Kanabar News Rajula

Kanabar News Rajula રાજુલા ના જડપી સમાચાર એટલે કાનાબાર ન્યૂઝ
(1)

રાજુલાના મુસ્લિમ યુવાનની પ્રમાણિકતા: મળેલ મોબાઈલ માલિકને પરત કરી માનવતા બતાવીરાજુલા શહેરમાં એક સુંદર અને પ્રેરણાદાયક ઘટન...
14/04/2026

રાજુલાના મુસ્લિમ યુવાનની પ્રમાણિકતા: મળેલ મોબાઈલ માલિકને પરત કરી માનવતા બતાવી

રાજુલા શહેરમાં એક સુંદર અને પ્રેરણાદાયક ઘટના સામે આવી છે, જેમાં એક યુવાને પોતાની પ્રમાણિકતાથી સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. શિયાળબેટના લાલજીભાઈ સવાભાઈ શિયાળનો મોબાઈલ રિક્ષામાં મુસાફરી દરમિયાન પડી ગયો હતો.

આ મોબાઈલ રાજુલાના સબીરભાઈ જાવેદભાઈ જોખીયાને મળ્યો હતો. તેમણે કોઈ પણ જાતનો લોભ રાખ્યા વગર સાચા માલિકની શોધ કરી અને અંતે લાલજીભાઈને તેમનો મોબાઈલ પરત આપ્યો હતો.

આ ઘટનાએ આજના સમયમાં પણ પ્રમાણિકતા અને માનવતા જીવંત છે તે સાબિત કર્યું છે. સબીરભાઈના આ સારા કાર્યને સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે અને તેઓએ સમાજ માટે એક સારો સંદેશ આપ્યો છે કે ઈમાનદારી હંમેશા શ્રેષ્ઠ નીતિ છે.

રાજુલામાં મહાપ્રભુજીના ૫૪૯મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈયોગેશ કાનાબાર રાજુલારાજુલા શહેરમાં ચૈત્રવદ અગિય...
14/04/2026

રાજુલામાં મહાપ્રભુજીના ૫૪૯મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા શહેરમાં ચૈત્રવદ અગિયારસના પાવન દિવસે જગતગુરૂ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૯મા પ્રાગટ્ય દિવસની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રાનું આયોજન રાજુલા ગોવર્ધનનાથજી હવેલી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

શોભાયાત્રા રાજુલા હવેલીથી પ્રારંભ થઈ શહેરના મુખ્ય બજારોમાંથી પસાર થઈ રાજુલા ટાવર ચોક, હોસ્પિટલ ચોક, એસટી બસ સ્ટેન્ડ ચોક, જલારામ સર્કલ, કૃષ્ણનગર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી હતી. શહેરભરમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાયો હતો.

શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ સ્થળોએ વૈષ્ણવજનો દ્વારા ઠંડુ પાણી, શરબત અને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાને સોસાયટી વિસ્તારો સુધી લંબાવવામાં આવતા વૈષ્ણવજનોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે રાજુલા શહેરના વેપારીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો. ઉપરાંત, રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરેએ પણ શોભાયાત્રામાં ઉપસ્થિત રહી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.

રામપરા-૨ અને ભેરાઈમાં વિદ્યાર્થીઓ માટે ફાયર સેફ્ટી તાલીમ, લાઈવ ડેમોથી જાગૃતિસમાચાર:આજ રોજ ફાયર દિવસ નિમિત્તે સ્વાન ડિફેન...
14/04/2026

રામપરા-૨ અને ભેરાઈમાં વિદ્યાર્થીઓ માટે ફાયર સેફ્ટી તાલીમ, લાઈવ ડેમોથી જાગૃતિ

સમાચાર:
આજ રોજ ફાયર દિવસ નિમિત્તે સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા રામપરા-૨ અને ભેરાઈ ગામની પ્રાથમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ફાયર અને સેફ્ટી અંગે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ લાગવાની સ્થિતિમાં કેવી રીતે સાવચેતી રાખવી, ઇમરજન્સી સમયે કયા પગલાં લેવા તથા પોતાની અને અન્ય લોકોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે ફાયર સેફ્ટી અંગે લાઈવ ડેમો રજૂ કરવામાં આવ્યો હતો, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ માહિતીસભર અને ઉપયોગી સાબિત થયો.

