Kanabar News Rajula

Kanabar News Rajula રાજુલા ના જડપી સમાચાર એટલે કાનાબાર ન્યૂઝ
(1)

દુઃખદ અવસાન ઓમ શાંતિ
10/06/2026

દુઃખદ અવસાન ઓમ શાંતિ

🔜⚡ *વીજ કાપ* ⚡-*ધારી જૂના સિનેમા રોડ : બંધ**સોસાયટી વિસ્તારમાં વીજ કાપ**સોસાયટી વિસ્તાર*-------------------------એમ વી સ...
10/06/2026

🔜⚡ *વીજ કાપ* ⚡
-
*ધારી જૂના સિનેમા રોડ : બંધ*
*સોસાયટી વિસ્તારમાં વીજ કાપ*

*સોસાયટી વિસ્તાર*
-------------------------
એમ વી સી સી કેબલ વર્ક સહિત જનરલ મેઈન્ટેનન્સની કામગીરી હોવાથી કુલ *૮ કલાક* માટે *વીજ કાપ* રહેશે જેની *સર્વે જનતાએ નોંધ લેવી*
-------------------------
*વીજ કાપનો સમય*
સવારે *૦૮:૦૦* કલાક થી
બપોરે *૧૬:૦૦* કલાક સુધી

*તારીખ*
*૧૧ / ૦૬ / ૨૦૨૬ /-*
*ગુરુવાર*

*ક્યાં ક્યાં વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે*

*▪️શ્રીજીનગર*
*▪️મારૂતિનગર-૧*
*▪️મારૂતિનગર-૨*
*▪️રામેશ્વરનગર*
*▪️મધુવન સોસાયટી*
*▪️જાનકીનગર*
*▪️ક્રિષ્નાપાર્ક*

Follow JIMGO✒️NEWS's WhatsApp Channel. बहेतर रिजल्ट. Join 552 followers for the latest updates.

રાજુલા માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ તારીખ..10.06.2026
10/06/2026

રાજુલા માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ તારીખ..10.06.2026

10/06/2026

વડોદરા સ્ટેશન ખાતે ઇજનેરી કામગીરી માટે લેવામાં આવેલા બ્લોકને કારણે કેટલીક ટ્રેનોના સ્ટોપેજમાં તાત્કાલિક ફેરફાર
મુસાફરોને વધુ સારી, સુરક્ષિત અને આધુનિક રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા સ્ટેશન ખાતે યાર્ડ રિમોડેલિંગ તેમજ નવી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) સિસ્ટમ સ્થાપિત કરવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ નિર્ધારિત નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે કેટલીક ટ્રેનોના વડોદરા સ્ટેશન પરના નિર્ધારિત સ્ટોપેજમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવ્યો છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત ટ્રેનોને નજીકના સ્ટેશનો પર વૈકલ્પિક સ્ટોપેજ આપવામાં આવ્યા છે, જેથી યાત્રિયોને ઓછામાં ઓછી અસુવિધા થાય.
અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
વિશ્વામિત્રી (VS) સ્ટેશન પર તાત્કાલિક સ્ટોપેજ આપવામાં આવશે:
• ટ્રેન નં. 09208 ભાવનગર ટર્મિનસ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તા. 18 જૂન, 2026ના રોજ વડોદરાના સ્થાને વિશ્વામિત્રી સ્ટેશન પર રાત્રે 23:15 થી 23:20 કલાક સુધી રોકાશે.
• ટ્રેન નં. 09207 બાંદ્રા ટર્મિનસ–ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ તા. 19 જૂન, 2026ના રોજ વિશ્વામિત્રી સ્ટેશન પર 15:40 થી 15:45 કલાક સુધી રોકાશે.
• ટ્રેન નં. 09017 બાંદ્રા ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ તા. 21 જૂન, 2026ના રોજ વિશ્વામિત્રી સ્ટેશન પર 20:40 થી 20:45 કલાક સુધી રોકાશે.
• ટ્રેન નં. 09018 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તા. 22 જૂન, 2026ના રોજ વિશ્વામિત્રી સ્ટેશન પર 22:00 થી 22:05 કલાક સુધી રોકાશે.
• ટ્રેન નં. 19016 પોરબંદર–દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તા. 22 અને 23 જૂન, 2026ના રોજ વિશ્વામિત્રી સ્ટેશન પર 10:09 થી 10:11 કલાક સુધી રોકાશે.

