All Koli Samaj of India

All Koli Samaj of India Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from All Koli Samaj of India, Social Media Agency, Varacha surat, Surat.

इन ग्रुप में सभी भारतीय कोली समाज के भाइयों का एक मजबूत संगठन भाईचारा बड़े इसलिए इस पेज का निर्माण किया हुआ है एससी एसटी ओबीसी जनरल इन सभी जातियों में कोली समाज का बहुत बड़ा वर्चस्व है इंडिया में भी बहुत बड़ा कोली समाज का वर्षाश्व है

16/07/2025

કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા મહારાજ

02/05/2025

Koli samaj shakya vansh rajvada

કોળી સમાજનો આશાસ્પદ યુવા, ઝાંસી જિલ્લાના રહેવાસી યુવા ક્રિકેટર ભાઈ અનિકેત વર્માજીએ T20 IPLમાં 12 બોલમાં 5 છગ્ગા સાથે 36 ...
04/04/2025

કોળી સમાજનો આશાસ્પદ યુવા, ઝાંસી જિલ્લાના રહેવાસી યુવા ક્રિકેટર ભાઈ અનિકેત વર્માજીએ T20 IPLમાં 12 બોલમાં 5 છગ્ગા સાથે 36 રન બનાવીને તમામ ક્રિકેટ પ્રેમીઓની આશા જીવંત રાખી, અમે તમારા ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવીએ છીએ. તમારા ઉત્તમ પ્રદર્શન માટે તમને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.

17/03/2025

जिस वक़्त पूरा भारत एकजुट होकर भाईचारे से रह रहा था तब हमारे पूर्वज कोली समाज के वीर योद्धा सम्राट अशोक का राज था

06/03/2025

આપણો સમાજ આપણો ઈતિહાસ જય કોળી સમાજ

30/01/2025

Jay Koli samaj

26/01/2025

जय कोली समाज #कोली

24/01/2025
કોળી સમાજના શુરવિર યોદ્ધા ચકવતિ સમ્રાટ અશોક                કલિંગનું યુદ્ધ પૂરું થયું અને એક સ્ત્રી રડતી રડતી સમ્રાટ અશોક...
24/01/2025

કોળી સમાજના શુરવિર યોદ્ધા ચકવતિ સમ્રાટ અશોક
કલિંગનું યુદ્ધ પૂરું થયું અને એક સ્ત્રી રડતી રડતી સમ્રાટ અશોક પાસે આવી અને વિલાપ કરવા લાગી. 'મારા પિતા, પતિ અને પુત્ર બધા જ આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. હવે હું પણ જીવીને શું કરું...!?'

સમ્રાટ અશોક અંદરથી ખળભળી ઊઠ્યો.
દાદા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને પિતા બિંદુસારના કલિંગ જીતવાના સપનાને અશોકે સાકાર તો કર્યું, પણ યુદ્ધની ભયાવહતાએ અશોકને વિચલિત કરી મુક્યો.

કલિંગના રાજા અનંત પદ્મનાભન યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા. લગભગ ચાર લાખ સૈનિકો વચ્ચે આ ભયંકર યુદ્ધ ખેલાયું હતું. જેમાં દોઢ લાખ કલિંગના સૈનિકો અને એક લાખ મૌર્ય સૈનિકોના જીવ જોખમમાં મૂકાયા હતા.

કલિંગની ધૌલી પહાડી ઉપર ખેલાયેલું આ યુદ્ધ સમગ્ર કલિંગમાં ફેલાઈ ગયુ હતું. યુદ્ધ એટલું ભયંકર હતું કે મેદાનમાં ચારે બાજુ ફક્ત લાશો જ લાશો જોવા મળતી હતી. ગંભીર રીતે ઘાયલ સૈનિકો ઉપર ગીધડા ચક્કર લગાવી રહ્યા હતા. મેદાનની બાજુમાં વહેતી દયા નદીમાં પાણી કરતા વધુ તો જાણે લાલ લોહી જ વહેતું હતું.

વિજય પ્રાપ્ત કર્યા પછી અશોકે જ્યારે બીજા દિવસે સવારે યુદ્ધના મેદાનમાં પગ મૂક્યો તો યુદ્ધથી નિર્માણ થયેલી ભયાનક સ્થિતિથી તે ખળભળી ઉઠ્યો.

