Aapdu Rajkot

Aapdu Rajkot Aapdu Rajkot is a Social Media Marketing Agency which will keep you updated regarding News, Food, People, Tourism, Citylife, Restaurants of Rajkot.

A page presenting everything the city has to offer. Aapdu Rajkot is a place where you get any information about what is happening in the city. You get to know whatever the city has to offer and you get the latest news updates too.

30/07/2025

છેલ્લા 50 વર્ષ થી રાજકોટ ના લોકો ને સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન નો ટેસ્ટ આપતું કેટરિંગ એટલે શ્રીનાથજી કેટરિંગ નાસ્તા હાઉશ

👉 શ્રીનાથજી કેટરિંગ નાસ્તા હાઉશ ની શરૂઆત કમલેશભાઈ ચૌહાણ ના પિતા મોહનભાઇ ચૌહાણે એ કરી હતી જે છેલ્લા 50 વર્ષ થી રાજકોટની પ્રજા ને સવાર ના સમયે સાઉથ ઇન્ડિયન અને સાંજે ચાઈનીઝ અને પંજાબી નો ટેસ્ટ આપે છે . આ નાસ્તા હાઉસ નો વ્યવસાય છેલ્લી ત્રણ પેઢી થી ચાલે છે અને રાજકોટ ના લોકો ને સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન તથા ચાઈનીઝ અને પંજાબી નો ટેસ્ટ આપે છે

👉 હાલ શ્રીનાથજી કેટરિંગ નાસ્તા હાઉશ સંત કબીર રોડ પર જળગંગા ચોક પાસે બિનહરીફ દાબેલીની બાજુમાં આવેલ છે

29/07/2025

૭ કરોડના ખર્ચે નિર્માણ પામશે એનિમલ હોસ્પિટલ:

👉 ૨૦૦ વર્ષ જૂના સંચાલક સાયલમહાજન જે ૧૭૫ એકરમાં પથરાપોળમાં સંસ્થા છે તેને ૭ કરોડના ખર્ચે નિર્માણ પામશે એનિમલ હોસ્પિટલ જેનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તક કરાશે.

👉 ૨૦૦ વર્ષ થી વધારે સમયથી પેઢી દર પેઢી આ સંસ્થા કાર્યરત છે અને હાઇવે પર અકસ્માત મા ઘાયલ થયેલા પશુ-પક્ષી ની સારવાર તેમને જીવ બચાવવા માટે પૂરતા પ્રયાસો કરે છે. અને અદ્યતન હોસ્પીટલોનું નિર્માણ કરે છે.

28/07/2025

👉 અરવિંદ ભાઈ મણિયાર જન-કલ્યાણ ટ્રસ્ટ: 1985 થી શરુ થયેલ ટ્રસ્ટ

👉 રાજકોટ માં આવેલ અરવિંદ ભાઈ મણિયાર જાણ કલ્યાણ ટ્રસ્ટ કાર્યરત છે. અહીંયા વિવિધ પ્રકારની પ્રવૃતિઓ છે અહીં લાઈબ્રેરી છે જેમાં કોઈપણ વ્યક્તિ સ્ટડી કરી શકે છે એ પણ વગર કોઈ ચાર્જ મા. તથા અહીંયા ધો. 9-10 ના ક્લાસીસ પણ ચાલુ કરાવ્યા છે સવાર ના 9 થી સાંજે 5 સુધી આ પ્રવૃત્તિ ચાલે છે.

