Charotar Kheda News

Charotar Kheda News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Charotar Kheda News, Media/News Company, 107 Sh*tvandan Complex, Nr. Mahagujrat Hospital, Nadiad.

નડિયાદ મહા નગર પાલિકા ના પ્રથમ કમિશ્નરે ચાર્જ સંભાળ્યોજી. એચ. સોલંકી એ પ્રથમ કમિશ્નરે તરીકે સંભાળ્યો ચાર્જશહેરમાં સરકારન...
09/01/2025

નડિયાદ મહા નગર પાલિકા ના પ્રથમ કમિશ્નરે ચાર્જ સંભાળ્યો

જી. એચ. સોલંકી એ પ્રથમ કમિશ્નરે તરીકે સંભાળ્યો ચાર્જ

શહેરમાં સરકારની મહત્તમ સેવાઓ સીધી મળી રહે તે રીતનું આયોજન કરશે.

સફાઈ, વરસાદી પાણી ના ભરાય તેમજ ઝડપ થી મહા નગરપાલિકા નું સેટપ ગોઠવાશે

આજ થી નડિયાદ માં મહા નગરપાલિકા ની કામગીરી શરૂ

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ લંડનના વડાપ્રધાન ઋષિ સુનકને આપતા સંતો.શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્...
23/06/2024

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ લંડનના વડાપ્રધાન ઋષિ સુનકને આપતા સંતો.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે દેશ વિદેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડતાલના વર્તમાન ગાદીપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી , મુખ્ય કોઠારીશ્રી ડો સંત સ્વામી , ચેરમેનશ્રી દેવ સ્વામી, પુ. માધવપ્રિય સ્વામી , પુ. નિત્યસ્વરૂપ સ્વામી, વગેરે સંતો અમેરિકા લંડન જેવા દેશોમાં વસતા સંપ્રદાયના અનુયાયીઓને રૂબરૂ આમંત્રણ પાઠવી રહ્યા છે..
આજ રોજ શ્રી કચ્છ સ્વામિનારાયણ મંદિર હેરો મુકામે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી અને પુ માધવપ્રિય સ્વામી છારોડી એ લંડનના પ્રથમ હિન્દુ વડાપ્રધાન ઋષિ સુનકને શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં લાભ લેવા માટે આમંત્રણ આપ્યુ હતુ.
આ સભા બોબ બ્લેકમેન પણ ખાસ ઉપસ્થિત હતા. તેમણે લંડનને પ્રથમ હિન્દુ પ્રાઈમ મિનિસ્ટર મળ્યા છે તેનુ ગૌરવ વ્યક્ત કર્યું હતુ. અને કહ્યુ હતુ કે, આ વડાપ્રધાન સતત તમારા સહુ માટે કામ કરે છે. અને અમને એમના માટે ગૌરવ છે.

ઋષિ સુનકે સભામાં પોતાના સ્વાગત સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભગવાન અને સંતોના આશીવાર્દ મળ્યા . આપ સહુનો સ્નેહ મળ્યો . મારો ઉછેર મંદિરના ઉષ્મા ભર્યા વાતાવરણમાં થયો છે. મને લાગે છે કે, આપણને સહુને ભગવાન જોઈ રહ્યા છે.. આટલું કહીને અંતમાં દેશ સમાજ અને સમષ્ટિ માટે સતત કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આજ ઇંગલેન્ડમા વડાપ્રધાન હોવા છતા હિન્દુ હોવાનું ગર્વ પૂર્વક જાહેરમાં સ્વીકારતા સુનક યુવકોના પ્રેરક - આઈકોન હોવા જોઈએ , એમ ડો સંત સ્વામીએ જણાવ્યું હતું.. અને સારંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી સહિત સંતોએ શ્રીહનુમાનજી ની પ્રતિમા અર્પણ કરી હતી તેનો સહર્ષ સ્વીકાર કરીને કહ્યુ હતુ કે, હનુમાન ચાલીશાનો પાઠ કરતી વખતે આ મુર્તી મારી સામે રાખીશ.
આ સમગ્ર કાર્યક્રમ મંદિરના પ્રમુખ સુરેશભાઈ , સેક્રેટરી રીકીનભાઈ અને સેવકોએ તમામ વ્યવસ્થા ગોઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા ગુજરાતીઓ પણ લંડનના કાઉન્સિલમાં મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યા છે..