સિંહ જેવો સમ્રાટ અચાનક શાંત થઈ ગયો. 'આ મારાથી શું થઈ ગયું..???' તેવો વિલાપ કરતા તેનું હૃદય વલોવાઈ ગયું. તરત જ દ્રઢ નિર્ધાર કર્યો કે હવેથી હું ક્યારેય યુદ્ધ નહિ કરું.

અને અશોકે સત્ય, અહિંસા અને શાંતિનો માર્ગ અપનાવ્યો. આચાર્ય ઉપગુપ્તના માર્ગદર્શન હેઠળ અહિંસાનો રસ્તો પસંદ કરી બૌદ્ધ ધર્મ અપનાવવાની જાહેરાત કરી અને પોતાના રાજ્ય વિસ્તારની યોજના પડતી મૂકી.

વિજયના દશમાં દિવસે સમ્રાટ અશોકે યુદ્ધથી શોક પામી ફક્ત યુદ્ધ ઉપર જ નહીં પરંતુ હિંસા ઉપર પણ વિજય પ્રાપ્ત કર્યો. હથિયાર હેઠા મુખ્ય અને બુદ્ધની અહિંસાના શસ્ત્રથી લડાઈ લડવાનો નિશ્ચય કર્યો. તેણે પ્રતિજ્ઞા કરી કે 'આજથી હું યુદ્ધ વિજય નહિ, ફક્ત ધમ્મવિજય પ્રાપ્ત કરીશ.'

બૌદ્ધ બની સમ્રાટ અશોક બૌદ્ધ તીર્થસ્થાનોની યાત્રાએ ગયો. બધાં જ સ્થળોની મુલાકાતથી પ્રભાવિત થઈ તેણે પોતાનું જીવન બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે વિતાવવાનું નક્કી કર્યું. અશોકે ભગવાન બુદ્ધના જીવન અને વિચારોને ચરિતાર્થ કરવા હજારો શિલાલેખ, સ્તૂપ અને ધમ્મસ્તંભોનું નિર્માણ કરાવ્યું.

અશોકના શસ્ત્રત્યાગ કરવાના અને અહિંસાના માર્ગે ચાલી, આ ધર્મપરિવર્તન કરવાની જાહેરાતથી ખુશ થઈ પ્રજાએ દશ દિવસ ઉત્સવ મનાવ્યો. સ્તૂપો ઉપર દીપોત્સવ થયો. દશમાં દિવસે રાજાએ રાજ પરિવાર સાથે પૂજ્ય ભંતે મોંગ્ગીલીપુત્ત તિસ્ય પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને આજીવન પરિવાર સાથે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો.

એટલે સમગ્ર ભારતના લોકો તે દિવસને 'અશોક વિજયાદશમી'ના ઉત્સવ તરીકે ઉજવે છે.

હિન્દૂ ધર્મમાં રહેલી અસ્પૃશ્યતા અને ઉચનીચના ભેદભાવ થી કંટાળીને બાબાસાહેબે પણ તા.13/10/1935ના રોજ યેવલા પરિષદમાં હિન્દૂ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અંગિકાર કરવાની પ્રતિજ્ઞા જાહેર કરી હતી. જે તેમણે તા.14/10/1956ના રોજ આ 'અશોક વિજયાદશમી'ના દિવસે જ પરિપૂર્ણ કરી. પોતાના પાંચ લાખ અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી બાવીસ પ્રતિજ્ઞાઓ લેવડાવી.
સમ્રાટ અશોકના સારનાથના સ્તભ પરથી જ ભારત નું રાજચિન્હ લેવામાં આવેલ છે

વીર વેગડાજી ભીલ (કોળી) ઈતિહાસ ઝલક આપણો ઈતિહાસ આપણો વારસો સોમનાથની સખાતે વીરગતિ પામેલ કોળી વીર શ્રી વેગડાજી દાદા ભીલદિલ્હ...
23/01/2025

વીર વેગડાજી ભીલ (કોળી) ઈતિહાસ ઝલક આપણો ઈતિહાસ આપણો વારસો

સોમનાથની સખાતે વીરગતિ પામેલ કોળી વીર શ્રી વેગડાજી દાદા ભીલ

દિલ્હીની ગાદી ઉપર તે વખતે મહમદ તઘલખ બીજાનું સાશન હતું. જુનાગઢમાં પોતાના સુબા સમસુદીનનો પરાજય થતા બાદશાહે તેને બદલીને ઝફરખાનને ગુજરાતનો સુબો નિયુક્ત કર્યો. ઝફરખાન મુળતો રાજસ્થાનનો હતો પણ સમય જતા સુબામાંથી તે ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ થઈ બેઠેલો. આથી તેણે સોમનાથમાં બાદશાહી થાણુ મુક્યુ. રસુલખાન નામના એક મુસ્લિમને થાણેદાર નિમ્યો હતો. ઝફરખાન મુર્તિપુજાનો કટ્ટર વિરોધી હતો. તેની નજર સોમનાથ મંદીર ઉપર હતી કારણકે હિંદુ લોકોની ખુબજ આસ્થા તેના ઉપર હતી.

