Channel Narmada

Channel Narmada Bharuch's leading news Media
Platform for Bharuch community across globe News that touches lives of everyone. serving people of Gujarat across the world.
(1552)

Please like and also forward to all those friends and relatives to like Bharuch's leading media to get updates. Bharuch's own & Strong local television News Channel which was launched on 20 August 1998 by then Chief Minister of Gujarat. This was the first local News Channel.on Cable TV in Gujarat. Covering smallest news of any corner of Bharuch District and South Gujarat. A strong media for Promotion news , views & advertisements.

ભરૂચ ની પ્રખ્યાત હિલ્સા માછલીની હવે બંગાળ અને બાંગ્લાદેશ માં ભારે માંગ. બન્ને જગ્યાએ હિલ્સા નું ઉત્પાદન ઘટતા, ભરૂચ ની  હ...
04/09/2025

ભરૂચ ની પ્રખ્યાત હિલ્સા માછલીની હવે બંગાળ અને બાંગ્લાદેશ માં ભારે માંગ. બન્ને જગ્યાએ હિલ્સા નું ઉત્પાદન ઘટતા, ભરૂચ ની હિલ્સા ની માંગ વધી.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયા ના અહવાલ મુજબ ભરૂચે જુલાઈ-ઓગસ્ટ દરમિયાન દેશભરમાં રેકોર્ડ 4,000 ટન હિલ્સા સપ્લાઈ કરી છે. જ્યારે આ વર્ષે બાંગ્લાદેશથી આયાત હજુ શરૂ થઈ નથી અને પશ્ચિમ બંગાળમાં ઉત્પાદન શરૂ થયું નથી. ભરૂચની નર્મદા નદીમાંથી માછલી, અરબી સમુદ્રમાંથી સ્થળાંતર કર્યા પછી, કોલકાતામાં છૂટક વેચાણ કરવામાં આવી રહી છે અને આગળ મુંબઈ, દિલ્હી NCR, બેંગલુરુ અને ચેન્નાઈમાં વિતરિત કરવામાં આવી રહી છે.

સામાન્ય રીતે ૧-૧.૨ કિલોગ્રામની મોટી માછલીઓ બજાર માં વધુ જોવા મળે છે. જોકે ૭૦૦-૮૦૦ ગ્રામની નાની માછલીઓ પણ ઉપલબ્ધ છે. કિંમતો પ્રતિ કિલો રૂ. ૧,૨૦૦-૧,૪૦૦ ની વચ્ચે છે, જેમાં નાની માછલીઓ રૂ. ૮૦૦-૯૦૦ ના ભાવે વેચાય છે. "આ વખતે ભરૂચથી લગભગ ૪,૦૦૦ ટન હિલ્સા બંગાળમાં પહોંચી છે, જે છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી વધુ છે," હાવડા હોલસેલ ફિશ માર્કેટના સેક્રેટરી સૈયદ અનવર મક્સૂદે જણાવ્યું હતું., સંદર્ભ: TOI Report.

GST ના નવા દરો માં સામાન્ય લોકો ને ઘણી રાહત થશે. ૫૬મી GST કાઉન્સિલની બેઠક ૩-૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ યોજાયેઇ હતી. GST કા...
03/09/2025

GST ના નવા દરો માં સામાન્ય લોકો ને ઘણી રાહત થશે.
૫૬મી GST કાઉન્સિલની બેઠક ૩-૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ યોજાયેઇ હતી.

GST કાઉન્સિલના મુખ્ય નિર્ણયો
૧. બે-સ્લેબ GST માળખું મંજૂર
GST ફિટમેન્ટ કમિટીએ સરળ બે-સ્લેબ માળખામાં નિર્ધારિત કર્યા છે.

આવશ્યક ચીજવસ્તુઓ માટે ૫%

મોટાભાગની અન્ય વસ્તુઓ માટે ૧૮%

" લક્ઝરી ચીજવસ્તુઓ" (દા.ત., તમાકુ, પાન મસાલા, ઉચ્ચ કક્ષાની ઓટોમોબાઇલ્સ) માટે ૪૦% નો નવો સ્લેબ પણ મંજૂર કરવામાં આવ્યો છે.

૨. ગ્રાહક ચીજવસ્તુઓના GST માળખામાં માટે મોટા પાયે કાપ

ટૂથપેસ્ટ, ટેલ્કમ પાવડર, શેમ્પૂ જેવી લગભગ ૧૭૫ સામાન્ય ગ્રાહક વસ્તુઓ પર GST ૧૮% થી ઘટાડીને ૫% કરવામાં આવશે.

તહેવારોની માંગને વેગ આપવા માટે ટીવી અને AC જેવા ઇલેક્ટ્રોનિક્સ ૨૮% થી ઘટાડીને ૧૮% કરવામાં આવશે.