આ પ્રસંગે ગામના આગેવાનો, સરપંચ, શાળાના શિક્ષકો અને આચાર્ય સહિત સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ફાયર ઓફિસર કાર્તિકભાઈ પંડ્યા, એલ.વી. રામ, ઘનશ્યામભાઈ વાધ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં આગ અને આપત્તિ સમયે સજાગતા અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

“સમસ્ત કોળી સમાજ” દ્વારા શ્રી કુંવરજીભાઈ બાવળિયાના માર્ગદર્શન હેઠળ આયોજિત ચિંતન બેઠક સમાજના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય...
13/04/2026

“સમસ્ત કોળી સમાજ” દ્વારા શ્રી કુંવરજીભાઈ બાવળિયાના માર્ગદર્શન હેઠળ આયોજિત ચિંતન બેઠક સમાજના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય એવો ગૌરવપૂર્ણ અને પવિત્ર પ્રસંગ સાબિત થયો. આ ઐતિહાસિક અવસરે સમાજના અગ્રણી આગેવાનો શ્રી ચંદ્રવદન પીઠાવાલા, માજી ધારાસભ્ય શ્રી પરષોત્તમભાઈ છાબરીયા, શ્રી સુરેશભાઈ ધરજિયા, શ્રી અશોકભાઈ રાઠોડ, શ્રી રમેશભાઈ બાવાળીયા, શ્રી કનુભાઈ એસ. પટેલ, યજમાન શ્રી રમેશભાઈ મકવાણા તથા અન્ય સહયોગીઓએ શૈક્ષણિક અને સામાજિક વિકાસના મહાન ધ્યેય સાથે સૌને એક મંચ પર લાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો.
આ બેઠક માત્ર એક સામાન્ય સભા નહોતી, પરંતુ સમગ્ર કોળી સમાજના ઉજ્જવળ ભવિષ્યને નવી દિશા આપતો એક સામૂહિક સંકલ્પ, ઐતિહાસિક વિચારમંથન અને સફળ શરૂઆતનો શંખનાદ હતી. ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી સમાજના અગ્રણી આગેવાનો રાજકીય પક્ષપાતથી પર રહીને એકત્રિત થયા હતા, જે સમાજની એકતા, જાગૃતિ અને સંગઠિત શક્તિનું પ્રેરણાદાયક પ્રતિબિંબ બન્યું.
બેઠક દરમિયાન સમાજના શૈક્ષણિક વિકાસ, સામાજિક સશક્તિકરણ અને ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે ગંભીરતાપૂર્વક વિચારવિમર્શ કરવામાં આવ્યો. સાથે જ આ મહત્ત્વાકાંક્ષી કાર્યમાં સ્વેચ્છાએ જોડાઈ સમાજહિત માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની સૌએ બાંહેધરી વ્યક્ત કરી.
આ પ્રસંગે શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી દિવેશભાઈ સોલંકી, શ્રીમતી ગેનીબહેન ઠાકોર, શ્રી ઋતિવિકભાઈ મકવાણા, શ્રી કાળુભાઈ ડાભી, સાંસદ શ્રી ઉમેશભાઈ બી. પટેલ (દમણ), શ્રી કરશનભાઈ પટેલ (ગણદેવી), શ્રી ગોવિંદભાઈ પટેલ (ગણદેવી), શ્રી કનુભાઈ પટેલ, શ્રી ચંદનજી ઠાકોર, શ્રી દર્શનજી ઠાકોર, શ્રી બાબુભાઈ ઊગરેજા, શ્રી કિરીટભાઈ પટેલ (ઓલપાડ), શ્રી ગિરીશભાઈ સી. પટેલ (સુરત) સહિત અખિલ ભારતીય કોળી સમાજ (રજી.), નવી દિલ્હીના પ્રતિનિધિઓ, કોળી-ઠાકોર સમાજના ધારાસભ્યો, સાંસદસભ્યો અને અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિ વિશેષ પ્રેરણારૂપ રહી. તેમની હાજરીએ સમાજની એકતા, સુમેળ અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવી.
શ્રી ચંદ્રવદન છોટુભાઈ પીઠાવાલાએ સમાજના સંગઠન અને સર્વાંગી વિકાસ અંગે પોતાના પ્રેરક વિચારો રજૂ કરતાં જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે રાજકારણથી ઉપર ઉઠીને સમાજના હિત અને વિકાસને કેન્દ્રસ્થાને રાખીએ. તેમણે સૌને સંબોધતા જણાવ્યું:
