11/08/2026
માણાવદરના સારંગપીપળી ગામે 'વિશ્વ સિંહ દિવસ' નિમિત્તે વિદ્યાર્થીઓની જાગૃતિ રેલી: સિંહ બચાવોના નારા સાથે આપ્યો સંરક્ષણનો સંદેશ
૧૦ ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિત્તે માણાવદર તાલુકાના સારંગપીપળી ગામે આવેલી વિનય મંદિર શાળા દ્વારા વન્યજીવ સંરક્ષણ અર્થે ભવ્ય જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના મુખ્ય માર્ગો પરથી નીકળેલી આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફગણે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ હાથમાં બેનરો સાથે "સિંહ બચાવો" અને "જંગલની શાન, સિંહ અમારું અભિમાન" જેવા ગગનભેદી નારા લગાવીને સમગ્ર વાતાવરણ ગુંજવી મૂક્યું હતું. એશિયાટિક સિંહોના મહત્ત્વ અને જંગલોની જાળવણી પ્રત્યે ગ્રામજનોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલા શાળાના આ સરાહનીય પ્રયાસને સ્થાનિક લોકોએ ખૂબ બિરદાવ્યો હતો.
માણાવદર : હિતેશ પંડ્યા