સુરત મારું ખુબસૂરત surat maru khubsoorat

  • Home
  • India
  • Surat
  • સુરત મારું ખુબસૂરત surat maru khubsoorat

સુરત મારું ખુબસૂરત surat maru khubsoorat Surat, Gujarat , India .

14/08/2025

 #સાતમ_આઠમ
14/08/2025

#સાતમ_આઠમ

09/08/2025

તહેવાર અને શનિ રવિ રજા... સૌ કોઈ ઘરે જાય

અમદાવાદ મહેસાણા હાઈવે ના દ્રશ્યો

Today At 8.40 Pm

08/08/2025
*सुन ट्रम्प**हमारी अभी हाल में ही ब्रिटेन से फ्री ट्रेड संधि हुई है, अब तू ब्रिटेन को 10% पर माल भेज, फिर वो माल हम 0% ट...
02/08/2025

*सुन ट्रम्प*

*हमारी अभी हाल में ही ब्रिटेन से फ्री ट्रेड संधि हुई है, अब तू ब्रिटेन को 10% पर माल भेज, फिर वो माल हम 0% टैरिफ पर भारत मे मंगवा लेंगे* .

तू समझ नही पाएगा
सुन भूरे,
हमारे भारत के अनेक लोग ब्रिटेन में बड़े व्यापारी हैं, वो तेरा माल वहां मंगवाएँगे फिर वही माल भारत को भेज देंगे और तू 25% पकड़कर दिमाग़ हिलाते रहना
😜
और सुन
ये भारत है और यहां के बड़े व्यापारी बनिये गुजराती मारवाड़ी और सिंधी लोग हैं
भूरे, इनसे पार पाना तेरे लिए असम्भव है !!!
हम गंजे को कंघी बेच देते है
और सावन मे हजारो क्विंटल फलाहारी खिचड़ी रोज फ्री मे बांटते है
भर ले तेरा 25% तेरी….
भूरे बिल्ले
😀😜😂🤣

બિંદુ સરોવર, સિદ્ધપુરનો ઇતિહાસ અને તેનું ધાર્મિક મહત્વ ઘણું ઊંડું છે. ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું સિદ્ધપુર, જેને પ્રા...
01/08/2025