“આજે આપણે સૌએ સાથે મળીને સમય બદલવાનો છે,
આજે આપણે સૌએ સાથે મળીને દિશા બદલવાની છે,
આજે આપણે સૌએ સાથે મળીને એક વિશાળ શક્તિનું નિર્માણ કરવાનું છે,
આજે આપણે સૌએ સાથે મળીને ઇતિહાસ રચવાનો છે,
અને આજે આપણે સૌએ સાથે મળીને એક નવા ભવિષ્યનું નિર્માણ કરવાનું છે.”
તેમણે આવનારા સમયમાં સમગ્ર ગુજરાતના તમામ સામાજિક સંગઠનોના પ્રમુખોની એક દિવસીય વિશાળ બેઠક યોજવાનો સૂચન પણ કર્યું, જેથી નિખાલસ ચર્ચા દ્વારા સમગ્ર ગુજરાત માટે માર્ગદર્શક સમિતિનું નિર્માણ થઈ શકે. આ સમિતિ સમાજના નાના-મોટા પ્રશ્નોના નિરાકરણ માટે મજબૂત અને અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડશે.
શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના સંબોધનમાં ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે કોળી સમાજ માટે ભવ્ય શૈક્ષણિક સંકુલ અને એજ્યુકેશન સેન્ટર સ્થાપવા માટે જમીન ફાળવણી અંગે ચાલી રહેલી પ્રગતિની વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે જમીન ફાળવણી પ્રક્રિયા સકારાત્મક તબક્કે આગળ વધી રહી છે અને સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ નિર્ધારિત રકમ સરકારને જમા કરાવવાની રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માત્ર આજની પેઢી માટે જ નહીં, પરંતુ આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ ઐતિહાસિક પગલું સાબિત થશે. તેમણે કોળી સમાજના તમામ આગેવાનો, દાતાશ્રીઓ અને સભ્યોને હૃદયપૂર્વક અપીલ કરી કે સમાજના શૈક્ષણિક, સામાજિક અને સર્વાંગી વિકાસ માટે આ પવિત્ર કાર્યમાં મનથી, સમયથી અને આર્થિક રીતે યથાશક્તિ સહયોગ આપે.
અંતમાં શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ સમાજ પ્રત્યેનો પોતાનો લાગણીસભર પ્રેમ અને કટિબદ્ધતા વ્યક્ત કરતાં સમાજનું સંગઠન વધુ મજબૂત બનાવવા તેમજ શૈક્ષણિક સંકુલના નિર્માણ કાર્યોમાં પોતાના આશીર્વાદ અને સહકારની ખાતરી આપી.
આ ઐતિહાસિક બેઠકના નિર્ણયોનું અનુસરણ કરતાં ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતના ચારેય વિભાગોમાં આવી જ લોક-જાગૃતિસભર બેઠકોનું આયોજન કરવામાં આવશે. તેનો મુખ્ય હેતુ સમસ્ત કોળી-ઠાકોર સમાજ પરિવારના છેવાડાના દરેક સભ્ય સુધી પહોંચી, પક્ષ-પક્ષીથી પર રહી સમાજની વિશાળ અને સશક્ત એકતાનું નિર્માણ કરવાનો રહેશે.
એકતા, સમરસતા અને સમાજ જાગૃતિના પવિત્ર ભાવોથી ઓતપ્રોત આ સફળ બેઠક પૂર્ણ થયા બાદ સૌએ સમૂહ ભોજનનો સહર્ષ આનંદ માણ્યો. આ ઐતિહાસિક મિલન માત્ર એક બેઠક ન રહી, પરંતુ સમાજ જીવનમાં નવા સૂર્યોદયના સુવર્ણ કિરણો સમી આશા, વિશ્વાસ અને નવી દિશાનો પ્રારંભ બની. સમાજની એકતા, સંગઠન અને સહકારની આ પ્રજ્વલિત જ્યોત સમગ્ર ગુજરાતમાં પ્રસરે, સમાજના દરેક હૃદયમાં નવચેતનાનું સંચાર કરે અને ઉજ્જવળ, સશક્ત તથા સમૃદ્ધ ભવિષ્યના નિર્માણ માટે સૌ નવી ઉર્જા, નવા ઉત્સાહ અને દૃઢ સંકલ્પ સાથે વિદાય લીધા.

*સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬**૦૦૦૦૦૦**જિલ્લામાં મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા ૧૦૦ ...
13/04/2026

*સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬*
*૦૦૦૦૦૦*
*જિલ્લામાં મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા ૧૦૦ મીટરના વિસ્તારમાં મત પ્રચાર માટે પ્રતિબંધ*
*૦૦૦૦૦૦*
*આગામી તા. ૨૪ એપ્રિલ,૨૦૨૬ના રોજ મતદાન યોજાશે, તા. ૨૮ એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે*
*૦૦૦૦૦૦*
*અમરેલી તા. ૧૩ એપ્રિલ,૨૦૨૬ (સોમવાર) –* ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અન્વયે અમરેલી જિલ્લામાં કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા. ૨૬.૦૪.૨૦૨૬ના રોજ યોજાશે ઉપરાંત મતગણતરી તા. ૨૮.૦૪.૨૦૨૬ના રોજ યોજાશે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમરેલી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ અન્વયે સમગ્ર જિલ્લામાં મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ મત પ્રચાર કરી શકશે નહીં. મત પ્રચાર માટે સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ઉપરાંત મતદારોને ધાક-ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા, કોઈપણ મતદારને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવી, અમુક ઉમેદવારને મત ન આપવા માટે કોઈ મતદારને સમજાવવા, સાથે ચૂંટણીમાં મત ન આપવા બાબતે સમજાવવા, ચૂંટણી લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવી, સેલ્યુલર કે મોબાઈલ ફોન,કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ કે અન્ય વિજાણુ સંદેશાવ્યવહારના સાધનો લઈ જવા પર પ્રતિબંધ રહેશે. વાહનો સાથે આવવા પર પણ પ્રતિબંધ રહેશે.

મતદાન મથકમાં મતદાન માટે આવેલ મતદાર, ઉમેદવાર, તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યક્તિ સિવાયની વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ રહેશે. ઉમેદવારોના પ્રતિકો લાવવા પર કે કોઈ નિશાનીઓ રાખવી, એક ઉમેદવારના એકથી વધુ મતદાન મથક એજન્ટને હાજર રાખવા, કોઈપણ પક્ષના ચિન્હવાળી સ્લીપો વહેંચવા ઉપર પ્રતિબંધ રહેશે. મતદાન સમય દરમિયાન મતદાન એજન્ટોને મતદારયાદી મતદાન મથકની બહાર લઈ જવા પર પ્રતિબંધ રહેશે. મતદાન મથકમાં પ્રવેશવા માટે મતદારોએ એક લાઈનમાં ઉભા રહેવાનું રહેશે. દિવ્યાંગ મતદારો માટે અલગથી વ્યવસ્થા કરવાની રહેશે. મતદારોએ મતદાન મથકમાં વારાફરતી ક્રમમાં પ્રવેશવું, મતદાન બાદ તુરંત જ મતદાન મથક છોડી દેવાનું રહેશે.

