ManoDarpan

ManoDarpan મનોવિજ્ઞાન અને માનસિક સ્વાસ્થ્ય માટે અમારા લેખ વાંચતા રહો, અમારો એકમાત્ર હેતુ લોકજાગૃતિ છે.

*ધોરણ 10 અને 12 ના પરિણામ પછી શું?*વ્હાલા વિધાર્થી મિત્રો ધોરણ 10 અને 12ના પરિણામો આવ્યા છે. જેને સફળતા મળી છે તેમને અભિ...
05/05/2025

*ધોરણ 10 અને 12 ના પરિણામ પછી શું?*
વ્હાલા વિધાર્થી મિત્રો ધોરણ 10 અને 12ના પરિણામો આવ્યા છે. જેને સફળતા મળી છે તેમને અભિનંદન, જેમને અપેક્ષિત સફળતા નથી મળી તેમને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર એક પરિણામ તમારું ભવિષ્ય નક્કી કરતું નથી. હા પરંતુ આપની ધારી સફળતા નહી મળવા પાછળના પરિબળોનું વિશ્લેષણ કરવું જોઈએ. જે પરિબળો આપણા હાથ માં નથી તેના વિશે ન વિચારવું જોઈએ. આગળના શૈક્ષણીક જીવન માટે રસરુચિ અને અભિયોગ્યતાને ધ્યાનમાં રાખવા જોઈએ. જરુર જણાય તો કારકિર્દી માગૅદશૅક અથવા મનોવૈજ્ઞાનિક પાસે સલાહ લેવી જોઈએ. દરેક વ્યક્તિ પાસે કોઈ ને કોઈ વિશેષ ક્ષમતા રહેલી હોય છે. આ ક્ષમતાને ઓળખી તેને તીક્ષ્ણ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 'હવે પછી શું?' નોજ વિચાર કરવો જોઇએ.

*વાલી અને પરીવારની વિશેષ જવાબદારી*
જ્યારે બાળકનું પરિણામ આવે છે ત્યારે તેના સારા પરિણામ થી વધુ ઉત્સાહિત પણ ન થવું જોઈએ. જ્યારે નબળા પરિણામ થી વધુ નકારત્મક પણ ન થવું જોઈએ. કારણકે આ બંને નુકશાન કારક હોય શકે છે. જયારે વધુ ઉત્સાહ થી વિધાર્થી બેફિકર અને નકારત્મક ટિપ્પણીઓ થી હતાશ અને નિરુત્સાહી બની શકે છે. આથી વાલી એ બાળકોનું યોગ્ય સલાહ કાર્ય કરવું જોઈએ. તેમને માર્યાદિત રાજીપા સાથે આગળની કારકિર્દી માટે ગંભીરતા સાથે માગૅદશૅન આપવું જોઈએ. જરુર જણાય તો વ્યવસાયિક માગૅદશૅન પણ મેળવવું જોઈએ.

આપણે એવા ઘણા કિસ્સાઓ જોઈએ છીએ કે બોર્ડની પરિક્ષામાં ખૂબ સારું પરિણામ ધરાવતું બાળક આગળની શૈક્ષણીક અને વ્યવસાયિક કારકિર્દીમાં નિષ્ફળ ગયો હોય, જ્યારે બોર્ડ માં નિષ્ફળ વ્યકિત આગળના જીવન માં ખુબજ સફળતા મેળવી હોય. આનો ટુંકો અર્થ એ છે કે બોર્ડના પરિણામનો પ્રભાવ શૂન્ય છે. લક્ષ્ય કેન્દ્રિત અને મહેનત સાથેની યોગ્યતા જ જીવન માં સાચી સફળતા અપાવે છે. આગળના જીવન માટે સર્વે વિધાર્થી મીત્રોને શુભકામનાઓ.
*ડો. પ્રતીક આચાર્ય*
(લેખકના અંગત વિચારો)