આરંગેત્રમ | નડિયાદની દીકરીઓએ નૃત્ય થકી કલાના ઓજસ પાથર્યાભારતીય સંસ્કૃતિની એક ઉત્કૃષ્ટ ઝલકની સાથે ભાવ, રાગ અને તાલનો અદ્દ...
17/06/2024

આરંગેત્રમ | નડિયાદની દીકરીઓએ નૃત્ય થકી કલાના ઓજસ પાથર્યા
ભારતીય સંસ્કૃતિની એક ઉત્કૃષ્ટ ઝલકની સાથે ભાવ, રાગ અને તાલનો અદ્દભુત સમન્વય એટલે ભરતનાટયમ નડિયાદની નિશ્રા શાહ સાથે ભવ્યા, કાવ્યા, કશીશ, દેવાંશી દ્વારા આરંગેત્રલ દ્વારા કલાના ઓજસ પાથરવામાં આવ્યા હતા. જેનેજોઈને શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા.

 #વિશ્વ_હિન્દુ_પરિષદ_મંત્રી_ના_હોદ્દા_પરથી_દુર_કર્યા ખેડા જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના મંત્રી ઈશ્વરદાન બારોટ ની વા...
13/06/2024

#વિશ્વ_હિન્દુ_પરિષદ_મંત્રી_ના_હોદ્દા_પરથી_દુર_કર્યા ખેડા જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના મંત્રી ઈશ્વરદાન બારોટ ની વાયરલ થયેલ ઓડીઓ ક્લિપ માં હિન્દુ સમાજ ની જાતિગત ટીપ્પણીઓ ને મુદ્દે તાત્કાલીક અસરથી ઉત્તર ગુજરાત પ્રાંત અધ્યક્ષે ઈશ્વરદાન બારોટ ને જીલ્લા મંત્રી ના હોદ્દા પર થી દુર કર્યા...

વડતાલધામમાં દેવોને ૧૦ હજાર કિલો કેરીનો અન્નકુટ. વડતાલ  : શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેક વિધ આય...
02/06/2024

વડતાલધામમાં દેવોને ૧૦ હજાર કિલો કેરીનો અન્નકુટ.
વડતાલ : શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેક વિધ આયોજનો થઈ રહ્યા છે. સેવા ભક્તિ સ્મરણ ના કાર્યક્રમ થઈ રહ્યા છે . ત્યારે આ પ્રચંડ ગરમીમાં ચંપલ વિતરણ જેવી સેવાઓ થઈ છે.
આજે તા. ૨ જુન રવિવારના રોજ વડતાલ મંદિરમાં બીરાજતા દેવોને અમદાવાદ એસ.જી.વી.પી. ગુરૂકુળ પરિવારના સ્વામી માધવપ્રિયદાસજી અને પુરાણીસ્વામી બાલકૃષ્ણદાસજી દ્વારા ૧૦ ટન કેરીનો અન્નકુટ આમ્રોત્સવ ધરાવવામાં આવ્યો હતો. આમ્રોત્સવના આયોજક વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે નીજ મંદિરમાં દેવોને ભક્તો દ્વારા ઋતુ પ્રમાણે ફળો ધરાવવામાં આવે છે. જે અંતર્ગત ઉનાળાની ઋતુમાં ફળોનો રાજા કેરીનો અમદાવાદ એસજીવીપી ગુરૂકુળ પરિવારના સ્વામી માધવપ્રિયદાસજી અને પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી દ્વારા ૧૦ ટન કેસર કેરીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. મંદિરના પૂજારીઓ દ્વારા કેરીની કમાનો ઉભી કરવામાં આવી હતી. ત્યારબાદ દેવો સમક્ષ કેરી ધરાવવામાં આવી હતી. રવિવારના રોજ હજ્જારો હરિભક્તોએ આમ્રોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધીમાં અંદાજીત ૭૫ હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. સાંજે ૩.૩૦ થી ૬.૩૦ દરમ્યાન ૯૦મી રવિસભા અજરપુરાના રજનીકાંત ઉમેદભાઇ પટેલ તથા શ્રીમતી ગોપીબેન ધ્વુતીકુમાર પટેલના યજમાન પદે રાખવામાં આવી હતી. રવિસભાના વક્તાપદે ડો.સંતવલ્લભદાસજી સ્વામી બિરાજી વચનામૃત કથાનું રસપાન કરાવ્યું હતું. જ્યારે સમગ્ર આમ્રોત્સવના આયોજક ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા કોઠારી ડો.સંતસ્વામી હતા. આમ્રોત્સવની સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભસ્વામી તથા સ્વયંસેવકોની ટીમે સંભાળી હતી. અન્નકુટબાદ આ કેરીનો પ્રસાદનું વૃદ્ધાશ્રમ, અનાથઆશ્રમ, મહિલા આશ્રમ તથા દિવ્યાંગોને વડતાલધામના સંતો તથા સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.