નાની પેટ્રોલ હાઇબ્રિડ કાર પરનો GST 28% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો, જે ગ્રીન મોબિલિટીને ટેકો આપે છે.

3. લક્ઝરી EV માટે ભારે કર

આશરે $46,000 થી વધુ કિંમતના માલ (લક્ઝરી EV) પર GSTમાં 40% સુધીનો વધારો થશે, જેની અસર ટેસ્લા, BMW અને મર્સિડીઝ-બેન્ઝ જેવી બ્રાન્ડ્સ પર પડશે.

ગ્રાહકો આવશ્યક ચીજવસ્તુઓ અને કેટલીક ઇલેક્ટ્રોનિક્સ પર ઓછી કિંમતો થશે.

BLOG:- Naresh Thakkar, Bharuch ✍️ ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ભરૂચ - દૂધ ધારા ડેરીની પ્રતિષઠા ભર્યા ચૂંટણીજંગને જિલ્લા ભ...
02/09/2025

BLOG:- Naresh Thakkar, Bharuch

✍️ ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ભરૂચ - દૂધ ધારા ડેરીની પ્રતિષઠા ભર્યા ચૂંટણીજંગને જિલ્લા ભાજપમાં સંભવિત આંતરિક વિવાદનું કારણ કોણે બનાવ્યું??

✍️ સૌરાષ્ટ્રના કટુ અનુભવ પછી પણ પ્રદેશ પ્રમુખે સહકારી ક્ષેત્રના રાજકારણ માં પાર્ટી મેન્ડેટ આપી પક્ષની એકતામાં તો કોઈ અડપલું તો નથી કર્યુ ને??!!

✍️ વિધાનસભા, લોકસભાને પણ આંટી મારે એટલી પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ ચૂંટણીમાં કરોડોનો ખર્ચ થશે??!! મેન્ડેટ આપવામાં જ કાચું કપાયું?? વિકાસ પેનલમાં પણ ભાજપના કપાયેલા ચાલુ ડિરેક્ટર્સ??!!

✍️ ભાજપના જુના વફાદારોને બદલે મૂળ ભૂત કોંગ્રેસીઓ, એકાદ બે 'આપ' તરફી ઉમેદવારોને પણ ભાજપનો મેન્ડેટ અપાયાની ફરિયાદ??!! મોવડી મંડળ, જિલ્લા પ્રમુખ પણ અંધારામાં રહ્યા ??

