Aware Vadodara

Aware Vadodara ફોલો કરો, લાઈક કરી, શેર કરો

વડોદરાનો હજીરા - કુતુબુદ્દીન મોહમ્મદખાનનો મકબરો, જાણો શું છે ઇતિહાસ....વડોદરાના વૈભવી ઇતિહાસના ખજાનામાં સચવાયેલું એક કિં...
07/05/2025

વડોદરાનો હજીરા - કુતુબુદ્દીન મોહમ્મદખાનનો મકબરો, જાણો શું છે ઇતિહાસ....

વડોદરાના વૈભવી ઇતિહાસના ખજાનામાં સચવાયેલું એક કિંમતી ઘરેણું એટલે કુતુબુદ્દીન મોહમ્મદખાનનો મકબરો. સામાન્ય લોકોમાં ઓછો જાણીતો પણ કલા-ઇતિહાસ રસિયાના હૈયામાં વસેલો મકબરો આજે પણ અડીખમ છે. અને વડોદરાના ભૂતકાળમાં સમાયેલા વૈભવની જુબાની આપી રહ્યો છે. અને એની સામે આવેલ કોયલી વાવનો પણ ઇતિહાસ જોડાયેલો છે, જેમાં ચામડીનો રોગ થયો હોય અને વાવના પાણીથી નાહવામાં આવે તો રોગ મટી જાય છે. એવી માનતા જોડાયેલી છે. જે વિશેની જાણકારી વડોદરાના ઇતિહાસકાર અને આર્ટ કન્ઝર્વેટર ચંદ્રશેખર પાટીલે જણાવી છે.

વડોદરાની દક્ષિણે મકરપુરા જતા માર્ગમાં ડાબી બાજુએ વિશાળ મેદાનની મધ્યમાં આ ઇમારત આવેલી છે. અહીં ક્યારેક દંતેશ્વર ગામનો સીમાડો હતો. આ જ જગ્યાએ આવેલી આ ઇમારત વડોદરાવાસીઓની જીભે હજીરા તરીકે અથવા તો કુતુબુદ્દિન મકબરા તરીકે ઓળખાય છે. હજીરા તરીકે પ્રખ્યાત આ મકબરો કુતુબુદ્દીન મોહમ્મદખાન , જે એક સંત હતા જેમને ઈ.સ. 1583 ના ગુજરાતનાં અંતિમ સુલ્તાન મુજફ્ફર શાહ ત્રીજા દ્વારા મારી નાંખવામાં આવ્યા હતા અને તેઓનાં પુત્ર નૌરંગખાન, જેમણે મુગલ બાદશાહ અક્બરનાં તાબા હેઠળનાં ગુજરાતનમાં મહત્વપૂર્ણ કાર્યાલયોનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓની કબરો છે.

બેવડા ગુંબજવાળા આ મકબરાનું બાંધકામ ઇ.સ. 1586 માં મુગલ સ્થાપત્ય કલા શૈલીમાં થયું હતું તે દિલ્હીનાં હુમાયુનાં મકબરા જેવો દેખાય છે. તેને અષ્ટકોણ આકારનાં ઊંચા ચોતરા ( પ્લેટફોર્મ ) પર રેતાળ પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરીને બાંધવામાં આવ્યો છે. જેની ચારે દિશાઓમાં નાનાં - નાનાં દરવાજા છે, જ્યારે દરેક ખૂણામાં પાંચ - પાંચ કમાનોની વ્યવસ્થા છે. મૂળ કબર ભૂગર્ભ કક્ષમાં છે. જ્યારે તેની પ્રતિકૃતિ કબર ઉપરનાં મુખ્ય કક્ષમાં છે. કક્ષની બારીઓમાં નક્શીદાર જાળીઓ બનાવેલી છે અને તેમાં અરબી ભાષામાં કુરાનની આયાતો કંડારેલી છે. જાણે કે ત્યાં એક બગીચા - સમાધિ હોય તેવું પ્રતીત થાય છે.