વડતાલધામ- ૨૦૦ વર્ષ પ્રસંગે તમાકુ નિષિદ્ધ દિવસે યુવકોની પ્રતિજ્ઞા આજ વિશ્વમાં તંદુરસ્ત જીવન માટે તમાકુ  કેટલું ખતરનાક સાબ...
31/05/2024

વડતાલધામ- ૨૦૦ વર્ષ પ્રસંગે તમાકુ નિષિદ્ધ દિવસે યુવકોની પ્રતિજ્ઞા
આજ વિશ્વમાં તંદુરસ્ત જીવન માટે તમાકુ કેટલું ખતરનાક સાબિત થઈ રહ્યુ છે તેની વિગતે વાત કરીને હતી. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ , ચેરમેન સ્વામી દેવપ્રકાશ સ્વામી વગેરે એ દરેકને આ કાર્ય માટે અખંડ પુરુષાર્થ કરવા જણાવ્યું છે. વ્યસન મુકત સમાજ એ શાંતિયુક્ત સમાજનો પાયો છે. આજે વડતાલમા તમાકુના વ્યસનથી દૂર રહેવા માટે પોલીસ વિભાગના અધિકારીઓ સાથે આ કેમ્પની અંદર ઉપસ્થિત યુવકોને પ્રતિજ્ઞા લેવરાવતા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શા.શ્રી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું કે આજે સમગ્ર ગુજરાતની ધર્મપ્રેમી સજ્જન જનતાને મારી કરબદ્ધ વિનંતી છે આપડા ધર્મશાસ્ત્રોમાં વ્યસનનો ત્યાગ કરવાનું કહ્યું છે.ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણે શિક્ષપત્રીમાં વ્યસન કરવાની સદંતર મનાઈ ફરમાવી છે અને તમાકુ આદિનું સેવન કરવું નહીં એવો સ્પષ્ટ આદેશ આપ્યો છે. આજે દુનિયામાં વસતા તમામ લોકો પોતાના સ્વશરીરની સુખાકારી માટે તમાકુ સેવાનનો ત્યાગ કરે એના માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આપડે સંસ્કાર,સંસ્કૃતિ અને માતાપિતાના વારસના આપડે જીવંત વારસદાર છીએ માટે આપણે એક વાત મનમાં ગાંઠ વાળવી કે મારા કુટુંબમાં વ્યસન કરીશ નહીં અને વ્યસન કરવા કોઈને દઇશ નહીં. આવા વિશ્વાસ સાથે આવી દ્રઢતા સાથે આજના તમાકુ દિવસની ઉજવણી કરવી જોઈએ અને ભગવાન સ્વામિનારાયણે જ્યાં બેસીને શિક્ષાપત્રી લખી છે એ વડતાલની ભૂમિ માંથી એક કરબદ્ધ પ્રાર્થના કરવી છીએ.આજે સ્ટુડન્ટ્સ પોલીસ કેડરના તમામ યુવકોને વ્યસન મુક્ત રહેવા તમાકુયુક્ત રહેવાની પ્રતિજ્ઞા લેવરાવી અને એ હોંશે હોંશે કહ્યું અમે અમારા જીવનમાં અમારા પરિવારમાં તમાકુ આવવા દેશું નહીં એનો મને આનંદ છે. હું આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરું છું આપડે આપડા આવતા જનરેશનને માત્ર સંપતિ કે મકાનો જ નહીં આ સંસ્કાર પણ આપવા જ છે અને આપવા જ જોઈએ તો દરેક માતાપિતા પોતે વ્યસનમુક્ત બને અને પોતાના યુવાન દીકરા દીકરીઓ કોઈ પણ વ્યસનમાં ન જાય એ માટે ખાસ પ્રાર્થના કરજો.
જય સ્વામિનારાયણ