👉 અહીંયા એક શોધક પ્રવુતિ પણ કરાવવાં આવે છે જે પ્રવૃત્તિમાં અનેક પ્રકારની બૂક્સ ને રાજકોટ ના દરેક ઘર સુધી પહોંચાડી અને દરેક લોકો વાંચી શકે તે આ પ્રવૃત્તિનો હેતુ છે અને 15 દિવસ ના સમય બાદ એ પુસ્તક બદલી બીજી પુસ્તક આપવામાં આવે છે જેથી લોકો નો સમય બરબાદ ના થાય અને તેઓ વિવિધ જ્ઞાન મેળવી શકે છે. એ પુસ્તક ટ્રસ્ટ ના લોકો જ પહોંચાડી આપે છે

👉 આવી અનેક પ્રકારની વિવિધ પ્રવૃતિઓ ચાલતી રહે છે અને લોકો ને મનોરંજ ની સાથે સાથે સહકાર અને માર્ગ દર્શન પણ આપે છે.

28/07/2025

👉 રાજકોટ ડીલક્ષ પાન પાર્લર: એક પ્રેરણા દાયક કહાની

👉 રશ્મિ બેન રોકર ડીલક્ષ પાન પાર્લર ચલાવે છે. આ પાન પાર્લર ની શરૂઆત 2003 માં તેમના પતિ રાજેશ ભાઈ એ કરી હતી, પરંતુ 2013 માં તેમના પતિ નું અવસાન થયા બાદ રશ્મિ બેન એ પાન પાર્લર ની જવાબદારી સાંભળી અને જે આજે પણ સાંભળે છે. આ પાર્લર માં માત્ર પુરુષો નહિ મહિલાઓ પણ વિના સંકોચે આવે છે. આ ફેમિલી પણ પાર્લર છે જ્યાં નાના બાળકો થી લઈને મોટી ઉમર ના લોકો પણ અહીં આવે છે.

👉 અહીં ના દરેક ગ્રાહકો નો રીવ્યુ સારો છે અને મહિલા ગ્રાહકો પણ વિના સંકોચે અહીં આવીને બેસે છે અને પાન ની મજા માણે છે. એક મહિલા પણ આ પણ પાન પાર્લર નો બિઝનેસ ચલાવી શકે છે એ રશ્મિ બેન એ સાબિત કરી બતાવ્યું છે મહિલા ધારે તો તે કોઈ પણ બિઝનેસ ચલાવી શકે છે

28/07/2025

👉 600 વર્ષ જૂનો શ્રી રામનાથ મહાદેવ મંદિર નો ઇતિહાસ.

👉 કેમ છો રાજકોટ, આજે આપણે જાણીએ 600 વર્ષ જૂનો શ્રી રામનાથ મહાદેવ મંદિર નો ઇતિહાસ. રામનાથ દાદા ને ગ્રામ્ય દેવતા માનવામાં આવે છે પહેલા ના સમય માં ગાયક વાડ સરકાર હતી. ગાયક વાડ ના અધિકારી શિવ પ્રિય હતા. અને તેમને ટેક રાખેલ હતી કે તેઓ શિવજીની પૂજા કર્યા પહેના અન્ન ગ્રહણ નહિ કરે પરંતુ અહીંયા એક પણ શિવજીનું મંદિર ન હોવાથી તેઓ સાત દિવસ ના ઉપવાસ પર રહ્યા અને રામનાથ દાદા ની તપસ્યા કરી.

👉 ત્યારે રામનાથ દાદા તેમના સપના માં આવ્યા અને કહ્યું અહીંયા ટેકરા ની શિવલિંગ છે એ બહાર લઇ આવ હું તને દર્શન આપીશ અને ત્યાર બાદ અહીં શિવલિંગ ની સ્થાપના થઇ અને આ મંદીર શ્રી રામનાથ મહાદેવ મંદિર નામે પ્રસિદ્ધ થયું.