*નવીન માહીતી**શું તમે જાણો છો, ઇવાન પાવલોવના પ્રસિદ્ધ  શાસ્ત્રીય અભીસંધાનના સિદ્ધાંતનો ઉપયોગ દ્વિતીય વિશ્વયુદ્ધમાં થયો હ...
18/03/2025

*નવીન માહીતી*
*શું તમે જાણો છો, ઇવાન પાવલોવના પ્રસિદ્ધ શાસ્ત્રીય અભીસંધાનના સિદ્ધાંતનો ઉપયોગ દ્વિતીય વિશ્વયુદ્ધમાં થયો હતો?*
વાચક મિત્રો, શૈક્ષણીક મનોવિજ્ઞાનમા ખુબજ પ્રસિદ્ધ એવા ઇવાન પાવલોવના શાસ્ત્રીય અભીસંધાનનો ઉપયોગ રશિયન સૈનિકો દ્વારા દ્વિતિય વિશ્વયુધ્ધ માં કરવામાં આવ્યો હતો! થયુ ને આશ્ચર્ય! હવે જાણો આની સંપૂર્ણ વિગત

*પરિચય:* ઇવાન પાવલોવ (Ivan Pavlov) એક પ્રખ્યાત રશિયન ન્યુરોફિઝિયોલોજીસ્ટ હતા, જેમણે શાસ્ત્રીય અભીસંધાન (Classical Conditioning) નો સિદ્ધાંત વિકસાવ્યો હતો. આ સિદ્ધાંત અનુસાર, *કુદરતી(અનઅભીસંધિત) ઉદ્દીપન (Unconditioned Stimulus) અને શીખવાયેલા(અભીસંધિત) ઉદ્દીપન (Conditioned Stimulus) વચ્ચેનું જોડાણ મજબૂત બનાવવાથી વર્તનને નિયંત્રિત કરી શકાય છે.* પાવલોવનો પ્રયોગ પ્રખ્યાત છે, જેમાં કૂતરાને ખોરાક આપતા પહેલાં એક ઘંટડી વાગતી હતી, અને લાંબા ગાળે _કૂતરાએ ખોરાક વગર માત્ર ઘંટડીના અવાજથી લાળ કાઢવી શરૂ કરી હતી._

*દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન શાસ્ત્રીય અભીસંધાનનો ઉપયોગ:* દ્વિતીય વિશ્વયુદ્ધ (WWII) દરમ્યાન, રશિયન સૈનિકોએ પાવલોવના સિદ્ધાંતનો ઉપયોગ કરીને _*નાઝી જર્મનીની ટેન્કો વિરુદ્ધ એક અસામાન્ય વ્યૂહરચના અપનાવી.*_ રશિયન લશ્કર દ્વારા *"વિસ્ફોટક કૂતરા" (Explosive Dogs)* નો ઉપયોગ થયો, જેમાં કૂતરાઓને શાસ્ત્રીય અભીસંધાન દ્વારા તાલીમ આપવામાં આવતી હતી.

