Navpravah Gujarat

Navpravah Gujarat Navpravah Gujarat

'अफ़वाह नहीं, सिर्फ़ खबरें'

07/11/2025

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી શકે છે ?

06/11/2025

શિનોર ખાતે કારતક સુદ પૂર્ણિમા નિમિત્તે શિનોર બસસ્ટેન્ડ નજીક આવેલા ભગવાન શ્રી રણછોડરાયજી ના મંદિર ખાતે શ્રી તુલસી વિવાહ નો કાર્યક્રમ યોજાયો હતો..

શિનોરના રણછોડરાય મંદિર ખાતે યોજાયેલા શ્રી તુલસીવિવાહ કાર્યક્રમ નિમિત્તે,બપોરના અઢી કલાકે બેન્ડવાજા સાથે,વર્ષ પક્ષના યજમાન રમેશચંદ્ર પાટડીયા ના ઘરે થી ભગવાન નો વરઘોડો નીકળ્યો હતો..વાજતે ગાજતે નીકળેલો આ વરઘોડો ભગવાન રણછોડરાયજી ના મંદિરે પહોંચ્યા બાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રી તુલસીવિવાહ વિધિ સંપન્ન કરાઇ હતી..
શ્રી તુલસીવિવાહ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ,તુલસી વિવાહ માં સહભાગી બની મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી..

બાઇટ :-- નિલેશ પંડ્યા.. ભૂદેવ શિનોર

રિપોર્ટર:- નરેન્દ્ર વાળંદ
(શિનોર સાધલી)

06/11/2025

સિનોર તાલુકામાં ખેડૂત ની જમીન પચાવી પાડતા પરપ્રાંતિય ભુ માફિયા.....
અરજદારે આનંદી ગામની સીમમાં આવેલ ખેતી ખાતા નંબર 714 સર્વે બ્લોક નંબર 573 વાળી જમીન પટેલ નાગજીભાઈ પાસેથી રજીસ્ટર વેચાણથી 2020 માં રાખેલ હતી.
ખેડૂતે કોઈપણ ઈસમને આ જમીન ભાડે આપેલ ન હતી કે કોઈપણ જાતનો બાંધકામ કરવા પરવાનગી પણ આપેલ ન હતી તેમ છતાં પરપ્રાંતિય ભુ માફિયા.

06/11/2025

ભારત પર્વ: એકતા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનું ઉજવણીમંચ

ગોવાની નાળિયેર કાછલી હસ્તકલા બની ભારત પર્વમાં આકર્ષણનું કેન્દ્ર

સમુદ્ર અને નાળિયેરની હેન્ડીક્રાફ્ટ મારી ઓળખ બની છે: હસ્તકલાકાર વિજયદત્તા લોટલીકર

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંદેશ સાથે ગોવાની ગુંજ સંભળાઈ ભારત પર્વમાં

*એકતા નગરનું ભારત પર્વ બન્યું સાંસ્કૃતિક એકતા અને કળાની ઉજવણીનું પ્રતિક

ભારત પર્વ, એ ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, કલા, હસ્તકલા અને ઉજાગર કરતો એક મનોરમ અને જીવંત ઉત્સવ ઐતિહાસિક ઉજવણી થઈ રહી છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજ્યંતિના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે સૌ પ્રથમવાર ઉજવાઈ રહેલ ભારત પર્વમાં દરેક પ્રાંત પોતાની વિશિષ્ટ પરંપરા, સ્વાદ, સંગીત અને સર્જનાત્મકતાનો પરિચય આપે છે. ત્યારે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાર્થક કરતા ભારત પર્વમાં ગોવાના હસ્તકલાકારે નાળિયેર કાછલીની હસ્તકલાએ સૌનું ધ્યાન કેન્દ્રિત કરી દરિયાઈ વિસ્તારની ઓળખ બની છે.