રસુલખાનને ઝફરખાનનું ફરમાન છુટયુકે મંદીરમાં મોટી સંખ્યામાં હિંદુઓને એકત્ર ન થવા દેવા. તેવા સમયે જ શિવરાત્રિનો મેળો ભરાયો. રસુલખાન અને તેના માણસો મારઝુડ કરીને માંડ્યા માણસોને વિખેરવા. આથી વાત વણસી ગઈ અને લોકો ઉશ્કેરાઈ ગયા અને રસુલખાનને તેના કુંટુંબ અને માણસોની સાથે જ મારી નાંખ્યો. આ ખબર ઝફરખાનને મળતા તે કાળઝાળ થઈ ઊઠયો અને સોરઠને દળી નાખવા તેના હાથ સળવળી ઊઠયા. તે સમયે ધર્માંધતા, મુર્તિપુજા, સમસુદીનનો પરાજય, રસુલખાનનું મોત આમ કેટલીયે બાબતો તેના દિલમાં કાંટાની જેમ ભોંકાતી હતી. આમ ઝફરખાન સોરઠ પર ચડયો છે. ગઢના કિલ્લાના દરવાજા ભાંગી નાખે તવા હાથી સાથે લીધા છે. ભેંકાર તોપુ ઢસડાવી આવે છે. અને કાબુલી, મકરાણી, અફઘાની અને પઠાણી સૈનિકોની ફોજ લઈને સોમનાથ મંદીર ઉપર આક્રમણ કરવા ચાલ્યો આવે છે.

સોમનાથ મંદીરની રક્ષા કરવા અરઠીલા ના વીર હમીરજી ગોહિલ પોતાના 200 જેટલાં સાથી મિત્રો સાથે સોમનાથની સખાતે નિકળેલા અને રસ્તામાં એક નેસમાં લાખબાઈ ચારણ ના આશીર્વાદ લઇ આગળ વધે છે જ્યાં રસ્તામાં વેગડાજી ભીલ કોળીનું દ્રોણગઢડા ગામ આવે છે

દ્રોણગઢડા ગામ એ દ્રોણગઢ ડુંગર પર ( દ્રોણ ગઢ ડુંગર એટલે સિહોર તાલુકા (સિંહલપુર) ના અંતરિયાળ ગામ #ટોડા, ટોડી અને માલવણ ના સીમાડે આવેલ ડુંગર જ્યાં હાલ પણ જુના કિલ્લાના અવશેષોની લોકવાયકાઓ પ્રચલિત છે)

વેગડાજી કરીને ભીલ સરદારની ગિરમાં આણ ફરે. 300 ભીલ કોળી તેની પાસે તૈયાર રહેતા અને બોલાવતા દોઢ હજાર ભીલયોધ્ધા ભેગા કરી શકતા. ગિરથી માંડી સિહોર પાસેના સરોડના ડુંગર સુધી વેગડાજીના તીર વાગતા. ભીલ બધા સોમનાથને ખુબજ માનતા હતા. એકવાર કોઈ જેઠવા રાજપુત તુલસીશ્યામની જાત્રાએ જતા હતા. રસ્તામાં વેગડા ભીલે તેને આંતર્યા અને ભીલ અને રાજપુત વચ્ચે ધીંગાણુ થયું. તે જેઠવા રાજપુત કામ આવ્યો. પણ મરતા મરતા પોતાની નાની દીકરી રાજબાઈને વેગડાજીને સોંપીને ભલામણ કરીકે, ભાઈ, આ દીકરીને ઉછેરજે અને ઉંમરલાયક થતા કોઈ સારો રાજપુત જોઈ તેના લગ્ન કરાવજે. આમ તેની વાત સ્વીકારીને વેગડાજીએ પોતાની દીકરી હોય તેમ ઉછેરી હતી. તે પણ હવે ઉંમરલાયક થઈ ગઈ હતી. જેથી તે સમયે આઈ લાખબાઈની ડમણી અટકાવી. બે ટંક રોકયા. દીકરી માટે કોઈ સારા રાજપુતનું ઠેકાણુ પુછયું. તેથી લાખબાઈએ કહ્યુકે, બાપ વેગડા, હમીરજી લાઠિયો સોમૈયાની સખાતે નીકળ્યો છે. તને ના નહીં પાડે. એની સાથે રાજબાઈને વરાવ.

