News Network

News Network News Network is best and most accurate Gujarati News Page. Stay updated with latest news & Stories

21/10/2025

ભગવાન શ્રીકૃષ્‍ણની ઉપસ્‍થિતિમાં ગોવર્ધન પૂજારૂપે ગોકુળથી શરૂ થયેલો અન્નકૂટ ઉત્‍સવ આજે 5000 વર્ષ પછી પણ ભારતીય ભક્‍તિ પરંપરાની એક વિશિષ્ટ સ્‍મૃતિ કરાવે છે. એ જ રીતે BAPS સ્‍વામિનારાયણ સંસ્‍થાએ અન્નકૂટની આ ભક્‍તિ પરંપરાનો મહિમા વિસ્‍તાર્યો છે. દર વર્ષે રાજકોટ સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ ઉત્‍સવ યોજાતો રહ્યો છે. જેમાં આ વર્ષે પણ આવતીકાલે નવા વર્ષના પ્રારંભે ભારતીય હિન્‍દુ પરંપરા અનુસાર શાકાહારીના સંદેશ સાથે 2000 જેટલી વાનગીઓનો ભવ્‍ય અન્નકૂટ ઉત્‍સવ સવારે 10થી સાંજના 7 વાગ્‍યા સુધી યોજાશે. આ માટે છેલ્લા એક મહિનાથી 4000 જેટલા કાર્યકર્તા મહેનત કરી અવનવી વાનગીઓ બનાવી રહ્યા છે.

20/10/2025
20/10/2025

રાજકોટના જામનગર રોડ પર રેન્જ IG ઓફિસની સામે આવેલા CLF કવાર્ટરના પટાંગણમાં કમલ બીપીનભાઈ મૂળિયા (ઉ.વ.30) ને તેના જ બે મિત્રોએ કોઈ બાબતનું મનદુઃખ થતા ઉશ્કેરાય છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. બનાવની જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટશન સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ, SOG, LCB ઝોન 2 સ્ટાફ સહીત એસીપી અને ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાર શખ્સો આવી બે શખ્સોએ બહાર ઉભા રહી બાકીના બે શખ્સોએ ક્વાર્ટરમાં પ્રવેશ કરી ક્વાર્ટરના પટાંગણમાં જ કમલને છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું સામે આવતા તાત્કાલિક અસરથી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

20/10/2025

આજે દિવાળીનો મહાપર્વ છે ત્યારે ઠેર-ઠેર દિવાળી નિમિત્તે ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં રાજકોટ કાલાવડ રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીનો દિવસે ધંધા-રોજગાર, વૃદ્ધિ માટે ચોપડા પૂજન માટેનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં કેટલાક ધંધાર્થીઓએ ચોપડા સાથે સાથે લેપટોપ અને કોમ્પ્યુટરની પણ પૂજા કરવામાં આવી હતી. આ સાથે આજે સાંજે હજારો દીવડાની ભવ્ય આરતી કરવામાં આવશે અને બુધવારના રોજ 1500થી વધુ શાકાહારી વાનગીનો અન્નકૂટ પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવશે.

20/10/2025

રાજકોટમાં દિવાળી પર્વ દરમિયાન નજીવી બાબતે ટ્રિપલ મર્ડરની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરના આંબેડકરનગરમાં એક સાથે ત્રણ હત્યા થઈ જતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો મોડીરાત્રે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કાળી ચૌદશની મધ્યરાત્રિના વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બે સગા ભાઈ સુરેશ વશરામ પરમાર (ઉં.વ.45) અને વિજય વશરામ પરમાર (ઉં.વ.40)ની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. તો સામા પક્ષે હુમલો કરનાર અરુણ બારોટની પણ હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આંબેડકરનગર વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ-ત્રણ હત્યાને પગલે ખળભળાટ મચી ગયો છે. પોલીસે જૂથ અથડામણમાં બંને પક્ષ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

18/10/2025

રવિન્દ્ર જાડેજાના ધર્મપત્નિ રીવાબા જાડેજા શિક્ષણમંત્રી તરીકે જવાબદારી સંભાળતા રવિન્દ્ર જાડેજાએ આપી પ્રતિક્રિયા..

18/10/2025

ક્યાં ક્યાં ફટાકડાથી કરવામાં આવી આતશબાજી 
- કોમેટ
- માઇન્સ 
- એરીયલ શોટ
- 240 મલ્ટીકલર શોટ
- 120 મલ્ટીકલર શોટ
- 100 ક્રેકલીંગ શોટ
- 100 મ્યુઝીકલ શોટ
- 100 સાયરન શોટ
- 200 ફુટ નાયગ્રા ફોલ્સ
- હેપ્પી દિવાળી લાઇટીંગ બોર્ડ
- પીકોક
- થ્રી ઇન વન ખજુરી (ટ્રી)
- સુર્યમુખી (ટ્રી)
- પામ (ટ્રી)
- ગોલ્ડન સ્ટાર (ટ્રી)
- ઇલે. ખજુરી (ટ્રી) 
- અશોક ચક્ર (ટ્રી)
- બીગ સ્પાર્કલ

18/10/2025

આતશબાજી છેલ્લા ત્રણ વર્ષથી 60 મીનીટ સુધી કરવામાં આવી રહી છે જેને રાજકોટ વાસીઓએ નિહાળી હતી નાના બાળકોથી લઇ મોટેરાઓએ આ આતશબાજીનો પૂરેપૂરો આનંદ માણ્યો હતો.

Address

Rajkot
360001

Website

Alerts

Be the first to know and let us send you an email when News Network posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share