*પ્રક્રિયા:*
*1. તાલીમ :* કૂતરાઓને તેમના ભોજન માટે ટેન્કોની નીચે જવાની તાલીમ આપવામાં આવી. તેઓએ શીખ્યું કે ટેન્કની નીચે જવાથી તેમને ખોરાક મળે છે. શરુઆતી તબક્કામાં ખાલી ટેન્કોનો ઉપયોગ કરાયો હતો.
*2. વિસ્ફોટક જોડાણ:* કૂતરાઓના શરીર ઉપર વિસ્ફોટક બેલ્ટ બાંધવામાં આવ્યા, જેમ કૂતરો ટેન્કની નીચે પહોંચતો, વિસ્ફોટક સક્રિય કરવામાં આવતો હતો.
*3. મહત્વપૂર્ણ યુદ્ધક્ષેત્ર મા ઉપયોગ:* વર્ષ 1941-42 દરમિયાન, જ્યારે રશિયન સેના નાઝી સૈનિકો સામે લડત આપતી હતી, ત્યારે આ કૂતરાઓનો ઉપયોગ જર્મન ટેન્કોને ધ્વસ્ત કરવા માટે થયો હતો. આ વ્યૂહરચનો ઉપયોગ ખાસ કરીને *મોસ્કોની લડાઈ અને સ્ટાલિનગ્રાડની લડાઈ માં કરવામાં આવ્યો હતો.*
*ઉપયોગની સિમાઓ અને સમસ્યાઓ:* ઘણીવાર કૂતરાઓ ભયભીત થઈ જતા અને પોતાની રશિયન શિબિરમાં જ પાછા ફરી જતા હતા, જેનાથી રશિયન સૈનિકોને પણ નુકસાન થયું હતુ. ક્યારેક કૂતરાઓ જર્મન ટેન્કો ને બદલે રશિયન ટેન્કોની નીચે જઈને વિસ્ફોટ કરતા હતા. _નાઝી સૈનિકોએ ટૂંક સમયમાં કૂતરાઓ પર ગોળી ચલાવવાનું શરૂ કર્યું, જેના કારણે આ વ્યૂહરચનાની અસર ઓછી થઈ ગઈ હતી._
*ઉપસંહાર:* શાસ્ત્રીય અભીસંધાનનું આ *અનોખું અને વિવાદાસ્પદ* ઉદાહરણ દ્વિતિય યુદ્ધમાં માનવ સ્રોતોના અભાવ વચ્ચે એક જટિલ વ્યૂહરચના તરીકે ઉપયોગમાં લેવાયું હતું. જો કે, આ પદ્ધતિ હંમેશા સફળ રહી નહોતી, અને એનો *નૈતિક (Ethical) અને વ્યવહારિક (Practical)* મુદ્દા ઉપર પણ ઘણો વિરોધ થયો હતો. તેમ છતાં, ઇવાન પાવલોવની શોધ *માત્ર પ્રયોગશાળાની હદમાં સીમિત ન રહી, પણ યુદ્ધક્ષેત્ર સુધી પણ પહોંચીને અસરો પેદા કરી શકી, એ તે સમયે ખૂબ મોટી વાત ગણવામાં આવી હતી.*
_*ડો. પ્રતીક આચાર્ય*_

https://t.me/manodarpan/491વ્હાલા વાચક મિત્રો, આપની આતુરતાનો હવે અંત આવ્યો છે. મનોદર્પણ ઈ- મેગેઝીનનો બીજો અંક પ્રસિદ્ધ થ...
17/03/2025

https://t.me/manodarpan/491
વ્હાલા વાચક મિત્રો, આપની આતુરતાનો હવે અંત આવ્યો છે. મનોદર્પણ ઈ- મેગેઝીનનો બીજો અંક પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે. આપના ફિડબેક આવકાર્ય છે. 7043672002 ઉપર વ્હોટ્સ અપ કરી ફિડબેક આપશો _પ્રકાશક

14/03/2025

अपनी मंज़िल, अपनी दौड़

ना किसी से ईर्ष्या, ना किसी से होड़,
सपनों की राह पर चलती मे, जोश है भरपूर।

अपनी मंज़िल, अपना है रास्ता,
हर कदम पर बस हौसला वास्ता।

गिरूँ तो खुद ही उठ जाऊँ,
रुके बिना आगे बढ़ जाऊँ।

मंज़िल मेरी, सफर भी मेरा,
खुद से ही हर दिन बेहतर रहना।

ना रुकूंगी, ना झुकूंगी,
सपनों के सूरज संग चमकूंगी!

दुनिया की शोर में गुम ना हो जाऊँ,
अपने हौसले से राह बनाऊँ।

हर मुश्किल को हंसकर हराऊँ,
अपने हौसले से जीत दिखाऊँ।

खुद से ही मेरी सच्ची होड़,
हर दिन बेहतर, हर दिन आगे की दौड़!

"बस अपनी मंज़िल की ओर आत्मविश्वास से बढ़ते रहना ही सच्ची सफलता है!"