ભારત પર્વમાં સહભાગી બનતા હસ્તકલાકાર વિજયદત્તા લોટલીકરે જણાવ્યું, એકતાનગર ખાતે ભારત પર્વમાં ભાગ લેવાનો અવસર મળ્યો છે. અહીં ગુજરાતના લોકો અને પર્યટકોનો પ્રતિસાદ અદભૂત રહ્યો. સૌએ અમારા ઉત્પાદનો પ્રત્યે ભારે રસ દાખવ્યો અને ઘણી ખરીદારી પણ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ‘વોકલ ફોર લોકલ’ અભિયાન થકી સ્વદેશી ઉત્પાદનોને નવું માર્કેટ મળ્યું છે. આ ભારત પર્વથી અમને વૈશ્વિક ઓળખ પણ મળી છે. આવનારા સમયમાં અહીંથી અમારો વ્યવસાય વધુ વિસ્તરશે એવી આશા છે. ભારત પર્વ એ સાચે જ વિવિધતામાં એકતાનું પ્રતિબિંબ છે. જ્યાં દરેક કલા, દરેક બોલી અને પરંપરા સાથે મળી ભારતની એકતા અને સર્જનાત્મકતાની અનોખી ઝલક આપે છે. ભારત પર્વ એ અમારા માટે હસ્તકલાની પરંપરા સાથે રોજગારી અને ગૌરવનું માધ્યમ બની છે. અમારા માટે એક જ મંચ પર ભારતની દરેક કળા જોવી એ પોતે જ એક ઉત્સવ છે એમ તેમણે જણાવ્યું હતું.

વધુમાં શ્રી લોટલીકરે કહ્યું કે, સમુદ્ર અને નાળિયેરની હેન્ડીક્રાફ્ટ મારી ઓળખ બની છે. જ્યાં માટી અને લાકડામાંથી જે કલા રચાય છે, ત્યાં અમે નાળિયેરની કાછલીથી બનેલા આ હસ્તકલા ઉત્પાદનોમાં દીવા, દાગીના, વાસણો, લાઇટ શેડ્સ, જ્વેલરી, ડેકોરેટિવ આર્ટના આર્ટિકલો બનાવીએ છીએ. દરેક કૃતિમાં કારીગરોની સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદના ઝળકતી જોવા મળે છે. સ્થાનિક અને વિદેશી મુલાકાતીઓએ આ કૃતિઓની ખરીદી કરી અને ગોવાની પરંપરાને નજીકથી અનુભવી રહ્યા છે.

દેશના દરિયાઈ વિસ્તારના કલાકારોની કૃતિઓ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ છે, હસ્તકલાકાર પોતાના કૌશલ્યથી રોજગારનું સર્જન કરી રહ્યા છે અને દેશના પ્રત્યેક ખૂણેથી ઉદભવતા સ્વદેશી ઉત્પાદનો આજ વિશ્વભરમાં ભારતની ઓળખ બની રહ્યા છે. આ કલાએ ભારત સાથે વિદેશી બજારોમાં પણ પોતાની માંગ ઊભી કરી છે. અમારી કળા હવે દેશની સીમાઓ પાર કરીને ઇગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિત પરદેશથી કસ્ટમાઇઝ પ્રોડક્ટના ઓર્ડર મળે છે એમ તેઓ ગૌરવથી કહે છે.

વિજયદત્તા લોટલીકરને તેમની સર્જનાત્મક કૃતિઓ માટે વર્ષ ૨૦૧૮માં રાષ્ટ્રીય એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે, જે તેમની મહેનત અને કળા પ્રત્યેની લાગણીનું પ્રતીક છે.

એકતા પર્વ અંતર્ગત આયોજિત આ ઉત્સવ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંદેશને મજબૂત બનાવે છે. અહીંના પ્રદર્શન સ્ટોલો પર વિવિધ રાજ્યોની હસ્તકલા, વાનગીઓ અને લોકકલાઓનો અદ્દભુત સમન્વય જોવા મળે છે.

06/11/2025

नैमिषारण्य क्षेत्र में होने जा रहा है दिव्यऔर भव्य आयोजन आप सभी सादर आमंत्रित हैं

06/11/2025

એકતાનગરના ભારત પર્વમાં સહભાગી થતા ઉત્તરાખંડના મંત્રીશ્રી સતપાલ મહારાજ, રાજયના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને અર્જુનભાઈ મોઢવાડીયા
--
*સ્થાનિકોને રોજગાર અને રોજગારીના નવા અવસર ઉપલબ્ધ થાય તે દિશામાં સરકારશ્રી દ્વારા વિશેષ પ્રયત્નો થઇ રહ્યા છે- ઉત્તરાખંડના મંત્રીશ્રી સતપાલ મહારાજ*
--
*ભારતમાં વિવિધ ભાષા, સંસ્કૃતિ અને પ્રાંતના લોકોમાં વિવિધતામાં એકતાનું અનોખું દ્રષ્ટાંત જોવા મળે છે- મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*
--
*વડાપ્રધાનશ્રીના સહયોગથી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા બનાવી રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છ- મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા*
--
રાજપીપલા,બુધવાર:- લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જ્યંતિ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા "એક ભારત શ્રેષ્ઠ ભારત"ના મંત્રને ઉજાગર કરતા ભારત પર્વ-૨૦૨૫ની ઐતિહાસિક ઉજવણી થઈ રહી છે. જેમાં ઉત્તરાખંડના પ્રવાસન અને જાહેર બાંધકામ મંત્રીશ્રી સતપાલ મહારાજ,ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને અને ગુજરાત સરકારના વન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહભાગી થયાં હતાં.

