તેમને એક શબ્દ બોલવા દેતું નથી.

આ બનાવ જે રાજ્યમાં બન્યો છે એ જ તેલંગાણા રાજ્યમાં ગત ચૂંટણી પછી કોંગ્રેસના શપથ સમારોહમાં કોંગ્રેસના બ્રાહ્મણ મુખ્યમંત્રીએ પોતાના પક્ષના જ દલિત ઉપમુખ્યમંત્રીને જાહેરમાં નીચે બેસાડ્યા હતા. જો કે ભાજપ અને કોંગ્રેસમાં કામ કરનારા દલિતોમાં આત્મસન્માનનો છાંટો હોતો નથી એટલે તેઓ આવા દરેક અપમાનને સ્વીકારી સમાજનો સોદો કરી રાજનૈતિક લાભો લેતા હોય છે.

રાજસ્થાનમાં ગત ટર્મમાં કોંગ્રેસની સરકારના શાસનમાં આઠ વર્ષના માસુમ દલિત બાળક ઇન્દ્ર મેઘવાળને પાણીના માટલાને અડવા માટે થઈ મારી નાખવામાં આવ્યો ત્યારે રાજસ્થાનમાં જ મહોબ્બતની દુકાન ખોલવા ભારત જોડે યાત્રા પર નીકળેલા રાહુલ ગાંધીએ તે ઘરની મુલાકાત સુદ્ધા લીધી ન હતી. એટલું તો એટલું પરંતુ આ પરિવારને સરકારી નોકરી જેવા લાભો પણ આપ્યા ન હતા. ઉલટાનું રાજસ્થાનના ભાજપ-કોંગ્રેસના નેતાઓએ ભેગા મળી એટ્રોસિટી એક્ટ વિરુદ્ધ સંમેલનો ભર્યા હતા અને આ બધું રાહુલ ગાંધીની આંખો સામે થયું હતું. ગુજરાતમાં છેલ્લા નવ વર્ષથી દરરોજ સવારે ભાજપના ગાભા, ડૂચા, ભુક્કા અને છોતરા કાઢતા જીગ્નેશ મેવાણી જેવા જાતે બની બેઠેલા સાવજ નેતાએ પણ ઇન્દ્ર મેઘવાળના ઘરે જવાની હિંમત કરી ન હતી.

આટલી કિંમત છે દલિત બાળકોના જીવનની. જીગ્નેશ મેવાણી દલિત અત્યાચાર સામે ત્યારે જ અવાજ ઉઠાવશે જયારે તે અત્યાચાર ભાજપ શાસિત રાજ્યમાં થયો હોય અને ભાજપના દલિત નેતાઓ દલિત અત્યાચારોનો ત્યારે જ વિરોધ કરશે જ્યારે તે અત્યાચાર કોંગ્રેસ શાસિત રાજ્યમાં થયો હોય. પરંતુ ભાજપ કોંગ્રેસના આ દલાલ દલિત નેતાઓ દલિતો પર અત્યાચાર થાય જ નહીં તેના માટે સાથે મળીને ક્યારેય કાર્ય નહીં કરે.

ભાજપ અને કોંગ્રેસ બંને દલિત વિરોધી છે અને બંને નહીં પરંતુ હિંદુત્વની રાજનીતિ કરતી આપ જેવી પાર્ટીઓ પણ દલિત વિરોધી છે. દલિતોએ હિન્દુત્વની રાજનીતિ કરનાર પાર્ટીઓથી દૂર રહેવું જોઈએ કારણ કે હિન્દુત્વની રાજનીતિમા બીજી સમાજને તો ખાલી શિક્ષણમાં અન્યાય થાય છે કે ભ્રષ્ટાચારથી તકલીફ થાય છે પણ દલિતોની તો સીધી જ હત્યા થાય છે.

