Channel Eye Witness

Channel Eye Witness One Of The Most Reputed.. Most Trusted..Most Viewed. Local TV Channel From Surat.. Since 25 Years

A Channel EyeWitness (Media)

Managing Directer
GaneshBhai P.

Sawant

Directer
Sagar G. Sawant

News Editor
Sharad Sawant

Press Reporter
Himanshu pandya

Camera Men
Paresh Rathod

News Reader
Drashti Naik

Comp. Operator
Alpesh Patel

HR DEPT
Kalpana Pardeshi

14/11/2025

સુરતના વકીલે કર્યો મોટો ખુલાસો

અડાજણમાં બિલ્ડરની OFFICE માં પ્રવેશી ખંડણી માંગવાના પ્રકરણ
જામીન અરજી પર આજે સુનાવણી
ઍડવોકેટ વિનય શુકલાઍ : પોલીસ તપાસ બાબતે શંકા વ્યક્ત કરી

ઍડવોકેટ વિનય શુકલાઍ જણાવ્યું હતું કે, અડાજણ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં ઍક ગુનો દાખલ થયો હતો. ઍક યુવતીઍ જય ડાંગર સહિત ત્રણ ઇસમો સામે ફરીયાદ આપી હતી.. બનાવ બન્યો ત્યારે વરજાંગ કાકા અને ફરીયાદી બહેન ઍકલા હતા ત્યારે જય ડાંગરે તેના બે મિત્રો સાથે પહોંચી ગયો હતો અને વિડીયો ઉતારી ૫ લાખ પડાવી લઇ ૧ કરોડની ખંડણી માંગી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. ૨૧-૧૦-૨૦૨૫ના રોજનો આ બનાવ છે. ૪-૧૧-૨૦૨૫ સુધી ફરીયાદ દાખલ કરવામાં આવી ન હતી. ફરીયાદી બહેનના કહેવા પ્રમાણે ઘનશ્યામ કાકાના ડ્રાઇવર બનાવ સમયે આવી ગયા હતા. ઍને પણ ડરાવ્યો ધમકાવ્યો હતો. ગઇ તા.૪ નવેમ્બરના રોજ આ અંગે ગુનો દાખલ કરી દેવાયો હતો. આરોપીઅોને કોર્ટમાં રજુ કરવામાં આવે છે. ત્યારે કોર્ટ તપાસ કરનાર અધિકારીને અમુક પ્રશ્નો પુછે છે. જેના યોગ્ય જવાબો તેઅો આપી શકતા નથી. પોલીસની કામગીરી પણ શંકા ઉપજાવી રહી છે. પોલીસ ઍ કોઇની વ્યક્તિગત ઍજન્સી નથી. કોઇના કહેવા પ્રમાણે તપાસ નથી કરવાની. પોલીસનું કામ સત્ય શોધવાનું છે. ફરીયાદીને નુકશાન કરે તેવા પુરાવા નષ્ટ કરવાનું કામ કરવાનું નથી. તપાસ કરનાર અધિકારી તેમની તપાસ નિષ્પક્શ કરે. શું કામ વરજાંગ કાકાને બચાવવાના પ્રયાસ કરાઇ રહયા છે. આ અંગે આજે આરોપી જય ડાંગરની જામીન અરજી પર આરોપી પક્સે દલીલો ચાલી હતી. આજે અરજી પર વધુ સુનાવણી થશે.

રોડ-રસ્તા રિપેરિંગની કામગીરીસુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના ૩૪ રસ્તાઓના પેચવર્ક અને ૧૨ રસ્તાઓ પર રિ-સર્ફેસીંગની કામ...
14/11/2025