બિંદુ સરોવર, સિદ્ધપુરનો ઇતિહાસ અને તેનું ધાર્મિક મહત્વ ઘણું ઊંડું છે. ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું સિદ્ધપુર, જેને પ્રાચીન સમયમાં 'શ્રીસ્થલ' તરીકે પણ ઓળખવામાં આવતું હતું, તે એક પવિત્ર યાત્રાધામ છે.
બિંદુ સરોવરનો ઇતિહાસ અને મહત્વ:
* માતૃશ્રાદ્ધનું પવિત્ર સ્થળ: બિંદુ સરોવરને માતૃશ્રાદ્ધ માટેનું સર્વશ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન પરશુરામે તેમની માતા રેણુકાનું શ્રાદ્ધ અહીં કર્યું હતું. ત્યારથી આ સ્થળ માતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત બન્યું છે. એવી માન્યતા છે કે પિતૃ શ્રાદ્ધ માટે ગયાજી (બિહાર) જેટલું જ માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુરનું મહત્વ છે.
* કપિલ મુનિની તપોભૂમિ: આ સ્થળ બ્રહ્માજીના માનસ પુત્ર મહર્ષિ કર્દમઋષિ અને દેવહુતી માતાની તપોભૂમિ છે. અહીં કપિલ મહામુનિનો જન્મ થયો હતો અને તેમણે પોતાની માતાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો હતો.
* પાંચ પવિત્ર સરોવરોમાંનું એક: બિંદુ સરોવર ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંનું એક છે. અન્ય ચાર સરોવરો છે: ઉત્તરમાં માનસરોવર, દક્ષિણમાં બ્રહ્મા અને પંપા સરોવર, અને કચ્છમાં નારાયણ સરોવર. આ પાંચ સરોવરોમાં બિંદુ સરોવર એકમાત્ર એવું સરોવર છે જે માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે.
* પ્રાચીન શિવ મંદિરો: સિદ્ધપુરમાં પાંચ સ્વયંભૂ શિવ મંદિરો આવેલા છે.
* સંપૂર્ણ ભારતમાંથી શ્રદ્ધાળુઓ: માતૃશ્રાદ્ધ અને પિંડદાનની વિધિ કરવા માટે ભારતના જુદા જુદા રાજ્યોમાંથી, ખાસ કરીને કેરળ, કર્ણાટક અને તમિલનાડુથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે. અહીંના વિદ્વાન બ્રાહ્મણો પાસે પરિવારોની વંશાવલી સચવાયેલી છે, જેમાં નરસિંહ મહેતા અને જલારામ બાપા જેવી વિભૂતિઓના પણ હસ્તાક્ષર જોવા મળે છે.
સિદ્ધપુરનો ઇતિહાસ:
* શ્રીસ્થલથી સિદ્ધપુર: સિદ્ધપુરનું પ્રાચીન નામ 'શ્રીસ્થલ' હતું. તે ઋગ્વેદમાં પણ "દાશુ ગામ" તરીકે ઓળખાતું હતું. સોલંકી વંશના શાસન દરમિયાન, ખાસ કરીને સિદ્ધરાજ જયસિંહના સમયમાં, આ શહેરની ખ્યાતિ ટોચ પર પહોંચી અને તે સિદ્ધપુર તરીકે ઓળખાયું.
* રુદ્રમહાલય: સિદ્ધરાજ જયસિંહે અહીં સરસ્વતી નદીના કિનારે ભવ્ય રુદ્રમહાલયનું નિર્માણ કરાવ્યું હતું, જેના અવશેષો આજે પણ જોવા મળે છે.
* અન્ય માન્યતાઓ: મહાભારત કાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસમાં અહીં રહ્યા હોવાનું પણ માનવામાં આવે છે. દંતકથા અનુસાર, અહીં ઋષિ દધિચિએ ઇન્દ્રને વજ્ર બનાવવા માટે તેમનાં હાડકાંનું દાન કર્યું હતું.
આમ, બિંદુ સરોવર માત્ર એક તળાવ નથી, પરંતુ માતૃઋણમાંથી મુક્તિ મેળવવા અને માતાને મોક્ષ અપાવવાનું એક પવિત્ર સ્થળ છે, જેનો ઇતિહાસ અને ધાર્મિક મહત્વ સદીઓ જૂનું છે.

એલા...  #મહાદેવ દેવોના દેવ મહાદેવ ક્યારેય ભૂખ્યા હોય? #સિદ્ધપુર  #બિંદુ_સરોવર
01/08/2025

એલા... #મહાદેવ દેવોના દેવ મહાદેવ ક્યારેય ભૂખ્યા હોય?
#સિદ્ધપુર #બિંદુ_સરોવર

હાલો....  #કચોરી  #સમોસા ખાવા....
01/08/2025

હાલો.... #કચોરી #સમોસા ખાવા....

*માણસાઈના પાઠ એક જાનવર પાસેથી કઈ રીતે શીખવા મળે?*✒લેખક: *ડૉ. નિમિત્ત ઓઝા*તમે ક્યારેય હૉસ્પિટલની અંદર ઘોડો જોયો છે? જે રી...
26/07/2025

*માણસાઈના પાઠ એક જાનવર પાસેથી કઈ રીતે શીખવા મળે?*

✒લેખક: *ડૉ. નિમિત્ત ઓઝા*

તમે ક્યારેય હૉસ્પિટલની અંદર ઘોડો જોયો છે? જે રીતે દરદીઓ તપાસવા માટે એક ડૉક્ટર રાઉન્ડ પર નીકળે એમ દરદીઓને રાહત આપવા માટે એક ઘોડો તેમની મુલાકાત લે એવી ક્યારેય કલ્પના કરી છે? નહીંને? તો આવો આજે તમારી મુલાકાત એક ઘોડાનું સ્વરૂપ ધારણ કરીને ફરતી વૈશ્વિક ચેતના સાથે કરાવું. એ ઘોડાનું નામ છે ડૉક્ટર પેયો. ના ભાઈ ના, એની પાસે કંઈ MBBSની ડિગ્રી નથી. એ તો એના ગુણધર્મો, લાક્ષણિકતાઓ અને કર્મોના કારણે ‘ડૉક્ટર’ તરીકે ઓળખાય છે.

