CMGM News TV

CMGM News TV CMGM NEWS MEDIA NETWORK PVT LTD. IS GOVERNMENT REGISTERED NEWS CHANNEL, H. O IS IN SURAT GUJARAT

RIPવિશ્વાસ બારીસ CMGM NEWS Directorઅંજલી અર્પણ કરીએ તો આંસુ સારે છે, તસ્વિર તમારી જોતા હૈયુ રડે છે.દરીયા જેવું નિખાલસ હદ...
14/01/2025

RIP
વિશ્વાસ બારીસ CMGM NEWS Director
અંજલી અર્પણ કરીએ તો આંસુ સારે છે,
તસ્વિર તમારી જોતા હૈયુ રડે છે.
દરીયા જેવું નિખાલસ હદય,
કુટુંબ સાથેનો આપનો અતુટ નાતો કાયમી સંભારણું બની રહેશે.

🙏ઈશ્વર તમારા દિવ્ય આત્માને શાંતી આપે એજ પ્રાર્થના🙏

12/01/2025
12/01/2025

केजरीवाल सत्ता के नशे में डूब गया।

केजरीवाल पैसे के नशे में डूब गया।

केजरीवाल शराब के नशे में डूब गया।

जब केजरीवाल मेरे साथ था मैं उसको कई सालों से कह रहा था आचार शुद्ध रखो, विचार शुद्ध रखो, लेकिन शराब के पैसे से नशे में डूब गया।

: अन्ना हजारे, समाजसेवी

12/01/2025

જાહેરમાં સ્ટેજ ઉપર તલવારો ફેરવતા ઈસમોની વાયરલ થયેલ વીડીયો આધારે ઓળખ કરી ગુનામા વાપરેલ હથીયાર તલવાર સાથે ઝડપી પાડતી રામોલ પોલીસ ગુનામા વાપરેલ હથીયાર તલવાર સાથે ચાર ઈસમો ઝડપાયા









12/01/2025

સિંગણપોર ડભોલી પોલીસે નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓને પકડ્યા છે અને ચોરાયેલા વાહનોને પણ જપ્ત કર્યા છે.

12/01/2025

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર નજીક હઝરત બાવાગોરની ૮૦૦ વર્ષ જુની દરગાહના વાર્ષિક ઉર્સની આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી. રજબ મહિનાના ઉર્સ પૂર્વે સંદલ ચઢાવવાની પરંપરાગત વિધિ પૂરી કરવામાં આવી હતી. મેળામાં સ્ટોલ અને દર્શનાર્થીઓની ભીડ વચ્ચે રાજપારડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. દરગાહે દરરોજ અને ખાસ કરીને ગુરૂવાર-રવિવારે મોટી સંખ્યામાં ભક્તોને આકર્ષે છે.

12/01/2025

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા પ્રાથમિક શાળા ખાતે અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલ ઝઘડિયાના સહયોગથી આંખ તપાસ અને નિદાન કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં માંડવા, અંદાડા, જુના કાંસિયા, નવા કાંસિયા અને આજુબાજુના ગામોના કુલ ૩૩૧ લાભાર્થીઓએ ભાગ લઈને લાભ લીધો હતો. જરૂરીયાતમંદ લોકોને મફત ઓપરેશન માટે ઝઘડિયા ખાતે આવેલી સેવા રૂરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, ૨૪૭ લાભાર્થીઓને મફત નંબરવાળા ચશ્માં આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમને આંખના દર્દ માટે જરૂરિયાતમંદ દવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કેમ્પનો હેતુ સમાજના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો હતો.

અતુલ ફાઉન્ડેશન, જે એક સામાજિક સેવા સંસ્થા છે, અને સેવા રૂરલની અનુભવી તબીબોની ટીમે આ સેવાઓ પૂરી પાડી હતી. કેમ્પમાં અતુલ ફાઉન્ડેશન તરફથી સલીમ કડીવાલા અને અતુલ કંપનીમાંથી દિવ્યકાન્ત જોગ તથા નટુભાઈ પટેલ હાજર રહ્યા હતા.

ગામના આગેવાન સરપંચે અતુલ કંપનીના અધિકારીઓને આ પ્રકારની સેવા માટે ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

11/01/2025
11/01/2025

ઝઘડિયા તાલુકાના ખરચી ગામ નજીક ટ્રકની અડફેટે આઠ વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

સબહેડિંગ:
ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતોને લઇને તાલુકાના માર્ગો અકસ્માત ઝોન બન્યા

આરંભ:
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે.