રોડ-રસ્તા રિપેરિંગની કામગીરી

સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના ૩૪ રસ્તાઓના પેચવર્ક અને ૧૨ રસ્તાઓ પર રિ-સર્ફેસીંગની કામગીરી ઝુંબેશરૂપે હાથ ધરવામાં આવી છેઃ મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરીમાર્ગો તથા મહાનગરો, નગરોના રોડ-રસ્તાની ચકાસણી કરવાના આપેલા આદેશ અનુસાર સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં મોટા પાયે રસ્તાઓના મરામતની કામગીરી ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવી છે.આજે મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે સુરત શહેરના લિંબાયતના ટીમ સ્કીમ નં.૧૯ મગોબમાં મિડલ રિંગરોડથી માધવબાગ સુધીના રસ્તાના રિકાર્પેટીંગની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે રોડના કેમ્બરની ચકાસણીની સાથે બિટ્યુમીનસ કોંક્રીટનું ટેમ્પરેચર ચેક કર્યું હતું. કમિશનરે એજન્સીને રોડની કામગીરીની સમગ્ર વિગતો રજિસ્ટરમાં નોંધ કરવાની સૂચના આપી હતી.તેમણે જણાવ્યું હતું કે, શહેરના તમામ ઝોનમાં ઝુંબેશરૂપે રસ્તાઓના રિપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ૩૪ રસ્તાઓ પર ઝુંબેશરૂપે પેચવર્ક અને ૧૨ રસ્તાઓ પર રિ-સર્ફેસીંગની કામગીરી હાથ ધરાઈ છે. પાલિકાના ઝોનલ ચીફ, ડે.ઈજનેરો, એક્ઝી.ઈજનેરોના નિરીક્ષણ હેઠળ રસ્તાઓની કામગીરી ગુણવત્તાયુકત થાય તે માટેની ઝુંબેશરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હોવાની વિગતો તેમણે આપી હતી. આજરોજ ઝોન વિસ્તારમાં ડે.મ્યુ.કમિશનરો, એડી.સિટી ઈજનેરોએ પણ રસ્તાઓ પર જઈને રસ્તાઓના મરામતની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839
Follow us more updates

પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકતાં રાજકીય હંગામો સુરત સહિત સમગ્ર રાજ્યમાં ચુંટણી પંચ હારા એસ.આઈ.આર.ની કામગીરી શરૂ કરવામાં આવી...
14/11/2025

પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકતાં રાજકીય હંગામો

સુરત સહિત સમગ્ર રાજ્યમાં ચુંટણી પંચ હારા એસ.આઈ.આર.ની કામગીરી શરૂ કરવામાં આવી છે. મતદાર યાદીમાં સુધારણા માટે શરૂ કરવામાં આવેલ આ કાપાલન હવે સુરત મહાનગર પાલિકાનાં કોર્પોરેટર પણ જોડાતા ભારે વિવાદ સર્જાવા પામ્યો છે. પડિસરા વિસ્તારમાં ભાજપનાં કોર્પોરેટર દ્વારા બીએલઓની કામગીરી હાથ શરૂ કરીને ઘરે -ઘરે ફોર્મ વિતરણ કરવા પહોંચ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. અલબત્ત, ખુદ ભાજપનાં કોર્પોરેટર દ્વારા જ આ કામગીરી અંગેની વાહવાહી મેળવવા પોતાના સોશિયલ મીડિયામાં ફોટો સહિતની માહિતી અપલોડ કરી હતી.

હાલમાં જ અમદાવાદ ખાતે નારણપુરા, અમરાઈવાડી અને પાટડોલિયા વિધાનસભા મત વિસ્તારમાં રાજકીય પક્ષનાં કાર્યકરો દ્વારા બીએલઓની જગ્યાએ ફોર્મ વિતરણ કરતાં ભારે હંગામો થયો હતો. આ વિવાદને પગલે અમદાવાદનાં મુખ્ય ચુંટણી અધિકારી અને કલેક્ટર સુજીતા કુમાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કોઈપણ રાજકીય પક્ષના કાર્યકરે ફોર્મ ભરીને આપવાના રહેશે નહીં. ભીજી તરફ બીએલઓ સિવાય કોઈ રાજકીય પક્ષના કાર્યકરને મતદારોએ યુનિક એન્યુમરેશન ફોર્મ પણ આપવાના રહેશે નહીં. આ વિવાદ વચ્ચે હવે સુરત મહાનગર પાલિકાનાં કોર્પોરેટર દ્વારા પણ બીએલઓની કામગીરી હાથ ધરવામાં આવતાં રાજકીય વાતાવરણમાં ચર્ચાનો દૌર શરૂ થયો છે. વોર્ડ નં. ૨૮ (પોડેસરા - ભેસ્તાન)નાં ભારતીય જનતા પાર્ટીનાં કોર્પોરેટર શરદ પાટીલ દ્વારા પોતાના વત વિસ્તારમાં બીએલઓ સાથે મળીને એસ.આઈ.આર. ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ તેઓ દ્વારા કરવામાં આવેલી આ વિવાદાસ્પદ કામગીરી અંગે પોતાની પીઠ થાબડતી પોસ્ટ પણ શરદ પાટીલે સોશિયલ મીડિયામાં મુકી દીધી હતી. જેને પગલે હવે વિવાદનો વંટોળ શરૂ થયો છે. જો કે, સમગ્ર ઘટના અંગે શરદ પાટીલનો સંપર્ક કરતાં તેઓએ હાલમાં મીટિંગમાં હોવાનું જણાવીને ઘટના અંગે ખુલાસો કરવાનું ટાળ્યું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839
Follow us more updates

શિક્ષકોની હાલત કફોડી !!!સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં દિવાળી વેકેશન બાદ શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ...
14/11/2025

શિક્ષકોની હાલત કફોડી !!!

