30/07/2026
કાંઠા વિસ્તારમાં મીઠા અગરિયાઓને થયેલા નુકસાનની ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે કરી મુલાકાત
વલસાડના માનનીય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ દ્વારા કાંઠા વિસ્તારમાં મીઠા અગરિયાઓને થયેલા નુકસાન અંગે સ્થાનિક અગરિયાઓ સાથે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન અગરિયાઓ પાસેથી તેમની સમસ્યાઓ, થયેલા નુકસાન તેમજ તેમને પડતી મુશ્કેલીઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
મીઠા અગરિયાઓના પ્રશ્નોને લઈને થોડા સમય અગાઉ સંબંધિત મંત્રીમંડળ વિભાગ તેમજ જિલ્લા કલેક્ટરશ્રી, વલસાડને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. અગરિયાઓને થયેલા નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરી તેમને જરૂરી સહાય અને રાહત મળે તે માટે સરકાર સમક્ષ સતત રજૂઆત કરવામાં આવી રહી છે.
ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, “અગરિયા સમાજના હિત અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર ગંભીર છે. અગરિયાઓને મુશ્કેલીના સમયમાં એકલા છોડવામાં નહીં આવે અને તેમને યોગ્ય સહાય મળે તે માટે જરૂરી તમામ પ્ર