02/08/2026
મોડાસા નજીક આવેલા શીનાવાડ જળાશય (તળાવ) નો વિડીયો વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં વિઝિટ કરી રહ્યા છે. લોકો પાણીમાં અંદર જઈને જોખમી રીતે વિડીયો, ફોટોગ્રાફ્સ અને સેલ્ફી લઈ રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને અરવલ્લી SP કચેરી દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.
સ્થાનિક ઇન્ફ્લુએન્સરે વિડીયો જારી કરીને લોકોને અપીલ કરી છે કે SP સાહેબની સૂચના મુજબ જળાશય કે તળાવના અંદરના ભાગે જઈને સેલ્ફી કે વિડીયો બનાવવાની સખત મનાઈ છે. જો કોઈ પણ વ્યક્તિ આવી જોખમી પ્રવૃત્તિ કરશે અથવા સોશિયલ મીડિયા પર અપલોડ કરશે, તો સાયબર ક્રાઇમ અને LCB વિભાગ દ્વારા તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. લોકોને સુરક્ષિત અંતરે રહીને પ્રકૃતિની મજા માણવા વિનંતી કરવામાં આવી છે.