છેલ્લા ચાર શતક્થીય વધુ સમયથી અડીખમ ઊભેલી એ ઇમારત પોતાના પ્રત્યેક પથ્થરમાં છેલ્લા ચારસોથી વધુ વરસોના ઇતિહાસને જતનપૂર્વક સંભાળી રહી છે. જમીનથી 12 ફૂટની ઊંચાઇએ અષ્ટકોણ આકૃતિ જેવી આ ભવ્ય ઇમારતમાં મુઘલ સ્થાપત્યનાં તમામ લક્ષણો મોજૂદ છે. અંદર પ્રવેશ કરતા જ આપણી નજર સામે સુંદર બગીચો દૃશ્યમાન થાય છે જે પ્રસિધ્ધ મુઘલ સ્થાપત્ય ‘ ‘ ચારબાગ ’ ’ ને ઉજાગર કરે છે. સમગ્ર બગીચાને વેધતા બે રસ્તાઓ જે વચ્ચે મળે છે તે બાગને ચાર ભાગમાં વિભાજિત કરે છે. આથી તે ચારબાગ કહેવાય છે. હજીરાની ભવ્ય કમાનો હજી પણ અડીખમ ઊભી છે. તો હજીરા કે મક્કામાં આવેલા ગોખલાઓ પણ પોતાના ઘાટ સંભાળી રહયા છે. મુખ્ય ઇમારતની ફરતે વચ્ચે આવેલી પથ્થરની જાળીઓ સફાવી પર્શીયન સ્ટાઇલનો પરિચય કરાવે છે તો ઇમારતની અંદરની અને બહારની બાજુઓ ૫૨ કુરાને શરીફ્ની આયાતો કંડારાયેલી જોવા મળે છે. આ મક્બરાની નીચે એક ભોંયરું હોવાની વાત આપણે ક્યારેક ને ક્યારેક તો વડીલો પાસેથી સાંભળી જ હશે. આ ભોંયરામાં થઇ પાવાગઢ સુધી જવાય છે એવી દંતક્થા પણ પ્રચલિત છે. પરંતુ આ બાબતે કોઇ આધારભૂત પુરાવાઓ મળી આવ્યા નથી.

#વડોદરા

અવિસ્મરણીય વારસો: તાંબેકર વાડો – વડોદરાની હેરિટેજ ઇમારતઐતિહાસિક નગરી, સયાજીનગરી અને સંસ્કારી નગરીની ઓળખ ધરાવતા વડોદરા શહ...
07/05/2025

અવિસ્મરણીય વારસો: તાંબેકર વાડો – વડોદરાની હેરિટેજ ઇમારત

ઐતિહાસિક નગરી, સયાજીનગરી અને સંસ્કારી નગરીની ઓળખ ધરાવતા વડોદરા શહેરમાં કેટલીક હેરિટેજ ઇમારતો આવેલી છે જેમાંની એક પોતાની આગવી ઓળખ ધરાવતી હેરિટેજ ઇમારત એટલે રાવપુરા વિસ્તારમાં આવેલ તાંબેકરવાડો. આ ઇમારત પોતાની આગવી ઓળખ એટલા માટે ધરાવે છે કારણ કે શહેરમાં જેટલી હેરિટેજ ઇમારતો છે અને તેમાંય ભિંતચિત્રો ધરાવતી બે કે ત્રણ ઇમારતો છે તેમાંની આ એક ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર થી ઉપરના બે માળ સુધી અહીં રામાયણ, મહાભારતના કોટા શૈલીના ચિત્રો આજે પણ જોવા મળે છે.

આ વિષે શહેરના જાણીતા આર્ટ કન્ઝર્વેટર અને ઇતિહાસવિદ ચંદ્રશેખર પાટીલે માહિતી આપતા જણાવ્યું કે, આ ઇમારતનો આગળનો ભાગ આર્કિયોલોજીકલ સ્ટ્રક્ચરસ ઓફ ઇન્ડિયા (ASI) ના અધિકાર હેઠળ છે જ્યારે આ ઇમારતનો પાછળનો ભાગ વડોદરા મહાનગરપાલિકાના અધિકાર હેઠળ આવે છે. આ ઇમારતનો ઇતિહાસ જોઇએ તો સયાજીરાવ પહેલાના સમયગાળામાં એટલે કે વર્ષ 1768 પછી પૂણે થી એક શરાફ એટલે કે વગદાર વ્યક્તિ જેમનું નામ ગોપાળનાઇક તાંબેકર હતું તેઓ અહીં પોતાના આપબળે વડોદરાના દિવાન બન્યા હતા તેઓને રહેવા માટે આ ભવન તૈયાર કરવામાં આવ્યું હતું જેને આપણે 'તાંબેકર વાડા' તરીકે ઓળખીએ છીએ.

