Kanabar News Rajula

  • Home
  • Kanabar News Rajula

Kanabar News Rajula રાજુલા ના જડપી સમાચાર એટલે કાનાબાર ન્યૂઝ

બ્રહ્મસમાજ ના અગ્રણી રાજુલા શહેર માટે અડધી રાતનો હોંકારો એવા મારા મયુરદાદા ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ 💐💐💐💐💐💐🎂🎂🎂🎂🎂🎂
15/07/2025

બ્રહ્મસમાજ ના અગ્રણી રાજુલા શહેર માટે અડધી રાતનો હોંકારો એવા મારા મયુરદાદા ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ 💐💐💐💐💐💐🎂🎂🎂🎂🎂🎂

*રાજુલામાં એકદમ નવી સાયકલ વેચવાની છે** 91 સ્ટાન્ડર્ડ નંબર વન કંપની* માત્ર 4 મહિના વાપરેલી સાયકલ* ટીપટોપ કંડીશન * આગળ જમ્...
13/07/2025

*રાજુલામાં એકદમ નવી સાયકલ વેચવાની છે*

* 91 સ્ટાન્ડર્ડ નંબર વન કંપની
* માત્ર 4 મહિના વાપરેલી સાયકલ
* ટીપટોપ કંડીશન
* આગળ જમ્પર તેમજ બન્ને ટાયરમાં ડીશબ્રેક
* કંપની શોરૂમ પ્રાઈઝ 14000 છે પણ આપડે માત્ર 8999 માં આપવાની છે.
* સંપર્ક નંબર
* 9879884901
* 7069070318

ડોક્ટર નો સાચો ધર્મ શું ...!!!નાનો હોય કે મોટો દરેક માટે એક જ વાત સારવાર ...દર્દી દેવ ભવ....બસ એટલે લોકો ના પ્રિય અને અત...
13/07/2025

ડોક્ટર નો સાચો ધર્મ શું ...!!!
નાનો હોય કે મોટો દરેક માટે એક જ વાત સારવાર ...દર્દી દેવ ભવ....બસ એટલે લોકો ના પ્રિય અને અત્યાર સુધી અનેક સંસ્થા પોતાની વિશિષ્ટ સેવા એવા ડોક્ટર મુછડીયા જેમનો આજે જન્મદિવસ હોય ત્યારે રાજુલા કાનાબાર ન્યુઝ ચેનલ પરિવાર તેમની જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે

કોઈપણ જાતના નાત જાતના કે ધર્મના ભેદભાવ વગર દર્દીઓના ઓપેરશન કરી તેમને સાજા કરતા, રાજુલા ગામનાં એક મેડિકલ સર્જન ડોક્ટર મૂછડીયા ડૉક્ટર અનુભવો તેમની કલમ થી લખેલા વાંચો:
"ગ્રામ્ય વિસ્તારમાં કામ કરવું એટલે અભાવ વચ્ચે કામ કરવું.
નર્સીંગ સ્ટાફ તો ક્યારેય ૫-૬ થી વધ્યા જ નહીં અને ટોટલ પોસ્ટ હતી ૧૬ બેનોની. એવીજ રીતે મેડિકલ ઓફીસર ૩ પોસ્ટ માં એક કે બે જ હોય.
એક વખત એવું થયું કે અમારા એકમાત્ર મેડિકલ ઓફીસર સાહેબ રજા પર હતા ને માત્ર હું જ ડ્યુટી પર હતો. રૂટીન કામ રાઉન્ડ ઓપીડી વગેરે પુરા કરીને મેં ઓપરેશન ચાલુ કર્યા. હજુ ઓપરેશન અરધે પહોંચ્યું ત્યાં વીશીમાં સપડાઇને મુંઝાયેલા ને ઝેરી દવા પી ને આત્મહત્યાની કોશિષ કરેલ એક આશાસ્પદ યુવક નો કેસ આવ્યો, હવે ? ઓપરેશન નુ દરદી તો સ્પાઇનલ ની અસર હેઠળ સ્થિર હતું, એટલે અધવચ્ચે નીકળી ને મેં, ઝેરી દવા વાળા યુવકને એટેન્ડ કર્યો અને એને તાત્કાલિક ગળામાં ટ્યુબ, જઠર સુધી નાખીને દવા બહાર ખેંચવાનું મહત્વનું કામ શરુ કરી દીધું ને બધી જ દવા બહાર ખેંચી લીધી અને જઠર પુષ્કળ પ્રવાહીથી ધોઇ નાખ્યું, પાંચ મીનીટમાં પુરુ, ને જે દવા શોષાઇ ગઇ હતી એના મારણ માટે એટ્રોપીન પામ જેવી દવાઓ તો અમારો કેળવાયેલો સ્ટાફ આપી દેવાનો હતો અને હું ફરીથી અધૂરા મુકેલા ઓપરેશનમાં લાગી ગયો.
આવું તો ઘણીવાર બનેલું પણ ક્યારેય દર્દીને સારવાર વિના રહેવા દીધા નથી. એ સમયે અમારા નર્સ બહેનો પણ એકદમ કર્મિષ્ઠ હતાં ને ડ્યુટી નો સમય ગણતા જ નહીં ને પ્રજા પણ અમારી ખામીઓ જોવા કરતાં મદદરૂપ થવા પ્રયત્ન કરતી."