આઈ લાખબાઈના વચને વેગડા ભીલે પોતાના ત્રણસો બાણાવાળી કોળી ભીલો સાથે ગિરમાં કાળવાનેસ પાસે પડાવ નાખ્યો. છે કાળવાનેસની બાજુમાં જ શિંગવડો નદી વહે છે. તેમાં હમીરજી અને તેના સાથીદારો નહાવા પડયા. નહાતા નહાતા રમતે ચડી ગયા. તેમાં થોડા આઘા નીકળી ગયા. ઘણીવારે બહાર નીકળ્યા ત્યાં ઘોડા ગાયબ હતા. હમીરજીએ પોતાના માણસોને પડખેના ડુંગર પર નજર દોડાવવા મોકલ્યા. માણસોએ આવીને ખબર દીધાકે થોડે દુર કોઈ પડાવ છે અને ત્યાં ઘોડા હણહણે છે. સૌ પછેડીભર ભીલોના પડાવ સુધી આવ્યા. વેગડો ભીલ આગળ આવ્યો. ઓળખાણ પુછી કે હમીરજી ગોહીલ તમે પોતે ? તમારી તો વાટ જોઈ રહ્યા છીએ અમે. હમીરજીએ પુછ્યુકે, તમે કોણ ? સામે જવાબ મળ્યો કે, વેગડો ભીલ. તેથી હમીરજી બોલ્યા, ઓ હો હો, વેગડો ભીલ, ગિરનો સાવઝ, ભારે કામ થયુ. સોમનાથની સખાતે જતા તમારો મેળાપ થયો.

વેગડાએ આગ્રહ કરીને હમીરજીને સાથીઓ સાથે બે દિવસ મહેમાનગતિ કરવા રોક્યા. તે દરમિયાન ખાનગીમાં રાજબાઈને હમીરજી વિશે વાત કરી અને તેમને ગમે તો હમીરજી સાથે લગ્ન કરાવી આપવા કહ્યુ. આમ જેઠવા કુળની સ્વરૂપવાન કન્યાને મોઢે શરમનાં શેરડા પડ્યા. મુંગા મોઢે સંમતિ આપી. વેગડાએ હમીરજીને વાત કરી. હમીરજીની સંમતિ મળી ગઈ. પણ વાત એમ હતી કે તેમની સાથેના બસ્સો જેટલા સાથીઓ પણ હમીરજી પરણે ત્યારે જ પરણવાના નીમ લીધા હતા તેથી ભીલોની કન્યા સાથે તેમના પણ લગ્ન ગોઠવવામાં આવ્યા. આમ ગિરમાં ભીલપુત્રીઓ સાથે બસ્સો રાજપુત અને રાજબાઈ સાથે હમીરજીના સમુહ લગ્ન ઉજવાણા. ઢોલ અને શરણાઈ ગહેંકી ઊઠયા, મોતને માંડવે પોંખાવા જતા યુવકોએ હર્ષોલ્લાસથી ગિરને ગાંડી કરી મુકી. અને આમ હમીરજીના લગ્ન સોમનાથની સખાતે જતા રસ્તામાં પોતાના કોઈપણ કુંટુંબીજનોની હાજરી વગર થયા હતા જેનો ઈતિહાસ સાક્ષી પુરે છે.

સોમનાથ મંદીરનાં પ્રાંગણમાં ધમસાણ યુધ્ધ:

આમ ગિરનાં જંગલમાં લગ્ન થયાને બીજે જ દિવસે સોમનાથનો મારગ પકડ્યો. તેમની સાથે વેગડાજી અને તેમના સાથી ભીલોએ પણ પ્રયાણ કર્યુ. હમીરજીની સાથે અરઠીલાથી સાથે આવેલ માણસુર ગઢવી પણ કુબે, ટીંબે, ને ગામડે વસતીને ભલકારા દેતો ફરી રહ્યો છે. રાજપુત, કાઠી, આહીર, મેર, ભરવાડ અને રબારી જેવી જ્ઞાતિઓના જુવાનોને સોમનાથની સખાતે સાથે આવવા તૈયાર કરી રહ્યા છે. આમ રસ્તામાંથી જેટલા યોધ્ધાઓ મળ્યા તેને સાથે લઈને સોમનાથ પહોંચી ગયા છે.

