Channel Eye Witness

Channel Eye Witness One Of The Most Reputed.. Most Trusted..Most Viewed. Local TV Channel From Surat.. Since 25 Years

A Channel EyeWitness (Media)

Managing Directer
GaneshBhai P.

Sawant

Directer
Sagar G. Sawant

News Editor
Sharad Sawant

Press Reporter
Himanshu pandya

Camera Men
Paresh Rathod

News Reader
Drashti Naik

Comp. Operator
Alpesh Patel

HR DEPT
Kalpana Pardeshi

હેલમેટ પહેરો👏🏻મૃતક યુવક રાહુલ ઠાકોર અલથાણ ખાતે આવેલા એક કોચિંગ સેન્ટરમાં શેરબજારના ટ્રેનર તરીકે ફરજ બજાવતો હતો. ચાર દિવસ...
19/07/2025

હેલમેટ પહેરો👏🏻

મૃતક યુવક રાહુલ ઠાકોર અલથાણ ખાતે આવેલા એક કોચિંગ સેન્ટરમાં શેરબજારના ટ્રેનર તરીકે ફરજ બજાવતો હતો. ચાર દિવસ પૂર્વે જ તેણે આ નવા કોચિંગમાં ટ્રેનર તરીકેની જવાબદારી સંભાળી હતી. તેના જીવનમાં ખુશીઓનો માહોલ હતો, કારણ કે આ રવિવારે જ તેની સગાઈ થવાની હતી. આ ખુશીની ઘડીઓ માણી રહેલા રાહુલનું જીવન એક જ ક્ષણમાં છીનવાઈ ગયું. ઘટનાના દિવસે, રાહુલ તેના કોચિંગ સેન્ટરથી નજીકમાં આવેલી ચાની દુકાન પર ચા પીવા માટે બાઈક પર જઈ રહ્યો હતો. સામાન્ય રીતે તે દરરોજ નિયમિતપણે હેલ્મેટ પહેરતો હતો, પરંતુ કોચિંગથી ચાની દુકાન નજીક હોવાથી તેણે તે દિવસે હેલ્મેટ પહેરવાનું ટાળ્યું હતું.આ જ ક્ષણે કાળ બનીને આવેલી એક બેફામ રિક્ષાએ રાહુલની બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે, હેલ્મેટ વગર બાઈક ચલાવતા રાહુલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાહુલને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ તેણે સિવિલ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.મૃતક રાહુલના મોટાભાઈ ધનરાજભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘મારા નાના ભાઈની ઉંમર 28 વર્ષ હતી. ચાર દિવસથી જ તે નવી નોકરી પર જઈ રહ્યો હતો. આજે તેને રિક્ષાવાળાએ ઠોકી દીધો. અકસ્માત બાદ મારો ભાઈ બેભાન થઈ ગયો હતો. તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.’ તેમણે વધુમાં જણાવ્યું કે, ‘હેલ્મેટ તે રોજે પહેરતો હતો. સોસાયટીની બહાર જાય તો પણ હેલ્મેટ પહેરતો હતો. કદાચ તે દિવસે હેલ્મેટ ઓફિસમાં મૂકી દીધું હતું. રવિવારે તેની સગાઈ માટે જવાના હતા. તે ખૂબ જ ખુશ હતો. અચાનક જ અમને કોલ આવ્યો અને અમે ગભરાઈ ગયા.’આ ઘટનાથી પરિવારના સભ્યો ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે. રાહુલના અવસાનથી માત્ર પરિવાર જ નહીં, પરંતુ તેના વિદ્યાર્થીઓ અને સ્નેહીજનોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારે બેફામ રીતે રિક્ષા ચલાવી રાહુલના જીવ લેનાર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Follow us more updates
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.

