Konark Surat

Konark Surat news website based in surat

કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે નવી સિવિલ ખાતે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરાર્યું...
07/09/2024

કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે નવી સિવિલ ખાતે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરાર્યું

દર મંગળવાર તથા શુક્રવારે સવારે 10 વાગ્યા થી 1 વાગ્યા સુધી નિદાન સાથે સારવાર કરાશે

શરદી, કફ સહિત શ્વાસને લગતી અનેક એલર્જીનું નિદાન તથા સારવાર હવે નવી સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે થશે

બેથી પાંચ વર્ષ સુધી ચાલતી એલર્જીની સારવારમાં દોઢથી બે લાખ રૂપિયા ખર્ચ થતો હતો: નવી સિવિલના એલર્જી ક્લિનિકમાં વિનામૂલ્યે નિદાન સાથે સારવાર થશે

સુરત: નવી સિવિલ હોસ્પિટલના ઓપીડી નંબર 11 ખાતે કેન્દ્રિય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનો થેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એલર્જી ક્લિનિકમાં દર મંગળવાર તથા શુક્રવારે સવારે 10 વાગ્યા થી બપોરના 1 વાગ્યા સુધી નિદાન સાથે સારવાર કરવામાં આવશે.


આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ લોકોની નિરંતર સેવા કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે. ક્લિનિક શરૂ થવાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના દર્દીઓને એલર્જીની સારવાર વિના મૂલ્યે મળી રહેશે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં એલર્જીના નિદાન તેમજ સારવારનો ખર્ચ દોઢથી બે લાખ રૂપિયા સુધી થતો હોય છે જે સિવિલમાં વિનામૂલ્યે શકય બનશે.


નોંધનીય છે કે, એલર્જી ક્લિનિક ખાતે સ્ક્રીન પ્રીક ટેસ્ટથી એલર્જીનું નિદાન કરવામાં આવશે. જેમાં જૂની ઘુળના કીડા, પરગરજ, ફૂગ ખાધ્ય પદાર્થ (મગફળી, દૂધ, ઈંડા તથા પાળતું પ્રાણીઓ જેમા બિલાડી, કુતરાની રૂવાટીના એલજન્સ તથા પ્રાણીઓ અને પક્ષીઓથી થતી એલર્જી) દર્દીઓના લક્ષણ તથા પર્યાવરણમાં રહેલા એલજન્સને ધ્યાનમાં રાખીને હાથ કે બરડાની ચામડી ઉપર એલજન્સના ટીપા મુકીને લેનસેટથી પ્રીક કરવામાં આવશે. અને જે ટેસ્ટના રિપોર્ટના આધારે ૧૦ થી ૧૫ મિનિટમાં એલર્જીની પરિણામ મળી જશે. શરદી, કફ સહિત શ્વાસને લગતી અનેક એલર્જીનું નિદાન તથા સારવાર હવે નવી સિવિલ હોસ્પિટલના એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઈમ્યુનોથેરાપી ક્લિનિકમાં વિના મુલ્યે થશે. ખાનગી હોસ્પિટલમાં બેથી પાંચ વર્ષ સુધી ચાલતી એલર્જીની સારવારમાં દોઢથી બે લાખ રૂપિયા ખર્ચ થાય છે.


આ પ્રસંગે પૂર્વ અધિક નિયામક ડો.વિકાસબેન દેસાઈ, મનપાના પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલ, મેડિકલ કોલેજના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટ, તબીબ અધિક્ષક ડો.ધારિત્રી પરમાર, આરએમઓ ડો.કેતન નાયક, ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, SMCAના ડો.પરેશ કોઠારી, IMAના પ્રમુખ દિકન શાસ્ત્રી, RSSના દિનેશભાઈ પટેલ અને નંદુજી શર્મા તથા તબીબો, વિવિધ વિભાગના વડાઓ, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

02/08/2024

ટી એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે સ્તનપાન અઠવાડિયાની ઉજવણી કરાઈ : શેરી નાટકો, રસોઈ પ્રદર્શન તેમજ પોષક આહાર સ્પર્ધાઓ યોજાય

સુરત સમગ્ર વિશ્વભરમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા અને બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે દર વર્ષે તા.૧ થી ૭મી ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ટી એન્ડ ટી.વી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, સુરત દ્વારા સ્તનપાન અઠવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. બ્રેસ્ટ ફિડીંગ સપ્તાહની ઉજવણીના પ્રણેતા અશકતાશ્રમ ટ્રસ્ટનાશ્રી અનલ મર્ચન્ટની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્તનપાન વિષય પર પેનલ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ તેના મહત્વ અને શ્રેષ્ઠ પ્રથાઓ પર વિચારો રજુ કરવામાં આવ્યા હતા.


એમ.એસ. ઓ.બી.જી અગ્રણી તબીબ ડો.સંધ્યાબેન છાસટીયાએ જણાવ્યું હતું કે, સ્તનપાન માતા અને બાળક વચ્ચે મધુર સંબંધની શરૂઆત છે. સ્તનપાન શિશુ અને માતા બંને માટે જીવનદાયી છે. તેનાથી બાળકનો શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ થાય છે. સ્તન દૂધમાં હોર્મોન્સ, પોષક તત્વો, વૃદ્ધિના પરિબળો અને એન્ટિબોડીઝ હોય છે જે બાળકોની જરૂરિયાતોને પુરી કરે છે.


