Aapdu Rajkot

Aapdu Rajkot Aapdu Rajkot is a Social Media Marketing Agency which will keep you updated regarding News, Food, People, Tourism, Citylife, Restaurants of Rajkot.

A page presenting everything the city has to offer. Aapdu Rajkot is a place where you get any information about what is happening in the city. You get to know whatever the city has to offer and you get the latest news updates too.

29/08/2025

20 વર્ષથી ફ્રેશ અને હેલ્દી જ્યુસ આપતા ચંદુભાઈ જ્યુસ વાળા.

👉 ચંદુભાઈ જ્યુસ વાળા જુના અને જાણીતા રેસકોર્સમાં છેલ્લા 20 વર્ષથી એ જ્યુસ બનાવે છે, ટમેટા સરગવો, કઠોળ, રાવડા, જાંબુ, કારેલા, પાલક, ફુદીના, દૂધી, ગરમાગરમ આમળા-ફુદીના, એપલ, દાડમ, લીચી, તરબૂચ, અને ગુલકન આ બધું પોતે જાતે જ બનાવે છે.

👉 આખા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વેચાણ કરનાર છે ખાલી હેલ્દી જ્યુસ જ રાખે છે અને મારે ત્યાં તમામ પ્રકારના માણસો જ્યુસ પીવા આવે છે. જોબ છોડીને તેને પોતાનો ધંધો ચાલુ કર્યો, પેલા એ ખાલી પાર્ટ ટાઈમ કરતા પછી ધીરે-ધીરે માણસોનો પ્રોત્સાહન મળવા માંડ્યો તો તેને ફુલ ટાઈમ ચાલુ કરી દીધું.

👉 સવારના 6:30 થી લઈને 11:30 સુધી જ્યુસ ચાલુ હોય છે અને જ્યુસ રોજે નવું બનાવવામાં આવે છે એ સાવ ફ્રેશ જ્યુસ હોય છે.

19/08/2025

સેવા એ જ સાચી માનવતા: છેલ્લાં 3 વર્ષથી અબોલ જીવોની નિશુલ્ક સેવા માટે સતત કાર્યરત સદભાવના કેન્દ્ર

👉 અમે માત્ર સારવાર નથી કરતા – અમે જીવ બચાવીએ છીએ. દિવસે 10 જેટલાં અકસ્માતગ્રસ્ત પશુઓ, ખાસ કરીને હાઈવે ઉપરથી ઇજાગ્રસ્ત અવસ્થામાં લાવેલા, અહીં સારવાર માટે આવે છે. તેમની ઇજાઓ હોય તેવું માઈનર ઈન્જરી હોય કે મેજર ઓપરેશન... અમારા નિષ્ણાત ડૉક્ટરો અને ટીમની મહેનતથી, તેઓ ફરીથી સ્વસ્થ જીવન જીવી શકે છે.અહીં આપણે નિઃશુલ્ક સારવાર,માઈનર અને મેજર ઓપરેશન,લંપી, ખાવ જેવી બીમારીઓની સારવાર અને રોજિંદી પ્રાઇવેટ ઓપીડી જેવી સુવિધાઓ આપે છે.

👉 આજ સુધીમાં અમે 170થી વધુ પશુઓનું સારવાર અને પુનઃસ્થાપન સફળતાપૂર્વક કર્યું છે. આ બધાં પશુઓને રિકવરી પછી રાજકોટની વિવિધ ગૌશાળાઓમાં અથવા અમારા પોતાના સદભાવના બળદ આશ્રમમાં શિફ્ટ કરવામાં આવે છે, જ્યાં તેઓ જીવનભર પ્રેમ અને સુરક્ષિત છાવર હેઠળ જીવે છે. સદભાવના પશુ સારવાર કેન્દ્ર માટે, પ્રત્યેક જીવ મૂલ્યવાન છે.

15/08/2025

રાજકોટ મા શાંતિ ની શોધ એટલે રામ વનદર્શન.