19/07/2025

સુરત નવી સિવિલ હોસ્પિટલ વીડિયો વાયરલ ખુલાસો

નવી સિવિલ ડોકટરોએ સમયસર સારવાર ના કરતા સ્વજન ના મોત નો પરિવારજનો નો આરોપ
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ નવી સિવિલ ના સીએમઓ ડો ભરત ચાવડા એ જણાવ્યું કે દર્દી ક્રિષ્ના સિરસાઠ ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યા હતા , કિડની ની બીમારી હતી ,નવી સિવિલ માં ડાયાલિસિસ કરવામાં આવતું હતું , દર્દી બુધવારના બદલે ગુરુવારે ડાયાલિસિસ કરવા આવ્યા ,દર્દીનું ડાયાલિસિસ કરી વોર્ડ માં દાખલ કરાયો હતો ,દર્દીને વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યું હતું ,બીપી ડાઉન થતા તબિયત લથડી હતી

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Follow us more updates
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.

જાણીતી કે.પી. ગ્રૂપ ઓફ કંપનીઝે કરી ફરિયાદસુરતની જાણીતી કે.પી. ગ્રૂપ ઓફ કંપનીઝે તેમના ભૂતપૂર્વ કર્મચારી આશિષ રાજીવ મંગલ ગ...
19/07/2025

જાણીતી કે.પી. ગ્રૂપ ઓફ કંપનીઝે કરી ફરિયાદ

સુરતની જાણીતી કે.પી. ગ્રૂપ ઓફ કંપનીઝે તેમના ભૂતપૂર્વ કર્મચારી આશિષ રાજીવ મંગલ ગુપ્તા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આશિષ ગુપ્તા પર કંપની અને તેના સિનિયર મેનેજમેન્ટ વિરુદ્ધ લિંક્ડઇન સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટા આક્ષેપો અને અપમાનજનક ટિપ્પણીઓ કરીને કંપનીને બદનામ કરવાનો આરોપ છે. પાંડેસરાના મનોજકુમાર વૃંદાવન શાહુએ ખટોદરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આશિષ ગુપ્તાને 16 જૂન, 2025ના રોજ કે.પી.આઈ. ગ્રીન એનર્જી લિમિટેડમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે નોકરી પર રાખવામાં આવ્યા હતા. જોકે, તેમની કામગીરી કંપનીના ધારાધોરણ મુજબ ન જણાતા, તેમને 4 જુલાઈ, 2925 ના રોજ મૌખિક રીતે છૂટા કરવાની જાણ કરવામાં આવી હતી. નોકરીમાંથી છૂટા કરાયા બાદ, આશિષ ગુપ્તાએ 5 જુલાઈ, 2025ના રોજ લિંક્ડઇન પર તેમના પ્રોફાઇલ ‘Ashish G.’ દ્વારા કે.પી. ગ્રૂપ અને તેના સિનિયર મેનેજમેન્ટ વિરુદ્ધ ખોટા આક્ષેપો સાથે ટેગ્સ કરીને કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. કંપનીના એચ.આર. વિભાગે તેમને સંપર્ક કરીને આવા ટેગ્સ દૂર કરવા જણાવ્યું હતું, જે બાદ આશિષે ટેગ્સ દૂર કર્યા હતા. જોકે, તેમણે એચ.આર. હેડને ધમકી આપી હતી કે જો તેમને પાછા નોકરી પર નહીં લેવામાં આવે તો તેઓ કે.પી. ગ્રૂપને "આખી દુનિયામાં બદનામ" કરશે અને કંપનીના કર્મચારીઓને "જાનથી મારી નાખશે."

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Follow us more updates
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.

સુરતમાં આદિવાસી બાળાની છેડતી બાદ માથાકૂટસુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ગામે આવેલી રાજ નોવેલ્ટી સ્ટોરમાં કામ કરતા ...
19/07/2025