આ અવસરે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના આઈ.એ. ઈકબાલ કડીવાલાએ વિકાસશીલ દેશોમાં શિશુ મૃત્યુદર ઘટાડવામાં તેની ભૂમિકા પર ભાર મૂકતા કહ્યું હતું કે, બાળકના જન્મ પછી નવજાત માટે માતાનું દૂધ અમૃત સમાન છે. સ્તનપાનને સુરક્ષિત કરવા, પ્રોત્સાહન આપવા અને સમર્થન આપવા માટે ડબ્લ્યુએચઓ અને યુનિસેફની વાર્ષિક પહેલનું મુખ્ય કેન્દ્ર છે. માતાનું દૂધ નવજાત શિશુની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. એટલું જ નહીં, માત્ર બાળકો માટે જ નહીં પરંતુ માતા માટે પણ બાળકોને સ્તનપાન કરાવવું જરૂરી છે.


ટી એન્ડ ટી.વી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના આચાર્ય પ્રો.કિરણ દોમાડિયાએ સ્તનપાન અને માતાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં નર્સિંગ વિદ્યાર્થીઓની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્તા કહ્યું હતું કે, નવજાત શિશુ તેમજ માતાની કાળજી લેવામાં મિડવાઈફની મહત્વની ભૂમિકા રહેલી હોય છે. સ્તનપાન, મા અને બાળક બંને માટે ફાયદાકારક છે. માનું દૂધ બાળકોને ઇન્ફૅક્શન, ઝાડા અને ઊલટીથી બચાવે છે.


આ કાર્યક્રમનું સંકલન ઉપઆચાર્યશ્રી જિમી મોગરિયા, ઓબીજી વિભાગના સર્વ શ્રીમતી વિલાસ આહિર, દિશા શાહ, નર્સિંગ બાળ રોગ વિભાગના સોનલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જી.એન.એમ. અને બી.એસ.સી. નર્સિંગના વિદ્યાર્થીઓએ સ્તનપાન અઠવાડિયાની ઉજવણીમાં વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થયા હતા. રામપુરા સ્થિત વિનસ હોસ્પિટલ ખાતે પ્રિ-એન્ડ પોસ્ટનેટલ મધર ડાયેટ પ્લાન પર વિશેષ સેમિનારનું તેમજ માહિતીપ્રદ પ્રદર્શન, ગર્ભધાન સંસ્કાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રસોઈનું પ્રદર્શન અને હોસ્પિટલની મુખ્ય આહારશાસ્ત્રી શ્રીમતી સ્વાતિ જૈન દ્વારા પોષક આહાર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ડો.અંકિત દેસાઈના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમા સિવિલ હોસ્પિટલના હેડ નર્સ નરેશ બારિયા, નર્સિંગ ફેકલ્ટી તન્વી ભાટીયા, શ્રીમતી ભુમિકા ચૌધરી સહીત નર્સિંગના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં જન્મ દિવસની અનોખી ઉજવણી : TB નાબુદ થાય અને TB ના દર્દીઓ સ્વસ્થ થાય એજ ખરા અર્થમાં મારા જન્મ દિવસની ઉજવ...
17/07/2024

સિવિલ હોસ્પિટલમાં જન્મ દિવસની અનોખી ઉજવણી : TB નાબુદ થાય અને TB ના દર્દીઓ સ્વસ્થ થાય એજ ખરા અર્થમાં મારા જન્મ દિવસની ઉજવણીઃ ડો.પારૂલ વડગામા


ટીબીના દર્દીઓને પૌષ્ટિક અનાજ કિટ્સનું વિતરણ કરાય

સુરત : આજના આધુનિક યુગમાં લોકો પોતાના જન્મદિવસની ઉજવણી હોટેલ, રેસ્ટોરન્ટ કે ફાર્મ હાઉસમાં કરતા હોય છે તેવા સમયે સેવાકીય પ્રવૃતિ થકી ‘જન સેવા એ જ પ્રભુ સેવા ’ની ભારતીય સંસ્કૃતિની ઉમદા ભાવના સાથે વીર નર્મદ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ મેમ્બર અને IMAના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ડો.પારૂલ વડગામાએ પોતાના ૪૩માં જન્મદિવસની સિવિલના ટીબીના દર્દીઓ અને વિવિધ સંસ્થાઓમાં સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી કરી હતી.


આજે સિવિલમાં દાખલ ટીબીના તમામ દર્દીઓને ખજૂર,મગ, ઘઉં, સોયાબીન, ગોળ સાથેની એક મહિનો ચાલે તેટલી કિટ્સનું તમામ દર્દીઓને વિતરણ કરાયું હતું. ડો.પારૂલ વડગામા ટીબી વિભાગના વડા હોય અને કોરોનાના કપરાકાળ સમયે ચેસ્ટ ફિઝીશ્યનનું અનેરુ મહત્વ હતું ત્યારે દિનરાત ઓપીડી નોડલ ઓફિસર તરીકે કોરોના દર્દીઓની સારવાર-સુષુશા કરી હતી. જે બદલ તેઓને અનેક સન્માનો પણ પ્રાપ્ત થયા હતા. દરિદ્રનારાયણની સેવા એજ પોતાનું કર્તવ્યના ધ્યેય સાથે સિવિલમાં ટીબી વિભાગને અધતન બનાવવામાં તેમનું અનેરુ યોગદાન રહેલું છે.


આ અવસરે મેડિકલ કોલેજના ડીન ડો.રાગીણી વર્મા, તબીબી અધિક્ષક ડો.ધારીત્રી પરમાર, એડી.ડીન ડો. નિમેષ વર્મા, RMO ડો. કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, ટીબી વિભાગના રેશિડેન્સ તબીબો, નર્સિગ એસોસિયેશના સંજય પરમાર અને બિપિન મેકવાન સહિત નર્સિગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખરા અર્થમાં તબીબ અને દર્દીઓમાં દેવદર્શન થયા હતા.


નોંધનીય છે કે, પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાનને ખરા અર્થમાં સાકારિત કરવા માટે સામાજિક સંસ્થાઓ, એનજીઓ, તબીબો દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટીબી નાબૂદી માટે સરકારી હોસ્પિટલમાં અધતન સાધનો, દવાઓ સાથેની વિનામૂલ્યે સારવાર સહિત યોજનાના કારણે ભારત ટીબી મુકત તરફ પ્રયાણ કરી રહ્યું છે.