👉 રામવન ની હરિયાળી, અલૌકિક શાંતિનો અહેસાસ, વૃક્ષો વચ્ચે વહેતી પવનની સુસ્વાટ, પક્ષીઓના કલરવ માં છુપાયેલ સંગીત અને અદ્ભૂત પ્રકૃતિ મનને શાંત કરી દે છે. વનનું એહસાસ થાય તે રીતે 2 તળાવ , ગ્રીન લોન, અને ચિલ્ડ્રન પાર્ક પણ આવેલા છે

👉 અહીં શ્રી ભગવાન રામના જીવન ચરિત્ર આધારિત અલગ અલગ સ્ટેચ્યુ આવેલા છે . અહીં મુલાકાત લેતા સિનિયર સિટીઝન , બીમાર વ્યક્તિ કે ચાલી ન શકતા પ્રવાસીઓ માટે બેટરી આધારિત કાર દ્વારા પણ આ વનનો આનંદ માણી શકાય છે. અહીં ફરવા આવતા પ્રવાસીઓ માટે ફૂડ કોર્ટ પણ આવેલ છે

09/08/2025

"એક સંસ્થા 5 થી 14 વર્ષની ઉંમરના વિશેષ ક્ષમતા ધરાવતા બાળકોને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડે છે, અને 15 થી 50 વર્ષની વયના વિશેષ ક્ષમતા ધરાવતા વ્યક્તિઓને તેમની ક્ષમતા અનુસાર મફત વોકેશનલ ટ્રેનિંગ આપે છે — જેમ કે અગરબત્તી, પાપડ, પેપર ક્રાફ્ટ, મીણબત્તી, રાખડી બનાવવાનું કામ, વજન માપવું અને પેકિંગ.

તેમની બનાવેલી વસ્તુઓનું વેચાણ વિવિધ શાળાઓ અને સ્થળોએ કરવામાં આવે છે, અને ત્યાંથી મળેલો નફો પૂરેપૂરો બાળકોના હિત માટે જ વપરાય છે. દિવાળી સમયે તેઓ મીણબત્તી બનાવે છે — સુરક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષકો જ મીણ ગરમ કરી મોલ્ડમાં નાખે છે. વિશેષ ક્ષમતા ધરાવતી છોકરીઓ પેઇન્ટિંગ, કોડિયા અને તુલસી ક્યારા રંગવાનું કામ પણ કરે છે.

રાખડીઓ માત્ર ₹5 થી ₹30 સુધીની વાજબી કિંમતે ઉપલબ્ધ છે — પ્રેમ, મહેનત અને પ્રેરણાની કડી."

#પ્રેરણા #વિશેષબાળકો #રાખડી #રાખી #ગુજરાતીસંસ્કૃતિ #પ્રેમ #પ્રેરણાસ્ત્રોત

06/08/2025

પ્રકૃતિ અને આધ્યત્મિક્તા નો અનોખો સંગમ એટલે ભીચરી માતાજી નું મંદિર

👉 રાજકોટ નું મીની હિલ સ્ટેશન એટલે ભીચરી માતાજીનું મંદિર. જ્યાં પ્રકૃતિ અને આધ્યત્મિક્તા નો અનોખો સંગમ જોવા મળે છે. ભીંચરીનો મંદિર નો ઇતિહાશ એવો છે કે સોયાપાટી ચારણ,માંમળીયા દેવ ના ઘરે 7 જોગમાયા અવતાર લે છે આઈ પીઠડ,કાંત્રોડી,કરમાઈ,રખાઈ,સુંદરી, ભીચરી અને શિહોરી આવીજ રીતે સંતભોરિંગનાથના વચનના ખાતે સૌયાબાટિ ચારણ વાજંન વેણુ ભાંગવા સાત જોગમાયાએ અવતાર લીધો હતો

👉 આ સાત માતાજીના નામ પર થી જ સાત ગામ ના નામ પાડેલ છે. 1.આઈ પીઠડ - પીઠડગામ 2. કાંત્રોડી - કાંત્રોડી ગામ 3.કરમાઈ -કરમાઈ ગામ 4.રખાઈ -રખીયાલ ગામ 5.સુંદરી- સૂંદરીગામ 6.ભીચરી- ભીચરી ગામ 7.શિહોરી - શિહોર ગામ છે. ભીચરી માતાજીનું મંદિર તમને એક મિનિ હિલ સ્ટેશનનો અનુભવ આપે છે.

👉 ચોમાસામાં અહીંની હરિયાળી અને શાંતિમય વાતાવરણ લોકોમાં નવી ઊર્જા ભરી દે છે.અષાઢનો મહિનો આવતાં જ નવખંડ ધરતી લીલીછમ બની જાય છે. ચોમાસાની ઋતુમાં પ્રકૃતિનું સૌંદર્ય સ્વર્ગની અનુભૂતિ કરાવે છે.ભીચરી માતાજીના મંદિરના કારણે આ ગામનું નામ પણ ભીચરી છે. ડુંગર પર આ મંદિર આવેલું છે.

05/08/2025

24 કલાક ચાલુ રહેતો સેવા યજ્ઞ: કોમલ રેસ્ટોરન્ટ - એક સેવાનું પ્રતીક.