સુરતમાં આદિવાસી બાળાની છેડતી બાદ માથાકૂટ

સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ગામે આવેલી રાજ નોવેલ્ટી સ્ટોરમાં કામ કરતા એક યુવાને પ્રાથમિક શાળામાં ભણતી બાળા સાથે છેડછાડ કરતા બાળા સ્કૂલમાં આવી પ્રિન્સિપાલને જાણ કરી હતી. તેમણે બાળાના વાલીને બોલાવી આ હકીકત અંગે વાકેફ કર્યા હતા. સરપંચ તથા અન્ય દ્વારા જાણ કરાતા પોલીસ દોડી આવી હતી રાજસ્થાની યુવાનને પકડી લઈ ગઇ હતી. પણ ત્યારબાદ આ યુવાનને પોલીસે છોડી દેતા આદિવાસી સમાજના લોકો વિફર્યા હતા. સાંજે મોટું ટોળું એકત્ર થઇ ગયું હતું અને કરચેલીયામાં આવેલી રાજસ્થાની સમાજના લોકોની તમામ દુકાનો બંધ કરાવી દીધી હતી. તેમજ નોવેલ્ટી સ્ટોર પર હલ્લો કરીને દુકાનના શટર તોડી નાંખ્યા હતા. દુકાનની આગળ પડેલા માલસામાનને આગ ચાંપી દીધી હતી. ટોળું હલ્લો મચાવતું આગળ વધી રહ્યું હતું. ત્યારે પોલીસ મૂકપ્રેક્ષક બની હતી. ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલને પણ ઇજા થઇ હોવાની ચર્ચા છે. વધારે પોલીસ કાફલાને આવતાં વિલંબ થયો હતો, જોકે બાદમાં પોલીસે સ્થિતિ પર કાબૂમાં લેવાનો પ્રયાસ ધર્યો હતો. હાલ સમગ્ર કરચેલીયામાં તંગદીલીભર્યું વાતાવારણ બન્યું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Follow us more updates
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.

સુરતનો પાટીદાર યુવતી આપઘાત કેસસુરતના કતારગામમાં 19 વર્ષીય નેનુ વાવડિયા નામની પાટીદાર યુવતીએ 13 જુલાઈ, 2025ના રોજ ઘરે ગળા...
18/07/2025

સુરતનો પાટીદાર યુવતી આપઘાત કેસ

સુરતના કતારગામમાં 19 વર્ષીય નેનુ વાવડિયા નામની પાટીદાર યુવતીએ 13 જુલાઈ, 2025ના રોજ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વાવડિયા પરિવારની એકની એક દીકરીએ અચાનક જીવન ટૂંકાવતાં પરિવારજનો શોકમગ્ન બન્યાં હતાં. આ યુવતીએ એક સગીરની પજવણી, માનસિક ત્રાસ અને બ્લેકમેલથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું સામે આવતાં પાટીદાર સમાજના આગેવાનો મેદાને આવ્યા છે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની અને મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવાની માગ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે આ આત્મહત્યા કેસમાં મૃતક યુવતીના પિતા રજની વાવડિયાએ એક યુવક પર ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો છે તેમજ તેના પિતાને આ પહેલાં જાણ કરી તો તેઓ પણ ધમકી આપવા લાગ્યા હતા. તેને કારણે નેનુએ આત્મહત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.આ મામલે હવે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે ગૃહમંત્રીના શહેરમાં આ ઘટના બની હોવાથી ગંભીરતા વધી જાય તથા રાજ્યમાં ગુનેગારોમાં ડર પેદા કરવો જરૂરી છે. દીકરીઓ સ્વરક્ષા માટે પ્રતિકાર કરવા માટે 6 ઇંચથી નાનું ત્રિશૂળ સાથે રાખે.આર.પી.પટેલે કહ્યું હતું કે સુરતની એક દીકરી નેનુએ 19 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી. જે કોઈ જવાબદાર હોય, આ પ્રકારના અસામાજિક તત્ત્વ કે યુવાને આ દીકરી પર પ્રેશર લાવ્યું હશે અને એના કારણે દીકરીએ આત્મહત્યા કરી હશે. આ એક આત્મહત્યા સમાજ અને સરકાર માટે પ્રશ્ન મૂકીને જાય છે. અસામાજિક પરિબળો દીકરીઓ માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યાં છે. જ્યારે તે મૂંઝવણ અનુભવે છે અને માર્ગ દેખાતો નથી ત્યારે આ પ્રકારનું પગલું ભરે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Follow us more updates
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.

ખોટી નહિ સાચી દિશા પકડજો !હવેથી રોંગ સાઇડ વાહન ચલાવનારાઓની ખેર નથી..રોંગ સાઇડ વ્હિકલ ચલાવનારા ચાલકો સામે આજથી ડ્રાઇવ શરૂ...
18/07/2025

ખોટી નહિ સાચી દિશા પકડજો !

