કૃષિ વિજ્ઞાન મેગેઝીન Krushi Vigyan Magazine

  • Home
  • India
  • Rajkot
  • કૃષિ વિજ્ઞાન મેગેઝીન Krushi Vigyan Magazine

કૃષિ વિજ્ઞાન મેગેઝીન Krushi Vigyan Magazine Krushi Vigyan is a non profit organization and publishes agri magazine for the Benefit of rural farm You are able to read the magazine in our blog.

બ્રોકોલી માટે જમીનની તૈયારી જમીનની ઊંડી ખેડ કરી જમીનને ૧૫ થી ૨૦ દિવસ સુધી તપવા દેવી. ત્યારબાદ સારું કોહવાયેલુ છાણિયું ખા...
22/09/2025

બ્રોકોલી માટે જમીનની તૈયારી
જમીનની ઊંડી ખેડ કરી જમીનને ૧૫ થી ૨૦ દિવસ સુધી તપવા દેવી. ત્યારબાદ સારું કોહવાયેલુ છાણિયું ખાતર ૨૦ ટન પ્રતિ હેક્ટર ઉમેરવું. બ્રોકલીનું વાવેતર ધરુની ફેરરોપણી દ્વારા કરવામાં આવે છે. ધરું તૈયાર કરવા માટે ગાદી કયારા બનાવવામાં આવે છે. બીજના વાવેતર બાદ કયારાને પ્લાસ્ટિક વડે ઢાંકી દેવું જેથી બીજનો ઉગાવો ઝડપથી અને સારી રીતે થાય. ૩-૪ દિવસ બાદ બીજ ઉગવા માંડે ત્યારે પ્લાસ્ટિક તરત હટાવી લેવું. ધરુનો કોહવારો ન થાય તે માટે રિડોમિલ અથવા કોપર ઓકિસકલોરાઈડ જેવી કુગનાશક દવાનું ડ્રેનચિંગ કરવું. કિચન ગાર્ડનમાં ગ્રોબેગમાં સારા પોટ મિક્સ સાથે પણ શિયાળામાં વાવી શકાય

https://krushivigyan.com/2025/09/%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a4%e0%ab%88%e0%aa%af/

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

# કિચન ગાર્ડન જમીન બ્રોકોલી # બ્રોકોલી

કૃષિ ટેકનોલોજી : કાકડીના વાઇરસ સામે સફળતા : વિજ્ઞાનની શોધ કાકડીના વાઇરસ મોઝેક વાયરસ વિનાશક છે, જે એફિડની લગભગ ૯૦ પ્રજાતિ...
22/09/2025

કૃષિ ટેકનોલોજી : કાકડીના વાઇરસ સામે સફળતા : વિજ્ઞાનની શોધ
કાકડીના વાઇરસ મોઝેક વાયરસ વિનાશક છે, જે એફિડની લગભગ ૯૦ પ્રજાતિઓ દ્વારા ફેલાય છે અને ૧૨૦૦ થી વધુ પ્રજાતિઓને અસર કરે છે, હાલમાં, CMV સામે કોઈ માન્ય એજન્ટો નથી, પરંતુ MLU નું નવું સંશોધન અસરકારક રીતે લાંબા ગાળાના ઉકેલ પ્રદાન કરી શકે છે.માર્ટિન લ્યુથર યુનિવર્સિટી ના સંશોધકો દ્વારા નવા RNA-આધારિત સક્રિય એજન્ટો વિકસાવવામાં આવ્યા છે જે છોડને કાકડી મોઝેક વાયરસ (CMV) સામે સુરક્ષિત રાખે છે, જે કૃષિ અને બાગાયતમાં સૌથી સામાન્ય વાયરસ છે. પ્રયોગશાળાના પ્રયોગોમાં, ૮૦ થી ૧૦૦ ટકા સારવાર કરાયેલા છોડ વાઇરસથી બચી ગયા. સંશોધકો પ્રયોગશાળામાંથી ફિલ્ડ ઉપર લાવવા સક્રિય છે.

https://krushivigyan.com/2025/09/%e0%aa%95%e0%ab%83%e0%aa%b7%e0%aa%bf-%e0%aa%9f%e0%ab%87%e0%aa%95%e0%aa%a8%e0%ab%8b%e0%aa%b2%e0%ab%8b%e0%aa%9c%e0%ab%80-%e0%aa%95%e0%aa%be%e0%aa%95%e0%aa%a1%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b5/