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં દિવાળી વેકેશન બાદ શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે પરંતુ તેની સાથે જ અનેક શિક્ષકોને મતદાર યાદી માટે બી.એલ.ઓ કામગીરી સોંપી દેવામાં આવી છે. આ કામગીરી રાષ્ટ્રીય કામગીરી હોવાથી ફરજિયાત કામગીરી કરવાની છે પરંતુ બીજી તરફ શાળાઓમાં વિદ્યાર્થીઓનું વાંચન, લેખન અને ગણિત કાચું હોવાથી ખાસ અભિયાન જાહેર કરવામાં આવ્યું છે. તેથી કેટલાક આચાર્ય દ્વારા બીએલઓની કામગીરીમાં હોવા છતાં પણ આચાર્ય રજા આપતા ન હોવાની પણ ફરિયાદ થઈ રહી છે. નવેમ્બર મહિનાની 6 થી 16 નવેમ્બર દરમિયાન વાંચન-લેખન-ગણન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ મોટા ભાગના શિક્ષકો બીએલઓ કામગીરીમાં હોવાથી વાંચન-લેખન-ગણન વિદ્યાર્થીઓને કરાવી શકતા નથી. આ અભિયાન પુરું થયા બાદ નિરીક્ષણ માટે સરકારી અધિકારીઓ આવશે અને બાળકોનું વાંચન-લેખન-ગણન કાચું હશે તો શિક્ષકો સામે પગલાં ભરાશે. આવી સ્થિતિમાં શિક્ષકોની હાલત કફોડી થઈ રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839
Follow us more updates

14/11/2025

બિહારમાં NDA સરકાર બની રહી છે !
બિહારમાં ભાજપ બની સૌથી મોટી પાર્ટી
નીતિશ કુમાર ફરીથી સરકારમાં ચૂંટાઈ રહ્યા છે...
BJP ઓફિસમાં સેલિબ્રેશન, કાર્યકર્તાઓનો હાઈ જોશ
કેન્દ્રીય મંત્રી સી. આર પાટીલે આપ્યું મોટું નિવેદન

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839
Follow us more updates

14/11/2025

બિહારમાં NDA સરકાર બની રહી છે !
બિહારમાં ભાજપ બની સૌથી મોટી પાર્ટી
નીતિશ કુમાર ફરીથી સરકારમાં ચૂંટાઈ રહ્યા છે...
BJP ઓફિસમાં સેલિબ્રેશન, કાર્યકર્તાઓનો હાઈ જોશ
કેન્દ્રીય મંત્રી સી. આર પાટીલે આપ્યું મોટું નિવેદન

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839
Follow us more updates

જયમ સોનાણી આખરે દિલ્હી એરપોર્ટથી ઝડપાયોહવે પિતા મહેશ સોનાણી અને ભાઇની ધરપકડ ક્યારે?50 કરોડની ઠગાઈમાં દિલ્હી એરપોર્ટ પર ક...
14/11/2025

જયમ સોનાણી આખરે દિલ્હી એરપોર્ટથી ઝડપાયો
હવે પિતા મહેશ સોનાણી અને ભાઇની ધરપકડ ક્યારે?

50 કરોડની ઠગાઈમાં દિલ્હી એરપોર્ટ પર કાર્યવાહી:લુકઆઉટ નોટિસને કારણે જ્યમ સોનાણી લંડન જતાં ઈમિગ્રેશનમાં પકડાઈ ગયો

Surat Diamond Tycoon Jayam Sonani Arrested in Rs.50 Crore Diamond Fraud
CID Crime arrests Diamtech owner from Surat Jayam Sonani from Delhi Airport after look-out notice in ₹50 crore diamond scam; questions rise over his earlier release from Surat Airport.