👉 કોમલ રેસ્ટોરન્ટ જ્યાં મફત સુપ નહીં પરંતુ, તાજગીની ભાવના આપે છે. તો ચાલો આજે મુલાકાત લઈએ એક એવા રેસ્ટોરન્ટની જે સેવા માટે ચાલે છે. આ રેસ્ટોરન્ટના માલિક બ્રિજેશભાઈ છે. જે હોસ્પિટલમાં દાખલ દર્દી ને જ નહીં, પરંતુ ઘરે બીમાર હોય,અશકત હોય અથવા તો કેન્સરથી પીડિત હોય અને જેને નળી મારફતે ખોરાક આપવામાં આવતો હોય તેવા લોકો માટે અહીં ફ્રી માં જ્યુંસ અને સૂપ આપે છે

👉 દર્દીઓ માટે અહીં મગ પાણી, દાળ પાણી, ચોખા પાણી, લીંબુપાણી, પાલક, બીટ, ટમેટા, ગાજર, કાજી , મિક્સ શાકભાજી જેવા સુપ બિલકુલ ફ્રી માં આપવામાં આવે છે દર્દી સાથે આવતા વ્યક્તિ ઓને રહેવા માટે ની સુંદર વ્યવસ્થા પણ બિલકુલ ફ્રી માં અપાય છે , સાથે સવારે ચા નાસ્તો તથા બપોર તથા રાતનું જમવાનું પણ ફ્રી માં આપવામાં આવે છે

👉 રેસ્ટોરન્ટ માંથી થતો નફો પણ આ સેવા કાર્યમાં જ વાપરવામાં આવે છે. વધુ સેવાનો લાભ મળે તે હેતુથી રેસ્ટોરન્ટ પણ રાત્રે 10 વાગ્યે બંધ કરી ને દર્દીના સગાઓ ને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે.

02/08/2025

શ્રીમતિ સરોજિની નાયડુ ગર્લ્સ સ્કૂલ: એક એવી શાળા જ્યાં વિદ્યાર્થીઓ નિઃશુલ્ક ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવે છે.

👉 આ શાળા માં કે.જી. થી લઇ ને GPSC અને CA સુધીનું શિક્ષણ આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓ ના ભવિષ્યને ઘડવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થીઓ ને માત્ર શિક્ષણ નહિ પરંતુ વિવિધ પ્રકારની પ્રવૃતિઓ શિખડાવામાં આવે છે.

👉 અહીં સોનલ બેન ફળદુ આચાર્ય તરીકેની ફરજ બજાવે છે. રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત આ શાળામાં શિક્ષણ ની સાથે સાથે હેલ્થ પર પણ પૂરું ધ્યાન આપવામાં આવે છે જેમકે તેમની આંખમાં નંબર કેટલા છે, તેમનું બ્લડ ગ્રુપ ક્યુ છે, તેમને હિમોગ્લોબિન કેટલું છે વગેરે.. જેથી વાલીઓને તેમની દીકરી ના હેલ્થ ની જાણ રહે.

👉 અહીંયા મ્યુઝિકલ ક્લાસ પણ કરાવવામાં આવે છે જેથી તેમના માં રહેલી આવડતો ને સાચી દિશા મળે છે. તેમજ વિવિધ એક્ટિવિટી પણ કરાવવા માં આવે છે. રાજકોટ મહાનગર પાલિકા તરફથી શાળા માં અભ્યાસ કરતી દરેક દીકરી ને સ્કૂલ યુનિફોર્મ, સ્પોર્ટ શૂઝ, પુસ્તકો જેવી બધી જ વસ્તુઓ પુરી પાડવામાં આવે છે.

01/08/2025

👉 રંગીલા રાજકોટ ના આકર્ષક ગાર્ડન: મહિલા ગાર્ડન અને પીવીલીયન ગાર્ડન

👉 રાજકોટ શહેર ના નાગરીકો માટે સુવિધા તથા આરામ દાયક સ્થળ એટલે રાજકોટ નું ગાર્ડન. જ્યાં દરેક નાગરિકો સવાર ના સમયે યોગા, ધ્યાન અને કસરત કરે છે તથા બેડમિન્ટન, ફ્લાયિંગ ડિસ્ક, વગેરે જેવી રમતો રમે છે. તથા વોકિંગ અને રનિંગ કરે છે તેમજ કસરત કરવા માટેના અનેક સાધનો પણ છે.