વડતાલધામમાં સહજાનંદી બાળ યુવા શિબિર - ૮ ની પૂર્ણાહુત , સહજાનંદી બાળયુવા શિબિર- ૮ માં  5000 બાળ - બાલિકાઓ તથા યુવાનોએ  શિ...
27/05/2024

વડતાલધામમાં સહજાનંદી બાળ યુવા શિબિર - ૮ ની પૂર્ણાહુત , સહજાનંદી બાળયુવા શિબિર- ૮ માં 5000 બાળ - બાલિકાઓ તથા યુવાનોએ શિક્ષા - સંસ્કારનું ભાતું બાંધ્યું..
આ બાળકો વડતાલનું ભવિષ્ય છે, આચાર્ય મહારાજ વડતાલ.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે તારીખ 24 મેથી 26 મે દરમિયાન યોજાયેલી ત્રિદિવસીય સહજાનંદી બાળ યુવા શિબિરની રવિવારે સાંજે પૂર્ણાહુતિ યોજાઈ.
શિબિરમાં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના 5000 બાળક- બાલિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમેરિકામાં સત્સંગ વિચરણ કરી રહેલા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, શ્રી પૂ. જ્ઞાનજીવન સ્વામી (કુંડળ) પુ. નિત્યસ્વરુપદાસજી સરધાર, દેવપ્રકાશદાસજી સ્વામી ચેરમેનશ્રી, ડો સંત સ્વામી - મુખ્ય કોઠારીશ્રી , ગોવિંદપ્રસાદ સ્વામી મેતપુરવાળાએ શિબિરાર્થી બાળકોને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ શિબિરમાં માતૃ પિતૃ વંદના પર વિશેષ ભાર મુકાયો હતો. આ બાબત માટે ખાસ ભરૂચ જીલ્લા કલેક્ટર માતા પિતા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. અને બાળકોને પ્રેરણા આપી હતી . તથા અમિતભાઈ જાદુગરે વૃક્ષ બચાવો - કન્યા બચાવો - વ્યસન છોડો વગેરે પ્રેરક પ્રસંગો કહ્યા હતા. અને જીલ્લા એસ પી શ્રી રાજેશભાઈ ગઢીયા સાહેબે પોતાનું દ્રષ્ટાંત આપીને માતા પિતાનું મહત્વ કહ્યુ હતું. અને મને બાળ મંડળમાં જવાનો અવસર મળ્યો છે પણ આવી બાળ શિબિરમાં આવવાનો અવસર નથી મળ્યો . તમે ભાગ્યશાળી છો.. કહીને બધાને પ્રેરણા આપી હતી. સંસ્થાએ સાહેબનો આભાર માન્યો હતો.
આ શિબિર સમાપન સમયે મંદિરમાં સમૂહ પૂજાનું અને સમૂહ ફોટો શેસન કરવામાં આવ્યું હતું .
શિબિર દરમિયાન નારાયણચરણ સ્વામી બુધેજ , પ્રિયદર્શન સ્વામી પીજ , ગુણસાગર સ્વામી વિરસદ , નયનપ્રકાશ સ્વામી સુરત , હરિગુણ સ્વામી ઉમરેઠ ગોપાલ ભગત જ્ઞાનબાગ , શુકદેવ સ્વામી -નાર , પ્રેમનંદન સ્વામી ઊજ્જૈન , ઇશ્વરચરણ સ્વામી વડોદરા , ભક્તિચરણ સ્વામી , ચંદ્રકાંત ગોહિલ ગાંધીનગર( ફુડ વિભાગ) વગેરેએ પીપીટી સાથે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમે બાળ જીવનના ઉપયોગી વિષયોની છણાવટ કરી હતી.
આ શિબિરમાં પોતાના માતા પિતા સાથે શિબિરમાં ભાગ લેવા આવેલ બાળકોએ પોતાના માતા પિતાને પગે લાગી ચરણ પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. વિદાય લેતા બાળકોએ ગુરુ- સંતોના આશીર્વાદ માટે ગુરુ વંદના કરી હતી.બાળકોએ સંતો સાથે રાસની રમઝટ બોલાવી હતી. વિવિધ સંસ્કારો અને સામાજિક, ધાર્મિક જ્ઞાન સાથે શિબિરાર્થી બાળકોએ વતન ભણી પ્રસ્થાન કર્યું હતું. શિબિર સમાપન પ્રસંગે સંયોજક શાસ્ત્રી નારાયણચરણ દાસજી સ્વામી, સ્વામી શ્યામવલ્લભ, સ્વામી ભક્તિ ચરણદાસજી, પાર્સદ ગોપાલ ભગત , પાર્ષદ ઘનશ્યામ ભગત ટ્રસ્ટીશ્રી , શ્રી ગોવિંદ સ્વામી મેતપુરવાળા , પુ આનંદ સ્વામી ઉજ્જૈન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ સત્સંગીઓના બાળકો યુવાનોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે દ્રઢ નિશ્ચય થાય અને ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ આશયથી ત્રણ રાજ્યના 5000 બાળકો- બાલિકાઓ અને યુવાનોએ લાભ લીધો હતો. શિબિરનું આયોજન શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલ મંદિરના ચેરમેન દેવ પ્રકાશ સ્વામી અને કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ કર્યું હતું.

જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્ય...
27/05/2024

જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે પ્રિ-મોન્સૂન 2024ની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં ચોમાસાની ઋતુ પહેલા ડિઝાસ્ટર સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી બાબતે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ મીટીંગમાં ખેડા જિલ્લાનાં તમામ ડિઝાસ્ટર નોડલ અધિકારીશ્રીઓ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન બાબતે કરવામાં આવેલ કામગીરી અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ આ કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શક સુચનો આપ્યા હતા. જેમાં, નિયત સમયગાળામાં કાંસ સફાઈ, ડીવોટરીંગ પંપ દુરસ્તી સમીક્ષા, ડિઝાસ્ટર કામગીરી માટે મોકડ્રીલ, કમ્યુનિકેશન પ્લાન, જર્જરીત મકાનો, ભયજનક સ્થળોને કોર્ડન કરવા, જર્જરીત વીજ પોલ, વીજ લાઈનને દુરસ્ત કરવા, પાણી, ગટર વગેરેની લીકેજ લાઈનને દુરસ્ત કરવા સહિતની અગ્તયની બાબતો પર ત્વરીત કામગીરી પુર્ણ કરવા સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ સંબધિત વિભાગના તમામ અધિકારીશ્રીઓને ડીઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી જવાબદારીપુર્વક અને ચોક્કસ સમયગાળામાં પુર્ણ કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી. વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેકટર શ્રી ભરત જોષી, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લા તથા તાલુકાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અંખડ  જ્યોતના શુભ આશીર્વાદ તથા પ્રાત:સ્મરણીય પ.પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજના ...
13/05/2024

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અંખડ જ્યોતના શુભ આશીર્વાદ તથા પ્રાત:સ્મરણીય પ.પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજના માર્ગદર્શન અને આજ્ઞા અનુસાર *શ્રી બાલયોગી સત્સંગ સંસ્કાર કેન્દ્ર સભા* શ્રી સંતરામ મંદિર નડિયાદ ૧૦ દિવસીય બાળ સંસ્કાર ગ્રીષ્મ શિબિર નું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં લગભગ 110 થી વધારે બાળકોએ ભાગ લીધો છે. તિબેરી ના પ્રથમ દિવસે પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ, નિર્ગુણદાસજી મહારાજ, ગણેશદાસજી મહારાજ, રામેશ્વરદાસજી મહારાજ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. શ્રી બાલયોગી સત્સંગ સંસ્કાર કેન્દ્ર સભાના લોગોનું લોકાર્પણ કરવામાં આવ્યું. અને ત્યારબાદ રામદાસજી મહારાજ તથા સંતવૃંદના આશીર્વાદ બાળકોને પ્રાપ્ત થયા. દસ દિવસીય બાળ સંસ્કાર ગ્રીસમાં શિબિર નો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તથા યોગ્ય દિશામાં તેમના જીવનનું ઘડતર અને વિકાસ થાય છે. આ શિબિરમાં બાળ સંસ્કાર, સંસ્કૃત, રામાયણ/મહાભારતના પ્રસંગો, પેઇન્ટિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ઇન્ડોર/આઉટડોર રમતો, જીવન કુશળતા, વગેરે પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે.