28/07/2025

👉 હર હર મહાદેવ, આજના પવિત્ર શ્રાવણ માસના દિવસે આજે આપણે જાણીએ સ્વયંભૂ શ્રી રાજરાજેશ્વર મહાદેવ નો ઇતિહાસ:

👉 અહીંયા ના શિવ-ભક્તો ની અપાર ભક્તિ અને શ્રદ્ધા રહેલી છે અને અહીંયા જે પણ ભક્ત પોતાની મનોકામના લઈને આવે છે, તેની મનોકામના અહીં પૂર્ણ થઇ છે. આ મંદિર નો ઇતિહાસ અત્યંત જૂનો છે. જ્યાં રાજબાઈ માં ચારણ ની દીકરી દ્વારા પ્રગટ થયેલા સ્વયંભૂ દાદા છે. ચારણની દીકરી રાજબાઇ માં જયારે સાસરે જતા હતા ત્યારે અહિયાં આજી નદીના કાંઠે અને વેણુ રાખ્યું અને જળ થી શિવની પૂજા કર્યા બાદ જ એમનો નિયમ હતો.

👉 રાજબાઇ માં આજીવન અહીં શિવલીગની આજીવન સેવા અને પૂજા પાથ કર્યા અને તેમની સમાધિ પણ અહીજ બનેલી છે. અને વર્ષો થી અહીંયાના પુજારીઓ આ મહાદેવ ની પૂજા કરે છે. અહીં શિવરાત્રિ શિવલિંગ નો ખુબજ આકર્ષક શ્રુંગાર કરે છે. જેમ રામનાથ મહાદેવ મંદિર સ્વયંભૂ છે તેવીજ રીતે આ મંદિર પણ સ્વયંભૂ છે.

રાજકોટ વાસીઓ એ એક વખત આ મંદિર માં દર્શન નો લાભ જરૂર લેવો જોઈએ.

23/07/2025

ચાલો, આજે આપણે જાણીએ રાજકોટ મહાનગર પાલિકા તથા નામાંકિત સેવા સંસ્થા સરગમ ક્લબ દ્વારા સંચાલિત વીર સાવરકર ઈન્ડો સ્ટેડિયમ નો ઇતિહાસ, ઈન્ડો સ્ટેડિયમ ના મેનેજર અનવર ઠેબા પાસેથી.

આ સ્ટેડિયમ નો હેતુ માત્ર ખેલ નહિ પરંતુ રાજકોટ ની પ્રજા ને તણાવ મુક્ત રાખવાનો છે, અહીં વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરાવવામાં આવે છે એ પણ તદ્દન વ્યાજબી ફી સાથે. અહીં બપોર ના સમયે મહિલાઓ ને બાળકો માટે ખાસ સમય અને નિષ્ણાત કોચ પણ છે જે દરેક પ્રવૃતિઓ માં માર્ગદર્શન આપે છે.

📍 એઇમ્સ રાજકોટ ખાતે આયોજિત ભીષ્મ ક્યુબ્સ વર્કશોપ – એક અનોખું પગલું આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન તરફ!👉 આ વર્કશોપ ભારત સરક...
19/07/2025

📍 એઇમ્સ રાજકોટ ખાતે આયોજિત ભીષ્મ ક્યુબ્સ વર્કશોપ – એક અનોખું પગલું આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન તરફ!

👉 આ વર્કશોપ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)ના “BHISHMA” પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત હતું, જેમાં દેશના અલગ-અલગ વિભાગોના અધિકારીઓ, હેલ્થ વર્કર્સ તથા તબીબી સ્ટાફે ભાગ લીધો હતો.

👉 માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના દૃઢ નેતૃત્વ હેઠળ ચાલતો “BHISHMA” પ્રોજેક્ટ આપત્તિના સમયે ઝડપથી આરોગ્યસેવા પહોંચાડવા માટે રચાયેલ છે.

👉 વર્કશોપ દરમિયાન "BHISHMA Cubes" – એટલે કે પોર્ટેબલ મેડિકલ યુનિટ્સનું લાઈવ ડેમો પણ આપવામાં આવ્યું, જેમાં ઓપરેશન થિયેટર, ઓક્સિજન સપોર્ટ, દવાઓ, પોર્ટેબલ એક્સ-રે અને USG મશીનો, સર્વાઇવલ કિટ્સ અને અન્ય તાત્કાલિક સારવાર સુવિધાઓ દર્શાવવામાં આવી.