13/07/2024

સુરત સિવિલ કેમ્પસમાં આવેલી લાયન્સ કેન્સર ડીટેક્શન સેન્ટરમાં ગરીબ દર્દીઓ માટે સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ કરવાનું આયોજન

સુરત ખાતે ગરીબ કેન્સરના દર્દીઓની વિનામૂલ્યે / રાહત દરે તબીબી સારવાર માટે લાયન્સ કેન્સર ડીટેકશન સેન્ટર ટ્રસ્ટ. સુરત એ જૂનામાં જૂની સંસ્થા છે. આ સંસ્થામાં કેન્સર સ્ક્રીનીંગ, લીનીયર એકસીલેટર, રેડીએશન મશીન, મેમોગ્રાફી. જી ઈ વિપ્રો, સી.ટી. સકેન, સોનોગ્રાફી, લેબોરેટરી તપાસ અને બોન મેરો બયોપ્સી જેવી અધ્યતન ફેસીલીટી ઉપરાંત જિનેટિક ટેસ્ટ તથા કાઉન્સેલિંગ ની સગવદ ઉલબ્ધ છે. આ ધર્માદા પબ્લીક ચેરીટેબલ સંસ્થા નવી સીવીલ સ્પિટલ, ગવર્નમેન્ટ મેડીકલ કોલેજ ના કેમ્પસમાં મજુરાગેટ ખાતે કાર્યરત છે. જેમાં રોજના 600-700 જેટલા કેન્સરના દર્દી તબીબી સારવાર લઈ રહ્યા છે.

શ્રી અશોક કાનૂનગો (ચેરમેન) એ જણાવ્યું હતું કે, આ મકાનની બાજુમાં ઉપલબ્ધ જમીન ગુજરાત સરકાર ધ્વારા સંસ્થાને ફાળવી આપી છે. જે જમીન ઉપર હાલ નવી કેન્સર હોસ્પિટલનું બાંધકામ પ્રગતિમાં છે. કુલ અગિયાર માળની નવી બિલ્ડીંગમાં કેન્સરના દર્દીઓની સર્જરી, રેડીઓથેરાપી, સી. ટી સ્કેન ની અધ્યતન સેવાઓ સાથે કેન્સરના ગરીબ દર્દીઓ માટે સંપૂર્ણ તબીબી સારવાર ઉપલબધ થઈ શકશે.

લાયન્સ કેન્સર ડીટેક્શન સેન્ટર ટ્રસ્ટ, સુરત દ્વારા સી. એસ આર ફંડ અંગેની માન્યતા પ્રાપ્ત કરી છે અને તે અંતર્ગત કોર્પોરેટ સંસ્થાઓ તરફથી અને શહેરના ઉદ્યોગપતિઓ અને ઉદાર દાતાઓ તરફથી મળતા ડોનેશનો મારફત આ નવી હોસ્પિટલના બાંધકામ નું કામ પ્રગતિમાં છે. સંસ્થા સાથે જોડાયેલા શહેરના નામાંકિત નાગરિકો ધ્વારા ઉદાર દાતાશ્રીઓને નવી કેન્સર હોસ્પિટલના નિર્માણ માટે દાન દાન માટેની અપીલ કરવામાં આવે છે.

સાહસિક : સુરતની અદિતિ અને અનુજા બન્ને બહેનોએ વિશ્વનો સૌથી ઊંચો શિખર સર કરી દેશનું નામ રોશન કર્યું ગુજરાતનું નામ અંતરરાષ્...
28/06/2024

સાહસિક : સુરતની અદિતિ અને અનુજા બન્ને બહેનોએ વિશ્વનો સૌથી ઊંચો શિખર સર કરી દેશનું નામ રોશન કર્યું

ગુજરાતનું નામ અંતરરાષ્ટ્રીય પર્વતારોહણ ક્ષેત્રે ચમકાવ્યું

સુરત ગુજરાત ની એવરેસ્ટ સિસ્ટ્ટર્સ તરીકે જાણીતી બહેનો ,અદિતિ અને અનુજા વૈદ્ય એ નોર્થ અમેરિકન ઉપખંડ નો સૌથી ઉંચો, અલાસ્કા સ્થિત માઉન્ટ ડેનાલી પર્વત સર કરી ને ફરી એક વાર સુરત શહેર અને ગુજરાત નું નામ અંતર રાષ્ટ્રીય પર્વતારોહણ ક્ષેત્ર માં ચમકાવ્યું છે.

આ સાથે બંને બહેનો, આ શિખર સર કરનાર પ્રથમ ગુજરાતી બહેનો બની છે તથા અનુજા એ ,દુનિયા ના સાત ઉપખંડ ના સાતે સાત સૌથી ઉંચા શિખર સર કરનાર પ્રથમ ગુજરાતી મહિલા બનવાનું શ્રેય પ્રાપ્ત કર્યું છે.
એમની સાથે આ અભિયાન માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ ગુજરાતી ડોક્ટર કપલ, અમદાવાદ ના ડૉ. હેમંત લેઉવા તથતેમના પત્ની ડો. સુરભિ લેઉવા એ આ શિખર સર કરનાર પ્રથમ ગુજરાતી ડોક્ટર કપલ બનવા નું કીર્તિમાન સ્થાપિત કર્યું છે.
ડો હેમંત લેઉવા ની લીડર શિપ નીચે આખી ટીમ નું આ શિખર આરોહણ-25 ડિગ્રી તામાનમાં સફળ રહ્યું હતું.

માઉન્ટ ડેનાલી, એ પહાડ ના બેઝ થી ગણીએ તો દુનિયા નો સૌથી ઉંચો પર્વત છે. એવરેસ્ટ , બેઝ થી 11000 ફુટ ઉંચો છે. જ્યારે ડેનાલી બેઝ થી 20,000 ફુટ ઉંચો છે.