*સીતારામ*..*દુઃખદ*... *મેહુલભાઈ સુરેશભાઈ ટાક* (ઉંમર વર્ષ ૨૬ ) આજે સવારે 5-00 વાગે રામચરણ પામ્યા છે. તેમની અંતિમવિધિ *(સ્...
13/07/2025

*સીતારામ*
..*દુઃખદ*...

*મેહુલભાઈ સુરેશભાઈ ટાક* (ઉંમર વર્ષ ૨૬ ) આજે સવારે 5-00 વાગે રામચરણ પામ્યા છે. તેમની અંતિમવિધિ *(સ્મશાન યાત્રા)* આજે તારીખ 13/7/2025 ને રવિવાર સવારે 10:30 કલાકે રાખેલ છે.

*સ્થળ*
ભેરાઈ રોડ, હોટલ રેજન્સી વાળો ખાચો, કાનજીબાપા નગર,
રાજુલા.

લી.
સુરેશભાઈ રણછોડભાઈ ટાંક
મો-૯૮૨૪૨ ૮૨૬૬૯
લાખાભાઇ રણછોડભાઈ ટાંક
મો-૯૯૨૪૫ ૫૨૬૨૩

ઈશ્વર સાઉન્ડ રાજુલા

12/07/2025

બ્રેકીંગ
અમરેલી- રાજુલા રેન્જમાં કુવામાં ખાબકતા સિંહ નું મોત

ઉંટીયા ગામના ખેડૂતની વાડીમાં ખુલ્લા કુવામાં 2 વર્ષીય સિંહ ખાબક્યો હતો

વનવિભાગ દ્વારા સિંહનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડાયો

સિંહનું કુવામાં પડી જવાથી મોત થયું

પ્રખર અને લોકપ્રિય જ્યોતિષી રમેશ પુરોહિત નો આજે છે જન્મદિવસ રાજુલા શહેરના લોકલાડીલા અને લોકપ્રિય જ્યોતિષ  શ્રી રમેશ પુરો...
12/07/2025

