M j Gujarat News

M j Gujarat News સોશિયલ મીડિયા યૂટ્યૂબ ચેનલ
સોશિયલ મિડીયા ફેસબુક પેઇજ

રાજકોટ આઈજી નિર્લિપ રાય"નામ સાંભળીને ભલભલાના પરસેવા છૂટી જાય,કાયદાનો હાથ જ્યારે એમના ખભા પર હોય,ત્યારે અન્યાય કરનારાઓના ...
08/03/2026

રાજકોટ આઈજી નિર્લિપ રાય

"નામ સાંભળીને ભલભલાના પરસેવા છૂટી જાય,

કાયદાનો હાથ જ્યારે એમના ખભા પર હોય,

ત્યારે અન્યાય કરનારાઓના કાળજા ધ્રૂજી જાય!"



Source : Social media copy paste

08/03/2026

22/02/2026

સુરેન્દ્રનગર જિલ્લાના ૮૦ શાહુકારો(વ્યાજ વટાવ) નાણાં ધીરધારનો ધંધો કરનારને કારણદર્શક નોટીસ: ૧૫ દિવસમાં ખુલાસો રજુ ન કરનારના રજિસ્ટ્રેશન રદ થશે

ગુજરાત નાણાંની ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં શાહુકારો દ્વારા કાયદેસર રજિસ્ટ્રેશન અને નિયમોનું ચુસ્ત પાલન થાય તે હેતુસર તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રારની કચેરી દ્વારા જિલ્લાના કુલ ૮૦ જેટલા શાહુકારોને તેમનો પરવાનો રીન્યુ ન કરાવવા બદલ કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે.

શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર સુશ્રી કોમલ કે. ચૌધરી અને સહકારી અધિકારી (ધિરધાર) શ્રી નિકુલગીરી એન. ગોસ્વામી દ્વારા ઇશ્યુ કરવામાં આવેલી આ નોટીસમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, નોટીસ મળ્યાના ૧૫ દિવસની અંદર સંબંધિત શાહુકારોએ લેખિત અથવા મૌખિક ખુલાસો કચેરી સમક્ષ રજુ કરવાનો રહેશે. આ સાથે જ E-Cooperative Portal (https://ecooperative.gujarat.gov.in) પર જરૂરી આધાર પુરાવા સાથે રજિસ્ટ્રેશન તાજું અથવા રીન્યુ કરવા માટે અરજી કરવાની રહેશે.

નિર્ધારિત સમયમર્યાદામાં ખુલાસો કે અરજી રજુ કરવામાં કસુર કરનાર શાહુકારો સામે કડક વલણ અપનાવવામાં આવશે. જો રજુ કરાયેલ ખુલાસો અસંતોષકારક જણાશે અથવા સમય મર્યાદામાં જવાબ નહિ મળે, તો ગુજરાત નાણાંની ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૨૦૧૩ ની જોગવાઈ મુજબ એકતરફી રીતે રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નાણાંની ધિરધારની પ્રવૃત્તિ પારદર્શક અને કાયદેસર રીતે થાય તે માટે સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. તમામ શાહુકારોને કાયદાનું પાલન કરી નિર્ધારિત સમયમાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા માટે શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, સુરેન્દ્રનગર દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦

સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે શહેરમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને સુધારવા માટે એક શખ્સે નગરપાલિકાને 21 કિલો સોનાનાં ...
22/02/2026

સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે શહેરમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને સુધારવા માટે એક શખ્સે નગરપાલિકાને 21 કિલો સોનાનાં બિસ્કિટ દાનમાં આપ્યા છે. કોણ છે આ દાનવીર અને ક્યાંની ઘટના છે જાણો.

Source : BBC NEWS GUJARATI

મોરબી પોલિસે આરોપીઓ સામે સકંજો કસવાનું ચાલુ કર્યું
22/02/2026

મોરબી પોલિસે આરોપીઓ સામે સકંજો કસવાનું ચાલુ કર્યું

ટંકારા પોલીસે ચોરી નો મોટો ભેદ ઉકેલી આરોપીને ઝડપી 100% મુદામાલ જપ્ત કર્યો
18/02/2026

ટંકારા પોલીસે ચોરી નો મોટો ભેદ ઉકેલી આરોપીને ઝડપી 100% મુદામાલ જપ્ત કર્યો

ચોટીલા ડેપ્યુટી ક્લેક્ટર એચ.ટી.મકવાણાની રાજ્યપાલશ્રી સાથેની આ તસવીર આજીવન સંભારણું બની રહેશે
14/02/2026

ચોટીલા ડેપ્યુટી ક્લેક્ટર એચ.ટી.મકવાણાની રાજ્યપાલશ્રી સાથેની આ તસવીર આજીવન સંભારણું બની રહેશે

ચોટીલા ડેપ્યુટી ક્લેક્ટર,ક્લેક્ટર અને એસ.પી.એક સાથે ગામડામાં સફાઈ અભિયાન અને સાદગીથી ભોજન કરતા જોવા મળ્યા હતાSource   : ...
13/02/2026

ચોટીલા ડેપ્યુટી ક્લેક્ટર,ક્લેક્ટર અને એસ.પી.એક સાથે ગામડામાં સફાઈ અભિયાન અને સાદગીથી ભોજન કરતા જોવા મળ્યા હતા

Source : Social media copy paste

પ્રોટોકોલ મૂકી રાજ્યપાલશ્રીએ ધીરુભાઈ વાઘેલાના આંગણે શુદ્ધ દેશી ભોજનનો આસ્વાદ માણ્યો.*શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનો સંદ...
13/02/2026

પ્રોટોકોલ મૂકી રાજ્યપાલશ્રીએ ધીરુભાઈ વાઘેલાના આંગણે શુદ્ધ દેશી ભોજનનો આસ્વાદ માણ્યો.

*શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનો સંદેશ આપી બાળકોને ભણી-ગણીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા પ્રેરણા આપી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ચોટીલા તાલુકાના ચાણપા ગામની મુલાકાત દરમિયાન સામાજિક સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજ્યના પ્રથમ નાગરિક હોવા છતાં, અત્યંત સાદગીનો પરિચય આપતા તેઓ ગામના શ્રી ધીરુભાઈ વાઘેલાના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. જ્યાં તેમણે તમામ પ્રોટોકોલને બાજુએ મૂકીને એક પરિવારના વડીલની જેમ જમીન પર બેસીને અત્યંત સાદગીપૂર્ણ અને ભાવપૂર્વક ભોજન ગ્રહણ કર્યું હતું.

રાજ્યપાલશ્રીએ ચુલા પર બનેલા બાજરાના ગરમાગરમ રોટલા, બટાકાનું શાક, દાળ, તાજું માખણ અને સલાડ જેવા શુદ્ધ દેશી ભોજનનો આસ્વાદ માણતા જૂની સ્મૃતિઓ તાજી કરી હતી. તેમણે સહજતાથી જણાવ્યું હતું કે, ગેસની રોટલી કરતા ચુલાની રોટલીનો સ્વાદ અદ્ભુત હોય છે, જે બાળપણની યાદ અપાવે છે.

મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ધીરુભાઈ વાઘેલાના પરિવારના સભ્યો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે પરિવારના સભ્યોના ખબર-અંતર પૂછયા હતા. પિતૃતુલ્ય વાત્સલ્ય સાથે તેમણે બાળકો સાથે વિશેષ સમય વિતાવ્યો હતો. બાળકો કયા ધોરણમાં અભ્યાસ કરે છે તેની પૃચ્છા કરી તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ જ પ્રગતિનો એકમાત્ર માર્ગ છે. તેમણે બાળકોને મન લગાવીને ભણવા અને માતા-પિતા સહિત દેશનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે ધીરુભાઈ વાઘેલાના પરિવારે રાજ્યપાલશ્રીને ભારતનું સંવિધાન પુસ્તક અને શાલ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સૌને જીવનમાં વ્યસનનો ત્યાગ કરવા અને માતા-પિતાની આજ્ઞાનું પાલન કરી કુળનું ગૌરવ વધારવા જણાવ્યું હતું. રાજ્યના સર્વોચ્ચ પદ પર બિરાજમાન મહાનુભાવને પોતાના આંગણે આટલી સાદગીથી જમતા જોઈ ધીરુભાઈના પરિવારે હર્ષની લાગણી અનુભવી હતી.

રાજ્યપાલશ્રીની આ મુલાકાતમાં જિલ્લા કલેકટર શ્રી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, પ્રાંત અધિકારી શ્રી હરેશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતાં.

Source : Social media copy paste

પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગૌતમભાઈ ગેડીયાની હાજરીમાં પાટણ કાર્યક્રમ યોજાયોએકાત્મ માનવદર્શનના પ્રણેતા શ્રદ્ધેય પંડિત દીનદયાલ ઉપ...
11/02/2026

પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગૌતમભાઈ ગેડીયાની હાજરીમાં પાટણ કાર્યક્રમ યોજાયો

એકાત્મ માનવદર્શનના પ્રણેતા શ્રદ્ધેય પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે આજે તા.૧૧/૦૨/૨૦૨૬ ના રોજ પાટણ જિલ્લા દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમના તેલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી.

આ અવસરે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના આદર્શો વિશે વાત કરી અને 'અંત્યોદય'ના લક્ષ્ય સાથે રાષ્ટ્રના છેવાડાના માનવી સુધી સેવા પહોંચાડવાના પંડિતજીના શ્રેષ્ઠ વિચારોને આત્મસાત કરવાનો સંકલ્પ કર્યો.

આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, જિલ્લા મહામંત્રીશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

મોરબીના યુવકનો સુરેન્દ્રનગર નેત્રમની ટીમે થેલો પરત અપાવ્યો
11/02/2026

મોરબીના યુવકનો સુરેન્દ્રનગર નેત્રમની ટીમે થેલો પરત અપાવ્યો

Address

Paddhari
Paddhari
360110

Alerts

Be the first to know and let us send you an email when M j Gujarat News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to M j Gujarat News:

Share