|| *જય મહારાજ*||

નડીઆદના ગીચ વિસ્તાર સાંથ બજારમાં ગેસનો બોટલ બ્લાસ્ટ થતા રહીશોના જીવ અધ્ધર નડીઆદ નાં ભીડભાડ ભર્યા અને રહેણાક અને દુકાનોની...
11/05/2024

નડીઆદના ગીચ વિસ્તાર સાંથ બજારમાં ગેસનો બોટલ બ્લાસ્ટ થતા રહીશોના જીવ અધ્ધર
નડીઆદ નાં ભીડભાડ ભર્યા અને રહેણાક અને દુકાનોની સજજડ વિસ્તાર સાંથ બજારમાં આજે શનિવારે સવારે સોના ચાંદીના દાગીના બનાવતી એક ત્રીજા માળે આવેલ દુકાનમાં ગેસ નો બોટલ બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી હતી...ફાયરબ્રિગેડ એ આગને કાબૂમાં લીધી હતી . જોકે મહત્વનું એ છે એક જ દુકાનમાંથી ગેસ સિલિનડરની ચાર બોટલો મળી આવી હતી. જે નોન કોમર્શિયલ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી વગર ધમધમતી ત્રણ માળની દુકાન અને નોન કોમર્શિયલ ગેરકાયદે ગેસ સિલિન્ડર ની બોટલ ફાટવાથી સર્જાયેલ બનાવમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત, ત્યારે જવાબદારો વિરુદ્ધ પગલાં ભરવા સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

વડતાલના સંતોનું સામુહિક મતદાન .. લોકસભા ચૂંટણી-૨૦૨૪*  આજે તા.૭મીને મંગળવારે યોજાઇ  રહેલી લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી...
07/05/2024

વડતાલના સંતોનું સામુહિક મતદાન ..
લોકસભા ચૂંટણી-૨૦૨૪*
આજે તા.૭મીને મંગળવારે યોજાઇ
રહેલી લોકસભાની ત્રીજા તબક્કાની
ચૂંટણીમાં એક કેન્દ્રશાસિત પ્રદેશ અને
*૧૦* રાજ્યોની *૯૩* બેઠકો પર
મતદાન થઇ રહ્યું છે:
ગુજરાતની *૨૫* બેઠકો માટેના *૫૦,૭૮૭*
મતદાન મથકો પર સવારે શાંતિપૂર્ણ
રીતે મતદાનનો પ્રારંભ થયો હતો:
ગુજરાતના કુલ *૪,૯૬,૨૨,૧૬૨*
મતદારો છે જ્યારે *૨૫૦૦૦* મતદાન કેન્દ્રો છે
અને *૨૬૬* ઉમેદવારો છે: વિધાનસભાની
*૫* બેઠકોની પેટા ચૂંટણીમાં *૨૪* ઉમેદવારો છેઃ
———————
*પહેલા નાગરિક પછી સાધુ..!*
*વડતાલ મંદિરના*
*સંતોનું મતદાન*
———————
યાત્રાધામ વડતાલ મંદિરના સંતો, પાર્ષદો
અને બ્રહ્મચારીઓ લોકસભા ચૂંટણીમાં
મતદાન કરવા ઉમટી પડ્યા હતાઃ
લોકશાહીમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો
મૂળભૂત અધિકાર અને નૈતિક ફરજ છેઃ
વડતાલ પ્રાથમિક શાળા બુથ-૧માં કુલ
૧૦૧૦ મતદારો નોંધાયેલા છે તે તેમાં
ત્યાગી મતદારોનો પણ સમાવેશ થાય છેઃ
વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંત સ્વામી:
૯૫ વર્ષેના વયોવૃધ્ધ સંત શાસ્ત્રી સ્વામી
ધર્મપ્રસાદદાસજી: શરીરે પરાધિન પણ મતદાન
માટે જોમજુસ્સો અકબંધ..! એટલે તો
'અબકી બાર ૪૦૦ પાર..'
ગોવિંદપ્રસાદ સ્વામી: ભાઇ સ્વામી:
શ્યામવલ્લભ સ્વામી: દેવસ્વરુપ સ્વામી:
રામ સ્વામી: દેવ સ્વામી: જગત સ્વામી:
સંતબાલ સ્વામી: પી.પી.સ્વામી: કે.પી.સ્વામી:
જયેન્દ્ર સ્વામી: ચંદ્રપ્રકાશ સ્વામી:
ઘનશ્યામ સ્વામી સાવદાવાળા: માનસ સ્વામી:
ગુણસાગર સ્વામી:
પૂજારી હરિસ્વરુપાનંદજી: ટ્રસ્ટી ઘનશ્યામ ભગત:
નાનજી ભગત: ચંદુ ભગત: ભગવાન ભગત:
દિનેશ ભગત: રાજુ ભગત: સચિન ભગત
સહિતના સંતો મંદિરેથી વાજતે ગાજતે
મતદાન મતદાન કેન્દ્ર પર ગયા હતા:
સંતોને માર્ગમાં ગૌમાતા મળે છે તેનેે શુકન
ગણવામાં હતા: સંતોએ ઉત્સાહભેર
મતદાન કર્યું હતું:
[ ૭/૫/૨૦૨૪: મંગળવાર ]