આ રીતે તે દુનિયા નું સૌથી ઊંચું શિખર ગણાય છે. તે સાતેય શિખરો માંથી સૌથી મુશ્કેલ શિખર મનાય છે. તેઓ 9 જુલાઈ સુધી સુરત પરત આવી જશે.

સુરત નવી સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્ક સેન્ટરમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીસુરત વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વૈચ...
19/06/2024

સુરત નવી સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્ક સેન્ટરમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી

સુરત વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વૈચ્છિક રક્તદાનના પ્રમોશન માટે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ મજૂરા ગેટ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન માટે પ્રતિજ્ઞા લેવડાવામાં પણ આવી હતી. તેમજ રક્તદાનને લગતા વિવિધ પોસ્ટર સ્પર્ધા બ્લડ સેન્ટર, નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે રાખવામાં આવી હતી અને તેમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર આપીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રક્તદાન શિબિર નું બ્લડ બેંકમાં તથા રેલવે કોલોની માં આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કુલ 43 રક્તદાતાઓ એ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.

03/06/2024

નવસારી જિલ્લામાં ૦૪થી જૂનના રોજ સવારે આઠ વાગ્યાથી મહાત્મા ગાંધી એન્જીનીયરીંગ કોલેજ, ભુતસાડ, જલાલપોર ખાતે મતગણતરી શરૂ થશે

નવસારી લોકસભા બેઠકની મતગણતરી કુલ-૧૫૩ રાઉન્ડમાં આવરી લેવાશે: સૌથી વધુ ૩૯ રાઉન્ડ ૧૬૮ ચૌર્યાસી બેઠકના

મતગણતરી ખાતે ૧૮૭૯ અધિકારી/કર્મચારીઓ ફરજ નિભાવશે

નવસારી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને આગામી તા.૦૪ જૂન, ૨૦૨૪, મંગળવારના રોજ યોજાનાર મતગણતરી યોજાનાર છે. જે અન્વયે નવસારી જિલ્લામાં મહાત્મા ગાંધી એન્જીનીયરીંગ કોલેજ ભુતસાડ, જલાલપોર ખાતે સવારે આઠ વાગ્યેથી મતગણતરી શરૂ થશે. જેમાં અંદાજીત ૧૮૭૯ અધિકારી/કર્મચારીઓ ફરજ નિભાવશે.

જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર નવસારી જિલ્લામાં મતગણતરી માટેની આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં મતગણતરીના સ્ટાફની તાલીમ સહિત મતગણતરી કેન્દ્ર ખાતે આનુસંગિક વ્યવસ્થા પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે.

નવસારી જિલ્લામાં મહાત્મા ગાંધી એન્જીનીયરીંગ કોલેજ, ભુતસાડ, જલાલપોર ખાતે ૧૬૩ લિંબાયત મત વિસ્તારના ૨૬૮ મતદાન મથક માટે ૨૦ રાઉન્ડ, ૧૬૪ ઉધના મત વિસ્તારના ૨૪૩ મતદાન મથક માટે ૧૮ રાઉન્ડ, ૧૬૫ મજુરા મતવિસ્તારના ૨૫૧ મતદાન મથક માટે ૧૮ રાઉન્ડ, ૧૬૮ ચોર્યાસી મત વિસ્તારના ૫૩૫ મતદાન મથક માટે ૩૯ રાઉન્ડ, ૧૭૪ જલાલપોર મતવિસ્તારના ૨૪૬ મતદાન મથક માટે ૧૮ રાઉન્ડ, ૧૭૫ નવસારી મતવિસ્તારના ૨૪૮ મતદાન મથક માટે ૧૮ રાઉન્ડ અને ૧૭૬ ગણદેવી મતવિસ્તારના ૩૦૧ મતદાન મથક માટે ૨૨ રાઉન્ડમાં મતગણતરી થશે. આમ, નવસારી લોકસભા બેઠકની મતગણતરી કુલ-૧૫૩ રાઉન્ડમાં આવરી લેવાશે.

નવસારી જિલ્લામાં મતગણતરી માટે અંદાજીત ૧૮૭૯ અધિકારી/કર્મચારીઓ ફરજ નિભાવશે. જેમાં ૬૦ જેટલા ઉચ્ચ અધિકારીશ્રીઓ, ૩૩૪ કાઉન્ટીંગ ટેબલના સ્ટાફ, ૧૦૨ પોસ્ટલ બેલેટ કાઉન્ટીંગના સ્ટાફ, ૧૦૬૯ અન્ય કર્મચારીઓ, ૩૩૫ લેબર સ્ટાફ મળી કુલ ૧૮૭૯ જેટલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે.

આ સાથે મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. કાઉન્ટીંગ સેન્ટર્સને અત્યાધુનિક સંચારસુવિધા અને સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ કરવામાં આવ્યા છે.

નવી સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં 11મી વાર સ્વૈચ્છિક રક્તદાન કરતા નિવાસી અધિક કલેક્ટર જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક રક્...
01/06/2024

નવી સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં 11મી વાર સ્વૈચ્છિક રક્તદાન કરતા નિવાસી અધિક કલેક્ટર

જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક રક્ત મળી રહે તે માટે રક્તદાન કેમ્પ યોજવા તેમજ તંદુરસ્ત વ્યક્તિઓએ અચૂક રક્તદાન કરવું જોઈએ: શ્રી વિજય રબારી

શાંત, સહજ અને સરળ સ્વભાવના નિવાસી અધિક કલેક્ટરનું બ્લડ ગ્રુપ પણ B+ VE છે : ઈકબાલ કડીવાલા

સુરત થેલેસેમિયા, સિકલસેલ એનિમિયા, હિમોફિલીયા, કેન્સર સહિત ડાયાલિસીસ કરાવતા દર્દીઓ, પ્રસુતા માતાઓને રક્તની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારીએ નવી સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં ૧૧મી વાર સ્વૈચ્છિક રક્તદાન કરી અન્યોને પ્રેરણા આપી હતી.

