કૃષિ વિજ્ઞાન મેગેઝીન Krushi Vigyan Magazine

  • Home
  • India
  • Rajkot
  • કૃષિ વિજ્ઞાન મેગેઝીન Krushi Vigyan Magazine

કૃષિ વિજ્ઞાન મેગેઝીન Krushi Vigyan Magazine Krushi Vigyan is a non profit organization and publishes agri magazine for the Benefit of rural farm You are able to read the magazine in our blog.

ટ્રાઈકોડર્મા ફૂગની અસરકારકતા માટે શું કરવું ?  - કૃષિવિજ્ઞાન ટીપ્સ-------------------------બીજ જન્ય અને જમીનજન્ય રોગોનો ...
31/07/2025

ટ્રાઈકોડર્મા ફૂગની અસરકારકતા માટે શું કરવું ? - કૃષિવિજ્ઞાન ટીપ્સ
-------------------------
બીજ જન્ય અને જમીનજન્ય રોગોનો નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા (જૈવિક નિયંત્રક મિત્ર ફૂગ)નો ઉપયોગ થાય છે. જમીનનું ઊંચુ તાપમાન આ ફૂગને અનુકૂળ આવતુ નથી. જમીનમાં જ્યારે રોગકારક ફૂગ....

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

#કૃષિવિજ્ઞાનટીપ્સ

બોલકી ધરતી : જો ધ્યાન ન રાખો તો તમારી વાડીમાં બુટ ચંપલ સાથે નિંદામણોના બીજ આવી જતા હોય છે.-------------------------બોલકી...
30/07/2025

બોલકી ધરતી : જો ધ્યાન ન રાખો તો તમારી વાડીમાં બુટ ચંપલ સાથે નિંદામણોના બીજ આવી જતા હોય છે.
-------------------------
બોલકી ધરતી એમ પણ કહે છે કે તમે જો ધ્યાન ન રાખો તો તમારી વાડીમાં બુટ ચંપલ સાથે આવતા નિંદામણો, ઓજારો , ટ્રેક્ટર , બળદ ગાડા સાથે ચોંટીને આવતા નિંદામણોના બીજ આવી જતા હોય છે તેનું ધ્યાન રાખવું .બીજાના ખેતરમાંથી અથવા રોપા દ્વારા માટી સાથે આવતા નિમેટોડ, બાજુના ખેતરમાંથી વાડ કે શેઢા પરથી ચાલીને આવતા મીલીબગ વગેરેનો તમારી વાડીમાં પ્રવેશ બંધ કરાવજો .આ બોલકી ધરતીને સાચવજો અને બોલકી ધરતી કહે છે તમે મને જેટલો પ્રેમ કરશો એટલું હું તમને વળતર આપીશ .જમીનનું તાપમાન નિયમન માટે મલચીંગ કરવાનું ગોઠવ્યું છે તેનો બધાનો ખુબ ખુબ આભાર

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

#બોલકીધરતી

આંબામાં કલ્ટાર આપવું હોય તો કયારે, કેટલું અને કઈ રીતે આપવું ?-------------------------અનિયમિત ફળતી આંબાની જાતોને નિયમિત ...
30/07/2025

આંબામાં કલ્ટાર આપવું હોય તો કયારે, કેટલું અને કઈ રીતે આપવું ?
-------------------------
અનિયમિત ફળતી આંબાની જાતોને નિયમિત ફૂલ લાવવા માટે જુલાઈના છેલ્લા અઠવાડિયા અથવા ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં પેકલાબ્યુટ્રાઝોલ ર૫ એસ.સી. (ર૦ મિ.લી. / ૧૦ થી ૧૫ લી. પાણીમાં) ઝાડની ફરતે રીંગ અથવા ર૦ થી ર૫ નાના ખાડા કરી એ ખાડામાં ડ્રેન્ચીંગથી આપી શકાય.