કિસાન આંદોલનમાં એક ઊંચી જાતિના સવર્ણ હિન્દુ ખેડૂતને આંખમાં ટીયર ગેસનો સેલ વાગ્યો અને ઇજા થઈ ત્યારે રાહુલ ગાંધીએ વિડીયો કોલ કરી તેને ખબર અંતર પૂછ્યા હતા ને આખા દેશની મીડિયામાં વાયરલ કર્યા હતા. નરેન્દ્ર મોદી દલિતોના પગ ધોઈ વિડીયો મૂકે છે અને પછી જાહેરમાં કહે છે કે ભાઈઓ મારા દલિત ભાઈઓને ન મારો, તેમના બદલે મને મારો. પરંતુ જ્યારે ભાજપ-કોંગ્રેસ શાસિત રાજ્યોમાં દલિતોને હકીકતમાં જાનથી મારી નાખવામાં આવે છે ત્યારે આ બંનેમાંથી કોઈ પણ ન તો તેમની મુલાકાત લે છે કે ન તો તેમના ખબર અંતર પૂછે છે. એટલા માટે જ ભાજપ-કોંગ્રેસ માટે દલિતો વોટબેન્કથી વધુ કંઈ નથી.

ભાજપ-કોંગ્રેસ બંને દલિતો માટે એકસમાન ઘાતકી છે. ફરક બસ એટલો છે કે ભાજપ દલિતોને જાહેરમાં મારે છે જાહેરમાં દલિત વિરોધી કામગીરી કરે છે અને કોંગ્રેસ દલિતોની હમદર્દ બનવાનું નાટક કરી દલિતોની જોડે રહી પીઠ પાછળ દલિત ઉપર અત્યાચાર કરે છે. એટલે દલિતો ભાજપથી દૂર રહે તો પણ માર ખાય છે અને દલિતો કોંગ્રેસના ખોળામાં બેસે તો પણ માર ખાય છે. બંને રીતે તો છેલ્લે દલિતોની જ હત્યાઓ થાય છે.

મોદીને ગાળો બોલી, રાહુલ ગાંધીને ગાળો બોલી, મોદીએ રાહુલ ગાંધીનો વિરોધ કર્યો, રાહુલ ગાંધીએ મોદીનો વિરોધ કર્યો આવા ભાજપ-કોંગ્રેસના બેકાર મુદ્દાઓ ઉપર પોતાનો સમય અને તાકાત બગાડતા ગુજરાતના બુદ્ધિજીવી દલિતો હવે આ બે વર્ષની માસુમ દલિત બાળકની હત્યા વિશે બે શબ્દો નહીં બોલે. કારણ કે આ અત્યાચાર કોંગ્રેસના શાસનમાં થયો છે અને જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં છે. એટલે કોંગ્રેસનો વિરોધ કરવો એટલે જીગ્નેશ મેવાણીનો વિરોધ કરવો. ગુજરાતના દલિતો વિચારે છે કે જો કોંગ્રેસનો વિરોધ કરીશું તો કોંગ્રેસ જીગ્નેશ મેવાણીને ટિકિટ નહીં આપે અને જો ટિકિટ નહીં મળે તો જીગ્નેશ મેવાણી ધારાસભ્ય નહીં બંને. અને જીગ્નેશ મેવાણી ધારાસભ્ય નહીં બને તો ભાજપ સામે રોજ ફાંકા ફોજદારી કોણ કરશે?

એટલે ખાલી ભાજપ સામે ફાંકા ફોજદારી કરવા માટે થઈ ગુજરાતના દલિતોએ જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસની બૌદ્ધિક ગુલામી સ્વીકારી લીધી છે. અને હવે જાહેરમાં દલિતોની હત્યા પણ થાય તોય આ ગુલામ દલિતોના પેટનું પાણી હલતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતના અમુક દલિતો તો એવા દલાલ બની ચૂક્યા છે કે જેઓ એવા સિદ્ધાંત ઉપર ચાલે છે કે, "જો ભાજપના રાજમાં દલિત અત્યાચાર થાય તો અત્યાચાર અને જો કોંગ્રેસના શાસનમાં દલિત અત્યાચાર થાય તો ચમત્કાર."

ભાજપના રાજમાં મરે કે કોંગ્રેસના રાજમાં મરે માણસના જીવનની કિંમત સરખી હોવી જોઈએ. પણ દલિતોના કિસ્સામાં આ બાબત લાગુ પડતી નથી. દલિત જો ભાજપના રાજમાં મરે તો મહત્વનો પણ જો દલિત કોંગ્રેસના રાજમાં મળે તો તે કોડીનો ગણાય છે. ભાજપ-કોંગ્રેસની ગંદી રાજનીતિએ ગુજરાતના દલિતોનું એવું બૌદ્ધિક પતન કરી નાખ્યું છે કે તેઓ ભાજપ-કોંગ્રેસની લડાઈ સિવાય બીજા કોઈપણ મુદ્દાને મહત્વ આપતા નથી.