• ટ્રેન નં. 19015 દાદર–પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તા. 23 અને 24 જૂન, 2026ના રોજ વિશ્વામિત્રી સ્ટેશન પર 17:42 થી 17:43 કલાક સુધી રોકાશે.
• ટ્રેન નં. 22963 બાંદ્રા ટર્મિનસ–ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ તા. 22 જૂન, 2026ના રોજ વિશ્વામિત્રી સ્ટેશન પર 22:10 થી 22:15 કલાક સુધી રોકાશે.
• ટ્રેન નં. 22935 બાંદ્રા ટર્મિનસ–પાલીતાણા એક્સપ્રેસ તા. 23 જૂન, 2026ના રોજ વિશ્વામિત્રી સ્ટેશન પર 22:10 થી 22:15 કલાક સુધી રોકાશે.
• ટ્રેન નં. 22989 બાંદ્રા ટર્મિનસ–મહુવા એક્સપ્રેસ તા. 24 જૂન, 2026ના રોજ વિશ્વામિત્રી સ્ટેશન પર 22:10 થી 22:15 કલાક સુધી રોકાશે.
બાજવા (BJW) સ્ટેશન પર તાત્કાલિક સ્ટોપેજ આપવામાં આવશે:
• ટ્રેન નં. 19255 સુરત–મહુવા એક્સપ્રેસ તા. 23 જૂન, 2026ના રોજ બાજવા સ્ટેશન પર 23:30 થી 23:35 કલાક સુધી રોકાશે.
• ટ્રેન નં. 19256 મહુવા–સુરત એક્સપ્રેસ તા. 23 જૂન, 2026ના રોજ બાજવા સ્ટેશન પર 04:00 થી 04:05 કલાક સુધી રોકાશે.
પશ્ચિમ રેલવે મુસાફરોને વિનંતી કરે છે કે મુસાફરી શરૂ કરતાં પહેલાં પોતાની ટ્રેનની નવીનતમ માહિતી રેલવેની અધિકૃત વેબસાઇટ, NTES અથવા રેલવે હેલ્પલાઇન મારફતે મેળવી લે.
રેલવે પ્રશાસનને વિશ્વાસ છે કે આ મહત્વપૂર્ણ માળખાકીય વિકાસ કાર્ય પૂર્ણ થયા બાદ વડોદરા સ્ટેશન પર રેલ સંચાલન વધુ સુરક્ષિત, આધુનિક અને કાર્યક્ષમ બનશે, જેનો લાંબા ગાળે મુસાફરોને લાભ મળશે.

અતુલ કુમાર ત્રિપાઠી
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ

10/06/2026

*લાઠી તાલુકાના વિવિધ ગામોમાં ૧૨ થી ૨૦ જૂન વચ્ચે જનકલ્યાણ શિબિરો યોજાશે*
*૦૦૦૦૦૦૦૦*
*શિબિરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે નાગરિકોને અનુરોધ*
*૦૦૦૦૦૦૦૦*
*અમરેલી તા.૧૦ જૂન, ૨૦૨૬ (બુધવાર) –* કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાનને ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમરેલી જિલ્લામાં અનેકવિધ જનક્લ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મળી શકે તેવા હેતુથી જનકલ્યાણ શિબિરો યોજાશે. જેના અંતર્ગત અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના નાગરિકો માટે વિવિધ સ્થળોએ તા. ૧૨-૨૦ જૂન દરમિયાન આ શિબિરો યોજાશે.

આ શિબિરોમાં લાઠી તાલુકાના હિરાણા ખાતે તા. ૧૨.૦૬.૨૦૨૬ના રોજ હિરાણા પ્રાથમિક શાળા ખાતે સવારે ૧૦.૦૦ કલાકથી આ શિબિર યોજાશે. આ શિબિરમાં ચાવંડ, હિરાણા, કરકોલીયા, ભુરખીયા, રામપર, મેથળી, પીપળવા, નારણગઢ, અડતાળા, પુંજાપર, શેખપીપરીયા, નાના રાજકોટ, વીરપુર, દેરડી જાનબાઈના નાગરિકો ભાગ લઈ શકશે.

કેરાળા મુકામે તા. ૧૬.૦૬.૨૦૨૬ના રોજ કેરાળા પ્રાથમિક શાળા ખાતે સવારે ૧૦.૦૦ કલાકથી યોજાનારી શિબિરમાં મતિરાળા, દુધાળાબાઈ, અકાળા, ભીંગરાડ, પ્રતાપગઢ, આસોદર, લુવારીયા, કૃષ્ણગઢ, છભાડીયા, હાવતડ, ઈંગોરાળા, જરખીયા, ટોડા, કેરીયા, કેરાળા, માલવીયા પીપરીયા, દુધાળા લાઠી, અલી ઉદેપુરના નાગરિકો ભાગ લઈ શકશે.