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

#કેરી #બાગાયત

આંબામાં ખાતર કઈ રીતે આપવું ?-------------------------ઝાડના ઘેરાવા નીચે ૩૦ થી ૩૫ સે.મી. પહોળી અને ર૦ થી ૩૦ સે.મી. ઊંડી ગો...
30/07/2025

આંબામાં ખાતર કઈ રીતે આપવું ?
-------------------------
ઝાડના ઘેરાવા નીચે ૩૦ થી ૩૫ સે.મી. પહોળી અને ર૦ થી ૩૦ સે.મી. ઊંડી ગોળ ચર બનાવીને તેમાં ખાતર આપી ચરને માટીથી પૂરી દેવી અથવા ઝાડના ઘેરાવા નીચે ફરતે ર૦ થી ૩૦ સે.મી. ઊંડા ર૦-રપ ખાડા બનાવી તેમાં પણ ખાતર આપી શકાય છે. ૧૦ વર્ષથી વધુ ઉંમરના ઝાડમાં થડથી આશરે ૧.૫ મી. દૂર રીંગ બનાવવી. […]

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

#કેરી #બાગાયત

આંબામાં વાનસ્પતિક વિકૃતિ-------------------------પુષ્પવિન્યાસની વિકૃતિ :આ વિકૃતિમાં ફૂલો જાડા, ફૂલેલા અને વધારે પ્રમાણમા...
29/07/2025

આંબામાં વાનસ્પતિક વિકૃતિ
-------------------------
પુષ્પવિન્યાસની વિકૃતિ :આ વિકૃતિમાં ફૂલો જાડા, ફૂલેલા અને વધારે પ્રમાણમાં ડાળીવાળા પૂષ્પ વિન્યાસ નીકળે છે પરાગરજનું પ્રમાણ ઘણું ઓછુ હોય છે, કેરી વટાણાનાં દાણા કરતાં મોટા થતા નથી, દુરથી જોતાં ફ્લાવરનાં દડા જેવા ગુચ્છા જોવા મળે છે. ૧. આ રોગનો ફેલાવો પાનકથીરી દ્વારા થાય છે. ર. રોગીષ્ટ આંબાની ડાળીઓનો કલમો બાંધવામાં ઉપયોગ કરવાથી વધે છે. […]

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

#કેરી #બાગાયત

આંબામાં ફળોને મોટા કરવા માટે કઈ માવજત આપવી ?-------------------------ફ્ળ ધારણ અને ઉત્પાદન વધારવા માટે નવસારી કૃષિ યુનિવર...
29/07/2025

આંબામાં ફળોને મોટા કરવા માટે કઈ માવજત આપવી ?
-------------------------
ફ્ળ ધારણ અને ઉત્પાદન વધારવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ નોવેલ લીકવીડ ફર્ટીલાઈઝર ૧ થી ર ટકા પ્રમાણે (૧૦ લિટર પાણીમાં ૧૦૦ થી ર૦૦ મીલી પ્રમાણે) લઈ પ્રથમ છંટકાવ ફૂલ બેસવાનાં સમયે તેમજ બીજો અને ત્રીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૦-૧૫ દિવસના અંતરે કરવા.

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

#કેરી #બાગાયત

મિત્ર ફૂગ દ્વારા જીવાંતોનું વસ્તીનું નિયંત્રણ - કૃષિવિજ્ઞાન ટીપ્સ-------------------------અમુક જાતિની ફૂગ બ્યૂવેરીયા બેસ...
29/07/2025

મિત્ર ફૂગ દ્વારા જીવાંતોનું વસ્તીનું નિયંત્રણ - કૃષિવિજ્ઞાન ટીપ્સ
-------------------------
અમુક જાતિની ફૂગ બ્યૂવેરીયા બેસીયાના, લેકાનીસીલીયમ લેકાની, મેટારીઝીયમ એનીસોપ્લી અને નોમુરીયા રીલે પણ આપણી મદદ કરે છે તે જીવાતોમાં રોગ પેદા કરી તેની વસ્તીનું નિયંત્રણ કરે છે. આવી ફૂગ દ્વારા ….