ભરૂચ જિલ્લો પણ આઝાદી પછી સહકારી ક્ષેત્રોમાં દિન પ્રતિદિન પ્રગતિ કરતો રહ્યો છે. અસંખ્ય સહકારી મંડળીઓ થી ચાલતી ગ્રામ્યકક્ષાની વિવિધ પ્રવૃતિઓએ ગામડાઓને પણ સદ્ધરતા માટેની વિશાળ ક્ષિતિજો આપી છે,ખાસ નાની નાની ખેતીવાડી, પશુપાલન ને લગતી પ્રવૃત્તિઓને જીવંત રાખવામાટે, લઘુ ઉદ્યોગોનો દરજ્જો આપી "વિના સહકાર નહિ ઉદ્ધાર" ના સૂત્રો સાથે શરૂ કરાયેલી આવી ઉત્પાદક મંડળીઓ વર્તમાન સમયમાં રાજકારણ, સત્તા અને ધન વૈભવ, પૈસો ને પ્રતિષઠા નું કેન્દ્ર બની ગઈ છે. ભરૂચની અસંખ્ય દૂધ મંડળીઓ થાકી ચાલતી અને નાનકડું સહકાર ક્ષેત્રનું સાધન એવી દૂધ ધારા ડેરી છેલ્લા 10-15 વર્ષમાં અને ખાસ તો 'અમૂલ' સાથે જોડાણ કર્યા પછી બધીજ રીતે અમૂલ્ય બની ચુકી છે, પછી એ સત્તાનું રાજકારણ હોય કે ધન સમૃદ્ધિ નું... આ ડેરીનો વ્યાપાર, હોદ્દો હવે સાંસદ અને મિનિસ્ટર્સને પણ સત્તા અને કમાણીમાં વિચલિત કરે, લોભાવે એવો બની ચૂક્યો છે. ધન વૈભવ અને સત્તા કોને ના ગમે??
છેલ્લા લાંબા સમયથી ભરૂચની દૂધધારા ડેરી અનેક આક્ષેપો, વિવાદોમાં ફસાતી આવી છે. આ ડેરીની ચેરમેનશિપ જુના કોંગ્રેસીઓ પાસેથી ભાજપના હાથમાં આવ્યા બાદ મહતમ સમય કદાચ ઘનશ્યામ પટેલની ચેરમેનશિપ હેઠળ ચાલી છે, જેમાં 'બધાનો' ભરપૂર વિકાસ બહુ ઊંચી ક્ષિતિજોને પાર કરી જતાં, એક ખૂણામાં પડેલી ડેરીના વહીવટ માટે ભાજપના અનેક નેતાઓની 'આંખો ઠરી' ડેરી પર છે, જેથી આ વખતની ચૂંટણી પેહલવહેલીવાર આર પારની લઢાઈ નો જંગ બની રહેશે એવું દેખાઈ રહ્યું છે. કહેવાય છે કે આ મેન્ડેટ સીધો પ્રદેશ પ્રમુખ CR PATIL સાહેબના નામથી જ ફોર્મ ભરવાના બે દિવસ પૂર્વે, ઉપરના મોવડીઓની ગોઠવણો બાદ સીધો બારોબાર આપી દેવાયો છે, જિલ્લા પ્રમુખને પણ સંકલનમાં ના લીધા, રાખ્યા હોવાનું બિન આધારભૂત રીતે બોલાઈ રહ્યું છે, હા, મનસુખલાલે લેટર બૉમ્બ ફોડ્યો છે, પણ કદાચ એ ઉતાવડિયો છે, કે ચોક્કસ હેતુ માટે, એ અલગથી ચર્ચાનો વિષય છે, એટલું જ નહિ વર્તમાન ડિરેકટર્સ માંથી ચેરમેન પદના અપેક્ષિત અને યુવા નેતા જીજ્ઞેશ ચતુરભાઈ પટેલને જ મેન્ડેટમાંથી પાડી દેવાયા, હટાવી દેવાયા છે,પક્ષમાંથી ઉઠેલી ફરિયાદ પ્રમાણે આ મેન્ડેટ કોઈનું 'પ્રિપ્લાનિંગ' અને 'ટાર્ગેટેડ' એટેક છે, સાચું ખોટું ભાજપ ના નેતાઓ, મોવડીઓ જાણે..તો બીજી બાજુ અંકલેશ્વરના ચાલુ ડિરેક્ટર વિનોદ ખુશાલ પટેલને પણ ટિકિટમાંથી બાકાત કરી દીધા છે, અને મૂડ કોંગ્રેસ ગોત્ર ના સક્રિય કોંગ્રેસી હિરેન પટેલને ટિકિટ આપવાનો જાદુ કોઈ જાદુગરે પાટીલ સાહેબ પાસે કરાવી દીધો છે, સાયખાના હેમન્તસિંહ રાજ ને પણ અકારણ ઘેર બેસાડી, સંજયસિંહ રાજ ને મેન્ડેટ અપાયો છે. આ તો હજુ પાસેરા માં પેહલી પૂણી છે, આગે આગે દેખો હોતા હૈ ક્યા..
હજુ આજે ફોર્મ ચકાસણી થશે, પણ મેન્ડેટ એ વાવાઝોડું અને વિવાદ સર્જયો છે, અને આવા ચમત્કારો માં કોંગ્રેસ તરફીઓ અને 'આપ' આમ આદમી પાર્ટીની આંગળી પકડી ચાલનારને પણ ભાજપનો મેન્ડેટ પકડાવી દેતાં ખુદ ભાજપ જ ફિક્સમાં મુકાઈ ગયો છે,મોટું આશ્ચર્ય સર્જાયું છે, એના ફોટાઓ પણ વાયરલ થઈ રહ્યા છે,એટલુંજ નહિ પ્રદેશ પ્રમુખ CR PATIL માટે પણ વિદાય વસમી બને, વિવાદ સર્જે એવી સ્થિતિનું સર્જન થયું છે. રમતો બહુ મોટી છેક ઉપલા લેવલે રમાઈ છે,ભરૂચ જિલ્લાનું રાજકારણ ડોહળાઈ રહ્યું છે, જુના જ્ઞાતિ જાતિ અને વિધાનસભા, લોકસભા ની ચૂંટણીઓમાં ટિકિટો મળવા, કપાવવાની કટુ ઘટનાઓના વેરઝેર વસુલવા સહકારી ક્ષેત્રની દૂધધારા ડેરીને રાજકીય અખાડો કોણ બનાવી રહ્યું છે, એ પ્રદેશ એ બારીકાઇથી જોઈને આ મેન્ડેટમાં જરૂરી સુધારા વધારા કરવા પડશે. કુલ 370 થી વધુ દૂધ મંડળીઓ ની બનેલી આ સંસ્થા માત્ર વ્યાપાર કે ભ્રસ્ટાચારનો સ્ત્રોત કે અડ્ડો કે કોઈની વ્યક્તિગત પેઢી ના બની જાય એ જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે, ભારતીય જનતા પાર્ટી ની છે. ચેનલ નર્મદા પાસે આવેલી ઉમેદવારોની યાદીની એનેલીસીસ તૈયાર કર્યા પછી, આજની ફોર્મ ચકાસણી ના અંતે ક્લિયર થનારા પિક્ચરની એક બાદ એક BLOG કરતાં રહીશું... પણ અત્યારે તો એંધાણ ખું ખાર જંગ ના દેખાઈ રહ્યા છે, અને રાજકારણના જુના જોગીઓ,ખેલાડીઓ ગણ ગણી રહ્યા છે, ચેરમેનશીપ માટે 5-50-75 કરોડ ખર્ચાઈ જાય તો નવાઈ નહિ.. સરકારે, પાર્ટીએ સમયસર દરમ્યાનગીરી કરવી જોઈએ, નહીંતર લાંબા ગાળે આ વિવાદ વિભાજનમાં પણ પરિણમી શકે છે. બધીજ લોબીઓ પોત પોતાના માણસોને એલર્ટ કરી ચુકી છે.એકવાર ફાઇનલ મુકાબલો, યુદ્ધવીરો નક્કી થઇ જવા દો... પછી નામજોગ વિશ્લેષણ કરવું પડશે તો એ પણ કરશું.