👉 મુખ્ય અતિથિ તરીકે નિવૃત વાયસ એર માર્શલ અને BHISHMA પ્રોજેક્ટના મુખ્ય સંશોધક પ્રો. ડૉ. તન્મય રોય હાજર રહ્યા. તેમનાં માર્ગદર્શન હેઠળ જીવંત પ્રદર્શન તથા ઓરિએન્ટેશન સત્ર યોજાયું.

👉 વર્કશોપમાં કલેક્ટર ઓફિસ, શહેર અને ગ્રામ્ય પોલીસ, ટ્રાફિક વિભાગ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, રેલવે, એરપોર્ટ ઓથોરિટી, સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ તથા આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓએ સક્રિય ઉપસ્થિતિ નોંધાવી.

👉 મુખ્ય હેતુ: ગુજરાત અને ભારતને આપત્તિ માટે "સજ્જ અને સમર્થ" બનાવવું, અને વિવિધ એજન્સીઓ વચ્ચે ગાઢ સંકલન વધારવું.

👉 કાર્યક્રમનું સફળ સંચાલન AIMSના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રો. ડૉ. જી.ડી. પુરી, ડેપ્યુટી ડાયરેક્ટર કર્નલ અંકુર પ્રતાપ સિંહ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચેરમેન પ્રો. ડૉ. વિક્રમ વર્ધનની મજબૂત ટીમે સંભાળ્યું.

07/04/2022
09/02/2022

live : જૂનાગઢ મહાનગરના કલાકારો અને સંગીત પ્રિય શ્રોતા દ્વારા સ્વર્ગસ્થ લતાજીને સ્વરાંજલિ આપવા યોજાયેલ "મેરી આવાજ હી પહેચાન હે" કાર્યક્રમનું લાઈવ પ્રસારણ...

25/10/2020

Live: દશેરા : સુંદર મજાના રાસ અને દશેરાના દિવસે થતી વિવિધ ધાર્મિક પ્રવૃત્તિની વાત

https://youtu.be/6U6xpxjzep0

દશેરા એટલે નવરાત્રી મહાપર્વનો આખરી દિવસ; જે દિવસે માઁ આદ્યશક્તિએ અસુરોનો સંહાર કરી સત્વનું સ્થાપન કર્યું હતું. આપણે આજના દિવસે જગદંબાના ચરણે એજ પ્રાર્થના કરીએ કે, કોરોનારૂપી અસુર જલ્દીથી નાશ પામે અને લોકો આગામી સમયમાં પુરા હર્ષોલ્લાસ સાથે વિવિધ તહેવારો ઉજવી શકે!
Shyam Jewellers Presents AJ Live Ratri અંતર્ગત આજે અંતિમ દિવસે નિહાળો વણઝારી ચોકમાં યોજાતા સુંદર રાસ અને જાણો દશેરાના દિવસે અહીં થતી ધાર્મિક પ્રવૃતિઓ વિશેની વાત..
તો જોડાયેલાં રહો Aapdu Junagadh સાથે...

22/10/2020

Live: છઠ્ઠું નોરતું : વિંછુડો રાસ અને તેના વિશેની સુંદર વાતો

https://youtu.be/PO3P75vYgnw

આજે જગદંબાની આરાધનાનું છઠ્ઠું નોરતું; આપણે સૌ ઘેરબેઠાં વિધવિધ રીતે નવરાત્રીની ઉજવણી કરી રહ્યાં છે, ત્યારે Aapdu Junagadh દ્વારા આયોજિત થયેલ Shree Shyam Jewellers Presents AJ Live Ratri અંતર્ગત આજે તમે નિહાળશો વણઝારી ચોકની ગરબીનો વિંછુડો રાસ અને તેના વિશેની સુંદર વાતો...
તો જોડાયેલાં રહો Aapdu Junagadh સાથે...

Address

RAJKOT
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Aapdu Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aapdu Rajkot:

Share