આ જાહેરનામું જિલ્લાના તમામ વિસ્તારને લાગુ પડશે. ઉપરાંત તા. ૨૬.૦૪.૨૦૨૬ના રોજ મતદાનના દિવસે લાગુ રહેશે. જો પુન:મતદાન થશે તો જે તે સંબંધિત મત વિસ્તાર માટે તા. ૨૭.૦૪.૨૦૨૬ના રોજ પણ અમલી રહેશે.

રાજુલા તાલુકાના નવા ગામ મેરીયાણા જાજરડા પરિવાર આયોજિત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા નું આયોજન..... રાજુલા તાલુકાના...
13/04/2026

રાજુલા તાલુકાના નવા ગામ મેરીયાણા જાજરડા પરિવાર આયોજિત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા નું આયોજન.....
રાજુલા તાલુકાના નવાગામ મોભિયાણા ખાતે સ્થ ગ શ્રી રામ બાપુ ઝાઝરડા પરિવારને મોક્ષાર્થ શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન તારીખ 23 4 થી તારીખ 29 4 સુધી ભાગવત કથાનું રસપાન ઘનશ્યામદાસ શાસ્ત્રી સુરત વાળા કથાનું રસપાન કરાવશે તેમજ નૂતન ગૃહ નિવાસ વાસ્તુ યજ્ઞ પણ આયોજન કરેલ છે અને પૂજ્ય મોરારીબાપુ તથા દેવલ માના આશીર્વાદ પ્રેરણાથી અને આ પ્રસંગે ભાગવત સપ્તાહમાં સંતો શ્રી રાજેન્દ્ર બાપુ તથા ભારદ્વાજગીરી મહારાજ તથા બુધેલ ગીરી મહારાજ તથા લહેરી ગીરીબાપુ તથા ધનસુખ બાપુ તથા વલકુ બાપુ તથા ભક્તિ રામ બાપુ તથા સુનિત ગીરીબાપુ શ્રી ઉર્જા શ્રી શ્રી ધીરુ બાપુ શ્રી સુખરામ બાપુ શ્રી બીજલ ભગત તથા અરવિંદ બાપુ તથા તુલસીદાસ બાપુ તથા મંજૂર ગીરીબાપુ તથા વલ્લભદાસ બાપુ તથા ઘનશ્યામદાસ બાપુ તથા રઘુ ઉદાસ બાપુ આશીર્વાદ આપવા માટે સંતો ખાસ ઉપસ્થિત રહેશે અતિથિ વિશે પૂર્વ ધારાસભ્ય શ્રી નાનાભાઈ રોયલા ન્યાયાલયના ન્યાયાધીશ શ્રી એસ આર ખમલ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે લોક ડાયરામાં લોકપ્રિય કલાકાર શ્રી તારીખ 25 4 ના રાત્રીના કલાકારો શ્રી અરવિંદ ભારતી બાપુ ભોળાભાઈ આહીર શ્રી આરતીબેન જોશી શ્રી અર્પિતાબેન પટેલ તથા જાહલબેન આહીર તથા દૃષ્ટિબેન કામળિયા તેમજ તારીખ 27 ના રોજ રાત્રિના લોકપ્રિય માયાભાઈ આહીર અરવિંદ ભારતી અને ભોળાભાઈ આહીર જમાવટ કરશે કથાની તળામાં તૈયારીઓ અને આમંત્રણ શ્રી લખુભાઈ રામભાઈ જાજરડા શ્રી દાદભાઈ ઝાઝરડા તથા બદરૂભાઈ જાજરડા તેમજ ઝાજરડા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

રાજુલા શહેરમાં ફક્ત બહેનો માટે વેકેશન બેંચ..
13/04/2026

રાજુલા શહેરમાં ફક્ત બહેનો માટે વેકેશન બેંચ..