30/08/2025

📌 DGVCL નાં 22 KV શુક્લતીર્થ અને મંગલેશ્વર ફીડર પર 2 સપ્ટેમ્બર મંગળવારે શટડાઉન

સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી વીજ પ્રવાહ બંધ રહેશે

મકતમપુરથી ઝાડેશ્વર ચોકડી (ઝાડેશ્વર ગામ સિવાય) નાં વિસ્તારોમાં અસર

જો વાતાવરણ અનુકૂળ નહીં હોય તો અગત્યની કામગીરી રદ્દ કરાશે

UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે 250 KW સોલાર એનર્જી સિસ્ટમ સ્થાપિતટકાઉ અને ઉર્જા-કાર્યક્ષમ કેમ્પસ બનવા તરફ એ...
29/08/2025

UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે 250 KW સોલાર એનર્જી સિસ્ટમ સ્થાપિત

ટકાઉ અને ઉર્જા-કાર્યક્ષમ કેમ્પસ બનવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીએ ગણેશ પૂજાના શુભ અવસર પર 250 kW સોલાર પાવર સિસ્ટમના ટ્રાયલ રન સફળતાપૂર્વક શરૂ કર્યા છે.

આ સીમાચિહ્નરૂપ પહેલ ફક્ત કેમ્પસની સમગ્ર વિદ્યુત ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરશે.

29/08/2025

BLOG: Naresh Thakkar, Bharuch

✍️ મેઘ મલ્હારી વાતાવરણમાં ભરૂચ - અંકલેશ્વરમાં જામ્યો ગણેશ ઉત્સવનો ભક્તિમય માહોલ : પંડાલો સહિત ઘેર ઘેર ગણેશ ઉપાસના- ઉત્સવ

✍️ ગણેશજી ભક્તિ, જ્ઞાન અને કલાનો ત્રિવેણી સંગમ : શ્રવણ વિદ્યાધામ શાળાએ બંધારણની થીમ પર કર્યું શ્રીજી સ્થાપન..

✍️ ભરૂચ - અંકલેશ્વરમાં ઉત્સાહ, ઉમંગ અને શ્રદ્ધા સાથે વિવિધ થીમ સાથેના શ્રીજી સ્થાપન આ શનિ રવિ માં જમાવશે, ટ્રાફિક અને વરસાદ બનશે એક વિઘ્ન??