ઠાંસા ખાતે તા. ૧૯.૦૬.૨૦૨૬ના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી ઠાંસા પ્રાથમિક શાળા ખાતે યોજાનાર શિબિરમાં આંબરડી, ઘામેલ, ભાલવાવ, હજીરાધાર, કાંચરડી, ધ્રુફણીયા, દહીંથરા, મેમદા, શાખપુર, પાડરશીંગા, ઠાંસા, ભટવદર, રાભડા, સુવાગઢ, મુળિયાપાટ, નારાયણનગરના નાગરિકો ભાગ લઈ શકશે.

આ શિબિરમા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે લાઠી તાલુકાના નાગરિકોને મામલતદારશ્રી લાઠીએ એક યાદીમાં જણાવ્યું છે.

સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમભાવનગર રેન્જ આઇ.જી.પી...
10/06/2026

સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૧૯૩૦૫૩૨૫૦૨૪૪/૨૦૨૫, પ્રોહિબિશન એકટ કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧ મુજબના ગુનામાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા આંઠ મહિનાથી લાલશાહીના લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા રૂરલ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપી: -

શીવરાજ ઉર્ફે શીવભાઇ કનુભાઈ ધાખડા, ઉ.વ.૨૪, રહે.વડ, તા.રાજુલા, જિ.અમરેલી.

→ કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફ:-

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઈ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઈ. યુવરાજસિંહ રાઠોડ, તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવેલ છે.

*કેન્દ્ર સરકારના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષની ઉજવણી.......**૦૦૦૦૦૦૦**“સ્વચ્છ ગુજરાત-પ્લાસ્ટિક મુક્ત ગુજરા...
10/06/2026

*કેન્દ્ર સરકારના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષની ઉજવણી.......*
*૦૦૦૦૦૦૦*
*“સ્વચ્છ ગુજરાત-પ્લાસ્ટિક મુક્ત ગુજરાત”: અમરેલીમાં ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સઘન સફાઈ ઝુંબેશનો પ્રારંભ*
*૦૦૦૦૦૦૦*
*એસ.ટી. બસ સ્ટેન્ડ વિસ્તાર, જાહેર રોડ રસ્તા, સોસાયટીની ગલીઓમાં રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના હોદ્દેદારો શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનમાં જોડાયા*
*૦૦૦૦૦૦૦*
*સમગ્ર જિલ્લામાં નાગરિકોને સફાઈ અભિયાનમાં જોડાવા આહ્વાન કરતા રાજ્યમંત્રીશ્રી વેકરીયા*
*૦૦૦૦૦૦૦*
*અમરેલી, ૧૦ જૂન,૨૦૨૬ (બુધવાર) -* કેન્દ્ર સરકારના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના સફળ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજરોજ અમરેલી નગરપાલિકા દ્વારા "સ્વચ્છ ગુજરાત-પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન" અંતર્ગત એક વિશાળ સફાઈ ઝુંબેશ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્યના કાયદો, ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદહસ્તે સવારે ૦૭:૦૦ કલાકે શીતલ આઈસ્ક્રીમ સામે, મોટા બસ સ્ટેન્ડ વિસ્તાર ખાતે કરવામાં આવ્યો હતો.

"સ્વચ્છતા અભિયાન" અંતર્ગત અમરેલી એસ.ટી. બસ સ્ટેશન વિસ્તાર, જાહેર મુખ્ય રોડ-રસ્તાઓ તેમજ વિવિધ સોસાયટીઓની ગલીઓ સહિતના સાર્વજનિક સ્થળો પર સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરમાં સ્થાપિત વિવિધ મહાનુભાવોની પ્રતિમાઓની પણ આદરપૂર્વક સફાઈ કરીને પર્યાવરણને સુંદર બનાવવાની પ્રવૃત્તિઓ ઉત્સાહભેર યોજાઈ હતી.

ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ પોતે હાથમાં ઝાડુ લઈ ઉત્સાહપૂર્વક શ્રમદાન કર્યું હતું અને જિલ્લાના સૌ નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'સ્વચ્છતા એ આપણી સામૂહિક જવાબદારી છે અને આવનારી પેઢીના સારા ભવિષ્ય માટે દરેક નાગરિકે "સ્વચ્છતા હી સેવા" અભિયાનમાં સક્રિયપણે જોડાવા આગળ આવવું જોઈએ.'

આ તકે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારો તેમજ સ્થાનિક અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ લોકપ્રતિનિધિઓએ સાથે મળીને શ્રમદાન કરી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનો સકારાત્મક સંદેશ પ્રસરાવ્યો હતો.