કોડીનારમાં મેમણ જમાત દ્વારા બીજો સમૂહ શાદી સમારોહ યોજાયો૨૧ દુલ્હા-દુલ્હનો એ નિકાહ પઢી લગ્ન જીવનની શરૂઆત કરીકોડીનાર, તા. ...
13/04/2026

કોડીનારમાં મેમણ જમાત દ્વારા બીજો સમૂહ શાદી સમારોહ યોજાયો

૨૧ દુલ્હા-દુલ્હનો એ નિકાહ પઢી લગ્ન જીવનની શરૂઆત કરી

કોડીનાર, તા. ૧૧:
કોડીનાર ખાતે મેમણ જમાત દ્વારા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બીજો સમૂહ શાદી સમારોહ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં કુલ ૨૧ જોડાંઓએ નિકાહ પઢી પોતાના દાંપત્ય જીવનની શુભ શરૂઆત કરી હતી.
કોડીનારના જીન પ્લોટ વિસ્તારમાં આવેલ ગ્રાઉન્ડમાં અસરની નમાઝ બાદ સમારોહની શરૂઆત કરવામાં આવી હતી. કુરાન શરીફની તિલાવત સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો બાદ તમામ જોડાંઓના નિકાહ વિધિવત રીતે સંપન્ન કરવામાં આવ્યા હતા.
આ સમૂહ શાદી કાર્યક્રમમાં દરેક નવદંપતીને ઘરવખરીનો સામાન ભેટરૂપે આપવામાં આવ્યો હતો, જેમાં કપડાં, બેડ, ગાદલા, પંખા, વાસણો સહિત આશરે ૮૦ જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સમારોહના અંતે ખાસ દુવાઓ કરીને તમામ નવદંપતીઓને સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો.
આ પ્રસંગે કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, ચેમ્બર પ્રમુખ હરીભાઈ વિઠલાણી, વકફ બોર્ડના ડાયરેક્ટર જીશાનભાઈ નકવી, હાજી રફીકભાઈ જુણેજા, રમેશભાઈ બજાજ સહિતના અગ્રણીઓ, મહેમાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
સમૂહ શાદી સમારોહને સફળ બનાવવા માટે કોડીનાર મેમણ જમાતના પ્રમુખ રફીકભાઈ આર.કે., હાજી યુનુસભાઈ નાથાણી, રિયાઝભાઈ કાસમાણી, ઇબ્રાહિમભાઈ કચ્છી, રિયાઝભાઈ હાલાઈ, ફેસલભાઈ ડબાવાળા, ઇકબાલભાઈ પાણાવઢું સહિતના સભ્યો અને કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

બાબરીયાવાડ રાજુલા જાફરાબાદ કાઠી સમાજ ઉપસ્થિત રહેશે.....સાવરકુંડલા ખાતે દરબારશ્રી પીઠાબાપુ વાજસુરબાપુ ખુમાણ કાઠી વિદ્યાર્...
13/04/2026