જાતિવાદ, અત્યાચાર અને આભડછેટ જેવા મુદ્દાઓને બાજુ પર મૂકી માત્ર ભાજપ-કોંગ્રેસને પાડવા અને ઊભી કરવામાં જ પોતાનો ઉદ્ધાર સમજતા ગુજરાતના ગુલામ દલિતોએ બાબાસાહેબને વાંચવા જોઈએ.

ભાજપ-કોંગ્રેસનો કોઈ પણ નેતા આ ઘાતકી ઘટના માટે હજુ સુધી બોલ્યો નથી. તો શું ભાજપ-કોંગ્રેસના નેતાઓમાં કોઈ ફરક છે ખરો?
તમારા અસ્તિત્વને આ પ્રશ્ન જરૂર પૂછજો.

- RK Parmar

संत रविदास की जयंती पर उनकी जन्मस्थली वाराणसी के सीर गोवर्धनपुर में बड़ी संख्या में रैदासी पहुंचे हैं. देश ही नहीं विदेश...
02/02/2026

संत रविदास की जयंती पर उनकी जन्मस्थली वाराणसी के सीर गोवर्धनपुर में बड़ी संख्या में रैदासी पहुंचे हैं. देश ही नहीं विदेश से भी लाखों भक्त पहुंचे हैं. सुबह से ही करीब तीन किलोमीटर लंबी लाइन लग गई है. लाइन में लगकर लोगों ने संत रविदास के दर्शन किए. एक हजार से ज्यादा एनआरआई चार्टर्ड प्लेन से वाराणसी पहुंचे और संत रविदास को डॉलर की माला पहनाई. मंदिर के पास में 150 फीट ऊंची रविदासी पताका फहराई गई. 200 किलो से ज्यादा सोने से मंदिर को सजाया गया.

संत रविदास जयंती पर आज सुबह से वाराणसी में लोगों की भीड़ उमड़ रही है. भक्तों के लिए मंदिर में लंगर चल रहे हैं. हर मिनट में एक हजार रोटियां बनाई जा रही हैं. लोगों को प्रसाद बांटा जा रहा है. 10 हजार से ज्यादा सेवादार दिन-रात लगे हुए हैं.

 #શૌર્યદિવસ "ભીમા કોરેગાવ" 01 જાન્યુઆરી 1818દલિતો/મહારોનો સન્માન,સ્વામીન,શૌર્ય ગાથાનો ઇતિહાસ.મહારાષ્ટ્રના પુણે પાસે આવેલ...
01/01/2026

#શૌર્યદિવસ
"ભીમા કોરેગાવ" 01 જાન્યુઆરી 1818

દલિતો/મહારોનો સન્માન,સ્વામીન,શૌર્ય ગાથાનો ઇતિહાસ.

મહારાષ્ટ્રના પુણે પાસે આવેલા "ભીમા" નદીના કિનારે,"ભીમા કોરેગાવ","શૌર્ય ગાથા" નો ઇતિહાસ,હજારો વર્ષોની ગુલામી થી ત્રાહિમામ થઈ ગયેલા,મહારો/દલિતો ને પેશ્વાસી શાસનમાં, પેશ્વાઓ સાથે જંગની લડાઈ 01-01-1818 ના દિવસે લડાઈ હતી,જેમાં 500 મહારો/દલિતોની બટાલિયન અને 28,000 પેશાવાઓનું સૌંન્ય જેમાં,સવાર થી શરૂ થયેલું યુદ્ધ આખી રાત ચાલ્યું જેમાં,500 મહારોએ 28,000 ની સેનાને હરાવી હતી,જેમાં 1 મહાર 56 લોકો ઉપર ભારી પડી ગયા હતા,જેમાં અંતે 500 મહારોનો વિજય થયો હતો,જેમાં વીર ગતિ પામેલા મહારોની યાદમાં નવા વર્ષના પહેલી તારીખ 01-01- ના રોજ મહારો/દલિતો પોતાના પૂર્વજોની યાદમાં આ "શૌર્ય ગાથા" દિવસ મનાવતા હોય છે.