રક્ત આપણા શરીરમાં વહેતું અમૃત છે. માનવ શરીર-સંરચનાનું ‘અમૃત દ્રવ્ય' એટલે રક્ત એમ જણાવતા વિજય રબારીએ જણાવ્યું હતું કે, સિવિલમાં દાખલ દર્દીઓની સાથે ક્યારેક તેમના પરિવારજનો હોતા નથી. અમુક વખત દર્દીના પરિચિતો-સંબંધીઓ પણ બ્લડ ગ્રુપ મેચ ન થતા રક્તદાન કરી શકતા નથી, ત્યારે સેવાભાવી રક્તદાતાઓ દ્વારા થતું રક્તદાન અમૂલ્ય માનવ જિંદગી બચાવે છે. સામાન્ય રીતે દિવાળી અને ઉનાળાના વેકેશનમાં ‘બ્લડ ડોનેશન કેમ્પ’ ખૂબ જ ઓછા થતા હોય છે. દરરોજ ઈમરજન્સીના સમયમાં રક્તની માંગ વધુ હોય છે, પણ તેની સામે રક્તદાન ઓછું થાય છે. નવી સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક 24X7 દર્દીઓની સેવામાં કાર્યરત છે, ત્યારે હોસ્પિટલમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક રક્ત મળી રહે તે માટે નિયમિતપણે રક્તદાન કેમ્પ યોજવા તેમજ તંદુરસ્ત વ્યક્તિઓએ અચૂક સ્વૈચ્છિક રક્તદાન કરવા અનુરોધ કર્યો હતો.

નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ જણાવ્યું કે, શાંત, સહજ અને સરળ સ્વભાવના શ્રી વિજય રબારીનું બ્લડ ગ્રુપ પણ છે B+ VE છે. વરિષ્ઠ અધિકારીઓનું રક્તદાન આજની યુવા પેઢીઓ માટે પ્રેરણારૂપ છે. અધિક કલેક્ટરશ્રી સુરતમાં દરેક વિકટ પરિસ્થિતિમાં ખડે પગે રહી વહીવટીતંત્રની મદદથી લોકસેવાની ખૂબ પ્રશંસનીય કામગીરી કરે છે. કોરોનાના કપરા કાળમાં તેઓ સુરત જિલ્લામાં તેમની તત્કાલીન સનદી સેવા દરમિયાન દર્દીઓ, સામાન્ય વ્યક્તિઓને વ્હારે આવ્યા હતા એમ તેમણે ઉમેર્યું હતું.

નવી સિવિલ બ્લડ બેન્કના ઈન્ચાર્જ ડો.ચિરાગ ઉનાગરે જણાવ્યું હતું કે, સિવિલમાં દરરોજ ૫૦ થી ૬૦ યુનિટ રક્તની જરૂરિયાત રહે છે. જેમાં ગાયનેક વિભાગમાં સૌથી વધુ રક્તની જરૂર રહે છે. રક્તની માંગની સામે રક્તદાન ઓછું થઈ રહ્યું છે, ત્યારે રક્તની જરૂરિયાતને પહોંચી વળવા શહેરની સામાજિક સંસ્થાઓ, સેવાભાવી રકતદાતાઓ આગળ આવે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ વેળાએ બ્લડ બેંકની ટીમ દ્વારા અધિક કલેક્ટરને બ્લડ ડોનેશન કાર્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે બ્લડ બેન્કના સિનીયર મેડિકલ ઓફિસર ડો.લલિતા ચૌધરી, કાઉન્સેલર કાજલ પરમાર સહિત તબીબો, નર્સિંગ સ્ટાફ હોસ્પિટલ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

11/05/2024

સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ એસોસિએશન દ્વારા ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણી કરવામાં આવી : નર્સિસ બહેનોને બિરદાવી સન્માન કરાયું

દયાની દેવી ગણાતી નર્સિંગ બહેનોમાં વાણી, વ્યવહાર અને વર્તનમાં પારિવારિક ભાવના હંમેશા જાગૃત હોય છે: ઈકબાલ કડીવાલા

સુરત નર્સિંગ એસોસિએશન દ્વારા 12મી મે ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણીના ભાગરૂપે પૂર્વ સંધ્યાએ સુરત સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે 2024ની થીમ 'OUR NURSES, OUR FUTURE, THE ECONOMIC POWER OF CARE' એટલે કે, નર્સિંસ, આપણું ભવિષ્ય, સાર-સંભાળની આર્થિક શક્તિ વિષય ઉપર નર્સિંગ બહેનોનું સન્માન કરીને ઉજવણી કરવામાં આવી હતી.


નર્સિંગ સ્ટાફ દ્વારા વિશ્વની પ્રથમ નર્સ ફલોરેન્સ નાઇટિંગલના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે તરીકે એટલે ઈન્ટરનેશનલ નર્સ ડે. જેનો સબંધ ૨૦૦ વર્ષ પૂર્વે 12 મે,1820માં જન્મ લેનારી ફ્લોરેન્સ નાઈટિંગેલ સાથે સંકળાયેલો છે. જેમણે માનવ સેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવી. ફ્લોરેન્સને ‘લેડી વિથ લેમ્પ‘ કહેવામાં આવે છે. નર્સિંગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર નર્સોને નાઈટિંગેલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવે છે.


આ અવસરે અંગદાન મહાદાનના પ્લે કાર્ડ સાથે સિવિલની નર્સિંગ સ્ટાફગણે કેક કાપી ફુગ્ગાઓ ઉડાડી શાંતિ સંદેશ આપ્યો હતો. નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતી નર્સ બહેનોને સન્માનિત કરવામાં આવી હતી.