10/06/2026

*જિલ્લા શિક્ષણ સમિતિના જૂના વાહન GJ-18-G-0219 તથા GJ-14-47 સ્ક્રેપમાં લેવા માંગતા લોકોએ ૧૫ જૂને રૂબરૂ ઉપસ્થિત રહેવું*
*૦૦૦૦૦*
*અમરેલી તા. ૦૯ જૂન, ૨૦૨૬ (બુધવાર) –* જિલ્લા શિક્ષણ સમિતિ, અમરેલીની કચેરીના જૂના વાહન નં. GJ-18-G-0219 તથા GJ-14-47 (જીપ) સ્ક્રેપમાં આપી નિકાલ કરવાનો થાય છે. આ બાબતમાં રસ ધરાવતા ઈસમોએ તા.૧૫.૦૬.૨૦૨૬ના રોજ સવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની જૂની ઓફિસ, જિલ્લા કોર્ટની બાજુમાં, અમરેલી ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

*જય ૦૦૦૦૦૦૦૦*

*‘કર્મભૂમિ વિદ્યારત્ન એવોર્ડ-૨૦૨૬’માં ૭૧ શાળાના ૪૧૫ વિદ્યાર્થીઓને મળ્યું ગૌરવઊર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વ...
10/06/2026

*

‘કર્મભૂમિ વિદ્યારત્ન એવોર્ડ-૨૦૨૬’માં ૭૧ શાળાના ૪૧૫ વિદ્યાર્થીઓને મળ્યું ગૌરવ

ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના જન્મદિન નિમિત્તે કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટનો પ્રેરણાદાયી ઉપક્રમ

૦૦૦૦૦૦૦૦

ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન

૦૦૦૦૦૦૦૦

અમરેલી: ઊર્જા અને કાયદો વિભાગના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના જન્મદિન નિમિત્તે કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ-અમરેલી દ્વારા “કર્મભૂમિ વિદ્યારત્ન એવોર્ડ-2026” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા વિદ્યાર્થીઓની મહેનત, લગન અને પ્રતિભાને બિરદાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં અમરેલી વિધાનસભા વિસ્તારની ૭૧ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના કુલ ૪૧૫ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શ્રી,ભાવેશભાઈ ભાલીયાએ ઉપસ્થિત મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને વાલીઓનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શ્રી મનીષભાઈ સિદ્ધપરા એ કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટનો ટૂંકો પરિચય આપ્યો હતો.

મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ઔપચારિક રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરી સતત પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે શિક્ષણ એ વ્યક્તિ અને સમાજના વિકાસનો મજબૂત પાયો છે. વિદ્યાર્થીઓની પ્રતિભાને યોગ્ય મંચ અને પ્રોત્સાહન મળે તે માટે સમાજના દરેક વર્ગે સહયોગી બનવું જોઈએ. આવા સન્માન સમારોહ વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર કરે છે તેમજ અન્ય વિદ્યાર્થીઓને પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપે છે.

કાર્યક્રમના મુખ્ય આકર્ષણરૂપે “કર્મભૂમિ વિદ્યારત્ન એવોર્ડ-2026” હેઠળ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા કુલ ૪૧૫ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.

આ પ્રસંગે, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈશાલી બહેન માંગરોળીયા, અમરેલી નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન શ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, તાલુકા પંચાયત અમરેલીના પ્રમુખ પ્રતિનિધિ શ્રી નિકુલભાઇ માંડણકા, કુકાવાવ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી, યોગેશભાઈ પાનસુરીયા, કુકાવાવ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન શ્રી, અરવિંદભાઈ કાકડીયા, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી રાજુભાઈ ભૂતૈયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી મેહુલભાઈ લાખાણી, કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ વાસાણી, અમરેલી શહેર ભાજપ પ્રમુખશ્રી વિજયભાઈ ચોટલીયા, અમરેલી શહેર ભાજપ મહામંત્રી શ્રી યોગેશભાઈ ગણાત્રા, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી મધુભાઈ હરખાણી, કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટના સંયોજકશ્રી મનીષભાઈ સિદ્ધપરા, રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા ના અંગત મદદનીશ શ્રી ભાવેશભાઈ ભાલીયા, ઉપસ્થિત રહ્યા હતા

અંતે પ્રો. જે. એમ. તળાવિયાએ આભારવિધિ કરી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમ સંચાલન ડોક્ટર કેતન કાનપરિયા એ કર્યું હતું.

૦૦૦૦૦૦૦૦૦૦

રાજુલા ઓલ મુસ્લિમ સમાજે આપ્યું આવેદનપત્રhttps://youtu.be/KizjcwZj45A
10/06/2026

રાજુલા ઓલ મુસ્લિમ સમાજે આપ્યું આવેદનપત્ર
https://youtu.be/KizjcwZj45A

Address

Rajula

Alerts

Be the first to know and let us send you an email when Kanabar News Rajula posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kanabar News Rajula:

Share