14/11/2025
સુરતના વકીલે કર્યો મોટો ખુલાસો
અડાજણમાં બિલ્ડરની OFFICE માં પ્રવેશી ખંડણી માંગવાના પ્રકરણ
જામીન અરજી પર આજે સુનાવણી
ઍડવોકેટ વિનય શુકલાઍ : પોલીસ તપાસ બાબતે શંકા વ્યક્ત કરી
ઍડવોકેટ વિનય શુકલાઍ જણાવ્યું હતું કે, અડાજણ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં ઍક ગુનો દાખલ થયો હતો. ઍક યુવતીઍ જય ડાંગર સહિત ત્રણ ઇસમો સામે ફરીયાદ આપી હતી.. બનાવ બન્યો ત્યારે વરજાંગ કાકા અને ફરીયાદી બહેન ઍકલા હતા ત્યારે જય ડાંગરે તેના બે મિત્રો સાથે પહોંચી ગયો હતો અને વિડીયો ઉતારી ૫ લાખ પડાવી લઇ ૧ કરોડની ખંડણી માંગી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. ૨૧-૧૦-૨૦૨૫ના રોજનો આ બનાવ છે. ૪-૧૧-૨૦૨૫ સુધી ફરીયાદ દાખલ કરવામાં આવી ન હતી. ફરીયાદી બહેનના કહેવા પ્રમાણે ઘનશ્યામ કાકાના ડ્રાઇવર બનાવ સમયે આવી ગયા હતા. ઍને પણ ડરાવ્યો ધમકાવ્યો હતો. ગઇ તા.૪ નવેમ્બરના રોજ આ અંગે ગુનો દાખલ કરી દેવાયો હતો. આરોપીઅોને કોર્ટમાં રજુ કરવામાં આવે છે. ત્યારે કોર્ટ તપાસ કરનાર અધિકારીને અમુક પ્રશ્નો પુછે છે. જેના યોગ્ય જવાબો તેઅો આપી શકતા નથી. પોલીસની કામગીરી પણ શંકા ઉપજાવી રહી છે. પોલીસ ઍ કોઇની વ્યક્તિગત ઍજન્સી નથી. કોઇના કહેવા પ્રમાણે તપાસ નથી કરવાની. પોલીસનું કામ સત્ય શોધવાનું છે. ફરીયાદીને નુકશાન કરે તેવા પુરાવા નષ્ટ કરવાનું કામ કરવાનું નથી. તપાસ કરનાર અધિકારી તેમની તપાસ નિષ્પક્શ કરે. શું કામ વરજાંગ કાકાને બચાવવાના પ્રયાસ કરાઇ રહયા છે. આ અંગે આજે આરોપી જય ડાંગરની જામીન અરજી પર આરોપી પક્સે દલીલો ચાલી હતી. આજે અરજી પર વધુ સુનાવણી થશે.