દયાની દેવી ગણાતી નર્સિંગ બહેનોમાં વાણી, વ્યવહાર અને વર્તનમાં પારિવારિક ભાવના હંમેશા જાગૃત હોય છે એમ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું.


‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ દર વર્ષે 12 મેના રોજ ઉજવણી કરવામાં આવે છે. ઈ.સ. 1820માં ક્લોરેન્સ નાઇટિંગલના જન્મની યાદમાં ઉજવણી થાય છે. જેને આધુનિક નર્સિગના પાયા તરીકે લેડી વિથ ધ લેમ્પ' તરીકે ઓળખવામાં આવે છે. નર્સ એ કોઈ પણ હોસ્પિટલનું હદય છે અને કોઈ પણ હોસ્પિટલ કે ડોક્ટર તેમની હાજરી વિના સફળતાપૂર્વક કાર્ય કરી શકતા નથી. કોરોનાની પરિસ્થિતિમાં નર્સિગ સ્ટાફ સેવાપરાયણતાના ભાવ સાથે પરિવારની ચિંતા કર્યા વિના પોતાની ફરજ બજાવી હતી.


આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો. પ્રિતીબેનકાપડિયા, આર.એમ.ઓ.ડો. કેતન નાયક, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી ચીમનતીની ગાવડે, સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઇન્દ્રાવતી રાવ, નર્સિંગ એસોસિએશનના પ્રમુખ અશ્વિનભાઇ પંડ્યા, નિલેશ લાઠીયા, ડો.લક્ષ્મણ ટહેલાણી, ડો.ભરત પટેલ, ડો.અમિત ગામિત, તારિકાબેન ટંડેલ અને ગીતા ટેલર તેમજ હેડનર્સ, સ્ટાફનર્સ સહિત સ્થાનિક નર્સિંગ એસો. ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દેશભરમાં ધામધૂમથી ભાજપનો ૪૫ મો સ્થાપના દિવસ ઉજવાયો સ્થાપના દિન નિમિત્તે શહેરમાં કાર્યકર્તાઓના ઘર પર ભારતીય જનતા પાર્ટીનો...
07/04/2024

દેશભરમાં ધામધૂમથી ભાજપનો ૪૫ મો સ્થાપના દિવસ ઉજવાયો

સ્થાપના દિન નિમિત્તે શહેરમાં કાર્યકર્તાઓના ઘર પર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો


સુરત ભાજપના સ્થાપના દિન નિમિત્તે શહેરના તમામ વોર્ડમાં આવેલા પ્રત્યેક બુથોમાં કાર્યકર્તાઓના ઘરે ભારતીય જનતા પાર્ટીના ધ્વજને ફરકાવવામાં આવ્યો તથા પાર્ટીની સ્થાપના થી લઈને આજ દિવસ સુધીની વિકાસયાત્રા વિશે નાગરિકોને માહિતી આપવામાં આવી હતી.


ત્યારબાદ સાંજે 7:00 કલાકે લે મેરીડીયન હોટલ ડુમસ રોડ ખાતે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં શહેર કારોબારીની બેઠક યોજવામાં આવી હતી આ બેઠક ની શરૂઆત વંદે માતરમ ના ગાન થી કરવામાં આવી હતી શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા દ્વારા કાળ ધર્મ પામેલ કાર્યકર્તાઓ તથા તેમના પરિવારજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સહુ કાર્યકર્તાઓને આવકાર્યા હતા તેમજ સ્થાપના દિવસની સૌને શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ સુરત શહેરના પ્રભારી તેમજ પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ કારોબારી બેઠકમાં સુરત લોકસભાના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ દ્વારા ચૂંટણીલક્ષી વાત કરવામાં આવી હતી


ત્યારબાદ દક્ષિણ ગુજરાતી ચાર લોકસભાના ક્લસ્ટર પ્રભારી શ્રી ભરતભાઈ પંડ્યા દ્વારા સ્થાપના દિન થી લઈ આજ દિન સુધીના પાર્ટીની વિકાસયાત્રા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.


આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર પાટીલ સાહેબ દ્વારા આજની આ કારોબારી બેઠકની ગોઠવણ કરવા બદલ શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરાનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થતા પ્રથમ લોકસભાના ઇલેક્શનમાં ફક્ત બે સીટ મળતા કોંગ્રેસ દ્વારા મજાક ઉડાવતા કહેતા હતા કે આ તો સ્કૂટર ઉપરની પાર્ટી છે કારણ કે ત્યારે બે જ સાંસદ ચૂંટાયા હતા. ત્યારબાદ નિરંતર વિકાસ કરતી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વમાં સૌથી મોટી પાર્ટી થઈ અને આજની તારીખે કોંગ્રેસ એ બસમાં આવનારી પાર્ટી એટલે કે તેમના સાંસદો બસમાં સમાય તેટલા રહી ગયા છે આવનારા દિવસોમાં કદાચ તેમની સ્થિતિ સ્કૂટરની પાર્ટી જેવી ન થાય તો નવાઈ નહીં. આ પ્રસંગે તેઓ શ્રી દ્વારા પક્ષની સ્થાપના થી લઈ આજ દિન સુધી પક્ષની વિકાસ યાત્રા નું વર્ણન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓની અથાગ મહેનત અને પરિશ્રમથી પાર્ટીનું શૂન્ય માંથી સર્જન થઈ આજ વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે તે માટે સહુ કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમને બિરદાવવામાં આવ્યો હતો વિશ્વ નેતા તેમજ આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર ભાઈ મોદીજી 2014માં પ્રથમ વખત વડાપ્રધાન બનતા કોંગ્રેસ દ્વારા 30 વર્ષથી કરવામાં આવેલા અધૂરા વાયદાઓ પહેલા પાંચ વર્ષમાં પુરા કર્યા હતા. ત્યારબાદ તેમના દ્વારા ભારત માતાને પરમ વૈભવ પર કેવી રીતે પહોંચાડવા અને સમગ્ર નાગરિકોની સુખાકારી કેવી રીતે સારી કરી શકાય તે માટે સતત કાર્ય કરી આમ આદમી માટે વિવિધ યોજનાઓ દ્વારા તેમના સ્થળને ઊંચું લાવવા સતત કાર્ય કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું ગુજરાત પાસે દેશના લોકોને ખૂબ જ અપેક્ષા છે.