પ્રખર અને લોકપ્રિય જ્યોતિષી રમેશ પુરોહિત નો આજે છે જન્મદિવસ

રાજુલા શહેરના લોકલાડીલા અને લોકપ્રિય જ્યોતિષ શ્રી રમેશ પુરોહિત નો આજે તારીખ .૧૨.૦૭.૨૦૨૫ ના રોજ જન્મદિવસ હોય અને આજે તેઓ ૫૫ વર્ષ પૂર્ણ કરી અને ૫૬ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે રમેશભાઈ પુરોહિત અત્યાર સુધીમાં દુબઈ હોંગકોંગ ચાઇના શ્રીલંકા નેપાળ સહિતના દેશોમાં પ્રવાસ કરી ચૂકેલ છે
જ્યોતિ રમેશ પુરોહિત જ્યોતિષશાસ્ત્રમાં છેલ્લા 35 વર્ષ સુધી એકધારો સતત સંશોધન કરી નવો નવો રોજો અભ્યાસ કરે છે જ્યોતિષની વિશિષ્ટ શાખા જૈમીની જ્યોતિષ ઉપર અનેક સંશોધનપત્રો લેખો તેમણે રજૂ કર્યા છે એમણે ગત 35 વર્ષમાં હજારો કુંડળીના તલસ્પર્શી અભ્યાસો કર્યા છે તેમની કુંડળી સંગ્રહમાં દરેક ક્ષેત્રના લોકોની કુંડળીઓ ઉપલબ્ધ છે હાલની જ્યોતિષની એક શાખા રમલ જ્યોતિષ ઉપર સંશોધન ચાલુ છે જ્યોતિષશાસ્ત્રની તમામ શાખાઓ જન્મ કુંડળી હસ્તરેખા પ્રશ્ન કુંડળી શકુંનશાસ્ત્ર સ્વપ્ન શાસ્ત્ર મુહૂર્તશાસ્ત્ર રમણશાસ્ત્ર વિગેરે શાખાઓનો તેમને ઊંડો અભ્યાસ કરેલ છે શ્રી પુરોહિતે જ્યોતિષશાસ્ત્રમાં જ્યોતિષમાટેંડ.
મુહુર્તશાસ્ત્ર. જ્યોતિષ રત્નમ જ્યોતિષવિશારદ જેવી જ્યોતિષમાં મળતી અનેક ડિગ્રીઓ તેમને મેળવેલી છે ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ઉપર ૯૪૨૬૮૫૨૬૩૯ મિત્રો પરિવાર રાજકીય આગેવાનો પ્રતિભાશાળી વ્યક્તિઓ તેમને આજે પોતાના જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અત્યાર સુધીમાં આ પુરોહિતે રાજકીય આગેવાનો તેમજ પ્રતિભાશાળી તમામ વ્યક્તિઓને તેઓ મળી ચૂક્યા છે

આહીર સમાજનું ગૌરવ !             મુ.ઉટીયા, તા.રાજુલા, જી.અમરેલીના શ્રી અર્જુન રામભાઈ લાખણોત્રાની તાજેતરમાં જ કોટક મહિન્દ્...
11/07/2025

આહીર સમાજનું ગૌરવ !
મુ.ઉટીયા, તા.રાજુલા, જી.અમરેલીના શ્રી અર્જુન રામભાઈ લાખણોત્રાની તાજેતરમાં જ કોટક મહિન્દ્રા બેન્કના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ (અમદાવાદ ઝોન) તરીકે નિમણુંક થતાં કાનાબાર ન્યૂઝ ચેનલ પરિવાર શુભેચ્છા પાઠવે છે ભવિષ્યમાં પણ તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી ભગવાન શ્રી મુરલીધરને પ્રાર્થના !
આહીર સમાજના કોઇ પણ વ્યક્તિને કોટક મહિન્દ્રા બેન્ક સંબંધિત કામગીરી કે માર્ગદર્શન જોઈતું હોય તો મો. નં. ૯૮૯૮૮૭૯૫૩૧ સંપર્ક કરવો

 ાંતિ રાજુલા વિસ્તારના આહિર સમાજના આશાસ્પદ યુવાન સ્વ. નકાભાઈ આતાભાઈ વાઘ (જૉલાપુર)નું દુઃખદ નિધન થયું છે ત્યારે પરમ કૃપાળ...
11/07/2025

ાંતિ
રાજુલા વિસ્તારના આહિર સમાજના આશાસ્પદ યુવાન સ્વ. નકાભાઈ આતાભાઈ વાઘ (જૉલાપુર)નું દુઃખદ નિધન થયું છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ સમગ્ર પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના...
ૐ શાંતિ... શાંતિ... શાંતિ...