ફ્રાન્સની એક હૉસ્પિટલમાં આ ઘોડો દર અઠવાડિયે રાઉન્ડ પર નીકળે છે. કૉરિડોરમાંથી પસાર થતી વખતે જે રૂમની અંદર એણે પ્રવેશવું હોય એ રૂમના દરવાજા પાસે જઈને એ ઘોડો ઊભો રહી જાય છે. પોતાનો એક પગ ઊંચો કરીને એના ટ્રેઇનરને ઇશારો કરે છે કે મારે આ રૂમમાં રહેલા દરદીની મુલાકાત લેવી છે. એ ટ્રેઇનર ડૉક્ટર પેયોને રૂમની અંદર લઈ જાય છે અને દરદીની સાથે મુલાકાત કરાવે છે. જો તમે ફક્ત આટલી ઘટનાને ચમત્કાર માનતા હો તો તમને હજી ઘણાય ઝટકા લાગશે. લેટ મી ટેલ યુ, ચમત્કાર તો હવે આવે છે.

ડૉક્ટર પેયો ફક્ત એવા જ દરદીઓની મુલાકાત લે છે જેઓ કૅન્સરના છેલ્લા સ્ટેજમાં હોય અથવા તો મૃત્યુ પામી રહ્યા હોય. રૂમના બંધ દરવાજાની બહારથી પસાર થતી વખતે એ ઘોડાને આપોઆપ ખ્યાલ આવી જાય છે કે કયો દરદી મૃત્યુ પામી રહ્યો છે અને કોને મારી જરૂર છે! એ ઘોડાની ઉંમર ૧૫ વર્ષ છે અને કૅન્સરથી પીડાતા દરદીઓને શોધીને તેમને રાહત આપવામાં આ ઘોડો ‘સ્પેશ્યલિસ્ટ’ છે, પણ કૅન્સરથી પીડાતા કે મૃત્યુ પામી રહેલા દરદીઓને એક ઘોડો કઈ રીતે રાહત આપી શકે? આ લેખ પૂરો થાય સુધીમાં તમને એ સવાલનો જવાબ પણ મળી જશે અને જ્યારે એ હકીકત સમજાશે ત્યારે તમારી અંદર પણ એવી જ વીજળીઓ થશે જેવી ડૉક્ટર પેયો વિશે જાણ્યા પછી મારી અંદર થયેલી.

એવું તો શું કરે છે આ ઘોડો? દરદીઓની પાસે જઈને આ ઘોડો એવો તે કયો જાદુ કરે છે કે તેમના પેઇનકિલર્સનો ડોઝ ઓછો થઈ જાય છે, તેમનું ડિપ્રેશન દૂર થઈ જાય છે, તેમના ચહેરા પર શાંતિ અને નિરાંત દેખાવા લાગે છે. માય ડિયર ફ્રેન્ડ, આ ઘોડો એવું કશુંક કરે છે જે કળા દરેક મનુષ્યએ એની પાસેથી શીખવી પડશે અને એ કળા છે હાજર રહેવાની - આર્ટ ઑફ બીઇંગ પ્રેઝન્ટ. દરદી પાસે પહોંચ્યા પછી એ ઘોડો બીજું કશું જ નથી કરતો. એ દરદીની આંખોમાં આંખો નાખીને ત્યાં ઊભો રહે છે.

બીજે ક્યાંય આસપાસ નજર ફેરવ્યા વગર, આંખનું મટકુંય માર્યા વગર એ ઘોડો શાંતિથી પેલા દરદી પાસે ઊભો રહે છે જાણે પોતાની આંખોથી કહી રહ્યો હોય કે ‘હું છુંને તમારી સાથે’. એક નવાઈની વાત કહું? આ ઘોડો સામે આવતાં જ દરેક દરદી ઘોડાને વળગીને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગે છે. માથું નમાવીને અને વહાલથી તેમને ચાટીને ઘોડો પોતાનો પ્રેમ બતાવે છે. એ ઘોડાની આંખોમાં દરદીઓને કેટલાય સીક્રેટ સંદેશાઓ વંચાય છે. બે-ત્રણ કલાક સુધી એ ઘોડો ત્યાં ઊભો રહે છે, જાણે દરદીની અંતિમયાત્રા વખતે તેમને ‘બોન—વૉયેજ’ કહેવા આવ્યો હોય. મન ભરીને રડી લીધા પછી દરદીઓ હળવાશ અનુભવે છે. તેમના ચહેરા પર સ્માઇલ હોય છે. તેઓ ઘોડાને ખૂબ વહાલ કરે છે. પછી ઘોડો વિદાય લે છે અને આવા જ કોઈ અન્ય દરદીની રૂમ પાસે જઈને ઊભો રહે છે એટલું જ નહીં, કોઈ દરદી મૃત્યુ પામે તો તેની અંતિમયાત્રામાં પણ ઘોડો હાજરી આપે છે.