હિંદુ સંસ્કૃતિ એટલે ઉમન્ગ ઉત્સાહ સાથે વૈવિધ્ય સભર ઉત્સવો - તહેવારોની જીવંત અને ચેતનવંતી સંસ્કૃતિ...શ્રાવણ મહિનાથી આરંભાતાં ઉત્સવો ભાદરવા સુદ ચોથ થી ભાદરવા સુદ ચૌદશ, આનંદ ચૌદસ ગણેશ વિસર્જનના દિવસ સુધી મહારાષ્ટ્રની ધૂન પર હવે ગુજરાતમાં પણ આઝાદી બાદ સંપૂર્ણપણે ગણેશ ઉત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે. ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લા નો આસપાસનો વિસ્તાર, મુખ્ય મથકો, ફળિયાઓ અને ઘરોમાં એકદંત ગજાનંદ ગણેશજીના વિવિધ સ્વરૂપો નું સ્થાપન, પૂજન દશદિવસ થતું રહે છે.
આ વર્ષે પણ પ્રતિવર્ષની જેમ ભરૂચ અંકલેશ્વરમાં એટલીજ ધામધૂમ, ઉમંગ ઉત્સાહ સાથે શ્રીજી સ્થાપન થયાં છે. હા, વિશાળ કાય ગણેશની પ્રતિમાઓ પર જન સલામતી, પર્યાવરણ જાગૃતિની અસરો થોડી જોવા મળી રહી , હવે માત્ર છે ઈર્ષ્યા - દેખાડાં કે આર્થિક સ્પર્ધાના તત્વોના બદલે વિવિધ મંડળો, પડાલોમાં થીમ સહીતનું કલા - વૈવિધ્ય જોવા મળ્યું. એક મીડિયા તરીકે આનંદ ત્યારે વધુ થાય જયારે સંસ્કૃતિ, સનાતન ધર્મની મર્યાદાઓ સાથે સવિશેષ ભક્તિ ભાવથી ઉત્સવો ઉજવાય. ચેનલ નર્મદા એની સ્થાપના સમયથી, 27 વર્ષથી હંમેશા આ ઉત્સવને પ્રત્યક્ષ - પરોક્ષ પ્રોત્સાહન આપતી રહી છે. વિશાળ કાય પ્રતિમાઓની સ્પર્ધાને ટકોર બાદ થીમ પ્રોજેક્ટ ને હંમેશા પ્રથમ પસન્દગી આપી છે. માત્ર કદ નહિ, કલા કૌશલ્ય સાથે ભક્તિ વધુ સ્વીકૃતિ હોય છે, એ અમારો વ્યક્તિગત અનુભવ પણ રહ્યો છે.
ભરૂચમાં આરતીઓ માં ભાગ લેતાં જોયું, અનુભવ્યું કે ગણેશ ઉત્સવ ધીરે ધીરે હકારાત્મક દિશા તરફ પ્રયાણ કરી રહ્યો છે. ભરૂચમાં બચપણ થી જ જોતાં આવ્યા છે, એવા હંમેશા લાઈવ ડેકોરેશન સાથે સ્થાપિત થતાં કોઠી ખાતેના ગણેશ આ વખતે શ્રેષ્ઠ પરંપરા માં આગળ રહ્યા છે, ત્યાં વિષ્ણુ ના દશાવતારનું લાઈવ ડેકોરેશન અદ્ભૂત અને જોવા જેવું છે, એ પણ સ્થળ પર ઉપસ્થિત રહી ને જ..ભાજપ ના માજી નગરસેવક રાજેશ ચૌહાણની ટીમ સખ્ત મેહનત કરી પરંપરા જીવંત રાખી રહી છે. તો "વેસ્ટમાંથી બેસ્ટ" અને તદ્દન પર્યાવરણ ફ્રેન્કલી થીમ માં હંમેશા આગળ રહેતી શ્રીજી પૂરી ખડકીની ની રાકેશ ભટ્ટ અને સાગર સેલતની ટીમે પરંપરા જીવંત રાખતા આયુષ્યમાન ની થીમ માં દવામાં વપરાતી વિવિધ ચીજો જે વિસર્જનમાં બિલકુલ નિર્દોષરીતે ભળી જાય, તેવી રીતે શ્રીજી ની પ્રતિમા બનાવી છે. તો લલ્લુભાઇ ચકલામાં વર્ષોથી બિરાજમાન ગણેશજીની પ્રતિમાનું સુંદર આભૂષણોથી સુશોભીત પ્રતિમા આંખોને જકડી રાખે છે, આ વખતે સુંદર અને વિશાળ જગ્યા સાથે રાજુ રાણા અને મહારાજની ટીમે ગણેશ સજાવ્યા છે,જુના બજારમાં પણ 'રાધા કૃષ્ણની' થીમ પર શ્રીજી સ્થાપન થયું છે.
અંબિકા નગરમાં પણ જતીન શાહની યુવા ટીમે એમની પરંપરાને અનુરૂપ વિશિષ્ટ થીમ 'જંગલ સફારી' પર ગણેશ સ્થાપન કર્યુ છે, જેમાં ભક્તો વિશાળ સંખ્યામાં શાંતિ અને સુકુનથી ગણેશજીની સાથે લાઈવ પક્ષીઓ- પ્રાણીઓ નિહાળી શકશે..દર્શન કરી શકે છે. શુભમ સોસાયટીના આર્નવ ગ્રુપના ચંદ્રમણિ ગણેશજી ના ઇકો ફ્રેન્ડલી ગણેશ પણ વિશેષ આકર્ષણ જમાવી રહ્યા છે, તો ઋષભ પટેલની ટીમ નવનિર્માણ સંઘ- BNS દ્વારા ઝાડેશ્વર RK સિનેમા રંગ પેલેસ માં 'ભરૂચના ભુપતી' દ્વારા "પંચમુખી ગણેશ મંદિર બેંગ્લોર"ની સુંદર પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે.
ભરૂચમાં નવીવસાહત ચોક ખાતે 'સ્વર્ગ નર્ક' ની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે, ત્યાંજ નવી વસાહતમાં પીપળીયા મહાદેવ પાસે કાશી ઘાટ નું નિર્માણ કરાયું છે.
સહુથી વધુ ધ્યાન ખેંચતું ગણેશ સ્થાપન થીમ "એડવેન્ચર પાર્ક" નીલકંઠ યુવક મંડળ દ્વારા ઉભું કરાયું છે, જેમાં બંજી જમ્પિંગ, કાયા કિંગ નો. પણ સમાવેશ કરાયો છે. ગાયત્રી નગર નજીક દ્વારકાની થીમ પર ઘરમાં જ ગણેશજી ની સ્થાપના પણ એક સુંદર સ્થાપન છે, તો 'ઓપરેશન સિંદૂર' પણ નવી વસાહતમાં એક 'થીમ ગણેશ સ્થાપન' જોવા જેવા ગણેશજી છે.
અંકલેશ્વરમાં પણ જુના દિવા BTS ગ્રુપ દ્વારા પ્રયાગરાજની થીમ પરનું ડેકોરેશન સાથે ગણેશ સ્થાપન થયું છે.એક દંત ગ્રુપનું 'જ્ઞાનવ્યાપી' થીમ પર ગણેશજીનું સ્થાપન થયું છે. અંકલેશ્વર ના મોદી ના બનારસ ના ગંગા ઘાટ થીમ પર ગણેશ સ્થાપન ઘણાનું ધ્યાન ખેંચશે, એ નિશ્ચિત છે.આ તો માત્ર અસંખ્ય ગણેશ સ્થાપનોમાંથી બે દિવસમાં ધ્યાને આવેલ ગણેશ સ્થાપનોની નાનકડી યાદી છે...બાકી મને સહુથી વધુ ધ્યાનખેંચતી થીમ વાળા સહુથી નાના, જ્ઞાન યુક્ત ગણેશજી જોવા મળ્યા, તો એ શ્રવણ ચોકડી પર આવેલી શ્રવણ વિદ્યા ધામ સ્કૂલ- શાળાના પ્રાંગણમાં જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા "બંધારણની થીમ" પરના ગણેશજી લાગ્યાં જેમાં ભારતીય બંધારણીની સંપૂર્ણ હિસ્ટ્રી સાથે બિલકુલ સાદગીથી, સસ્તામાં સસ્તી રીતે યાદ રહી જાય એવું જ્ઞાન સાથે ગણેશજીનું અદ્ભૂત સ્થાપન લાગ્યું... ગણેશજી જ્ઞાનના પણ દર્શક- ઘોતક છે, એ આ શાળાએ ચરિતાર્થ કર્યુ. આ ગણેશ સ્થાપન પર જિલ્લા શિક્ષણધિકારીશ્રી એ બધી શાળાના બાળકોને વિઝીટ નો લાભ આપવા શહેરની જુદી જુદી શાળાને સૂચના આપી,ભવિષ્યમાં શાળાઓ દ્વારા પણ આવા જ્ઞાન વર્ધક ગણેશ ઉત્સવો ઉજવવા પ્રેરિત કરવા જોઈએ..