प्यारी बेटियों के लिए
प्रतीक आचार्य

11/03/2025

શું મનોવિશ્લેષણવાદ ના પિતા ડો. સિગ્મંડ ફ્રોઈડ એ આત્મહત્યા કરી હતી?
(જવાબ કૉમેન્ટ બોક્ષ માં વાંચો)

10/03/2025

વ્હાલા મિત્રો
આપણે ઓપન સાયકો ફાઇન્ડર સેક્શન ની શરુઆત કરી રહ્યા છીએ, આપ અમને મનોવિજ્ઞાન અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્ન પૂછો, અમે બે દિવસ માં તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.
_પ્રકાશક
વ્હોટ્સ અપ
070436 72002

*સેક્સ ન મળતા ગસ્સો કે આક્રમકતા વધે છે?*આપણા સમાજમાં એક વાત ખુબજ પ્રચલિત છે, જ્યારે કોઈ વ્યક્તિમાં આક્રમકતા કે ગુસ્સો વધ...
10/03/2025

*સેક્સ ન મળતા ગસ્સો કે આક્રમકતા વધે છે?*

આપણા સમાજમાં એક વાત ખુબજ પ્રચલિત છે, જ્યારે કોઈ વ્યક્તિમાં આક્રમકતા કે ગુસ્સો વધુ પ્રમાણ માં જોવા મળે ત્યારે વડીલો કહે કે "આના લગ્ન કરાવી દો, શાંત થઈ જશે!" પરંતુ મનોવૈજ્ઞાનીક રીતે જ્યારે આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ તો સંદર્ભગ્રંથો અને સંશોધનોના નિષ્કર્ષ મુજબ માણસના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સેક્સ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. *તે માત્ર શારીરિક તૃપ્તિ માટે જ નહીં, પણ હોર્મોન્સનું સંતુલન જાળવી રાખવા, તણાવ ઘટાડવા અને મનોવૈજ્ઞાનીક શાંતિ મેળવવા માટે પણ જરૂરી છે.* ઘણા લોકો માનતા હોય છે કે જો સેક્સ ન મળે તો ગસ્સો (ક્લેશ), આક્રમકતા કે ચીડિયાપણું વધે છે. એ માન્યતા કેટલેક અંશે સાચી છે, પણ દરેક માટે નહીં.

*મનોવિજ્ઞાન શું કહે છે?*
સેક્સ કે શારીરિક સંબંધોની ક્રિયાઓ દરમિયાન શરીરમાં કેટલીક રસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તેમાં મુખ્યત્વે ડોપામિન, ઓક્સિટોસિન અને એન્ડોરફિન્સ નામના હોર્મોન્સ છૂટે છે, જે વ્યક્તિને શાંતિ અને આનંદ નો અનુભવ કરાવી શકે છે. જ્યારે લાંબા સમય સુધી સેક્સ ન મળે અથવા શારીરિક સંબંધ (ઇન્ટિમસી) ના થાય, ત્યારે *ડોપામિનનું સ્તર ઘટી જાય અને વ્યક્તિને તણાવ, ચીડિયાપણું અને કેટલીકવાર ગુસ્સો વધુ આવવા લાગે.*

*સેક્સ ન મળતા મનોવૈજ્ઞાનીક અસર કેવી થઈ શકે?*
*1. સ્ટ્રેસ અને ચીડિયાપણું:* સેક્સ તણાવ ઘટાડવામાં મદદ કરે છે, અને જો લાંબા સમય સુધી સેક્સ ન થાય તો માણસ હળવો થવાને બદલે વધારે ચીડિયો થઈ શકે છે.
*2. સોશિયલ ઇન્ટરએક્શન પર અસર:* સેક્સને માત્ર શારીરિક જરૂરિયાત તરીકે નહીં, પણ સંબંધોની ઘનિષ્ઠતા માટે પણ જોવામાં આવે છે. જો પાર્ટનર વચ્ચે શારીરિક દૂરી વધે, તો તેમની વચ્ચે મનમેળ ઓછો થઈ શકે છે.
*3. હોર્મોનલ અસંતુલન:* પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીઓમાં એસ્ટ્રોજન-પ્રોજેસ્ટેરોનનું સંતુલન બદલાય છે, જે મિજાજમાં ઉતાર-ચઢાવ લાવી શકે છે.
*4. આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્ય:* ઘણા લોકો માટે સેક્સ આકર્ષણ અને આત્મવિશ્વાસ સાથે જોડાયેલું છે. જો કોઈને લાગે કે તેઓના જીવનસાથી કે પાર્ટનર તેમને ઇગ્નોર (બેધ્યાન) કરે છે, તો તે ગુસ્સાને અને ભયજનક આક્રમકતાને જન્મ આપી શકે છે.

