25/08/2026
❤️ રાખડીના પવિત્ર બંધનમાં બંધાયું પ્રેમ અને લાગણીનું નાતું 🙏
જીવન જ્યોત માનવ મંદિર મંદબુદ્ધિ આશ્રમમાં રહેતા તમામ પ્રભુજીઓને ઘરના પરિવાર જેવું હૂંફાળું અને પ્રેમાળ વાતાવરણ મળી રહે તેવા હેતુથી આપણા સેવાભાવી બહેનો દ્વારા તમામ પ્રભુજીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 🪢❤️
આ પ્રસંગે રાખડીના પવિત્ર બંધન સાથે પ્રભુજીઓના ચહેરા પર ખુશી અને લાગણીની સુંદર ઝલક જોવા મળી હતી. બહેનોએ પ્રેમ, સ્નેહ અને આત્મીયતાથી પ્રભુજીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી, જેથી તેમને પણ પોતાના પરિવારની વચ્ચે હોવાનો અહેસાસ થાય. 🥰
સેવા માત્ર જરૂરિયાત પૂરી કરવાનું નામ નથી,
સેવા એટલે કોઈને પોતાના પરિવારનો હિસ્સો બનાવી પ્રેમ આપવો. ❤️🙏
આ સેવાભાવી બહેનોનો હૃદયપૂર્વક આભાર.
ઈશ્વર સૌને આવી જ સેવા કરવાની શક્તિ અને ભાવના આપે. 🙏🌹