27/02/2026
જય સ્વામીનારાયણ
આપણા સૌ માટે એક દુઃખદ સમાચાર છે કે વર્ષો સુધી મુંબઈમાં રહીને જેમણે સેવા કરેલી એવા પૂ રામચરણ સ્વામી હૃદયરોગના હુમલાને કારણે અક્ષરનિવાસી થયા છે.
તેઓએ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના હસ્તે ૧૯૬૧ માં ૫૧ યોગેશ્વરો સાથે દીક્ષા ગ્રહણ કરી હતી.ત્યારબાદ વર્ષો સુધી ગોંડલ તથા મુંબઈમાં રહીને સેવા કરી હતી. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ સારંગપુર રહીને ભજન ભક્તિમાં પ્રવૃત્ત રહેતા.
થોડા દિવસ પૂર્વે તેઓનું સ્વાસ્થ્ય નાદુરસ્ત થતા પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી તેઓને વિશેષ સારવાર માટે સુરત BAPS હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યાંજ તેઓ અક્ષરનિવાસી થયા હતા.
આવા ભક્તિમય અને સેવાભાવી જીવન વિતાવનાર સંતને હાર્દિક શ્રદ્ધાંજલિ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