બાબરીયાવાડ રાજુલા જાફરાબાદ કાઠી સમાજ ઉપસ્થિત રહેશે.....સાવરકુંડલા ખાતે દરબારશ્રી પીઠાબાપુ વાજસુરબાપુ ખુમાણ કાઠી વિદ્યાર્થી ભવન સાવર કુંડલા મા લાયબ્રેરી હોલ અને વિદ્યાર્થી સત્કાર સમારંભ યોજાશે..............
--------------------------------------------
સાવરકકુડલા ખાતે કાર્યરત કાઠી વિદ્યાર્થી ભવન ખાતે નવા લાયબ્રેરી હોલ અને વિદ્યાર્થીઓ નો સત્કાર સમારંભ નુ આયોજન આગામી તા.14/4/26 ને મંગળવાર ના રોજ સવારે નવ કલાકે કાઠી વિદ્યાર્થી ભવન સાવરકુંડલા ખાતે યોજાયેલ છે. આ કાર્યક્રમ નુ દિપ પ્રાગટ્ય વિસામણ બાપુ પાળીયાદ ના મહંત પ.પુ.શ્રી શ્રી 1008 મહામંડલેશ્ર્વરશ્રી નિર્મળાબા , ગોરક્ષનાથ આશ્રમ ભવનાથ જુનાગઢ ના મહંતશ્રી શેરનાથબાપુ , ચલાલા જગ્યા ના મહંતશ્રી વલકુબાપુના હસ્તે કરવામા આવશે. આ પ્રસંગે ઉપસ્થિત સંતો કનીરામબાપુ વડવાળા જગ્યા દૂધરેજ,શ્રી શક્તિદાસ બાપુ નવાસુરજ દેવળ, શ્રી જસુબાપુ લટુરીયા હનુમાનજી મંદિર હિપા વડલી,શ્રી વિજયબાપુ મહંતશ્રી સતાધાર,શ્રી જ્યોતિમૈયા સનાતન આશ્રમ બાઢડા,શ્રી લાલનાથબાપુ રામાપીર આશ્રમ ચીતલ,શ્રી ઉષામૈયા શિવ દરબાર આશ્રમ કાનાતળાવ, શ્રી ભયલુબાપુ અખિલ ભારતીય સંત સમિતિ વિસામણબાપુ ની જગ્યા પાળીયાદ,ભક્તિરામ બાપુ માનવ મંદિર સાવરકુંડલા,શ્રી બાપલુબાપુ દાનબાપુની જગ્યા સાવરકુંડલા,શ્રી બાબભાઈ બાપુ રુખડબાપુની જગ્યા વાવડી,શ્રી જીલુબાપુ દાનબાપુની જગ્યા કરજાળા વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહી આશિર્વાદ આપશે. કાઠી વિધ્યાર્થી ભવન ખાતે નવ નિર્મિત લાયબ્રેરી ભવન ના મુખ્ય દાતા વાપી સ્થિત ને ધારી તાલુકા ના ગઢીયા ગામના વતની દરબારશ્રી નજુભાઈ બદરુભાઈ વાળા, બહેનશ્રી વિમળાબેન બદરુભાઈ વાળા તથા અનિરુદ્ધભાઈ નજુભાઈ વાળા દ્વારા રુ.1111111/- અંકે અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર નુ દાન કરી ને સમાજ ને નવો રાહ ચિન્ધ્યો છે.
આ કાર્યક્રમ ના અતિથિ વિશેષ રાજકીય અગ્રણીઓ તથા અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ કૌશિકભાઈ વેકરીયા મંત્રીશ્રી ગુજરાત રાજ્ય ભરતભાઇ સુતરીયા સાંસદશ્રી અમરેલી, મહેશભાઈ કસવાળા ધારાસભ્ય શ્રી સાવરકુંડલા,જયરાજસિંહ જાડેજા પુ. ધારાસભ્યશ્રી ગોંડલ,જોરુબાપુ ખુમાણ કાઠી ક્ષત્રીય અગ્રણી ગુજરીયા, જીલ પટેલ સાહેબ પ્રાંત અધિકારી સાવરકુંડલા,પ્રતાપભાઈ દુધાત પૂ. ધારાસભ્ય શ્રી સાવરકુંડલા, નારણભાઈ કાછડીયા પૂ. સાંસદશ્રી રાજુભાઈ કરપડા ખેડૂત અગ્રણીશ્રી,શ્રી હરેશભાઈ ચાંદુ ડી.વાય.એસ.પી. નવસારી, શ્રીજયવીર ગઢવી એ.એસ.પી.શ્રી સાવરકુંડલા,શ્રી મહેશભાઈ ખાચર કાઠી ક્ષત્રીય અગ્રણીશ્રી બગડ,શ્રી રવિભાઈ પટગીર કાઠી ક્ષત્રીય અગ્રણીશ્રી સુરેન્દ્રનગર, શ્રી પ્રતાપભાઈ સાંદુ આર.એફ.ઓ. નોર્મલ રેન્જ સાવરકુંડલા,શ્રી ભરતભાઈ સાંદુ આર. એફ.ઓ. સામાજીક વનીકરણ સાવરકુંડલા.શ્રી દિપકભાઈ માલાણી ચેરમેન માર્કેટ યાર્ડ સાવરકુંડલા સહીત ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમ મા દાતાશ્રીઓ નુ સન્માન કરવામા આવશે જેમા શ્રીનજુભાઈ બદરુબાપુ વાળા ગામ ગઢીયા હાલ વાપી.શ્રી દડુભાઈ જીવાભાઈ ખવડ ગામ સેજકપર તા સાયલા,શ્રી સંજયભાઈ લખુભાઈ ખુમાણ ગામ સેંજળ તા. સાવરકુંડલા,શ્રી દિલુભાઈ હકુભાઈ ખુમાણ ગામ જાબાળ તા. સાવરકુંડલા,શ્રી ભરતભાઇ પ્રતાપભાઈ ખુમાણ ગામ સાવરકુંડલા વગેરે દાતાશ્રીઓ ના સન્માન કરવાના આવશે.તદ ઉપરાંત 2024/25 ના વર્ષમા કાઠી બોર્ડીંગ મા રહીને 37 જેટલા વિદ્યાર્થીઓ એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી હતી જેમાથી 21 વિદ્યાર્થીઓ એ પરીક્ષા પસ કરી ને જોબ મેળવેલી હતી તે સર્વે નુ સન્માન કરવામા આવશે....આ કાર્યક્રમ મા આયોજક કમિટિ દ્વારા ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયા છે. ભોજન વ્યવસ્થા શ્રી મોમાઈ માતાજીનુ મંદિર જેસર રોડ સાવરકુંડલા ના સ્થળે કરવામા આવી છે.