વિશ્વભરના વૈજ્ઞાનિકો અને તબીબોને ફક્ત એક જ કારણથી ડૉક્ટર પેયોમાં રસ પડી રહ્યો છે - દરદીઓની ચિંતા, બેચેની, ભય કે ડિપ્રેશન દૂર કરી શકવાની એની ક્ષમતાને કારણે. એ ઘોડા સાથે ફક્ત થોડો સમય ગાળ્યા પછી એવો તે શું બદલાવ આવે છે કે દરદીઓ રાહત અને નિરાંત અનુભવવા લાગે છે, તેઓ મૃત્યુ માટે તૈયાર થઈ જાય છે, તેઓ શાંતિથી વિદાય લે છે. એનું કારણ કહું? એનું એકમાત્ર તાર્કિક અને વૈજ્ઞાનિક કારણ છે સંપૂર્ણ હાજરી. બીજી એક પણ વાત કે વ્યક્તિનો વિચાર કર્યા વગર એ ઘોડો પૂરી સમગ્રતાથી ત્યાં હાજર રહે છે અને એક પણ શબ્દ બોલ્યા વગર પોતાની આંખોથી દરદીઓને સાંત્વના આપે છે કે ‘તમે શાંતિથી જાઓ, મૃત્યુ પછીનું વિશ્વ વધુ સુંદર છે એ વાતની હું તમને ખાતરી આપું છું.’

મૃત્યુમાંથી ઉગારતા કે બીમારીમાંથી મુક્ત કરતા તબીબોની વચ્ચે ડૉક્ટર પેયો એક એવો અપવાદ છે જે દરદીને મૃત્યુ વખતે હિંમત અને હાજરી આપે છે. અત્યાર સુધી ૧૦૦૦ જેટલા દરદીઓને તેમના છેલ્લા શ્વાસ સુધી ડૉક્ટર પેયોએ સથવારો આપ્યો છે. ગૂગલ પર જઈને ડૉક્ટર પેયોના દરદીઓ સાથેના ફોટોગ્રાફ્સ કે વિડિયો જોશો તો તમે પણ મારી જેમ રડી પડશો. માણસાઈના આવા પાઠ એક જાનવર પાસેથી શીખવા મળે એ હકીકત જ કહી આપે છે કે આધ્યાત્મિક સમૃદ્ધિ પર ફક્ત મનુષ્યની મોનોપૉલી નથી.

ડૉક્ટર પેયો જે સૌથી મહત્ત્વની શીખ આપે છે એ છે ‘પ્રેમ એટલે હાજર રહેવું’. પૂરા અટેન્શનથી, પૂરી સમગ્રતાથી, હૃદયપૂર્વક, નિસબતપૂર્વક અને કરુણાપૂર્વક હાજર રહેવું એટલે પ્રેમ. કોઈ પણ જીવિત કે મૃત્યુ પામી રહેલી વ્યક્તિને આપણે આપી શકીએ એવી શ્રેષ્ઠ ભેટ આપણી હાજરી છે. સામે રહેલી વ્યક્તિને ‘અનડિવાઇડેડ અટેન્શન’ આપી શકવું એ પ્રેમની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે. દરેક વ્યક્તિ પાસે એવું તો કશુંક હોય જ છે જે અન્યને રાહત આપી શકે. કરુણા, નિસબત, હાજરી કે પછી શાબ્દિક સાંત્વના થકી જો ઇચ્છીએ તો આપણે પણ ડૉક્ટર પેયો બની શકીએ છીએ. એક પીડિત વ્યક્તિને રાહત અને નિરાંત આપી શકીએ, આ જીવનો એનાથી વધારે સારો ઉપયોગ બીજો કયો હોઈ શકે?■
-ડૉ. નિમિત્ત ઓઝા

Address

Surat
Surat
395008

Telephone

+919722999908

Website

Alerts

Be the first to know and let us send you an email when સુરત મારું ખુબસૂરત surat maru khubsoorat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to સુરત મારું ખુબસૂરત surat maru khubsoorat:

Share