29/08/2025

નર્મદા ડેમના 5 દરવાજા ખોલી 95 હજાર ક્યૂસેક પાણી છોડાયું : સરદાર સરોવરમાં 2.10 લાખની આવક, ડેમ છલોછલ થવાથી 2.56 મીટર દૂર; 3 જિલ્લાના 27 ગામમાં એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાવાની તૈયારીમાં છે. હાલમાં સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહિત જથ્થો 8512 MCM (મિલિયન ક્યૂબિક મીટર) છે, એટલે ડેમ 90 ટકા જેટલો ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરને જોતાં હાલમાં સપાટી 136.12 મીટર છે.

અંકલેશ્વર પ્રતિન પોલીસ ચોકી થી બ્રિજ, વાલિયા ચોકડી, સદાનંદ ચોકડી સર્વત્ર ભારે ટ્રાફિક જામ,  કલાકો થી વાહન ચાલકો , રાહદાર...
28/08/2025

અંકલેશ્વર પ્રતિન પોલીસ ચોકી થી બ્રિજ, વાલિયા ચોકડી, સદાનંદ ચોકડી સર્વત્ર ભારે ટ્રાફિક જામ, કલાકો થી વાહન ચાલકો , રાહદારીઓ ટ્રાફિક માં ફસાયા. વાહનો ન નિયંત્રણ માટે મર્યાદિત ટ્રાફિક પોલીસ. રોજ રોજ ની આ સમસ્યા.

28/08/2025

BLOG: Naresh Thakkar, Bharuch

✍️ ચેનલ નર્મદાના 27 વર્ષ પૂર્ણ અને 28માં વર્ષના આરંભ નિમિતે યોજાયેલ "મીટ વિથ મીડિયા "ના સફળ કાર્યક્રમ બાદ TV13 દ્વારા યોજાયો "મહા સન્માન પુરષ્કાર..."