વડતાલ સંસ્થાની મતદાતાઓને અપીલ. દેવ સ્થાનના શણગારથી સંદેશ આપ્યો . ગુજરાત નહિ વિશ્વભરમાં પ્રસરેલા સ્વામિનારાયણ સંપ્રદાયના ...
05/05/2024

વડતાલ સંસ્થાની મતદાતાઓને અપીલ. દેવ સ્થાનના શણગારથી સંદેશ આપ્યો .
ગુજરાત નહિ વિશ્વભરમાં પ્રસરેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર વડતાલમાં આજે દેવના શણગારથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો છે.
આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને સંતોએ સામુહિક અપીલ કરી છે. રવિસભામાં પણ જાગૃતિનો સંદેશ મળતો હતો. ડો સંત સ્વામીએ જણાવ્યું હતું કે , આપણે આઝાદ થયા એને ૭૫ વર્ષ થયા છતાં આપણે હજી આપણી જાતને આ દેશના માલિક સમજતા નથી થયા...
એટલેજ આપણે મત ને દાન કહીએ છીએ હકીકતમાં આપણે આ દેશ ચલાવવા આપણો પ્રતિનિધિ એપોઇન્ટ કરવાનો છે અને એના માટે આપણા મતાધિકારનો ઉપયોગ કરી આ દેશની સમૃદ્ધિની ચિંતા કરી શકે અને સાંસ્કૃતિ વારસાનું જતન કરી શકે...આપણા નાગરિકોનું દેશના દુશ્મનોથી રક્ષણ કરી શકે અને આપણને ગૌરવ અપાવી એવા શ્રેષ્ઠ પ્રતિનિધિ કહેતા પ્રધાનમંત્રીનું ચયન કરવાનો રૂડો લોકશાહીનો અવસર આપણા આંગણે આવીને ઉભો છે...
પણ કમનસીબી એ વાતની છે કે આપણે આપણા મતનો અધિકાર કરવા માટે ઉદાસીન રહીએ છીએ અને એટલેજ દેશમાં મતની ટકાવારી ૬૦%ની આસપાસ જ રહે છે જે વધે અને વધુમાં વધુ લોકો લોકશાહીના આ પર્વમાં સામેલ થાય અને પોતાની ફરજ અદા કરે એ હેતુથી વડતાલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાને અનોખી પહેલ કરી છે અને આજે દેવોના શણગારમાં મતદાન કરવાની અપીલ કરતા સ્લોગનો ગર્ભ ગૃહમાં ઠાકોરજીની શોભામાં મુક્યા છે જેથી આ નિત્યદર્શન કરતાં હરિભક્તોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય.
આમેય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની જ્યા ભગવાનશ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી છે એ સામાજિક જાગૃતિનું કેન્દ્ર રહ્યું છે અને આ શિક્ષાપત્રીની આજ્ઞાઓ શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે જરૂરી અનેક આજ્ઞાઓ કરે છે જેમાં અધિકારને બદલે શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં પોતાની ફરજો ઉપર વધુ ધ્યાન આપાયું છે.
આવી દેવસ્થાનની પહેલ અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ માટે ઉત્તમ ઉદાહરણ બને અને લોકો વધુમાં વધુ મતદાન કરે એ માટે આ અનુકરણીય પહેલને અઢળક અભિનંદન

Address

107 Sh*tvandan Complex, Nr. Mahagujrat Hospital
Nadiad
388001

Alerts

Be the first to know and let us send you an email when Charotar Kheda News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Charotar Kheda News:

Share