આ પ્રસંગે ઉત્તરાખંડના મંત્રીશ્રી સતપાલ મહારાજએ જણાવ્યું હતું કે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે ભારત પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના વિવિધ પ્રાંતોમાંથી લોકો ઉપસ્થિત રહી એકતાનો મહોત્સવ માણી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનને સાકાર કરવા અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે ભારત પર્વમાં ઉત્તરાખંડના ફૂડનો સ્વાદ માણવા સૌને અનુરોધ છે. વધુમાં ઉમેર્યું કે સ્થાનિકોને રોજગાર અને રોજગારીના નવા અવસર ઉપલબ્ધ થાય તે દિશામાં સરકારશ્રી દ્વારા વિશેષ પ્રયત્નો થઇ રહ્યા છે.

આ પ્રસંગે નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારત પર્વની ઉજવણી વર્ષ ૨૦૧૬થી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. પણ આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિને નિમિત્તે ભારત પર્વને વિશિષ્ટ સ્વરૂપ આપવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સપનાને સાકાર બનાવવા સરકારશ્રી દ્વારા અનેક કાર્યો કરવામાં આવી રહ્યાં છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પર્યટન, ઉદ્યોગ, ખેતીવાડી, વિજળી તેમજ આદિજાતિ વનબંધુ કલ્યાણ જેવી અનેક યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકાઈ રહી છે. ભારત એક વિશાળ દેશ છે જ્યાં વિવિધ ભાષા, સંસ્કૃતિ અને પ્રાંતના લોકો રહે છે, છતાં અહીં વિવિધતામાં એકતાનું અનોખું દ્રષ્ટાંત જોવા મળે છે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે એકતાનગર ખાતે તા. ૧૫મી નવેમ્બર સુધી ચાલનાર ભારત પર્વમાં દેશભરના લોકો ઉત્સાહપૂર્વક મુલાકાત લઈ રહ્યા છે અને એકતાના આ મહોત્સવનો આનંદ માણી રહ્યા છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને સહકારથી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા બનાવી રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે, જ્યાં વિશ્વભરના મુલાકાતીઓ એકતાનો અનોખો અનુભવ કરી રહ્યા છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાસે ભારત દર્શન પેવેલિયન ખાતે વિવિધ રાજ્યના બનાવામાં આવેલ પેવેલિયનોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસતા ફૂડ સ્ટોલ અને એક લાઈવ સ્ટુડિયો કિચનની મુલાકાત લઈ ત્યાંની વાનગીઓનો સ્વાદ ચાખ્યો હતો. સાથે-સાથે ભારતના વિવિધ રાજ્યોની ભાતીગળ અને નવીન હસ્તકલા સ્ટોલની મુલાકાત લીધી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ડેમ વ્યુ પોઇન્ટ 1, વેલી ઓફ ફ્લાવર પાસે બનાવેલ સાંસ્કૃતિક મંચ પર ગુજરાત, ઉત્તરાખંડ સહીત વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક નૃત્યને નિહાળ્યું હતું.

આ વેળાએ જિલ્લા કલેકટર શ્રી એસ.કે.મોદી, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષકશ્રી અગ્નિશ્વર વ્યાસ, જિલ્લાના અગ્રણીશ્રીઓ, નાયબ કલેક્ટરશ્રી પ્રોટોકોલ એન.એફ.વસાવા, ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં પર્યટકો ઉપસ્થિત રહ્યાં હતા.

05/11/2025

વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કિન્નર સમાજના સભ્યો દ્વારા ભક્તિભાવ અને આનંદમય માહોલ વચ્ચે **“આનંદ ગરબા મહોત્સવ”**નું અદભુત આયોજન કરવામાં આવ્યું છે.