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

# કાકડી રોગ # કૃષિ ટેકનોલોજી

ગ્રીન હાઉસ : પોલી હાઉસમાં કાકડીની ખેતી ગ્રીન હાઉસમાં કાકડી (Cucumís sativus L.) એ ખૂબ જ સામાન્ય અને મહત્ત્વપૂર્ણ પાક છે ...
22/09/2025

ગ્રીન હાઉસ : પોલી હાઉસમાં કાકડીની ખેતી
ગ્રીન હાઉસમાં કાકડી (Cucumís sativus L.) એ ખૂબ જ સામાન્ય અને મહત્ત્વપૂર્ણ પાક છે જે વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે અને ઘણીવાર કાચી અથવા રાંધ્યા વિના ખાવામાં આવે છે. તેનો ભારતમાં પ્રાચીન સમયથી ખોરાક અથવા ઔષધીય તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. કાકડીમાં લગભગ ૯૬% પાણી હોય છે, જે ઉનાળાની ઋતુ માટે સારું છે. પોલીહાઉસમાં કાકડીની ખેતી વિશ્વના ઘણા દેશોમાં ખૂબ પ્રખ્યાત છે. સાધારણ ગરમ આબોહવા સારી વૃદ્ધિ માટે જરૂરી છે. છોડની વાત કરવામાં આવે તો રુંવાટીવાળા પાંદડા, ત્રિકોણાકાર આકાર અને પીળા રંગના ફૂલ હોય છે. કાકડી એ મોલીબ્ડેનમ, વિટામિન અને પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે અને તેનો ઔષધીય તરીકે ઉપયોગ ત્વચાની લગતી સમસ્યાઓ માટે વિવિધ સૌંદર્યની બનાવટો બનાવવા માટે કરવામાં આવે છે. કાકડીની રક્ષિત ખેતી ખુલ્લી ખેતી કરતાં વધારે ઉત્પાદકતા અને શ્રેષ્ઠ ગુણવત્તાની ખાતરી આપે છે. રક્ષિત ખેતી કેમ ? અત્યારના આ બદલાયેલા વાતાવરણમાં ખેતી એક પડકાર બની ગયેલ છે. તો આવી પરિસ્થિતિમાં રક્ષિત ખેતી થકી બજારમાં સારા એવા ભાવ લેવા માટે વહેલા અથવા મોડા પાકો લઈ સારી એવી કમાણી કરવાનું એક સાધન એટલે રક્ષિત ખેતી.

https://krushivigyan.com/2025/09/%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8-%e0%aa%b9%e0%aa%be%e0%aa%89%e0%aa%b8-%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8-%e0%aa%b9%e0%aa%be%e0%aa%89%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-4/

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

# ગ્રીનહાઉસ # કૃષિ વ્યવસ્થાપન ટામેટા

આંતરપાક પદ્ધતિના લાભ આંતરપાક પદ્ધતિમાં એક જ ખેતરમાં એકસાથે એક કરતાં વધારે પાક જુદી જુદી ચોક્કસ હારમાં વાવવામાં આવે છે. દ...
22/09/2025

આંતરપાક પદ્ધતિના લાભ
આંતરપાક પદ્ધતિમાં એક જ ખેતરમાં એકસાથે એક કરતાં વધારે પાક જુદી જુદી ચોક્કસ હારમાં વાવવામાં આવે છે. દા.ત. દિવેલા + ચોળી (૧:૨), કપાસ + મગ,૧. આ પદ્ધતિથી કૃષિના મુખ્ય સંસાધનો જેવા કે જમીન, પાણી, ખાતર અને મજૂરોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે. એકમ વિસ્તાર અને સમયમાં ઉત્પાદન અને આવક વધારવાનો આશય મુખ્ય છે.૨. જમીન પરના આવરણની સ્થિતિમાં સુધારો થવાથી જમીનનું ધોવાણ ઓછું થાય છે.૩. નિંદામણથી રાહત મળે છે.૪. એકમ જમીન વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મળે છે.૫. આંતરપાક તરીકે કઠોળ વર્ગના પાક લેવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.

https://krushivigyan.com/2025/09/%e0%aa%86%e0%aa%82%e0%aa%a4%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%be%e0%aa%95-%e0%aa%aa%e0%aa%a6%e0%ab%8d%e0%aa%a7%e0%aa%a4%e0%aa%bf-%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b2%e0%aa%be%e0%aa%ad/