👉 મહિલાઓ માટે ફક્ત મહિલા ગાર્ડન પણ છે જ્યાં માત્ર મહિલાઓ ને જ પ્રવેશ આપવા મા આવે છે, જેનું નામ છે કલ્પના ચાવલા મેમોરિયલ ગાર્ડન. આ ગાર્ડન માં વિવિધ પ્રકારની સુવિધાઓ, કસરત ના સાધનો, બેસવાની સુવિધાઓ તથા સ્ટડી કરવા માટે પણ બેસ્ટ ગાર્ડન છે.

👉 મહિલા ગાર્ડન ની સામે બાળકો નું ગાર્ડન પણ છે જ્યાં બાળકો ને કસરત કરવા માટે અનેક પ્રકાર ના સાધનો પણ આવેલ છે, જેથી બાળકો પોતાની ઈચ્છા મુજબ અનેક કસરત કરી શકે અને મનોરંજન કરી શકે.

31/07/2025

1980 થી એક નાની ફરસાણ ની દુકાનમાંથી શરૂ કરેલી દુકાન આજે વિશાળ ફરસાણ નો શોરૂમ બન્યો .

👉 "ત્રણ પેઢીથી સ્વાદ અને શુદ્ધતાનું ભરોસો" એટલે બાલાજી ફરસાણ માર્ટ. છેલ્લા દસ વર્ષથી અહીં બનાવવામાં આવતું દરેક ફરસાણ શુદ્ધ સીંગતેલમાં બનાવવામાં આવે છે. અહીં 150 થી પણ વધારે આઈટમો મળે છે, અને ચેવડો, ચવાણું, ગાંઠિયા, ચકરી વગેરે.. અને મીઠાઈઓ માં પણ અનેક વેરીયટી છે.

👉 બાલાજી ફરસાણ માર્ટ ના ફાફડા ગાંઠિયા ખૂબ જ ફેમસ છે જે માત્ર ગુજરાત મા જ નહિ પરંતુ વિદેશોમાં પણ વહેંચાઈ છે. રવિવારે તો ફાફડા-જલેબી લેવા માટે વેઇટિંગમાં વારો આવે છે અને શુદ્ધ ઘી ની જલેબી પણ.અહીંયા ખુબ સરસ મળે છે .

👉 શ્રાવણ માસ મા શુદ્ધ ફરાળી પેટીસ, ચેવડો અને કુકીઝ જેવી અનેક ફરાળી આઇટમો મળે છે. તો એક વખત બાલાજી ફરસાણ માર્ટ ની સ્વાદિષ્ટ આઇટમો ની મજા જરૂર માણજો.

30/07/2025

છેલ્લા 50 વર્ષ થી રાજકોટ ના લોકો ને સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન નો ટેસ્ટ આપતું કેટરિંગ એટલે શ્રીનાથજી કેટરિંગ નાસ્તા હાઉશ

👉 શ્રીનાથજી કેટરિંગ નાસ્તા હાઉશ ની શરૂઆત કમલેશભાઈ ચૌહાણ ના પિતા મોહનભાઇ ચૌહાણે એ કરી હતી જે છેલ્લા 50 વર્ષ થી રાજકોટની પ્રજા ને સવાર ના સમયે સાઉથ ઇન્ડિયન અને સાંજે ચાઈનીઝ અને પંજાબી નો ટેસ્ટ આપે છે . આ નાસ્તા હાઉસ નો વ્યવસાય છેલ્લી ત્રણ પેઢી થી ચાલે છે અને રાજકોટ ના લોકો ને સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન તથા ચાઈનીઝ અને પંજાબી નો ટેસ્ટ આપે છે

👉 હાલ શ્રીનાથજી કેટરિંગ નાસ્તા હાઉશ સંત કબીર રોડ પર જળગંગા ચોક પાસે બિનહરીફ દાબેલીની બાજુમાં આવેલ છે

29/07/2025

૭ કરોડના ખર્ચે નિર્માણ પામશે એનિમલ હોસ્પિટલ:

👉 ૨૦૦ વર્ષ જૂના સંચાલક સાયલમહાજન જે ૧૭૫ એકરમાં પથરાપોળમાં સંસ્થા છે તેને ૭ કરોડના ખર્ચે નિર્માણ પામશે એનિમલ હોસ્પિટલ જેનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તક કરાશે.

👉 ૨૦૦ વર્ષ થી વધારે સમયથી પેઢી દર પેઢી આ સંસ્થા કાર્યરત છે અને હાઇવે પર અકસ્માત મા ઘાયલ થયેલા પશુ-પક્ષી ની સારવાર તેમને જીવ બચાવવા માટે પૂરતા પ્રયાસો કરે છે. અને અદ્યતન હોસ્પીટલોનું નિર્માણ કરે છે.

Address

RAJKOT
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Aapdu Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aapdu Rajkot:

Share