ત્યારબાદ ગણપતરાવ ગાયકવાડના સમયગાળામાં એટલે કે 1847 થી 1856 સુધીના સમયગાળા દરમ્યાન તાંબેકર ફેમિલીના સભ્ય એવા વિઠ્ઠલ ખંડેરાવ તાંબેકરે આ ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપરના બે માળ સુધી ભિંતચિત્રો તૈયાર કરાવ્યા હતા. આ ભિંતચિત્રો કોટાના 13 આર્ટિસ્ટો દ્વારા ચાર વર્ષમાં તૈયાર કરવામાં આવ્યા હતા. કોટાશૈલીમા તૈયાર થયેલા આ ભિંતચિત્રોમાં રામાયણ, મહાભારત તથા જે તે સમયના પશુ પક્ષીઓને આવરી લેવામાં આવ્યા હતા.

આ ભિંતચિત્રો ઉપરના બે માળે આજે પણ યથાવત છે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર હવે ફરી રિસ્ટોરેશનની કામગીરી થાય તેની રાહ જુએ છે. સમગ્ર ઇમારતમાં લાકડાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો છે. આગળનો ભાગ એ.એસ.આઇના અધિકાર હેઠળ છે, જ્યારે પાછળનો ભાગ કે જ્યાં સ્કૂલ હતી તે ભાગ જર્જરિત થઇ રહ્યો છે.

વધુમાં ચંદ્રશેખર પાટીલે જણાવ્યું કે, ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અહીં હેરિટેજ ઇમારત રિસ્ટોરેશન માટે ફંડની (લગભગ 2 લાખ રૂપિયા) ફાળવણી તો કરી છે પરંતુ પાલિકાના અધિકારીઓ કે શહેરના રાજકારણીઓને જાણે કોઇ જ રસ જ ન હોય તેમ જણાય છે. અહીં રિસ્ટોરેશનની કોઇ કામગીરી હાથ ધરવામાં આવી નથી. જ્યારે આ અંગે પૂછતાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ એ.એસ.આઇ પર બધું ઢોળી જણાવે છે કે, એ.એસ.આઇ લેખિતમાં કયો ભાગ તેઓના અંડરમાં છે તે સ્પષ્ટ કરે ત્યારે આગળની કાર્યવાહી હાથ ધરીશુ. આમ શહેરમાં હેરિટેજ ઇમારતોની જાળવણી અને નિભાવણી માટે તંત્ર નિષ્ક્રિય જણાય છે. રાજકારણીઓ અને સતાધીશો ફક્ત શહેરને સ્માર્ટ સિટી બનાવવાની દોડમાં, હોડમાં પડ્યા છે અને આપણી વિરાસત વિસરી રહી છે.

તાંબેકર વાડો માત્ર એક ઈમારત નહીં, પરંતુ વસ્તૂશિલ્પ, પેઈન્ટિંગ અને નગરનિર્માણકલા નું એક જીવંત દસ્તાવેજ છે. આ જેવી હેરિટેજ ઇમારતોની જાળવણી માત્ર ભૂતકાળના ગૌરવને સજાવવાની કામગીરી નથી, પરંતુ ભવિષ્યના પેઢી માટે સંસ્કૃતિના આધારસ્તંભ તરીકે તેને સાચવી રાખવાનો વિચાર છે. વડોદરા જેવી સંસ્કારી નગરીમાં તાંબેકર વાડો જેવી હેરિટેજ ઇમારતો ફરી એકવાર તેના ગૌરવને પામે, અને અહીંના ભિંતચિત્રો વિશ્વભરના કલાપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને – એજ આશા અને પ્રયાસો આગળ વધવા જોઈએ.

#વડોદરા

વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા છ વર્ષની બાળકીના પેટમાંથી દૂર કરી વાળની ગાંઠ !!!વડોદરા: સર સયાજીરાવ જનરલ હોસ...
15/04/2025

વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા છ વર્ષની બાળકીના પેટમાંથી દૂર કરી વાળની ગાંઠ !!!

વડોદરા: સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના સર્જરી વિભાગે એક વિલક્ષણ સર્જરી દ્વારા છ વર્ષની બાળકીના પેટમાંથી 55 સેન્ટિમીટર લાંબો વાળની ગાંઠ સફળતાપૂર્વક દૂર કરી. બાળકી આંતરડાના સ્તર સુધી પહોંચેલા વાળની ગાંઠના કારણે અસહ્ય પીડા અને ઉલટીઓનો ભોગ બની હતી. ડોક્ટરોની ચુસ્ત કામગીરી અને સમયસર લેવામાં આવેલી તબીબી કાર્યવાહીથી બાળકી હવે ધીમે ધીમે આરોગ્યલાભ લઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે આ બાળકી ખાનપુર ગામના ખેડૂત દંપતી રાકેશભાઈ અને મીનાબેન નિનામાની પુત્રી છે. તેને છેલ્લા કેટલાક દિવસોથી પેટમાં તીવ્ર દુખાવો અને વારંવાર ઉલટી થતી હતી. બાળકીના માતા-પિતાએ એસએસજી હોસ્પિટલનો સંપર્ક કર્યો, જ્યાં તબીબોએ સીટીસ્કેન દ્વારા વાળની ગાંઠ આંતરડા સુધી પહોંચી ગઈ હોવાનું જણાયું અને તાત્કાલિક પગલા રૂપે બાળકીને હોસ્પિટલમાં દાખલ કરી શનિવારે સર્જરી કરવામાં આવી.