યોગેશ કાનાબાર રાજુલાસાચા સેવક ને સત્તા ની જરૂર નથી... જાફરાબાદ ના પીપળીકાંઠા વિસ્તારમાં આવેલ તલાવડી તરીકે ઓળખાતો વિસ્તાર...
11/07/2025

યોગેશ કાનાબાર રાજુલા

સાચા સેવક ને સત્તા ની જરૂર નથી...

જાફરાબાદ ના પીપળીકાંઠા વિસ્તારમાં આવેલ તલાવડી તરીકે ઓળખાતો વિસ્તારની જ્યાં છેલ્લા ઘણા સમયથી જે પાણી આ મેન રોડ ઉપર ભરાવાનો પ્રશ્ન હતો જે પહેલા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તંત્ર ને ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવેલો જાફરાબાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે ધર્મેશભાઈ બારૈયા દ્વારા ટેલીફોન પર વાતચીત કરી હતી કે આ વિસ્તારમાં જેસીબી દ્વારા કામ કરવામાં આવે જેથી કરીને આ વિસ્તારની જનતા જનાર્દનને મુશ્કેલીઓમાં રાહત મળી શકે જેના ભાગરૂપે ચીફ ઓફિસર એ આ કામ માટે થોડી જ વારમાં જેસીબી મોકલી આપ્યું હતું આ સાથે જ આ વિસ્તારની જનતા જનાર્દનનું એવું કહેવું હતું કે સ્કૂલ જાતા બાળકો તેમજ આપણા ખારવા સમાજની લગ્નની સિઝન છે જેના ઘણા પ્રસંગો અહીંથી પસાર થાય છે સાથે સાથે આ આખા વિસ્તારની ઘણી માતાઓ બહેનો શાકભાજી લેવા જાય છે ત્યારે આ સ્વીમીંગ પુલ નો પસાર કરવો પડે છે આ વિસ્તારના સદસ્યઓ ને આ બાબત કેમ ધ્યાન ઉપર નથી આવતી
આવું લોક મૂખે ચર્ચાઈ રહ્યું છે સાથે સાથે જાફરાબાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે ધર્મેશ બારૈયા દ્વારા ટેલીફોનિક વાતચીત પણ થઈ છે કે આ સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ થાય તે વાતને લઈને ચીફ ઓફિસર એ ખૂબ હકારાત્મક જવાબ આપવામાં આવેલો અને આમ છતાં પણ જરૂર પડશે તો લેખિતમાં પણ રજૂઆત કરવાની આ વિસ્તાર માટે સંપૂર્ણ પણે તૈયારી રહેશે તેવું ધર્મેશ બારૈયા દ્વારા જણાવવામાં આવેલું અંતમાં આ વિસ્તારના તમામ લોકો દ્વારા ચીફ ઓફિસર નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો

રાજુલાના ખાખબાઈ ગામે બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજનઆયુષ્માન ભવ: અભિયાન કાર્યક્રમ અંતર્ગત ઈમરજન્સી સમયે સરળતાથી બ્લડ મળ...
11/07/2025

રાજુલાના ખાખબાઈ ગામે બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન

આયુષ્માન ભવ: અભિયાન કાર્યક્રમ અંતર્ગત ઈમરજન્સી સમયે સરળતાથી બ્લડ મળી રહે તેના ભાગ રૂપે રાજુલા તાલુકાના ખાખબાઈ ગામે સ્વ.જાહીબેન ગાંડાભાઇ કાતરીયાની ઉત્તરક્રિયા નિમિત્તે આરોગ્ય વિભાગના સહયોગ સાથે બ્લડ ડોનેશન કેમ્પનુ સુંદર આયોજન ખાખબાઈ આહિર સમાજની વાડી ખાતે કરવામા આવેલ.જેમા એકત્રિત થયેલ ૨૬ બોટલ બ્લડ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઈમરજન્સીના સમયે સરળતાથી મળી રહેશે.