- હિમાંશુ મેસરીયા

મિત્રો, જયભીમ શબ્દ સાંભળતાં જ બાબાસાહેબ ને યાદ કરીએ છીએ. તો આજે એનો થોડો ઇતિહાસ.આજે એટલે કે 13 ડિસેમ્બર,1945 ના રોજ પ્રથ...
13/12/2025

મિત્રો, જયભીમ શબ્દ સાંભળતાં જ બાબાસાહેબ ને યાદ કરીએ છીએ. તો આજે એનો થોડો ઇતિહાસ.

આજે એટલે કે 13 ડિસેમ્બર,1945 ના રોજ પ્રથમ વાર "જયભીમ" શબ્દ બોલવાની શરૂઆત નાગપુર પરિષદ થી થઈ,આ શબ્દ "બાબુ હરદાસે" આપ્યો હતો અને આટલાં જ વર્ષો માં આ શબ્દ ભારત જ નહીં એ વિશ્વનાં દરેક ખૂણા સુધી પહોંચી ગયો અને એક આગવી ઓળખ બન્યો.

જય ભીમ એટલે અંધકાર વચ્ચે આશાનું એક કિરણ.



પંડિત જવાહરલાલ નહેરુ બાબાસાહેબ આંબેડકરના વિરોધી હતા."સન ૧૯૪૬ માં ભારતનું બંધારણ ઘડવાનું જાહેર થયું ત્યારે,ભારતનું બંધારણ...
07/12/2025

પંડિત જવાહરલાલ નહેરુ બાબાસાહેબ આંબેડકરના વિરોધી હતા.

"સન ૧૯૪૬ માં ભારતનું બંધારણ ઘડવાનું જાહેર થયું ત્યારે,ભારતનું બંધારણ કોણ ઘડે તે પ્રશ્ન ઉભો થયો,તે સમયે કાયદાના નિષ્ણાત બાબાસાહેબ હતા,પરંતુ બંધારણ બાબાસાહેબ ઘડે તે નહેરુને પસંદ ન હતું"

સંદર્ભ : સાધના સાપ્તાહિક,પેજ નં.36(21 જાન્યુઆરી 2017)

અલવિદા..😓ડૉ.બાબાસાહેબ આંબેડકરના ગીતો દ્વારા બહુજન સમાજમાં બહુજન મિશનની વિચારધારાને સંગીતના મારફતે ઘરે ઘરે પહોંચાડનાર બહુ...
07/12/2025

અલવિદા..😓

ડૉ.બાબાસાહેબ આંબેડકરના ગીતો દ્વારા બહુજન સમાજમાં બહુજન મિશનની વિચારધારાને સંગીતના મારફતે ઘરે ઘરે પહોંચાડનાર બહુજન ગાયક શ્રી ભાવેશ ભાઈ પરમાર હવે આપણી વચ્ચે નથી રહ્યા.😓

દુઃખદ સમાચાર.બહુજન સમાજના બાબાસાહેબના ગીતો દ્વારા સમાજમાં જાગૃતિનું કામ કરનારા બહુજન ગાયક શ્રી ભાવેશ ભાઈ પરમાર હવે આપણી ...
07/12/2025

દુઃખદ સમાચાર.
બહુજન સમાજના બાબાસાહેબના ગીતો દ્વારા સમાજમાં જાગૃતિનું કામ કરનારા બહુજન ગાયક શ્રી ભાવેશ ભાઈ પરમાર હવે આપણી વચ્ચે નથી રહ્યા.

ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
નિઃશબ્દ

પોસ્ટ By : મોહિન્દર મોર્ય..



ડૉ. બાબાસાહેબ આંબેડકરના ૬૯ માં મહા પરિનિર્વાણ દિવસ પર શત શત નમન.❣️
06/12/2025

ડૉ. બાબાસાહેબ આંબેડકરના ૬૯ માં મહા પરિનિર્વાણ દિવસ પર શત શત નમન.❣️






06/12/2025

ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહા પરીનિર્વાણ દિવસ પર શત શત નમન..❣️



Address

Arvalli
Modasa

Alerts

Be the first to know and let us send you an email when Bahujan Asmita Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share