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

#કૃષિવિજ્ઞાનટીપ્સ

કપાસમાં પોષક તત્વ આપો  ઉપજ વધુ મેળવો -------------------------દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ભલામ...
28/07/2025

કપાસમાં પોષક તત્વ આપો ઉપજ વધુ મેળવો
-------------------------
દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે  બીટી કપાસમાં ૩ ટકા પોટેશિયમ નાઈટ્રેટ (KNO3)ના ૩ છંટકાવ (ફૂલભમરી, ફૂલ અને જીંડવાના વિકાસની અવસ્થાએ) કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. દક્ષિણ ગુજરાતના બીટી કપાસ ઉગાડતા ખેડૂતોને કપાસના પાન લાલ થતા અટકાવવા ફૂલ બેસવાનીઅવસ્થાએ ૧% યુરીયા તથા ૧% મેગ્નેશિયમ સલ્ફેટનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં […]

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

મગફળીનાં ધૈણ-------------------------ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી તેમાં આકર્ષાયેલ ...
28/07/2025

મગફળીનાં ધૈણ
-------------------------
ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા તેમજ પાન ખાનાર ઇયળના ફૂદાનો નાશ કરવો. ધૈણ ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જાે પિયત આપવાનું થતું ન હોય અને સમયાંતરે વરસાદ પડતો હોય તો કીટનાશક છાંટવાના પંપમાં દ્રાવણ ભરી તેની નોઝલ કાઢી લઈ ચાસમાં પૂરતા પ્રમાણમાં આપવી.

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

#ક્વિનાલફોસ #જીવાત #ધૈણ #પાકસંરક્ષણ #પિયત #પ્રકાશપિંજર #ફળ #ફૂદા #મગ #મગફળી

મગફળીની પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા)-------------------------પાન ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા)  સામૂહિક ધોરણે ફેરોમોન ટ્...
28/07/2025

મગફળીની પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા)
-------------------------
પાન ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા)  સામૂહિક ધોરણે ફેરોમોન ટ્રેપ ૪૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવી આ જીવાતની વસ્તી કાબૂમાં  રાખી શકાય.  શરૂઆતમાં બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ  ઉપદ્રવ વધુ જણાય ત્યારે ફલ્યૂબેન્ડિયામાઇડ કરવો.  ૨૦ ડબલ્યૂજી 9 ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા 30  ગ્રામ અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસસી 15  મીલિ અથવા […]

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

#પાનખાનારઇયળ

એનપીવી વાઇરસ મારે લીલી ઈયળ  - કૃષિવિજ્ઞાન ટીપ્સ-------------------------જીવાત નિયંત્રણ માટે ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાય...
28/07/2025

એનપીવી વાઇરસ મારે લીલી ઈયળ - કૃષિવિજ્ઞાન ટીપ્સ
-------------------------
જીવાત નિયંત્રણ માટે ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ કે જે ટૂંકમાં એનપીવી તરીકે ઓળખાય છે. ખાસ કરીને ફૂદા-પતંગિયાની ઈયળ અવસ્થા સામે એનપીવીનો ઉપયોગ થાય છે. આવા વિષાણુ આધારિત જૈવિક કીટનાશક જે તે જીવાત માટે ખાસ….

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

#કૃષિવિજ્ઞાનટીપ્સ

બીટી એ ઈયળ માટે એક પ્રકારનું જઠર વિષ છે  - કૃષિવિજ્ઞાન ટીપ્સ-------------------------બીટી એ એક પ્રકારનું જઠર વિષ છે. એટલ...
27/07/2025

બીટી એ ઈયળ માટે એક પ્રકારનું જઠર વિષ છે - કૃષિવિજ્ઞાન ટીપ્સ
-------------------------
બીટી એ એક પ્રકારનું જઠર વિષ છે. એટલે ઈયળોના ખોરાક સાથે બીટીનું જીવાતના આંતરડામાં પહોંચવું જરૂરી છે. મધ્ય આંતરડામાં પહોંચ્યા પછી બીટી ડેલ્ટા એન્ડો- ટોક્ષીન ….

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

#કૃષિવિજ્ઞાનટીપ્સ

Address

Krushi Vigyan , UL-29, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road
Rajkot
360002

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Telephone

+912812229866

Alerts

Be the first to know and let us send you an email when કૃષિ વિજ્ઞાન મેગેઝીન Krushi Vigyan Magazine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to કૃષિ વિજ્ઞાન મેગેઝીન Krushi Vigyan Magazine:

Share