05/11/2025

દેવ દિવાળી મહાપર્વ નિમિત્તે આજે શહેરમાં ધામધૂમ સાથે તુલસી વિવાહ ઉત્સવ ઉજવાયો. નરસિંહજી મંદિર, માંડવીથી નરસિંહજીની પાલખી તુલસીવાડી ખાતે આવેલી તુલસી માતા મંદિરે વિધિવત રીતે પહોંચતા ભક્તોનો ઉમંગ જોવા મળ્યો. નરસિંહજી અને તુલસી માતાના વિવાહ નિમિત્તે આજનો દિવસ સૌથી મોટી પૂનમ તરીકે મનાવવામાં આવ્યો. પાલખી રૂપે વરઘોડો ધૂળધાણીયા, વાગ્યોની સાથે નીકળ્યો હતો. શહેરના અનેક ભક્તોએ આ ભવ્ય યાત્રામાં ઉમંગપૂર્વક ભાગ લીધો હતો. દેવ દિવાળીના પવિત્ર પ્રસંગે મંદિરોમાં દીપોત્સવ ઉજવાયો અને નરસિંહજી-તુલસીના યુગમ દર્શન માટે ભક્તોનો ઊભો કતારો જોવા મળ્યો.

05/11/2025

સિનોર તાલુકામાં ખેડૂત ની જમીન પચાવી પાડતા પરપ્રાંતિય ભુ માફિયા.....
અરજદારે આનંદી ગામની સીમમાં આવેલ ખેતી ખાતા નંબર 714 સર્વે બ્લોક નંબર 573 વાળી જમીન પટેલ નાગજીભાઈ પાસેથી રજીસ્ટર વેચાણથી 2020 માં રાખેલ હતી.
ખેડૂતે કોઈપણ ઈસમને આ જમીન ભાડે આપેલ ન હતી કે કોઈપણ જાતનો બાંધકામ કરવા પરવાનગી પણ આપેલ ન હતી તેમ છતાં પરપ્રાંતિય ભુ માફિયા. અવતારસિંગ સતનામસિંગ ગીલ અને તેમના બે પુત્રો જીપ્રતસીંગ અવતારસિંગીલ ગુરુ પ્રીત સિંહ અવતારસિંગ ગીલ. ખેડૂત ની જમીન પર બોગસ દસ્તાવેજ ઊભા કરી બોગસ અધિકારીઓની સાથે મળી રૂપિયા ખવડાવી હોટલની પરમિશન તેમજ અન્ય સર્ટીફીકેટો ખોટા ઉભા કરી ગુરુ નાનક હોટલના પરપ્રાંતિય ત્રણ ભુ માફિયાઓએ ખૂબ મોટું જમીન કૌભાંડ કરેલ છે ખેડૂત એમની જગ્યા પર આધાર પુરાવા સાથે જાય છે ત્યારે ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી અને હુમલાઓ પણ કરાવેલ છે ત્યારે સિનોર તાલુકાના અધિકારીઓ શું કરે છે તે એક મોટો સવાલ ઊભો થાય છે તેમજ આ ખેડૂતે સિનોર મામલતદાર સિનોર પોલીસ ડી.વાય.એસ.પી ડભોઈ. વડોદરા ગ્રામ્ય રૂરલ એસ.પી . તેમજ વડોદરા કલેકટર ને લેખિતમાં ફરિયાદ કરેલ છે. એવું ખેડૂતનું કહેવું છે ત્યારે બે મહિનાથી લેન્ડ ગેબીંગ ની ફરિયાદ આપેલ હોવા છતાં એ ફરિયાદ બંધ ફાઇલમાજ છે. તો આ ખેડૂતને લાગતા વળગતા અધિકારીઓ માં વહેલી તકે ન્યાય આપે છે કે પછી પરપ્રાંતિય ભુ માફિયા સાથે મળી ફાઈલ વાઈન્ડ અપ કરે છે વધુ અહેવાલ જોવા માટે બન્યા રહો નવપ્રવાહ ગુજરાત ન્યુઝ સાથે

05/11/2025

દરિયાપુરા ગામ વિકાસથી વંચિત: સ્મશાન તથા સફાઈની સમસ્યા હજી યથાવત*
શિનોર તાલુકાના દરિયાપુરા ગામના ગ્રામજનો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત રહે છે. દેશને સ્વતંત્રતા મળ્યાને દાયકાઓ વીતી ગયા છતાં પણ ગામમાં હિંદુ ધર્મના સ્મશાનની વ્યવસ્થા આજ દિન સુધી થઈ નથી, જેના કારણે અંતિમવિધિ સમયે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

04/11/2025

જરોદ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશ રાજય ખાતેથી શોધી કાઢતી વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ-ફર્લો સ્કવોર્ડ

Address

Navpravah News S. F. 90 Shri Siddheshwar Harbour, Gurukul Crossroads Towards National Highway. . . Nh8. On. . Waghodia/Dabhoi Ring Road. Vadodara. 390025
Vadodara
390035

Alerts

Be the first to know and let us send you an email when Navpravah Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Navpravah Gujarat:

Share