રક્તદાન કરવાથી સ્ટ્રેસ લેવલ ઘટે છે અને મેન્ટલી તમે હેલ્ધી રહો છો સાથે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો ઓછો થઈ જાય છે જેવા વિવિધ ફાયદાઓ થતા હોય લોકો દ્વારા એકવાર અવશ્ય રકતદાન કરવામા આવે તેવુ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.નિલેશ વી.કલસરીયા દ્વારા જણાવેલ.જયારે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સનાભાઈ મકવાણા દ્વારા ખાખબાઈ સહિતના આરોગ્ય કેન્દ્રના ગામોમાં બ્લડ ડોનેશન સહિતના કેમ્પો દ્વારા લોકોની આરોગ્ય સુખાકારી વધારવા માટેના પ્રયત્નો કરવામા આવી રહ્યા છે.

ખાખબાઈ ગામે આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમા જેરામભાઈ, સનાભાઈ,દુલાભાઈ તેમજ મહેશભાઈ કાતરીયા,ડૉ.મનસુખ જાલોંધરા,સનાભાઈ મકવાણા,પી.ડી.ચૌહાણ,શૈલેષભાઈ ખસિયા અને ગ્રામજનો તેમજ મહેમાનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ ટોટલ ૨૬ લોહીની બોટલ એકત્રીત કરી ઈમરજન્સીના સમયે સરળતાથી લોકોને બ્લડ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે રામભાઈ કામળિયાના હસ્તે નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ બ્લડ બેન્ક મહુવાને સમર્પિત કરી અનેરું યોગદાન આપેલ જે સનાભાઈ મકવાણાની યાદીમા જણાવેલ છે.

શ્રીમતી એચ.બી સંઘવી મહિલા કોલેજ માં વેલકમ ડે તથા ગુરુપૂર્ણિમા નો દ્વીપાંખી મહોત્સવ ની ઉસ્તાહપૂર્વક  ઉજવણીશ્રીમતી એચ.બી.સ...
11/07/2025

શ્રીમતી એચ.બી સંઘવી મહિલા કોલેજ માં વેલકમ ડે તથા ગુરુપૂર્ણિમા નો દ્વીપાંખી મહોત્સવ ની ઉસ્તાહપૂર્વક
ઉજવણી

શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ ખાતે તારીખ:10:જુલાઈ 2025. ના રોજ પ્રથમ વર્ષ ના બહેનો નો વેલકમ ડે તથા ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.આ પ્રસંગે કોલેજ કેમ્પસ મેનેજર શ્રી રવિ ભાઈ વ્યાસ તથા કેમ્પસ ડાયરેક્ટર ડો.જીગ્નેશ ભાઈ વાજા તથા પત્રકાર શ્રી યોગેશ ભાઈ કાનાબાર ઉપસ્થિત રહેલ.કાર્યક્રમ ની શરૂઆત મહેમાનો ના કર કમલ વડે દીપ પ્રાગટ્ય ની સાથે ભાવવાહી પ્રાર્થના ગાન બાદ પ્રિન્સીપાલ ડો. રીટાબેન રાવળ દ્વારા મહેમાનો તથા બહેનો ને આવકારી સ્વાગત પ્રવચન તથા ગુરુપૂર્ણિમા નું મહત્વ પ્રાસંગિક ઉદબોધન કરેલ.ત્યારબાદ રાસ ગરબા,ગીત,સ્પીચ,નૃત્ય,નાટક,તથા અભિનય ની ચડિયાતી ઇવેન્ટ બહેનો દ્વારા પ્રસ્તુત થયેલ જેને તાળીઓના ગડગડાટ થી વધાવવામાં આવેલ.અધ્યાપકો દ્વારા ગુરુપૂર્ણિમા નિમિતે આશીર્વાદ પાઠવવા માં આવેલ. પ્રવેશ લેનાર તમામ બહેનો ને આવકારેલ.કુમકુમ તિલક કરી મીઠું મો કરાવવામાં આવેલ.તમામ બહેનો એ. ગુરુ આશિર્વચન લીધેલ.ટ્રસ્ટી શ્રી દ્વારા તમામ બહેનો ને બોલપેન ના સેટ ની ભેટ આપવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમ એન.એસ.એસ.પ્રોગ્રામ ઑફિસર શ્રી જાગૃતિ બેન તેરૈયા તથા શ્રી ભગવતીબેન વડીયા ના માર્ગ દર્શન થી તૈયાર કરવામાં આવેલ.આભાર દર્શન શ્રી નેહા બેન દરજી દ્વારા સુચારુ રૂપે કરવામાં આવેલ.કાર્યક્રમ ની સફળતા માટે તમામ પ્રાધ્યાપક પરિવાર તથા વિદ્યાર્થીની બહેનો ની જહેમત થી સુપેરે સંપન્ન થયેલ.

ખાંભા નજીક વાંકુ ની ધાર આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી...  ખાંભા ના ઇંગોરાળા ગામ નજીક  વાકુનીધાર ખાતે...
11/07/2025

ખાંભા નજીક વાંકુ ની ધાર આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી...

ખાંભા ના ઇંગોરાળા ગામ નજીક વાકુનીધાર ખાતે જગ સુપ્રસિદ્ધ પંચમુખી હનુમાનજી દાદા સાનિયામાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમાં 1008 હનુમાન ચાલીસા ના પાઠ નો કથન કરવામાં આવ્યું હતું અને સાથે હોમાત્ય યજ્ઞન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય યજમાન તરીકે અશ્વિનભાઈ બાલુભાઈ સભાયા હતા ત્યારે આ હોમાત્ય યજ્ઞન સંત શ્રી બાલકદાસ બાપુ તેમજ ઓલ ઇન્ડિયા એન્ટ્રી ટેરેરિસ્ટ કોડ અખિલ ભારતીય આંતકવાદી વિરોધી દળ ના વડા એમ.એસ બીટાસિંગ સાહેબ તેમજ સેવ ગણ સહિત હોમાત્ય યજ્ઞન માં જોડાયા હતા અને ગુરુપૂર્ણિમા મહિમા એટલે આપડા જીવનમાં સતગુરુ હોય અને સાંસો માર્ગ બતાવે એ સતગુરૂ કેવા કહેમા આવે ત્યારે ગુરુપૂર્ણિમા દિવસે ગૂરૂ ની પૂજા અરસના કરી ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વાંકુ ની ધાર ખાતે પંચમી હનુમાનજી દાદા ના સાનિધ્યમાં સંત શ્રી બાલકદાસ બાપુ ના ચરણોમાં મોટી સંખ્યા માં સેવક ગણોએ બાપુ ની પૂજા અર્ચના કરી હતી અને સાથે બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 5000 જેટલા હજાર સેવક ગણોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને આ તમામ કાર્યક્રમનું સંચાલન સંત શ્રી કરૂણાનિધાન દાસજી બાપુ પંચમુખી હનુમાનજી મંદિર વાંકુની તેમજ સેવક ગણ સમુદાયે દ્વારા કરવામાં આવ્યું હતું

રિપોર્ટર ભાવિક કળસરીયા ખાંભા

Address


Alerts

Be the first to know and let us send you an email when Kanabar News Rajula posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kanabar News Rajula:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share