09/06/2026
રાધનપુર: રામકૃષ્ણ મિશન દ્વારા દર્દીઓ માટે હોમિયોપેથિક નિદાન કેમ્પનું કરાયું આયોજન
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગાયત્રી મંદિરના પ્રાંગણમાં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો. મનોજ માકાણી, ડો. નવીન કણજારીયા, ડો. વિશાલ વ્યાસ અને ડો. વિજય સુથારની નિષ્ણાત ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરી વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ મિશન દ્વારા ગુજરાતભરમાં જટિલ બીમારીઓથી પીડાતા લોકોને રાહત આપવા માટે આ વિશેષ મુહિમ ચલાવવામાં આવી રહી છે. ડો. મનોજ માકાણીએ જણાવ્યું હતું કે, હવેથી રાધનપુરમાં દર મહિને આ પ્રકારનો કેમ્પ યોજાશે, જેથી વધુમાં વધુ દર્દીઓ લાભ લઈ શકે. કેમ્પના સફળ આયોજન બદલ ગાયત્રી મંદિર પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર : દીપક સથવારા, પાટણ