ગુજરાતની 26 એ 26 લોકસભા સીટો પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવા સહુ કાર્યકર્તાઓને આવાહન કર્યું હતું. અંતમાં ફિર એક બાર મોદી સરકાર તથા અબકી બાર 400 પારના બુલંદી નારાઓ સાથે તેમના વક્તવ્યને વિરામ આપ્યું હતું


આજની આ કારોબારીની બેઠકમાં ગુજરાત સરકારના રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા ભારત સરકારના રેલ તથા કપડા રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ધારાસભ્યશ્રીઓ માજી ધારાસભ્યશ્રીઓ શ્રી નરોત્તમભાઈ પટેલ શ્રી કનુભાઈ માવાણી સુરત લોકસભાના સંયોજક શ્રી ડોક્ટર જગદીશભાઈ પટેલ મહામંત્રી શ્રી કિશોરભાઈ શ્રી કાળુભાઈ ભીમનાથ આમંત્રિત સહુ પદાધિકારી શ્રીઓ કોર્પોરેટર શ્રીઓ પ્રમુખ મહામંત્રી શ્રીઓ કારોબારી સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

22/03/2024

ઓલપાડના અલગ અલગ ગામડાઓમાં દારૂની હાટડીઓ બંધ કરાવવા DGP અને કલેક્ટર ને લેખિતમાં રજુઆત

સુરતમાં નિષ્પક્ષ ચુંટણી કરાવવા માટે આગમચેતી પગલાં તરીકે ઓલપાડ તાલુકામાં અંગ્રેજી અને દેશી દારૂનું વેચાણ અને દેશી દારૂ ચાલતી હાટડીઓ બંધ કરાવવા અને દેશી દારૂની જાહેરમાં થતી હેરફેર અટકાવવા દર્શન નાયકે DGP ગુજરાત અને સુરર કલેક્ટર ને પત્ર લખી રજુઆત કરી છે, એટલું જ નહીં પણ સંદર્ભ ૧:- મારી તા.૦૧/૦૩/૨૦૨૩ ના રોજની ઓલપાડ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્તિથી જાળવવા માટે પગલાં ભરવા બાબતની રજુઆત
સંદર્ભ ૨:- મારી તા.૦૪/૦૧/૨૦૨૩ નાં રોજની ઓલપાડ તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવા અને નશાબંધીનાં કાયદાનું પાલન કરાવવા તાત્કાલિક પગલાં ભરવા અનિરોધ કર્યો છે.


દર્શન નાયક (મહામંત્રી,ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ) એ જણાવ્યું હતું કે, દારુ એક સામાજીક દુષણ છે. આ દુષણને કારણે આજે ગામડાઓમાં અનેક મહિલાઓ વિધવા થઇ છે. સામાજીક દુષણ ને દૂર કરવા માટે તેમજ યુવાનો આ દુષણમાં ન ધકેલાય એ માટે અમારા દ્વારા વખતોવખત આપ શ્રીને તથા પોલીસ તંત્રના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હતી.,ત્યારે આવા સામાજીક અસર કરતા મુદ્દાઓની મુલવણી રાજકીય રીતે થવી ન જોઇએ.તેમ છતાં આજે પણ ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ મોર, દાંડી, લવાછા, પિંજરત, ડભારી, બરબોધન, તેના, કમરોલી, દેલાસા, સોંદલાખારા, માસમા, સરોલી, કુડીયાણા જેવા ગામોમાં તેમજ પૂર્વ પટ્ટીમાં આવેલ સાયણ, કીમ, કુડસદ, દેલાડ, સિવાણ, કનાજ, સોંસક, સરસ, ભટગામ, કદરામા, કઠોદરા,ઉમરા, ગોથાણ સહિતના ગામોમાં વિવિધ જગ્યાએ ખુલ્લેઆમ વિદેશી અને દેશી દારૂનું આજે પણ વેચાણ થઈ જ રહ્યું છે.

દારુ એ આખા સમાજ ને અસર કરે છે, તેમાં યુવાનો બરબાદ થાય છે અને મહિલાઓ વિધવા બની રહી છે ત્યારે આ મુદ્દા ઉપર ગંભીરતાથી ગહન કરી તાત્કાલિક જરૂરી પગલાં લેવાની જરૂર છે.ખરેખર તો, જે અધિકારીઓ બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવે છે તેઓ સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ ત્યારે જ દારૂનું દૂષણ દૂર કરવામાં સફળતા મળી શકશે.

ઓલપાડ તાલુકાના લવાછા ગામે કેટલાક બુટલેગરો દ્વારા રાજકીય પીઠબળને કારણે ખુલ્લેઆમ દેશી દારૂનું ઉત્પાદન તેમજ વિદેશી દારૂનું વેચાણ આજે પણ કરવા આવી રહેલ છે તથા બુટલેગરો ખુલ્લે આમ દારૂની હેરફેર કરી રહ્યા છે.જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે અને ત્યાર બાદ ફરી દેશી દારૂની હાથડીઓ ધમધમતી થઈ જાય છે અને ફરી જાહેર રસ્તાઓ ઉપર ખુલ્લામાં દારૂની હેર ફેર શરૂ થઈ જ જાય છે.