હવેથી રોંગ સાઇડ વાહન ચલાવનારાઓની ખેર નથી..રોંગ સાઇડ વ્હિકલ ચલાવનારા ચાલકો સામે આજથી ડ્રાઇવ શરૂ કરાઇ છે.. હવે રોંગ સાઇડ વાહન ચલાવનારાઓના વાહન જપ્ત કરવા સુધીની કાર્યવાહી થશે, રોંગ સાઇડ વાહન ચલાવનારાઓને કારણે અકસ્માતો અને નિર્દોષ લોકોના મોતની ઘટનાઓ વધી છે, ગઇકાલે હાઇકોર્ટે ટ્રાફિક પોલીસની આ મામલે ઝાટકણી કાઢ્યા બાદ ટ્રાફિક પોલીસે હવે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. હવેથી રોંગ સાઇડ વાહન ચલાવનારાઓની ખેર નથી..રોંગ સાઇડ વ્હિકલ ચલાવનારા ચાલકો સામે આજથી ડ્રાઇવ શરૂ કરાઇ છે.. હવે રોંગ સાઇડ વાહન ચલાવનારાઓના વાહન જપ્ત કરવા સુધીની કાર્યવાહી થશે.
જો રોંગ સાઇડ ડ્રાઇવમાં FIR થી કામ ન થાય તો વાહન જપ્ત કરો તેવું હાઇકોર્ટે કહ્યું.. સાથે જ કહ્યું કે લોકોને કાયદાનું પાલન તો કરાવવું જ પડશે

22મીએ ફરી સરવેઅમદવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ સુરતમાં એરપોર્ટને નડતરૂપ બિલ્ડિંગોનો વિવાદ ફરી સામે આવ્યો હતો, જેમાં એરપોર્ટ...
18/07/2025

22મીએ ફરી સરવે

અમદવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ સુરતમાં એરપોર્ટને નડતરૂપ બિલ્ડિંગોનો વિવાદ ફરી સામે આવ્યો હતો, જેમાં એરપોર્ટની સૌથી નજીકની નડતરૂપ 4 બિલ્ડિંગોની ચકાસણી તંત્રએ કરી હતી, જેનો સરવે કરી રિપોર્ટ કલેક્ટરને રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. એરપોર્ટની ટીમ દ્વારા સરવે કર્યા બાદ રિપોર્ટ કલેક્ટરને રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ જે નડતરૂપ બાંધકામ છે તેને લઈને કલેક્ટર વિભાગ દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. આ નોટિસને લઈને બિલ્ડિંગોના રહિશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું હતું કે, આ સરવે યોગ્ય રીતે કરાયો નથી, જેને લઈને આગામી દિવસોમાં ફરી સરવે કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.એરપોર્ટને નડતરૂપ 4 બિલ્ડિંગોનો 22 જુલાઈના રોજ ફરી સરવે કરવામાં આવશે, જેમાં કલેક્ટર કચેરીના અધિકારીઓ, પાલિકાના અધિકારીઓ, એરપોર્ટની ટીમ, તમામ બિલ્ડિંગના પ્રમુખો તેમજ બિલ્ડરોને સાથે રાખીને આ સરવેની કામગીરી કરવામાં આવશે. આ વખતે સરવેની સાથે સાથે જ બિલ્ડિંગનો નડતરૂપ ભાગ છે તેનું ડિમામાર્કેશન પણ સ્થળ પર કરી દેવામાં આવશે. એરપોર્ટને નડતરૂપ 4 બિલ્ડિંગોનું ડિમાર્કેશન કરી દેવાયા બાદ જે તે બિલ્ડિંગના રહીશોએ જાતે જ વધારાના ભાગનું ડિમોલિશન કરવાનું રહેશે. આ ઉપરાંત નડતરરૂપ ભાગનું ડિમોલિશન થઈ ગયા બાદ જે ડિમાર્કેશન કરવામાં આવ્યું છે તેટલું ડિમોલિશન થયું છે કે નહીં તેની ચકાસણી એરપોર્ટની ટીમ દ્વારા કરવામાં આવશે. ત્યાર બાદ જે તે બિલ્ડિંગને એનઓસી આપવામાં આવશે.

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Follow us more updates
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Channel Eye Witness posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Channel Eye Witness:

Share