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

# કૃષિ માહિતી ખેતી પદ્ધતિ # કૃષિ માહિતી ખેતી પદ્ધતિ

એરીસ એગ્રોના વોટર સોલ્યુબલ ખાતરોની વિશાળ શ્રેણી દરેક પાક માટે ઉપલબ્ધ છે. તમારા પાક માટે ક્યાં ખાતરો વધુ અસરકારક છે. તે જ...
22/09/2025

એરીસ એગ્રોના વોટર સોલ્યુબલ ખાતરોની વિશાળ શ્રેણી દરેક પાક માટે ઉપલબ્ધ છે. તમારા પાક માટે ક્યાં ખાતરો વધુ અસરકારક છે. તે જાણવા ફોન કરો અથવા નીચે આપેલ લીંક દ્વારા વોટ્સઅપ માં માહિતી મેળવો. https://tinyurl.com/2xpyvj5j

લસણની લણણી લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય...
21/09/2025

લસણની લણણી
લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય. ૪ થી ૫ મહિનામાં કંદ તૈયાર થઈ જાય અને તેનો આધાર વાવેતર, સંભાળ ૠતુ તથા જમીન પર રહે છે. લણણી વહેલી કરવામાં આવે તો સંગ્રહ વ્યવસ્થા દરમ્યાન ગુણવત્તા નબળી પડે છે. જયારે મોડી લણણી કરાય તો અંકુર ફૂટી જાય અને ગુણવત્તા સારી ન રહે. જમીનમાંથી લસણને પાન સાથે ઉપાડવું અને તેની નાની નાની ઝુડીઓ બનાવી તે સીધી હારમાં ગોઠવી બે દિવસ સુધી ખેતરમાં રાખ્યા બાદ ઝુડીઓને છાંયાવાળી જગ્યામાં પાસ પાસે ઊભી ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ લસણના કંદ ઢંકાય જાય તે રીતે ફરતે માટીનો થર ચડાવવામાં આવે છે. આમ કરવાથી વધારેનું પાણી સૂકાઈ જાય છે અને કંદ નકકર થાય છે. ત્યારબાદ ૨૦ થી ૩૦ દિવસે કંદ ઉપરના પાન ૨.૫ થી ૩.૦ સે.મી.નું ડીટું રાખી કાપવામાં આવે છે. તેમજ કંદની નીચેના તંતુમૂળ દૂર કરવામાં આવે છે.

https://krushivigyan.com/2025/09/cultivation-of-garlic/

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

# લસણ # ખેતરનીવાત લસણ

વધારે ઉત્પાદન આપતો રાયડા બીજ નિધિ રોબસ્ટ તમારી નજીકમાં ક્યાંથી મળશે તે વોટ્સઅપ દ્વારા જાણવા નીચે આપેલ લીંક ખોલો. https:/...
21/09/2025

વધારે ઉત્પાદન આપતો રાયડા બીજ નિધિ રોબસ્ટ તમારી નજીકમાં ક્યાંથી મળશે તે વોટ્સઅપ દ્વારા જાણવા નીચે આપેલ લીંક ખોલો.
https://tinyurl.com/24ls999n

ઈસબગુલ : અગત્યનો રોકડીયો પાક ઈસબગુલને સ્થાનિક ભાષામાં 'ઘોડા જીરૂ' કહે છે. ઈસબગુલ એ આપણા દેશમાં ખેતી હેઠળના બધા જ ઔષધિય પ...
21/09/2025

ઈસબગુલ : અગત્યનો રોકડીયો પાક
ઈસબગુલને સ્થાનિક ભાષામાં 'ઘોડા જીરૂ' કહે છે. ઈસબગુલ એ આપણા દેશમાં ખેતી હેઠળના બધા જ ઔષધિય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્વનો પાક છે. ગુજરાત, રાજસ્થાન, ઉપરાંત મ પ્રદેશ તથા હરિયાણામાં પણ છેલ્લા થોડા વર્ષોથી તેની ખેતી શરૂ થઈ છે. ગુજરાતમાં મુખ્યત્વે બનાસકાંઠા , કચ્છ, મહેસાણા, જામનગર અને રાજકોટ જિલ્લામાં તેનું વાવેતર થાય છે.

ઈસબગુલના બીજમાં સૌથી મહત્ત્વનો ભાગ તેના પર આવેલ ભૂસી છે જે બીજનો ૩૦% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત તેમાં ૫% જેટલું આછા પીળા રંગનું તેલ, ૬.૮% ભસ્મ તથા ૮૩% ભેજ હોય છે.