*આક્રમકતા માટે માત્ર સેક્સ જવાબદાર છે?*
બિલકુલ નહી, દરેક વ્યક્તિ માટે આકસ્મિક તણાવ કે ગુસ્સો માત્ર સેક્સના અભાવના કારણે નથી થતો. તે *વ્યક્તિના સ્વભાવ, જીવનશૈલી, તણાવનું સ્તર અને અન્ય પરિસ્થિતિઓ પર પણ આધાર રાખે છે.* જેમ કે:
*વર્તમાન તણાવ:* નોકરી, નાણાંકીય સમસ્યાઓ, સંબંધમાં મતભેદ વગેરે પણ ગુસ્સાનું કારણ બની શકે.
*શારીરિક આરોગ્ય:* જો વ્યક્તિની ઊંઘ ન પૂરી થઈ રહી હોય કે તે વ્યાયામ ન કરતો હોય, તો પણ ચીડિયાપણું વધે.
*વિચાર અને માનસિકતા:* કોઈ વ્યક્તિઓ માટે સેક્સ એટલો મહત્વનો મુદ્દો ન હોય, અને તેઓ તેના વિના પણ શાંતિપૂર્વક રહી શકે છે.

*સમાધાન શું છે?*
*તમારા પાર્ટનર સાથે ખુલ્લા મને વાતચીત કરો:* ખુલ્લા મનથી વાતચીત કરવાથી સેકસ માટેના પરસ્પરના અવરોધો દૂર થાય છે.
*સેક્સમાં આજ્ઞાપાલન નહીં, પ્રેમ પર આધાર રાખો:* સંબંધમાં સેક્સ મજબૂરી નહીં, પણ પ્રેમ અને સમજૂતી પર આધાર રાખવો જોઈએ.
*સ્વાસ્થ્યની કાળજી લો:* તણાવ ઘટાડવા માટે ધ્યાન (મેડિટેશન), વ્યાયામ અને હેલ્ધી ડાયટ અપનાવો.
*સેક્સ સિવાયના આનંદ શોધો:*.મનોરંજક પ્રવૃત્તિઓ, મિત્રો સાથે સમય વિતાવવો, મુસાફરી, કલા કે સંગીત પણ આનંદ આપી શકે.

*નિષ્કર્ષ:* સેક્સ ન મળતા ગસ્સો કે આક્રમકતા વધે છે, એ અમુક લોકો માટે સાચું હોઈ શકે, પણ હંમેશા એ જ સત્ય નથી. તે વ્યક્તિના જીવનમાં અન્ય પરિબળો પર પણ આધાર રાખે છે. જો તમારામાં આ પ્રકારના બદલાવ અનુભવાતા હોય, તો તણાવ ઘટાડવાના બીજા રસ્તાઓ શોધો અને સંબંધો સુમેળભર્યા રાખવા માટે પારસ્પરિક સમજૂતી અને પ્રેમ વધારવાનો પ્રયત્ન કરો.
*ડો. પ્રતીક આચાર્ય*

Coming soon..
08/03/2025

Coming soon..

Address

Surendranagar District
363001

Alerts

Be the first to know and let us send you an email when ManoDarpan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ManoDarpan:

Share

Category