વેગડાજીએ એના જાસુસો મારફત ઝફરખાનની ફોજના સમાચાર મેળવે છે. બાદશાહની ફોજ સોરઠના સીમાડા દબાવતી ચાલી આવે છે. રાજાઓ અને ઠાકોરોને દંડતો આવે છે. તેમની સેનાને રોકનારૂ કોઈ નથી નીકળ્યુ. જયારે આ બાજુ હમીરજી, વેગડાજી અને બીજા શુરવીરો સોમનાથના પ્રાંગણમાં વાટ જોઈ રહ્યા છે. પુજારીઓ અને પ્રભાસના નગરજનો સાબદા બનીને ઊભા છે. ઝફરખાનને રોકટોક સોમનાથને રોળી નાખવુ હતું. તેને સમાચાર મળેલા કે કો’ક રડ્યા ખડ્યા માંથા ફરેલા સામનો કરશે. એમ વેગડાજીનો પ્રથમ પડાવ સોમનાથના મંદીરની બહાર રહેલો. પ્રભાસ અને સોમનાથ હમીરજીએ સંભાળેલા. વિજયના કેફમાં મદમસ્ત બનેલો ઝફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવી પહોંચયો. વેગડાજીના ભીલોના તાતા તીરોએ બાદશાહી ફોજના સામૈયા કર્યા. બળુકા હાથમાંથી છુટતા બાણ મુસ્લિમ સેનાને ત્રાહિમામ પોકરાવી રહ્યા છે. એક બાજુ દેવાલયને તોડવાનુ પ્રબળ ઝનુન છે, તો બીજી તરફ મંદીરને બચાવવાની અજબ જિજિવિષા છે. હાથી પર બેઠેલા ઝફરખાને સૈન્યનો સંહાર થતો નિહાળી તોપો આગળ કરવાનો હુકમ છોડયો.

તે સમયે ભીલ બાણાવળીઓ ઝફરખાનનો ઈરાદો પામી ગયા. સોમનાથને ફરતી ગીચ ઝાડીમાં વ્રૂક્ષોમાં સંતાઈને બાણવર્ષા તેમણે શરૂ કરી. સુબાના તોપચીઓ તોપ માથે ચિત્કાર કરીને ઢળવા માંડયા. ઝફર વધારે રોષે ભરાયો હતો. તોપચીઓ મરતા બીજી હરોળ આગળ કરી. ભીલ સૈનિકોની સંખ્યા ઓછી થવા લાગી. અને બધા ભીલ વીરો તલવાર અને ભાલા લઈને સામા દોડી ગયાં એ સમયે હાથી પર રહેલ ઝફરખાન અને વેગડાજી બંન્નેની નજર મળે છે અને ઝફરખાને એક સરદારને હાથી સાથે વેગડાજીને મારવા કે યુદ્ધ કરવા માટે આગળ મોકલ્યો. એ સરદારના હાથીએ સુંઢથી ઝાલીને વેગડાજીને હવામાં ફંગોળ્યા પણ વેગડાજી ગજબની સમયસૂચકતા બતાવી.તેમણે તેમના હાથની તલવાર એટલા જોશભેર ફેંકી કે પકડવા આવેલા સરદારનું માથું ધડથી અલગ થઈ ગયું અને તેઓ મુસ્લિમ સૈનિકોના લાશના ઢગલામાં જોરથી પછડાયા અને આજ અખાત્રીજના દિવસે વેગડાજી અને તેમની સાથેના ભીલ સૈનિકો સોમનાથની સખાતે પ્રથમ વીરગતિ પામ્યાં.

સોમનાથ પ્રાંગણમાં આજે પણ ભીલ કોળી સમાજના બંધુઓ ભેગા થાય છે શ્રી વેગડા દાદાને નૈવેધ ધરાવે છે અને સોમનાથ દાદા પ્રત્યે શ્રધ્ધા વ્યક્ત કરે છે.

જય સોમનાથ દાદા🙏 જય વેગડાજી દાદા

Address

Varacha Surat
Surat
295006

Alerts

Be the first to know and let us send you an email when All Koli Samaj of India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share