આ જટિલ ઓપરેશનમાં સર્જરી વિભાગના ડૉ. આદીશ જૈન (એસોસિયેટ પ્રોફેસર), ડૉ. સંદીપ રાવ (એસોસિયેટ પ્રોફેસર), ડૉ. અશ્વિન કનકોટિયા (સહાયક પ્રોફેસર), ડૉ. હાર્દિક પરમાર (સહાયક પ્રોફેસર) તેમજ એનેસ્થેસિયાની ટીમે કાર્યરત હતી. લગભગ બે કલાક સુધી ચાલેલી આ સફળ સર્જરીમાં બાળકીના પેટમાંથી 55 સેન્ટિમીટર લાંબા વાળની ગાંઠને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવી.

ડૉ. સંદીપ રાવે માહિતી આપી હતી કે, "આ કેસ માનસિક સ્થિતિને લઈને ઊભો થયો છે, જેને ટ્રાઇકોબેઝોર (Tricobazor) તરીકે ઓળખવામાં આવે છે. દર્દીએ લાંબા સમયથી પોતાના વાળ ચાવવાની આદત હતી, જેના કારણે વાળ પેટમાં એકઠા થતાં ગયા અને અંતે આંતરડાની દિવાલો સાથે ચોંટી ગયા."

જોકે, ખાનગી હોસ્પિટલોમાં આ ઓપરેશન લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચદાયક હોઈ શકે છે, ત્યારે એસએસજી હોસ્પિટલમાં તમામ સારવાર મફતમાં આપવામાં આવી. ડૉ. રાવે વધુમાં ઉમેર્યું કે, "અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એસએસજીનો સર્જરી વિભાગ આ પ્રકારના જટિલ કેસો માટે તૈયાર છે અને જરૂરિયાતમંદો માટે આરોગ્યસેવાને વધુ પહોંચરૂપ બનાવે છે."

બાળકી હાલમાં હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં નિરીક્ષણ હેઠળ છે અને આરોગ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે. બાળકીના પિતા રાકેશ નિનામાએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું, "અમે અમારી પુત્રીના માથામાંથી વાળ ધીરે ધીરે ઓછા થતા અણસાર મળ્યો કે કંઈક ગડબડ છે. ખાનગી હોસ્પિટલના ખર્ચને કારણે અમે સરકારની હોસ્પિટલ પર ભરોસો મૂક્યો અને અહીંની ડોક્ટરોની ટીમે અમારું જીવન બદલ્યું છે. અમે આમના દિલથી આભારી છીએ."

આ સમગ્ર ઘટનાએ ‘ટ્રાઇકોબેઝોર’ જેવી દુર્લભ તબીબી સ્થિતિ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું છે અને સાથે સાથે સરકારી આરોગ્યસંસ્થાઓના મહત્વને ફરી એકવાર રેખાંકિત કર્યું છે.

23/12/2024

બ્રેકિંગ વડોદરા : મહાનગરપાલિકના અધિકારીઓ અને સત્તાધિશો પર વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલ

અધુરી વ્યવસ્થાને લઈને એન્ટી બીજેપીના લાગ્યા પોસ્ટર

કોર્પોરેશન ચુંટણી પેહલા વાસણા રાણેશ્વર મંદિર પાસે એન્ટી બીજેપી સહિત લોકોની વ્યવસ્થા માટે પોસ્ટર લાગ્યા,

ક્રાંતિકારી સેના કોણ ચલાવી રહ્યું છે વડોદરા શહેરમાં ?

પેહલા વ્યવસ્થા પછી વિકાસ તથા આઝાદ દેશના ગુલામ નાગરિકો ને ભીખમાં પેહલા વ્યવસ્થા આપો મોદી સાહેબ તેવા સ્લોગન સાથે પોસ્ટર લાગ્યા,

વડોદરામાં નાગરિકો ને જાગૃત કરવા કે સરકારને ચેતવણી માટે લાગ્યા પોસ્ટર મોટો પ્રશ્ન .

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when Aware Vadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share