✍️ ગુજરાતની TV13 ના મહા સન્માન કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા એ 'ચેનલ નર્મદા' અને'નરેશ ઠક્કર'ને યાદ કરતાં સર્જાયું સુખદ આશ્ચર્ય?? પત્રકારત્તવને પણ બિરદાવ્યું??!!

✍️ રાજનીતિ- રાજકારણ અને મીડિયા જનતાના એક જ હૃદયના કર્ણક - ક્ષેપક છે, એ નેતાઓ સમજે તો સર્વનું કલ્યાણ થાય.. બાકી એકનું કામ સેવા આપવાનું, તો બીજાનું નેતાઓને ચોકન્ના રાખવાનું જ છે...

ચેનલ નર્મદાએ 20 ઓગસ્ટ 2025 ને બુધવારે 27 વર્ષની દીર્ઘયાત્રા પૂર્ણ કરી 28 માં વર્ષમાં સફળ પ્રવેશ નિમિત્તે હોટેલ રિજનટા ખાતે મીટ વિથ મીડિયાનો સુંદર અને સફળ રસપ્રદ માહિતી સભર કાર્યક્રમ યોજ્યો જેમાં સર્વ આમંત્રિત મિત્રો એ હાજરી આપી અમારી યાત્રાને બિરદાવી, આનંદ વ્યક્ત કર્યો. વરિષ્ઠ પત્રકાર શ્રી વિનોદ ભટ્ટ, અજય ઉમટ, રોનક પટેલ અને ગોપી ઘાંઘરે ઉપસ્થિત રહી મીડિયા અંગે ચર્ચા ગોષ્ઠિ કરી, તો દરેક ક્ષેત્રના અગ્રણી મહાનુભાવોએ હાજર રહી કાર્યક્રમને ગૌરવ પ્રદાન કર્યુ..
બરાબર સાત દિવસ પછી, બીજા બુધવારે મીડિયા જગતનો બીજો એક વિશિષ્ટ કાર્યક્રમ વિનાયક ચોથ, ગણેશ ચતુર્થી ના દિવસે 27 ઓગસ્ટે બુધવારે હયાત હોટેલ ખાતે યોજાયો, જે ગુજરાતની TV13 સેટેલાઇટ ન્યૂઝ ચેનલના ભરૂચના પ્રતિનિધિ મુનીર પઠાણના અમદાવાદ સ્થિત CEO દિપક રાજાણી, MD મુન્નાભાઈ ગઢવીના સીધા માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ ભરૂચના વિવિધ ક્ષેત્રના 21 જેટલાં અગ્રણીઓનું સન્માન કરવાનો સફળ કાર્યક્રમ યીજાયો...જેમાં ચેનલ નર્મદાના રજતજયંતી વર્ષે જેમના સન્માન કરાયા હતાં એજ તર્જ પર મહત્તમ મહાનુભાવોને સન્માનનો ગૌરવપૂર્ણ અવસર પ્રાપ્ત થયો...
આ અવસરે એક આશ્ચર્ય ભરૂચના દીર્ઘકાલીન ભાજપના સાંસદ અને આદિવાસી નેતા મનસુખવાસાવા એ એકા એક આ કાર્યક્રમમાં ચેનલ નર્મદા અને મને, નરેશ ઠકકરને નામ જોગ યાદ કરતાં જણાવ્યું કે આવા કાર્યક્રમો એમના દ્વારા થતાં રહે છે... આ સાંભળી ઉપસ્થિત સહુના મનમાં કદાચ વિચાર આવ્યો હશે કે આજે છેલ્લા બે અઢી વર્ષથી નરેશ ઠક્કર અને ચેનલ નર્મદા થી રોષે ભરાયેલા અને આર પારની લઢાઈ કરી સોશિયલ મીડિયામાં છવાયેલા મનસુખલાલનું હૃદય પરિવર્તન એકદમ કેવી રીતે થયું?? ઘણાએ બીજા દિવસે મને સવારે સવારે જ મોબાઈલ કરી આશ્ચર્ય સાથે પૂછ્યું કે શું વાત છે?? કાલે ચમત્કાર કેમનો થયો??
મેં હળવા સ્માઈલ સાથે કહ્યું, મનસુખલાલ મારી જેમ જ બહુજ સંવેદનશીલ વ્યક્તિ છે, એક નેતા તરીકે એ કયારે કોની પર કેમ રૂઠશે કે રીઝાશે એ કેહવું મુશ્કેલ છે,પણ હા, એમનો આત્મા શુદ્ધ છે, સમય અને સ્થિતિ એમને વારંવાર વાણી, વર્તણુક બદલાવે છે, હુ સક્રિય રાજનીતિમા નથી, એટલે શુદ્ધ પત્રકારત્વ કરું છું, કરી શકું છું,એ કલયુગી સક્રિય રાજનીતિમાં છે, એટલે તેઓ ઘણીવાર બે ધારી તલવાર જેવું જીવે છે, ક્યારેક ટીકાઓ, અપશબ્દો બોલી ગુસ્સો, નફરત કે ખોટું ચાલતું હોય તો જાહેરમાં બોલી નાંખે છે,બાકી મનસુખલાલ ભાજપની મૂડી તો છેજ, પ્રશ્ન આદિવાસી પટ્ટી પર ઓવરોલ ભાજપના આદિવાસી નેતાઓની પકકડનો અભાવનો છે...