વિગતવાર:
ઉપરાંત જીઆઇડીસી વિસ્તાર સહિતના અન્ય ગ્રામ્ય માર્ગો પણ વધતા જતા અકસ્માતોને લઇને અકસ્માત ઝોન બન્યા છે.

ઘટનાસ્થળ પર:
આજરોજ અંકલેશ્વર-ઝઘડિયા વચ્ચે ધોરીમાર્ગ પર ખરચી ગામ નજીક એક ટ્રકની અડફેટે આઠ વર્ષીય બાળકનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી:
ખરચી ભિલવાડા ગામના જયંતીભાઇ બચુભાઈ વસાવાનો આઠ વર્ષીય પુત્ર ઓમકુમાર રોડ ઓળંગતો હતો તે દરમિયાન પુરઝડપે આવી રહેલ ટ્રકના ચાલકે ઓમકુમારને અડફેટમાં લેતા તેનું માથું તથા હાથ પગ છુંદાઇ જતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.

આગળની કાર્યવાહી:
અકસ્માત બાદ ટ્રક ચાલક તેનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો.

ફરિયાદ નોંધ:
મૃતકના પિતા જયંતીભાઇ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પ્રતિસાદ:
તાલુકામાં બેફામ દોડતા મોટાં વાહનોને કારણે અકસ્માતો વધી રહ્યા છે.

લોકોની માંગ:
નિયમ ભંગ કરી દોડતા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

11/01/2025

ઝઘડિયાના નવ નિયુક્ત એએસપી દ્વારા રાણીપુરા ગામે વિલેજ વિઝીટ, રાણીપુરા ગામની પ્રાથમિક શાળા મધ્યાન ભોજન રસોડું તથા કેજીબીવીની મુલાકાત લીધી, વિલેજ વિઝીટ દરમિયાન ગ્રામજનોને પડતી સમસ્યાઓ તથા તેમના પ્રશ્નો બાબતે વિસ્તૃતમાં ચર્ચા કરી...

ભરૂચના ઝઘડિયા ખાતે ટૂંક સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ઝઘડિયામાં એએસપી ની પોસ્ટની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં ઝઘડિયાના એએસપી તરીકે અજય કુમાર મીણાની નિમણૂક કરવામાં આવી હતી, નવનિયુક્ત એએસપી અજય કુમાર મીણા દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ખાતે તેમની વિલેજ વિઝીટ કરી હતી, વીજીટ દરમ્યાન એએસપી દ્વારા ઉપસ્થિત સરપંચ મીનાબેન વસાવા, ઉપસરપંચ મનોજભાઈ દેસાઈ, તાલુકા પંચાયત સદસ્ય વિશાલ પટેલ, ગામ આગેવાનો તથા ગ્રામજનો સાથે તેમને પડતી સમસ્યાઓ બાબતે પૂછપરછ કરી હતી અને તેમને પોલીસ તરફથી કોઈ સમસ્યા હોય તો જણાવવા કહ્યું હતું,

ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ, ચોરીની ઘટનાઓ, કોઈ માથાભારે ઈસમો દ્વારા હેરાનગતિ બાબતે પૂછપરછ કરી હતી અને જો આવી કોઈ સમસ્યા હોય તો તુરંત ઝઘડિયા પોલીસ મથકનો અથવા તેમનો પોતાનો સંપર્ક કરવા જણાવ્યું હતું, એએસપી અજય કુમાર મીણાની રાણીપુરા વિલેજ વિઝીટ દરમિયાન તેઓએ રાણીપુરા પ્રાથમિક શાળામાં આવેલ મધ્યહાન ભોજન રસોડાની મુલાકાત લઈ સંચાલન બાબતે ચર્ચા કરી તથા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી, આ ઉપરાંત રાણીપુરા ગામ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલવિદ્યા મંદિર (કેજીબીવી) ની પણ તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને કેજીબીવી નું સંચાલન કેવી રીતે થાય છે, સંચાલન દરમિયાન કોઈ સમસ્યાઓ બાબતે પૂછપરછ આદરી હતી તથા બાળકીઓની સુરક્ષા બાબતે ના પાસાઓ ચકાસ્યા હતા અને કઈ પણ સમસ્યા હોય તો તુરંત ઝઘડિયા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

Headline

Address


Alerts

Be the first to know and let us send you an email when CMGM News TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to CMGM News TV:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share