હાલમાં લોકસભા જનરલ ચુંટણી -2024ની જાહેરાત થઈ ગયેલ છે ત્યારે ખાસ કરીને ઓલપાડ તાલુકાનાં કાંઠાનાં ગામોમાં દારૂ બનાવવાની હાથડીઓ અને દેશી દારૂની હેરફેર મોટા પ્રમાણમાં શરૂ થઈ ગયેલ હોવાની રજૂઆત અમોને સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલ છે. સુરત જીલ્લામાં નિષ્પક્ષ ચુંટણી કરાવવા માટે ચુંટણી પંચ અને મા.ડી.જી.પી.શ્રી ,ગુજરાત રાજ્ય દ્વારા આવા બૂટલેગરો ઉપર લગામ લગાડવામાં આવે એ ખૂબ જ જરૂર છે.કારણકે આવ્યા અસામાજિક તત્વો દ્વારા દારૂ નાં નશામાં મારા-મારી દ્વારા અને ધાકધમકીઓ દ્વારા ચુંટણી ઉપર પ્રભાવ પાડી વાતાવરણને ખોટી રીતે દોહરાવવાનો પ્રયત્ન કરવાની સંભાવના ઓ રહેલી છે.જેને કારણે સામાન્ય નાગરિક ને હાલાકી ભોગવવાનો વારો આવી શકે તેમ છે. જો ચુંટણી અધિકારીઓ અને પોલીસ દ્વારા સંયુક્ત ટીમ બનાવી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવે તો મોટા પ્રમાણમાં દારૂ બનાવવાની હાથડીઓ નજરે આવી શકે તેમ છે તથા દેશી દારૂ બનાવનાર પકડાય શકે એમ છે.

જેથી મારી ઉપરોક્ત રજૂઆતને ધ્યાને લઇ આપશ્રીને ફરીથી પત્ર લખી વિનંતી કરું છું કે, જવાબદારો સામે તત્કાલ પગલાં લેવામાં આવે અને દેશી દારૂ ઉત્પાદન તેની હેરફેર તથા વિદેશી દારૂના વેચાણ સહિતના દુષણો દૂર કરવા માટે લોકહિતમાં જરૂરી પગલાં ભરશોજી.

શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે ભારતીય ચરિત્ર નિમાર્ણ સંસ્થા દ્વારા લોક સંવાદ કાર્યક્રમ યોજાશેસુરત ભારતીય ચરિત્ર નિર્માણ સંસ...
19/03/2024

શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે ભારતીય ચરિત્ર નિમાર્ણ સંસ્થા દ્વારા લોક સંવાદ કાર્યક્રમ યોજાશે

સુરત ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન, ગુજરાત પ્રદેશ ના તત્વાવધાન મા અતિથી ગૃહ, સુરત માં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે લોકસભા ચૂનાવ 2024 માં સંસ્થાન ધ્વારા શ્રેષ્ઠ ભારત નુ નિર્માણ અને માનવ અધિકારો ની રક્ષા હેતુ પ્રભાવી શાસન નિર્માણ ની આવશ્યકતાઓને ધ્યાને લઈ લોક સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યુ હતું.

લોક સંવાદ કાર્યક્રમોનો આધાર:

(1) માનવ અધિકારોકી સાર્વભૌમ ઘોષણા

(2) ભારતીય સંવિધાન કી પ્રસ્તાવના

(3) સંવિધાનીક નાગરીક કર્તવ્ય

(4) ભગવદગીતા કા કર્મવિજ્ઞાણ

ઉલ્લેખનીય છે કે, (1) સંસ્થાન વર્ષ 2005 થી રાષ્ટ્રીય સુરક્ષા, માનવ અધિકારો ની રક્ષા અને રાજનીતી મા વધતા અપરાધો ને રોકવા માટે સાબરમતી જેલ થી અપરાધ મુકિત વૈચારીક ક્રાંતી અભિયાન ૨૫ ડિસેમ્બરે શરૂઆત કરી. (2) વર્ષ 2012 માં દ્વારકાધીશ મંદીર, ગુજરાત થી નંદ નીકેતન ટાઉનશીપ, હજીરા, સુરત સુધી ૭ દિવસનું ગીતા માર્ચ નું આયોજન કરેલ. જેની પાછળ ગુજરાત વિધાન સભા 2012 માં લોક સંવાદ કાર્યક્રમ ગીતા માર્ચ નો લક્ષ્ય હતો. (3) ગુજરાત વિધાન સભા ચુનાવ 2017 અને 2022 માં પણ શ્રીમદ ભગવત ગીતા ના આધાર પર ગુજરાત લોક સંવાદ યોજના અંતર્ગત કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સુરત થી દ્વારકાધીશ મંદીર સુધી 7 દિવસની ગીતા યાત્રા નું આયોજન કરવામાં આવશે. જેના અંતર્ગત અલગ અલગ સ્થળે લોક સંવાદ કાર્યક્રમ લક્ષ પ્રાપ્તિ હેતુ આયોજીત કરવામાં આવશે.

સદર બેઠકમાં સસ્થાનના સંસ્થાપક અધ્યક્ષ રામક્રિષ્ણા ગોસ્વામી ની ઉપસ્થીતીમાં એ નકકી કરવામાં આવ્યુ છે કે ગીતા યાત્રા નું આયોજન પ્રદેશ અધ્યક્ષ રાજેશભાઈ શાહ, મહા સચિવ અશ્વિનભાઈ સોરથીયા અને પ્રવકતા કલ્પેશભાઈ રાવલ ના નેતૃત્વમાં આયોજીત કરવામાં આવશે.

Address

B-602, Rameshwaram Residency, Near Lp Sawani School
Surat
395009

Telephone

+919879377111

Website

Alerts

Be the first to know and let us send you an email when Konark Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Konark Surat:

Share