ત્યાં એકતા નથી, સત્તાની સાઠમારી વિશેષ છે,એનું આત્મચિંતન કરવા સોશિયલ મીડિયામાં જ મનસુખલાલે ધડા ધડ ઇન્ટરવ્યૂઝ આપ્યા..હુ મનસુખલાલના વ્યક્તિત્વને બહુ નજદીકથી 30 વર્ષથી ઓળખું છું, એમના વખાણથી ના ખુશ થવાય ના નિરાશમનસુખલાલ પર તો હુ પુસ્તિકા લખી શકું,એ ફરી કોઈવાર પણ આજે મુખ્યવાત મહા સન્માન કાર્યક્રમનું ટૂંકમાં લખી blog પૂર્ણ કરીશ, એક ચોખવટ સાથે કે ના કોઈની ધાક ધમકી, બહિષ્કાર થી ચેનલ નર્મદા કે મારાં બ્લોગ્સ બંધ ઠાવાની- થવાના છે, ના પ્રજાનો અવાજ કોઈ રાજકારણી ક્યારેય પત્રકારના મોઢેથી દબાવી શકશે.. એક દબાવશો તો દશ ઉભા થશે, મને કે અમને ખોટી રીતે પડકરનારને પહોંચી વાળવાની ઈશ્વરીય, આધ્યાત્મિક શકતી ગણેશજી, અને અમારી જનતા આપે છે, આપશે.. હા, અહીંયા એક નેતા એ ભરૂચના વિકાસ અંગે વપરાયેલા રૂપિયા અંગે પડકાર ફેંક્યો છે, એમને પણ હુ નામજોગ ચેલેન્જ આપી બોલવીશ કે લાવો સરકારે આપેલી રકમો નો હિસાબ અને એમાંથી થયેલો 'ફિઝિકલ ડેવલોપમેન્ટ' કેમેરાની આંખે...
આ 'મહાસન્માન' કાર્યક્રમમાં સેવા યજ્ઞ સમિતિના સાચા સેવક રાકેશ ભટ્ટ, ભરૂચના સાચા સમાજ સેવી ધર્મેશ સોલંકી, લતા બેન દેસાઈ, ઉચ્ચ અધિકારી મનીષા બહેન માનાણી, બિલ્ડર્સ કિરણ મજમુદાર, રોહિત ચદ્દરવાલા, પિયુષ શાહ, ઉદ્યોગપતિ અશોક પંજવાણી, કિશોર ઠક્કર, જયેશ પરીખ, લોક ગાયક અભેસિંહ રાઠોડ જેવા 22 મહાનુભાવોને ઉપસ્થિત રાજ્ય કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, RAC શ્રી NR ધાંધલ સાહેબ, મનસુખભાઇ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી ના હસ્તે એવોર્ડ વિતરણ કરી સન્માન કરાયુ .આ પ્રસંગે માજી કેબિનેટ મંત્રી ખુમાનસિંહ વાંસિયા,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, એરિક શેઠના, પ્રવીણભાઈ તરૈયા સહિત અનેક શુભેછકો, મિત્રો હાજર રહ્યા હતાં.
મારાં BLOG ના ચાહક મિત્રો માટે હુ દ્રઢતા પૂર્વક એક નવો અભિગમ છે યુટ્યુબ મીડીયા નો અતિ સફળ, અસરકારક એવા "પોડકાસ્ટ પ્લેટ ફોર્મ " પર ભરૂચ જિલ્લાના પ્રશ્નોને રજુ કરવા સઘન પ્રયાસો કરી રહ્યો છું, બહુ જલ્દી, દિવાળી પહેલાં નવા નામ અને સ્વરૂપે મળીએ એવી શ્રીજી પ્રાર્થના.. 🙏🙏

📌ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે પ્રજા જોગ સંદેશ
27/08/2025

📌ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે પ્રજા જોગ સંદેશ

Address

Bharuch

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Channel Narmada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Channel Narmada:

Share

Our Story

Bharuch's own & Strong local television News Channel which was launched on 20 August 1998 by then Chief Minister of Gujarat. This was the first local News Channel run on Cable Network. Covering smallest news of any corner of Bharuch District and South Gujarat. A strong media for Promotion news , views & advertisements.