
23/06/2025
પ્રાંતિજ ના કાટવાડ પાસે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત- ત્રણના મોત આઠ ને ઇજાઓ પોહચી- બસ માંથી પતરા કાપીને મૃતદેહ બહાર કાઢ્યા સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ નજીક મુંબઈથી ઉદેપુર જતી ખાનગી લક્ઝરી બસનો ગમખ્વાર અકસ્માત ટ્રક સાથે અથડામણમાં ત્રણ મુસાફરનાં મોત આઠ ઘાયલ તો અડધો કલાકની જહેમત બાદ પતરાં કાપીને મૃતદેહ બહાર કઢાયા પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાસે સોમવાર ની વહેલી સવારે ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે મુસાફરોના મોત થયા હતા જયારે આઠ થી બસમા સવાર મુસાફરો ને વધુ ઈજાઓ પોહચતા તેવોને ૧૦૮ મારફતે હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જેમા એક પુરુષ હિંમતનગર થી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખાતે ખસેડાયો હતો જયા સારવાર મળે તે પહેલા મોત નિપજયુ હતુ આ અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા પોલીસ , ૧૦૮ , પ્રાંતિજ ફાયર ટીમ , હાઈવે ટ્રાફિક પોલીસ સહિત ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી તો બસ મુંબઇ ના બોરીવલી થી ઉદેપુર જતી હતી મુંબઈના બોરીવલીથી ઉદેપુર જતી ખાનગી લક્ઝરી બસ BR-28-P-3636 ને પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાસે અકસ્માતનો ભોગ બની છે અને સોમવારે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે ૪૮ પર કાટવાડ ઓવરબ્રિજ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી ખાનગી બસ ટ્રકમાં ઘુસી જતા અકસ્માત પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના મુંબઈ બોરીવલ્લીથી ખાનગી લક્ઝરી બસ નંબર BR-28-P-3636 માં મુસાફરો સાથે રાજસ્થાનના ઉદેપુર જઈ રહી હતી તે દરમ્યાન અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે ૪૮ પર સોમવારે વહેલી સવારે ચાર કલાકની આસપાસ કાટવાડ ઓવરબ્રિજ નજીક આગળ જઈ રહેલ ટ્રકમાં ખાનગી બસ ઘુસી ગઈ હતી આ ગમખ્વાર અકસ્માતમાં ખાનગી બસની ડાબી સાઈડ ચિરાઈ ગઈ હતી ઓવરબ્રિજની સાઈડની રેલીંગને ટકરાયા બાદ ખાનગી બસ ઉભી રહી હતી મુસાફરોમાં અફરાતફરી થઈ ગઈ હતી અડધો કલાકની જહેમત બાદ પતરાં કાપીને મૃતદેહ બહાર કઢાયા જોકે એક સ્ત્રી અને એક પુરુષ મુસાફર સીટ અને પતરા વચ્ચે ફસાઈ ગયેલા હતા જેમાં ફાયર વિભાગ ધ્વારા એક સ્ત્રીના મૃતદેહને બહાર કાઢ્યા બાદ અડધો કલાકની જહેમત બાદ પતરાં કાપીને સીટ વચ્ચે ફસાયેલા એક પુરુષના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો અને આઠ થી વધુ ઘાયલ મુસાફરોને સારવારમાં ખસેડાયા હતા તો અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈ ને અકસ્માત સ્થળે થી ભાગી ગયો હતો ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસ, હાઈવે ટ્રાફિક , ચાર ૧૦૮ એમ્બ્યુલન્સ અને પ્રાંતિજ-હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી આઠથી વધુ ઘાયલ મુસાફરોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમા મુકેશ ગોપાલ ગામેતી ને હિંમતનગર થી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ મા સારવાર અર્થે ખસેડાયો હતો જયા વધુ સારવાર મળે તે પહેલા મોત નિપજયુ હતુ તો મૃતક પ્રકાશ લક્ષ્મીલાલ સિંધવી તથા સવાધીબેન હુકમસિંહ રાજપૂત બન્ને ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પ્રાંતિજ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા જીલ રાવલ સાબરકાંઠા
પ્રાંતિજ ના કાટવાડ પાસે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત- ત્રણના મોત આઠ ને ઇજાઓ પોહચી- બસ માંથી પતરા કાપીન.....