બીજમાંથી ભૂસી ભૌતિક પ્રક્રિયાથી છૂટી પાડવામાં આવે છે. ભૂસીમાં ભેજ સંગ્રહ કરવાના ગુણધર્મને કારણે તેના ઉપયોગ કબજિયાતની દવા તરીકે કરવામાં આવે છે. તે અમીબા અને જીવાણુંઓ દ્વારા થતાં કાયમી મરડામાં પણ ઉપયોગી છે. તે કેલરી મુક્ત છે. તેના રેસાઓ આતંરડાના હલનચલનને ઉત્તેજિત કરે છે.આથી કબજિયાત અને બીજા કેટલાક આંતરડાનાં રોગોને દૂર કરવા માટે તે વાપરવામાં આવે છે. વળી તેના ઉપયોગથી માનવશરીર પર બીજી કોઈ આડઅસર થતી નથી .

https://krushivigyan.com/2025/09/%e0%aa%88%e0%aa%b8%e0%aa%ac%e0%aa%97%e0%ab%81%e0%aa%b2-%e0%aa%85%e0%aa%97%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%95%e0%aa%a1%e0%ab%80%e0%aa%af%e0%ab%8b-%e0%aa%aa/

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

# ઈસબગુલ # કૃષિ માહિતી

પાક સંરક્ષણ : કપાસમાં અંતઃ સ્ત્રાવનું અસંતુલન કપાસના પાકમાં મોટા ભાગે જીંડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્રવને લીધે ફૂલભમરી ખરી...
21/09/2025

પાક સંરક્ષણ : કપાસમાં અંતઃ સ્ત્રાવનું અસંતુલન
કપાસના પાકમાં મોટા ભાગે જીંડવા કોરી ખાનાર ઈયળોના ઉપદ્રવને લીધે ફૂલભમરી ખરી પડતી હોય છે. પરંતુ ઘણી વખત કપાસના પાકમાં કે રોગના લક્ષણો ન હોવા છતાં ફૂલભમરી ખરી પડે છે. તેને માટે જવાબદાર પરિબળોમાં (૧) છોડમાં પોષક તત્વો અને અંતઃસ્ત્રાવોનું અસંતુલન થવાથી (ર) જમીનમાં ભેજની ખેંચ પડવાથી (૩) વાદળછાયું વાતાવરણ થવાથી (૪) હવામાનમાં એકાએક ફેરફાર થવાથી (૫) ફૂલભભરી બેસવાની અવસ્થાએ વધારે પડતો વરસાદ પડવાથી અને (૬) ફૂલભમરી બેસવાની અવસ્થાએ વધારે પડતા ઉષ્ણતામાન વગેરેનો સમોશ થાય છે.

કપાસના વિકાસ પામતા જીંડવા અનેક કારણોથી અસર પામતા હોય છે. શરૂઆતની અવસ્થાએ દેહધાર્મિક કારણોસર કળી કે નાના જીંડવા ખરી જતા હોય છે. કેટલીક વખત જીંડવા કોરી ખાનાર ઈયળોથી નુકસાન પામેલ જીંડવામાં સૂક્ષ્મજીવાણુઓ અંદર દાખલ થતાં જીંડવાનો સડો લાગુ પડે છે. આવાં જીંડવા ખરી પડે છે.

https://krushivigyan.com/2025/09/%e0%aa%aa%e0%aa%be%e0%aa%95-%e0%aa%b8%e0%aa%82%e0%aa%b0%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a3-%e0%aa%95%e0%aa%aa%e0%aa%be%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%82%e0%aa%a4%e0%aa%83/

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

# કપાસ # પાક સંરક્ષણ

ડુંગળીના બેમિસાલ બિયારણ વિશ્વાસ રેડ અને વિશ્વાસ ૩૮૨૨ વિષે વોટ્સઅપ માં માહિતી માટે નીચે આપેલ લીંક ખોલો. https://tinyurl.c...
20/09/2025

ડુંગળીના બેમિસાલ બિયારણ વિશ્વાસ રેડ અને વિશ્વાસ ૩૮૨૨ વિષે વોટ્સઅપ માં માહિતી માટે નીચે આપેલ લીંક ખોલો. https://tinyurl.com/2alfs3ce

Address

Krushi Vigyan , UL-29, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road
Rajkot
360002

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Telephone

+912812229866

Alerts

Be the first to know and let us send you an email when કૃષિ વિજ્ઞાન મેગેઝીન Krushi Vigyan Magazine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to કૃષિ વિજ્ઞાન મેગેઝીન Krushi Vigyan Magazine:

Share