ઘોડદોડમાં લેબગ્રોન ડાયમંડનો શો-રૂમ ધરાવતા સોનાણી પિતા-પુત્રો સામે દોઢ મહિના પહેલાં 49.96 કરોડની ઠગાઈનો ગુનો સીઆઈડી ક્રાઈમમાં નોંધાયો હતો, જેમાં સીઆઈડી ક્રાઈમે જ્યમ મહેશ સોનાણી (રહે, ઓરિયાના રેસિડેન્સી, સિટીલાઇટ)ને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી લીધો છે. સીઆઇડી ક્રાઇમે તેને અમદાવાદ લઈ આવી ધરપકડની કાર્યવાહી કરી છે.જ્યમ ધંધાના કામ માટે લંડન જતો હતો. 12મી તારીખે જ્યમ સુરતથી ફ્લાઇટમાં દિલ્હી ગયો હતો જ્યાંથી લંડન જવા માટે ઇમિગ્રેશનની પ્રોસેસમાંથી પસાર થતો હતો તે વખતે લુકઆઉટ નોટિસના આધારે સ્ટાફે તેને ઝડપી પાડી એરપોર્ટ પોલીસને હવાલે કરી દીધો હતો. બાદમાં તેને સીઆઇડી ક્રાઇમને સોંપી દેવામાં આવ્યો હતો. અગાઉ સીઆઈડી ક્રાઇમે જ્યમ સોનાણી, અગત્સ્ય મહેશ સોનાણી અને પિતા મહેશ ભગવાન સોનાણીની વિરુદ્ધમાં લૂક આઉટ નોટિસ જારી કરી હતી.

જ્યમ સોનાણી પાસે 27મી નવેમ્બરની રિટર્ન ટિકિટ પણ હતી. અગાઉ સીઆઇડી ક્રાઇમે જ્યમ સોનાણીને સુરત એરપોર્ટથી પકડી પાડી પૂછપરછ કરી બાદમાં જવા દીધો હતો. જેના કારણે વિવાદ પણ થયો હતો, તે વખતે સુરત એરપોર્ટ પર સીઆઇડી ક્રાઇમનો સ્ટાફ જ્યમને લઈને જતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

PM મોદી 15મીએ સુરત પધારશે15મીએ વડાપ્રધાનના કાર્યક્રમને કારણે 5 રસ્તા ડાઈવર્ટ કરાયાવડાપ્રધાન મોદી 15મીએ અંત્રોલીમાં બુલેટ...
14/11/2025

PM મોદી 15મીએ સુરત પધારશે

15મીએ વડાપ્રધાનના કાર્યક્રમને કારણે 5 રસ્તા ડાઈવર્ટ કરાયા

વડાપ્રધાન મોદી 15મીએ અંત્રોલીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લેશે, જેથી ટ્રાફિક વ્યવસ્થા માટે 5 રૂટ ડાઈવર્ટ કરાયા છે.

આ 5 રસ્તા ડાઈવર્ટ કરી વૈકલ્પિક રૂટ અપાયા

NH48 (અમદાવાદ-મુંબઈ) અને NH 53 (હજીરા-બારડોલી) પર પલસાણા ચાર રસ્તા થઈ ભાટિયા ચેકપોસ્ટથી હજીરા જતો રોડ ભારે વાહનો માટે બંધ છે, જે વાહનો કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારની રાજ હોટલ થઈ હજીરા જઈ શકશે.
કડોદરા ચાર રસ્તાથી શહેર તરફ જતા વાહનો માટે રસ્તો બંધ રહેશે, આવા વાહનો વલથાણ કેનાલ રોડ થઈ એન્થમ સર્કલ થઈ જઈ શકશે.
NH 48 પર (મુંબઈ-અમદવાદ) સીએનજી કટ પાસેથી નિયોલ થઈ સુરત જતા વાહનો માટે રસ્તો બંધ રહેશે. વાહનો NH 48 પર ચલથાણ-ડિંડોલી નહેર રોડ થઈ જઈ શકશે.
ચલથાણથી નિયોલ આવતા વાહનો માટે નિયોલ ગામ ખાતે આવતો રોડ બંધ રહેશે. આ વાહનો NH 48 પર ચલથાણ-ડિંડોલી નહેર રોડ થઈ નિયોલ ખાતે જઈ શકશે.
અંત્રોલીમાં બુલેટ ટ્રેન સ્ટેશનથી મામાદેવ મંદિર તરફથી વાંકાનેડ ગામ તરફ જતો રોડ બંધ રહેશે. આ રૂટ પર આવતા વાહનો વરેલીથી વાંકાનેડ ગામ જઈ શકશે.

Address

CHANNEL EYE WITNESS, 2ND FLORR, SANKALP SHOPING COMPLEX, BHATAR, SURAT
Surat
395017

Alerts

Be the first to know and let us send you an email when Channel Eye Witness posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Channel Eye Witness:

Share