આવતીકાલે એકાદશી છે મિત્રો શેર કરશો
12/04/2026

આવતીકાલે એકાદશી છે મિત્રો શેર કરશો

દુઃખદ અવસાનરાજુલા નિવાસી સ્વ. જેન્તીભાઈ ભાણાભાઈ પરમાર ઉ.વ.74 નુ આજરોજ તા.૧૨/૦૪/૨૦૨૬ ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે તેઓ ન...
12/04/2026

દુઃખદ અવસાન

રાજુલા નિવાસી સ્વ. જેન્તીભાઈ ભાણાભાઈ પરમાર ઉ.વ.74 નુ આજરોજ તા.૧૨/૦૪/૨૦૨૬ ને રવિવાર ના રોજ અવસાન થયેલ છે તેઓ નંદલાલ ભાઈ ના પિતા શ્રી થાય . શ્મશાન યાત્રા બપોરે 3.30 કલાકે પરમ ક્રુપાળુ પરમાત્મા દિવ્ય આત્મા ને શાંતિ આપે नी..

નંદલાલ જેન્તીભાઇ પરમાર 9428967908

ભરતભાઈ ભાણાભાઈ પરમાર 9428619666

ભેરાઈ રોડ શ્રી નાથજી મારબલ પાછળ રાજુલા

12/04/2026

સાવરકુંડલા ની ગેસ એજન્સી ધરાવતાં અધિકારી ઓને લાસ્ટ વોર્નિંગ..☝️બે દિવસમાં ઘરે ઘરે ગેસ ના બાટલા નહીં પહોંચાડો તો અમે કલેકટર મારફત સરકારના અંડરમાં લય લેશું ..
આવું ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા એ સાવરકુંડલા ની બબા ભાઈની ઓફિસે ખુલ્લે આમ કીધું.. ☝️ લોકોની મુશ્કેલી નો હવે અંત આવશે..👍🙏🙏🙏

Address

Rajula

Alerts

Be the first to know and let us send you an email when Kanabar News Rajula posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kanabar News Rajula:

Share